સંસ્કૃત સાહિત્ય

સ્ફોટ

સ્ફોટ : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો એક વાદ અથવા સિદ્ધાન્ત. પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સ્ફોટની વાત આપી નથી. પાણિનિએ પણ સ્ફોટની વાત કરી નથી, પરંતુ પોતાની ‘અષ્ટાધ્યાયી’માં ‘સ્ફોટાયન’ નામના આચાર્યનો ઉલ્લેખ કર્યો છે. આથી ‘પદમંજરી’ના કર્તા હરદત્તે સ્ફોટનો સિદ્ધાંત સ્ફોટાયને સ્થાપ્યો છે એમ કહ્યું છે. સ્ફોટનો સિદ્ધાન્ત પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માંથી અનુમિત કરવામાં આવ્યો છે. ભર્તૃહરિએ…

વધુ વાંચો >

સ્વભાવવાદ

સ્વભાવવાદ : પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક સિદ્ધાન્ત. ‘શ્વેતાશ્વતરોપનિષદ’માં (1.2) કાલવાદ, યચ્છાવાદ આદિ સાથે સ્વભાવવાદનો ઉલ્લેખ છે. ‘સૂત્રકૃતાંગ’ની શીલાંકકૃત ટીકામાં (1.1.2.2), અશ્વઘોષરચિત ‘બુદ્ધચરિત’માં, આચાર્ય મલ્લવાદીકૃત ‘નયચક્ર’ તથા તેની સિંહસૂરિલિખિત વૃત્તિમાં, આચાર્ય હરિભદ્રસૂરિના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં અને ‘ષડ્દર્શનસમુચ્ચય’ની ગુણરત્ન-વિરચિત ‘તર્કરહસ્યદીપિકા’ ટીકામાં સ્વભાવવાદની સમજૂતી આપવામાં આવી છે. જૈન કર્તાઓએ જ ખાસ કરીને સ્વભાવવાદની નોંધ લીધી…

વધુ વાંચો >

સ્વર-1

સ્વર-1 : વ્યાકરણશાસ્ત્ર અનુસાર સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાતા વર્ણો. છેક પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સ્વરનો ઉલ્લેખ થયેલો છે. વર્ણોના સાર્થક સમૂહને પદ કહે છે. વર્ણના બે ઘટકો રજૂ થયા છે. તેમાં (1) સ્વર અને (2) વ્યંજનનો સમાવેશ થાય છે. જે સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય તેને સ્વર કહે છે. જે સ્વરની મદદ વગર…

વધુ વાંચો >

સ્વામી રામભદ્રાચાર્ય

સ્વામી રામભદ્રાચાર્ય (જ. 1950, શાંદીર્ખુદ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃતના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવ્ય વ્યાકરણમાં આચાર્ય એમ.એ. તથા પીએચ.ડી. અને ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એક સક્રિય કાર્યકર્તા છે. સ્વામી રામભદ્રાચાર્ય તેઓ હિંદી, અંગ્રેજી, ફ્રેંચ…

વધુ વાંચો >

હઠયોગ (લક્ષણ અને પરિભાષા)

હઠયોગ (લક્ષણ અને પરિભાષા) : યોગનો એક કષ્ટસાધ્ય પ્રકાર. ‘હઠ’નો પ્રચલિત અર્થ પરાણે, બળજબરીપૂર્વક એવો થાય છે. પરાણે ચિત્તવૃત્તિને એકાગ્ર, સ્થિર કરવી તે ‘હઠયોગ’ છે. જ્યાં કષ્ટદાયક પદ્ધતિ દ્વારા શરીરને નિયમનમાં લેવામાં આવે તે ‘હઠયોગ’, યમ અને નિયમ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેળવાય તે ‘હઠયોગ’. સ્વાત્મારામ યોગીન્દ્ર (15મી સદી)…

વધુ વાંચો >

હનુમન્નાટક (મહાનાટક)

