સંસ્કૃત સાહિત્ય

સાહિત્યમીમાંસા

સાહિત્યમીમાંસા : ભારતીય અલંકારશાસ્ત્રનો આચાર્ય રુય્યકે રચેલો ગ્રંથ. આ કૃતિનો ઉલ્લેખ સ્વયં રુય્યકે તેમની જ કૃતિ ‘અલંકારસર્વસ્વ’ અને ‘વ્યક્તિવિવેકવ્યાખ્યાનમાં’ કર્યો છે. વિદ્યાનાથે ‘પ્રતાપરુદ્ર-યશોભૂષણ’માં લેખકના નામોલ્લેખ વગર પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ કર્યો છે. ‘સાહિત્યમીમાંસા’નું પ્રકાશન ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં ઈ. સ. 1934માં થયું છે, તેમાં વચ્ચે ઘણુંબધું છૂટી ગયું છે. હસ્તપ્રતમાં પણ ખામી…

વધુ વાંચો >

સિદ્ધસેન દિવાકર

સિદ્ધસેન દિવાકર : ઉચ્ચ કોટિના જૈન દાર્શનિક ચિન્તક અને કવિ. તેમના જીવન વિશે સમકાલીન સામગ્રી મળતી નથી, પરંતુ અનુક્રમે ઈ. સ. 1278, 1305 અને 1349માં રચાયેલ પ્રભાચન્દ્રકૃત ‘પ્રભાવકચરિત’, મેરુતુંગકૃત ‘પ્રબન્ધચિન્તામણિ’, રાજશેખરકૃત ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ તેમજ લગભગ ઈ. સ. 11મી શતાબ્દીમાં રચાયેલ ભદ્રેશ્વરની ‘કહાવલિ’(અપ્રકાશિત)માં તેમના જીવનનો વૃત્તાન્ત આપવામાં આવેલ છે. – તેમાંથી આટલી…

વધુ વાંચો >

સિદ્ધહેમ

સિદ્ધહેમ : સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ. તેનું આખું નામ છે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. તેના કર્તા છે જૈન આચાર્ય હેમચન્દ્ર. ગ્રન્થના શીર્ષકમાં ગૂર્જરનરેશ સિદ્ધરાજ અને હેમચન્દ્રનાં નામોનાં આગલાં પદોનો નિર્દેશ છે. સિદ્ધરાજ માલવાને જીતી ધારાનગરીનો અમૂલ્ય ભંડાર પાટણ લાવ્યા હતા. તેમાં ભોજે રચેલો ‘સરસ્વતી-કંઠાભરણ’ નામનો વ્યાકરણનો ગ્રન્થ તેમણે જોયો. ગુજરાતમાં ગુજરાતના વિદ્વાનના…

વધુ વાંચો >

સિદ્ધાન્તકૌમુદી

સિદ્ધાન્તકૌમુદી : ભટ્ટોજી દીક્ષિતે પાણિનીય વ્યાકરણ વિશે રચેલો જાણીતો વૃત્તિગ્રંથ. આ ગ્રંથનું લેખકે આપેલું મૂળ નામ ‘વૈયાકરણસિદ્ધાન્તકૌમુદી’ એવું છે, પરંતુ તે ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે ઓળખાય છે. તે પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પર લખાયેલી પાંડિત્યપૂર્ણ વૃત્તિ છે. વિષયવાર સૂત્રોને વહેંચી, પ્રક્રિયા પ્રમાણે સૂત્રો ગોઠવી, ઉદાહરણ અને પ્રત્યુદાહરણ આપી લખાયેલી ‘મહાભાષ્ય’ પછી ‘કાશિકા’ વૃત્તિ સાથે…

વધુ વાંચો >

સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી)

સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી) : ગુજરાતી જૈન કવિ અને આલંકારિક. તેઓ વિદ્વાન જૈન મુનિ હતા. તેમના પૂર્વજીવનની વિગતો મળતી નથી. તેમનો જન્મ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો. જૈન મુનિ તરીકે તેઓ જાણીતા મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિન્ના શિષ્ય હતા અને વિજયસેનસૂરીશ્વરની શિષ્યપરંપરામાં થઈ ગયા. તેમનું નામ ‘સિદ્ધિચંદ્ર’ની જેમ ‘સિદ્ધચંદ્ર’ પણ મળે છે. ગુરુ…

