અંધો દૂંહો

February, 2001

અંધો દૂંહો (1983) : આધુનિક સિંધી કાવ્યસંગ્રહ. કવિ ડૉ. અરજણ મીરચંદાણી (‘શાદ’). એને સિંધીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે 1983નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો. ‘અંધો દૂંહો’માં કવિએ ભૂમિહીન વિશૃંખલિત સિંધી સમાજની તૂટતી જતી પારંપરિક અને સાંસ્કૃતિક શૃંખલાની વિડંબનાઓનું ચિત્ર આંક્યું છે. તેમાં સિંધી સમાજની ભાવુકતાને વાચા મળી છે. જન્મભૂમિથી વિસ્થાપિત થયાનો આક્રોશમય દર્દીલો સૂર તેમાં બજ્યા કરે છે. સાથે સાથે કવિએ આધુનિક સમાજજીવનની વિડંબનાઓનું નિરૂપણ કર્યું છે.

જયંત રેલવાણી