Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine
બોર્ડન, વિલિયમ એલન્સન
બોર્ડન, વિલિયમ એલન્સન (જ. 1853, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1931) : પૂર્વ વડોદરા રાજ્યનાં નગરો તથા ગામોમાં પ્રશંસનીય ગ્રંથાલય-પ્રણાલીની રચના કરનાર અમેરિકી ગ્રંથાલયશાસ્ત્રી. અમેરિકાના તત્કાલીન પ્રખ્યાત ગ્રંથાલયવિદ ચાર્લ્સ કટર પાસે શિક્ષા લીધી અને તેમના સહાયક તરીકે લાંબો અનુભવ મેળવ્યો. કોલમ્બિયા વિશ્વવિદ્યાલયમાં મેલવિલ ડ્યુઇએ સ્થાપેલા ગ્રંથાલય-શિક્ષણના વર્ગોમાં તેઓ વ્યાખ્યાતા હતા. કનેક્ટિકટની યંગમૅન્સ ઇન્સ્ટિટ્યૂટના ગ્રંથાલયમાં તેમણે 1887થી 1910…
વધુ વાંચો >ભટ્ટ, માર્કંડ
ભટ્ટ, માર્કંડ (જ. 1915, ભાવનગર, ગુજરાત; અ. 5 ફેબ્રુઆરી 2016, વડોદરા) : ગુજરાતના કલાગુરુ અને ચિત્રકાર. ભારતનાં કલા-મહાવિદ્યાલયોમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવનાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સને વિકસાવવામાં તેમણે પાયાના સ્તરે સિંહફાળો આપેલ છે. 1927થી 1933 દરમિયાન ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થામાં સોમાલાલ શાહના હાથ નીચે ચિત્રકલામાં તાલીમની શરૂઆત કરી. ત્યાંથી મૅટ્રિક્યુલેશન…
વધુ વાંચો >ભારવિહીનતા
ભારવિહીનતા (weightlessness) : મુક્ત પતન (free fall) કરતા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો. ગુરુત્વાકર્ષણબળ પરત્વે અવરોધની ગેરહાજરીથી પ્રેરિત થતી પરિસ્થિતિને મુક્ત પતન કહે છે. સૌપ્રથમ વાર ન્યૂટને (1642–1727) ભારવિહીનતાની ગાણિતિક સમજૂતી 1687માં આપી હતી. તેની સમજૂતી મુજબ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ, પછી ભલે પરમાણુ હોય કે ગ્રહ હોય, બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. વિશ્વમાં પ્રવર્તતાં…
વધુ વાંચો >ભિવાની
ભિવાની : હરિયાણા રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 22´થી 29° 4´ 35´´ ઉ. અ. અને 75° 28´થી 76° 28´ 45´´ પૂ.રે. વચ્ચેનો 5140 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિસ્સાર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રોહતક જિલ્લો; દક્ષિણ તરફ મહેન્દ્રગઢ જિલ્લો તથા પશ્ચિમ સરહદે રાજસ્થાનની સીમા…
વધુ વાંચો >જરથોસ્તી ધર્મ
જરથોસ્તી ધર્મ ધર્મને જરથોસ્તીઓ ‘દીન’ કે ‘દએના’ કહે છે. [દએના = અંત:કરણમાં શ્રદ્ધાનો ભાવ.] જરથુષ્ટ્રની પહેલાં હોમા પયગંબરે, માઝદયશ્ની દીન દ્વારા એકેશ્વરવાદ સ્થાપ્યો હતો. તે પહેલાં દેવયશ્ન (અલગ દેવોની પૂજા) હતી. તેથી ધર્મગુરુઓમાં ફાંટા પડ્યા. પ્રજાની એકતા જોખમાઈ. આ કારણે ‘દેવ’ શબ્દને ધર્મવિરોધી ગણ્યો છે. ઈરાનમાં કયાની વંશ હતો ત્યારે જરથુષ્ટ્ર એક સુધારક તરીકે, ધરતી…
વધુ વાંચો >દૂરવાણી
