સંસ્કૃત સાહિત્ય

સૂત્ર (વ્યાકરણ ખ્યાલ)

સૂત્ર (વ્યાકરણ ખ્યાલ) : શાસ્ત્રના નિયમને રજૂ કરતું સંક્ષિપ્ત ગદ્યવાક્ય. શાસ્ત્રનો નિયમ સરળતાથી યાદ રહી જાય એટલા માટે તેને ટૂંકમાં કહેવામાં આવે તેને સૂત્ર કહે છે. આમ સૂત્ર ઓછામાં ઓછા અક્ષરોનું બનેલું હોય છે તેમ છતાં તેના અર્થમાં સંદેહ હોતો નથી. સૂત્ર ઓછા અક્ષરોવાળું હોવાથી સારરૂપ હોય છે છતાં તે…

વધુ વાંચો >

સૂર્યાચન્દ્રમસૌ

સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે.…

વધુ વાંચો >

સૂર્યાસાવિત્રી

સૂર્યાસાવિત્રી : ઋગ્વેદની એક ઋષિકા. ऋषि: किल दर्शनात् અનુસાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે સમાધિ અવસ્થામાં મંત્રોનું મનન અને દર્શન કરવાથી ઋષિ બને છે. ઋષિ જ ક્રાન્તદર્શનને લીધે કવિ કહેવાય છે. તેના દર્શનને પરિષ્કૃત કરવાથી તે ‘કારુ’ કહેવાય છે. આમાં સાક્ષાત્કૃતધર્મા ઋષિ સર્વશ્રેષ્ઠ છે. ऋषी गतौ અનુસાર ऋष् ધાતુ ગત્યર્થક…

વધુ વાંચો >

સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ

સૃષ્ટિ–સર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે…

વધુ વાંચો >

સોમસિદ્ધાંત

સોમસિદ્ધાંત : પ્રભાસપાટણમાં સોમશર્માએ પુનર્જીવિત કરેલી શૈવધર્મની એક શાખા. પુરાણોમાં સોમશર્મા રુદ્ર–શિવના સત્તાવીસમા અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઉલ્લેખાયા છે. કાલગણનાની દૃષ્ટિએ લકુલીશ(લગુડીશ)ના પિતામહ સોમશર્મા અને સોમસિદ્ધાંતના પ્રસારક સોમેશ્વર એક હોવાની સંભાવના છે. કુમારપાળના વલભી(સં. 850 : ઈ. સ. 1169)ના પ્રભાસપાટણના, ભીમદેવ બીજાના વેરાવળના અને વિષ્ણુગુપ્તના ચંદ્રેશ્વર(નેપાળ)ના શિલાલેખોમાં આ સંપ્રદાયનો…

વધુ વાંચો >

સોમેશ્વર

સોમેશ્વર : સોલંકીકાળના ગુજરાતી વિદ્વાન મહાકવિ. તેમનું વતન આનંદપુર એટલે વડનગર હતું. તેઓ વસિષ્ઠ ગોત્રના અને ગુલેચા કુળના હતા. તેમના પૂર્વજો અને તેઓ પોતે ગુર્જરેશ્વરના પુરોહિત હતા. સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ સોલંકીના રાજપુરોહિત સોલશર્મા સોમેશ્વરના પૂર્વજ હતા. સોલશર્માએ વાજપેય યજ્ઞ અને પ્રયાગમાં પિતૃપિંડદાન કરેલું. ઋગ્વેદના જ્ઞાતા અને સો યજ્ઞો…

વધુ વાંચો >

સોલોમન એસ્તેર

સોલોમન, એસ્તેર (જ. 11 મે 1927, રાજકોટ; અ. 29 જૂન 2005, અમદાવાદ) : સંસ્કૃતનાં વિદ્વાન પ્રાધ્યાપિકા. રાજકોટમાં વસતા એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. માતાનું નામ મરિયમ અને પિતાનું નામ અબ્રાહમ સોલોમન. તેમને એક નાની બહેન હતી હાન્નાહ્. સંતાનમાં આ બે જ બહેનો. એસ્તેરે પ્રાથમિક શિક્ષણથી માંડીને એમ.એ. સુધીનું…

વધુ વાંચો >

સૌંદરનંદ

સૌંદરનંદ : સંસ્કૃત ભાષામાં રચાયેલું મહાકાવ્ય. બૌદ્ધ મહાકવિ અશ્વઘોષે રચેલું આ મહાકાવ્ય 18 સર્ગોનું બનેલું છે. તેમાં બુદ્ધના પિતરાઈ ભાઈ નંદના નિર્વાણની વાર્તા વર્ણવવામાં આવી છે. આ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં આરંભમાં બુદ્ધને નમસ્કાર કરી કપિલવસ્તુ નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં શાસન કરતા શાક્ય વંશનું વર્ણન પણ છે. બીજા સર્ગમાં…

વધુ વાંચો >

સ્કન્દસ્વામી

સ્કન્દસ્વામી : ઋગ્વેદના એક પ્રાચીન ભાષ્યકાર. તેઓ ગુજરાતી હતા. તેમનું ભાષ્ય ઉપલબ્ધ ભાષ્યોમાં સર્વપ્રથમ છે; એટલું જ નહિ, પણ તે અત્યંત વિશદ હોઈને વૈદિક સાહિત્યમાં તેને આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્કન્દસ્વામીનું ભાષ્ય ઋગ્વેદના અર્ધા ભાગ ઉપર જ એટલે કે ચાર અષ્ટક સુધીનું જ મળે છે. એટલા ભાગ ઉપર જ…

વધુ વાંચો >

સ્તોત્ર (વૈદિક અને કાવ્ય)

સ્તોત્ર (વૈદિક અને કાવ્ય) : પ્રાચીન ભારતમાં દેવ કે દેવીની સ્તુતિ કરતો કાવ્યપ્રકાર. સમરસતા : જેના વડે ઈશ્વરના મહિમાનું વર્ણન કરાય તે સ્તોત્ર, સ્તુતિ કે સ્તવન. તેમાં ઈશ્વરનું ગુણગાન કરીને કવિ પોતાના હૃદયની વ્યથા, વેદના અને આકાંક્ષા શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કરે છે; જેને પ્રાર્થના કહે છે. તે દરેક ધર્મમાં હોય; પરંતુ…

વધુ વાંચો >