વધુ વાંચો >

સિંહદેવ ગણિન્

સિંહદેવ ગણિન્ : ગુજરાતી આલંકારિક ટીકાકાર. તેઓ જૈન મુનિ હતા. ગુજરાતના આ જૈન મુનિએ વાગ્ભટ નામના આલંકારિક આચાર્યે રચેલા અલંકારગ્રંથ ‘વાગ્ભટાલંકાર’ પર સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકાના આરંભમાં 24મા જૈન તીર્થંકર મહાવીરની સ્તુતિ કરી છે. તેમણે પ્રસ્તુત ટીકા પોતાની સ્મૃતિ પાકી કરવા અને સામાન્ય માણસને સમજ આપવા…

વધુ વાંચો >

સુધાલહરી

સુધાલહરી : સંસ્કૃત સાહિત્યમાં પંડિતરાજ જગન્નાથે રચેલું સ્તોત્રકાવ્ય. પંડિતરાજ જગન્નાથે ‘લહરીપંચક’ સ્તોત્ર રચ્યું છે. તેમાં (1) ગંગાલહરી, (2) અમૃતલહરી (= યમુનાલહરી), (3) કરુણાલહરી, (4) લક્ષ્મીલહરી અને (5) સુધાલહરી — એમ પાંચ લહરીકાવ્યોનો સમાવેશ થાય છે. ‘સુધાલહરી’માં સૂર્યની સ્તુતિ છે. તેમાં સ્રગ્ધરા છંદમાં રચાયેલાં 30 પદ્યો છે. આમ આ લહરી ‘અમૃતલહરી’થી…

વધુ વાંચો >

સુબુદ્ધિ મિશ્ર

સુબુદ્ધિ મિશ્ર : સોળમા સૈકામાં થઈ ગયેલા એક નૈયાયિક અને આલંકારિક. સુબુદ્ધિ મિશ્ર મહેશ્વર ન્યાયાલંકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે વામનાચાર્ય ઉપર ‘આદર્શ’ નામે ટીકાગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ કોલકાતાથી પ્રકાશિત થયો હોવાનું શ્રી એમ. કૃષ્ણાયાચારિયરે સંસ્કૃતસાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે. તેમના જીવન અને સાહિત્યોપાસના વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.…

વધુ વાંચો >

સુભટ

સુભટ : સંસ્કૃત નાટ્યકાર. સુભટના જીવન વિશે થોડીક માહિતી મળે છે. તેઓ ‘દૂતાંગદ’ નામના સંસ્કૃત નાટકના લેખક હતા. ભવભૂતિ અને રાજશેખર જેવા નાટ્યકારો પાસેથી શ્લોકો સ્વીકારી તેમણે પોતાનું નાટક રચ્યું હોવાથી તેની પ્રસ્તાવનામાં લેખક સુભટ તેને ‘છાયાનાટક’ એવા નામથી ઓળખાવે છે. તેઓ ગુજરાતી હતા અને સોલંકીકાળના ગુજરાતમાં થઈ ગયા. તેમણે…

વધુ વાંચો >

સુભાષિત

સુભાષિત : રમણીય કે ડહાપણભરી ઉક્તિ, સારી રીતે કહેવામાં આવેલી વાત કે સૂક્તિ. કવિને સ્વપરના જીવનના અનુભવોમાં જે સાર જડે તેને અસરકારક રીતે પ્રાય: સ્વતંત્ર મુક્તકમાં વ્યક્ત કરે તે સુભાષિત હોય છે. ક્યારેક મોટા પ્રબંધમાં પણ સુભાષિત હોઈ શકે અને તેને દીર્ઘ કાવ્યપ્રવાહમાંથી અલગ તારવીને મુક્તક રૂપે પણ રજૂ કરાય…

વધુ વાંચો >