હનુમન્નાટક (મહાનાટક) : સંસ્કૃત સાહિત્યમાંનું સૌથી મોટું નાટક. શ્રી દામોદરમિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ રામકથા-આધારિત ચૌદ અંકની વિશાળકાય નાટ્યરચના છે; જેમાં શ્રીરામના જન્મથી શરૂ કરી શ્રીરામના રાજ્યાભિષેક અને સીતાત્યાગ સુધીની કથા ગૂંથી લેવામાં આવી છે. આ નાટકનાં બે સંસ્કરણ મળે છે : એક દામોદર મિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ જેમાં ચૌદ અંક અને 579 શ્લોકો છે…

વધુ વાંચો >

હમ્મીરમદમર્દન

હમ્મીરમદમર્દન : ગુજરાતના ઇતિહાસ વિશેનું નાટક. આ નાટક 1223થી 1229 સુધીના સમયમાં શ્વેતાંબર જૈન આચાર્ય જયસિંહસૂરિએ લખેલું છે. લેખક વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિ સુવ્રતના ચૈત્યના અધિષ્ઠાયક આચાર્ય હતા. પ્રસ્તુત નાટક મહામાત્ય વસ્તુપાળના પુત્ર જયંતની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વર દેવના યાત્રામહોત્સવમાં ભજવાયેલું. ભયાનક રસ એકલો જ નહિ, પણ આ નાટક નવે…

વધુ વાંચો >

હરદત્ત (9મીથી 11મી સદી)

હરદત્ત (9મીથી 11મી સદી) : પાણિનીય સંસ્કૃત વ્યાકરણ-પરંપરાના ખ્યાતનામ વૈયાકરણ. તેઓ દક્ષિણ ભારતીય દ્રાવિડ બ્રાહ્મણ હતા. દક્ષિણ ભારતમાં પાણિનીય વ્યાકરણના પ્રસારમાં તેમનો સિંહફાળો હતો. તેમની માતાનું નામ શ્રી અને પિતાનું નામ પદ્મકુમાર હતાં. કાવેરી નદીના કિનારે આવેલા ગામના તેઓ વતની હતા. 9મીથી 11મી સદી સુધીમાં તેમનો સમય અનુમાનવામાં આવ્યો છે.…

વધુ વાંચો >

હરિહર-1

હરિહર-1 (1150–1250) : હરિહર નામના શાસ્ત્રકાર. તેમણે ધર્મશાસ્ત્રના ‘વ્યવહાર પ્રકરણ’ ઉપર ગ્રંથ રચેલો જે ઉપલબ્ધ નથી. તેમણે ‘પારસ્કર ગુહ્યસૂત્ર’ ઉપર ભાષ્ય પણ રચ્યું છે. કેટલાક વિદ્વાનોના મતે તેઓ વિજ્ઞાનેશ્વરના શિષ્ય હતા. જયન્ત પ્રે. ઠાકર

વધુ વાંચો >

હર્ષચરિત

હર્ષચરિત : સંસ્કૃત ભાષાનું ગદ્યલેખક મહાકવિ બાણે લખેલું આખ્યાયિકા પ્રકારનું આદર્શ ગદ્યકાવ્ય. આઠ ઉચ્છવાસોના બનેલા આ ગદ્યકાવ્યમાં પ્રારંભિક શ્લોકોમાં વ્યાસ, ભાસ, પ્રવરસેન, કાલિદાસ, હરિશ્ર્ચંદ્ર, ગદ્યકાવ્ય ‘વાસવદત્તા’ અને ‘બૃહત્કથા’ તથા આઢ્યરાજના નિર્દેશો છે. ‘હર્ષચરિત’ના પ્રારંભિક બે ઉચ્છવાસોમાં આલેખવામાં આવેલ આત્મકથાપરક વિગતોમાં બાણે પોતાના વાત્સ્યાયન વંશનું વર્ણન, વિવિધ દેશોમાં તેમણે કરેલ પરિભ્રમણ,…

વધુ વાંચો >