શિક્ષણ

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance)

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance) : વ્યક્તિને પોતાનો વ્યવસાય (રોજગાર, નોકરી, વ્યાપારધંધો કે સ્વરોજગાર) પસંદ કરવામાં મદદ આપવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં (1) વિવિધ વ્યવસાય-ક્ષેત્રો, વ્યવસાયો અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવવી; (2) માર્ગદર્શન માંગનાર વ્યક્તિની મુલાકાત લેવી; (3) તેની શરીરક્ષમતા, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ અને વ્યક્તિત્વ માપવાં અને (4) તેના પ્રાપ્તાંકોનો અર્થ…

વધુ વાંચો >

વ્હિટની ઈલી (Whitney Eli)

વ્હિટની ઈલી (Whitney Eli) (જ. 8 ડિસેમ્બર 1765, વેસ્ટબરો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જાન્યુઆરી 1825) : અમેરિકન સંશોધક. યેલમાં અભ્યાસ કર્યા બાદ તેઓ જ્યૉર્જિયામાં શિક્ષક તરીકે જોડાયા. જનરલ ગ્રીનની વિધવા નાથાનેલ ગ્રીને તેમની સંશોધક વૃત્તિને આધાર આપ્યો. ગ્રીનના કપાસનાં મોટાં ખેતરો હતાં, જેમાંથી મળતા રૂમાંથી કપાસિયાં અલગ કરવા માટે તેમણે…

વધુ વાંચો >

વ્હિયર, કે. સી.

વ્હિયર, કે. સી. (જ. 1907 ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયન શિક્ષણકાર અને રાજ્યશાસ્ત્રી. આખું નામ વ્હિયર કેનેથ ક્લિન્ટન. તેમણે તેમનો અભ્યાસ સ્કૉચ કૉલેજ, મેલબોર્ન તથા ઑક્સફર્ડ જેવી પ્રખ્યાત શિક્ષણસંસ્થાઓમાં કરેલો. કારકિર્દીના પ્રારંભે 1934થી 1939 દરમિયાન ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં સાંસ્થાનિક ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. 1939થી 1944 સુધી કોલંબિયા યુનિવર્સિટી, ઑક્સફર્ડમાં ફેલો તરીકે…

વધુ વાંચો >

શહાણી, દયારામ ગિદુમલ

શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ  સિંધના જ્યુડિશિયલ કમિશનર…

વધુ વાંચો >

શંકર ભટ, કડેન્ગોદલુ

શંકર ભટ, કડેન્ગોદલુ (જ. 1904; અ. 1968) : કન્નડ કવિ, પત્રકાર અને શિક્ષણકાર. તેમણે મદ્રાસ(ચેન્નાઈ યુનિવર્સિટી)માંથી ‘વિદ્વાન’ની ડિગ્રી પ્રાપ્ત કરી. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. મૅંગલોરમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીનું આહ્વાન મળતાં અભ્યાસ અધવચ છોડી દઈને કર્નાડ સદાશિવ રાવ જેવા દેશભક્તની નેતાગીરીથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીમાં જોડાઈ ગયા. તેઓ મૅંગલોરથી પ્રગટ થતું…

વધુ વાંચો >

શાન, હરનામ સિંઘ

શાન, હરનામ સિંઘ [જ. 15 સપ્ટેમ્બર, 192૩, ધમિયલ, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી પંડિત. તેમણે અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ., ‘મુન્શી ફઝિલ’; ‘ગ્યાની’ તથા ડી.લિટ.ની પદવીઓ મેળવેલી. તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના મુખ્ય પ્રૉજેક્ટ ઇન્વેસ્ટિગેટર; પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તથા ગુરુ નાનક ચૅરના અધ્યક્ષ અને પંજાબી તથા શીખ સ્ટડિઝના વડા; આકાશવાણી, નવી દિલ્હીના…

વધુ વાંચો >

શારદાગ્રામ

શારદાગ્રામ : ગાંધીપ્રેરણાથી સ્થપાયેલું એક વિદ્યાકેન્દ્ર. શ્રી મનસુખરામ જોબનપુત્રાએ ગાંધીજીની પ્રેરણાથી તા. 9-4-1921ના રોજ કરાંચીમાં એક જાહેર બાગમાં શેતરંજી ઉપર શારદામંદિરની સ્થાપના કરી હતી. કેવળ ધ્યેયનિષ્ઠ સંકલ્પશક્તિથી આવા અભાવની સ્થિતિમાંથી તેમણે એ સંસ્થાને ખ્યાતિપ્રાપ્ત વિદ્યાકેન્દ્ર બનાવ્યું હતું. શારદામંદિરમાં શિક્ષણની સાથે ચારિત્ર્યઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એ જ રીતે…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ (જી. બી. પટેલ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, હાથીજણ) : ગુજરાતની એક નોંધપાત્ર વ્યાયામશિક્ષણ શાળા. ભારતની આઝાદી માટે ગુજરાતમાં જનજાગૃતિ પેદા કરનારા પુરાણીબંધુઓ છોટુભાઈ અને અંબુભાઈએ અમદાવાદમાં ચાલતી વ્યાયામશાળાઓના કાર્યકર્તાઓને ખાડિયા જૂની પોલીસ ચોકી પાસે એકત્ર કર્યા. ત્યાં જ મકાન ભાડે રાખીને સમસ્ત અમદાવાદ શહેરમાં ચાલતી વ્યાયામ-પ્રવૃત્તિઓને…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ (હવે [શ્રી સ્વામિનારાયણ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ]) : દક્ષિણ ગુજરાતની વ્યાયામશિક્ષણની શાળા. સંસ્થાની શરૂઆત 1 જુલાઈ, 1964ના રોજ સૂરત જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સૂરત શહેરમાં કરવામાં આવી. આ સંસ્થા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈના આશીર્વાદથી શરૂ થઈ. 30 ભાઈઓ અને 20 બહેનો ધરાવતી…

વધુ વાંચો >

શાહ, આશારામ દલીચંદ

શાહ, આશારામ દલીચંદ (જ. 8 ફેબ્રુઆરી 1842, રાજકોટ; અ. 26 માર્ચ 1921, અમદાવાદ) : મોરબી, લાઠી, માળિયા રાજ્યોના કારભારી અને મોરબી હાઈસ્કૂલના હેડમાસ્તર. જ્ઞાતિએ શ્રીમાળી વાણિયા. તેમના પિતા દલીચંદ રાજકોટમાં કાપડની દુકાન ચલાવતા, અને સારી કમાણી થતી. આ કુટુંબ સ્વામીનારાયણ ધર્મ પાળતું. કેટલાંક વર્ષો બાદ તેઓ અમદાવાદ આવીને વસ્યા. આશારામે…

વધુ વાંચો >