દૂરવાણી દૂરવાણી (telephony) : દૂરનાં બે સ્થળો વચ્ચે સંદેશાવ્યવહાર સ્થાપવા માટેના વ્યાપક-દૂરસંચાર(telecommunication)ની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શાખા. આ પદ્ધતિમાં ટેલિફોન જેવા સાદા ઉપકરણનો ઉપયોગ કરીને, કોઈ પણ દેશની વ્યક્તિ, ગમે તે દેશની બીજી વ્યક્તિ સાથે સીધી જ વાતચીત કરી શકે છે. ટેલિફોનની શોધ, સ્કૉટલૅન્ડમાં જન્મેલા પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા, બોસ્ટન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ઍલેક્ઝાંડર ગ્રેહામ બેલ…
વધુ વાંચો >જરાયુ (placenta)
જરાયુ (placenta) : સ્ત્રીકેસર(pistil)ની વક્ષસીવને અંડકો(જે ફલન બાદ બીજમાં પરિણમે છે.)ના ઉદભવનું સ્થાન. પ્રજનન માટે રૂપાંતરિત થયેલા પર્ણને સ્ત્રીકેસર કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુઓનો ઉદભવ અને તેમની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહે છે. સપુષ્પ વનસ્પતિઓના વર્ગીકરણમાં જરાયુવિન્યાસનું અત્યંત મહત્વ છે. બીજાશયની દીવાલની ધાર જ્યાં જોડાય ત્યાં વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય છે, જેના પર અંડક ઉદભવે…
વધુ વાંચો >જહાજવહન પત્ર (bill of lading; B/L)
જહાજવહન પત્ર (bill of lading; B/L) : માલ નિકાસ કરતી વખતે માલ જહાજ પર ચડાવ્યા અંગેનો દસ્તાવેજ. એમાં જહાજનું નામ, જહાજી કંપનીનું નામ, જ્યાં માલ મોકલવાનો હોય તે બંદરનું નામ, જહાજનો માર્ગ, માલનું વજન, માલથી રોકાયેલી જગ્યાનો નિર્દેશ, પાર્સલ પરની નિશાની વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત એમાં જહાજી કંપની વહાણમાં ચડાવવામાં આવેલ માલનું…
વધુ વાંચો >મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર)
મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર) ‘મનોવિશ્લેષણ’ શબ્દ બે અર્થમાં વપરાય છે. (1) અચેતનની વિભાવનાને આધારે માનવમન અને વર્તનનાં વિવિધ પાસાંઓની સમજૂતી આપતા સિદ્ધાંતો અને તદવિષયક કલ્પનાઓનું માળખું. (2) માનસિક રોગોની સારવાર માટેની એક માનસોપચાર પદ્ધતિ, જેનો હેતુ દર્દીઓના અચેતન માનસની પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરી, તેમને મનોભાર અને માનસિક રોગોમાંથી મુક્ત કરવાનો છે. મનોવિશ્લેષણનું મુખ્ય ધ્યેય આવેગાત્મક મુશ્કેલીઓ ધરાવતા દર્દીઓની…
વધુ વાંચો >ઓપન યુનિવર્સિટી
ઓપન યુનિવર્સિટી : ઘેર બેઠાં મુક્ત શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણની સુવિધા આપતી યુનિવર્સિટી. શિક્ષણ દ્વારા વ્યક્તિનું સશક્તીકરણ (empowerment) થવાની સાથે સાથે સમાજનો પણ વિકાસ થતો હોય છે એ સર્વસ્વીકૃત સત્ય છે. વિશ્વબૅંકના વર્ષ 2002ના અહેવાલ મુજબ જે દેશની વસ્તીના ઓછામાં ઓછા 70 % લોકોએ સાતથી આઠ વર્ષનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું હોય, તે દેશ ગરીબાઈની રેખાની…
વધુ વાંચો >