શિક્ષણ

વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન

વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન : અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની સ્કૂલોમાં તાલીમ પામેલા શારીરિક શિક્ષણના શિક્ષકો ન હતા. ભારતની સ્કૂલોમાં શારીરિક શિક્ષણ આપવાનું કાર્ય પહેલવાનો, જિમ્નેસ્ટો તેમજ લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો કરતા હતા. આ બધા શારીરિક રીતે સશક્ત અને શારીરિક પ્રવૃત્તિઓના જાણકાર હતા; છતાં પણ ‘શારીરિક શિક્ષણના…

વધુ વાંચો >

વિદ્યાનુરાગી સમાજ (Learning Society)

વિદ્યાનુરાગી સમાજ (Learning Society) : જ્ઞાનના જથ્થાનો વિસ્ફોટ જ નહિ, પરંતુ જ્ઞાનનું વૈવિધ્ય, જ્ઞાનની અદ્યતનતા અને તેની ગુણવત્તા વગેરે તમામ દૃષ્ટિએ જ્ઞાનવૃદ્ધિ સાધનારો સમાજ. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીનું જગત, અગાઉની તમામ સદીઓના જગતની તુલનામાં, જે એક પ્રમુખ બાબતમાં જુદું પડ્યું તે હતી જ્ઞાનની બાબત. એ સમયગાળામાં ફક્ત જ્ઞાનઆધારિત અને જ્ઞાનચાલિત…

વધુ વાંચો >

વિદ્વાંસ, ગોપાળરાવ

વિદ્વાંસ, ગોપાળરાવ (જ. 16 નવેમ્બર 1896, આંજર્લા, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 23 મે 1980, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા અનૂદિત સાહિત્યના ભેખધારી. પિતા ગજાનનરાવ ભાવનગર પાસેની વલ્લભીપુર રિયાસતમાં ઓરવસિયર હતા. માતાનું નામ સરસ્વતી. ગોપાળરાવનું બાળપણ વલ્લભીપુરમાં વીત્યું. ત્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. 1916માં ભાવનગર…

વધુ વાંચો >

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન (જ. 12 જુલાઈ 1903, વલ્લભીપુર, સૌરાષ્ટ્ર; અ. 2 ડિસેમ્બર 1984, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની તથા શાળાસ્તરે ઉપયોગી થાય તેવા સાહિત્યના સર્જક. પિતા ભાવનગર નજીકના પૂર્વ વલ્લભીપુર રિયાસતમાં ઓવરસિયર હતા. માતાનું નામ સરસ્વતી. પ્રાથમિક શિક્ષણ વલ્લભીપુરમાં. ત્યારબાદ ભાવનગર ખાતેની દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા. ત્યાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા અને હરભાઈ…

વધુ વાંચો >

વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી)

વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) ઉચ્ચ શિક્ષણ માટેની તથા ડિગ્રી આપવાનો અધિકાર ધરાવતી સંસ્થા. વિશ્વવિદ્યાલયના નામે વિવિધ દેશોમાં જુદા જુદા સમયે જે સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં છે તેમનાં સ્વરૂપ, કાર્યક્ષેત્ર તથા કામગીરીમાં જે વૈવિધ્ય માલૂમ પડ્યું છે તેને નજર સમક્ષ રાખીએ તો વિશ્વવિદ્યાલયની કોઈ સર્વસામાન્ય કે સર્વગ્રાહી વ્યાખ્યા થઈ શકે તેમ નથી. યુરોપમાં યુનિવર્સિટીઓ…

વધુ વાંચો >

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grants Commission)

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grants Commission) : ભારતનાં વિશ્વવિદ્યાલયોને અનુદાન આપનાર અને ઉચ્ચ શિક્ષણનાં ધોરણોનાં જતન, સંવર્ધન માટેની કેન્દ્રીય સંસ્થા. દેશના ઉચ્ચ શિક્ષણને એક સ્વતંત્ર, લોકશાહી વ્યવસ્થા ધરાવતા રાષ્ટ્રની આકાંક્ષાઓને પોષે એવું બનાવવાની સૌપ્રથમ મહેચ્છા વ્યક્ત કરી યુનિવર્સિટી શિક્ષણ પંચે (194849). એના અધ્યક્ષ હતા દેશના એક ધુરંધર વિચારક અને મેધાવી…

વધુ વાંચો >

વેબ્સ્ટર, નૉઆહ્

વેબ્સ્ટર, નૉઆહ્ (જ. 16 ઑક્ટોબર 1758, વેસ્ટ હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 28 મે 1843, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : અમેરિકન કોશકાર. 16 વર્ષની ઉંમરે યૅલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો; પરંતુ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં ભાગ લેવા માટે થોડો સમય લશ્કરમાં સેવા આપી. 1778માં સ્નાતકની ઉપાધિ મેળવી. શાળામાં શિક્ષક બન્યા બાદ કારકુનની નોકરી પણ કરી. કાયદાશાસ્ત્રનો…

વધુ વાંચો >

વૈધિક શિક્ષણ (formal education)

વૈધિક શિક્ષણ (formal education) : નિશ્ચિત ઉદ્દેશોને લક્ષમાં રાખીને વિધિવત્ રીતે અપાતું શિક્ષણ. આ પ્રકારનું શિક્ષણ માળખાગત હોય છે. તેમાં પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી સુધીના શિક્ષણનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, તાસપદ્ધતિ, પરીક્ષાપદ્ધતિ વગેરે બધું નક્કી કરેલું હોય છે. વિદ્યાર્થીઓએ અને શાળા-કૉલેજે તેને વળગી રહેવું પડે છે. ભારતની પ્રાથમિક…

વધુ વાંચો >

વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો

વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો (જ. 5 એપ્રિલ 1856, ફ્રેંકલિન કાઉન્ટી, વર્જિનિયા; અ. 14 નવેમ્બર 1915) : અમેરિકાના શિક્ષણકાર અને શ્યામ પ્રજાના પ્રભાવશાળી નેતા. તેઓ વર્જિનિયા રાજ્યના હાલ્સફૉર્ડ ખાતે ગુલામ તરીકે જન્મ્યા હતા. બાળક તરીકે તેઓ 9 મહિના કોલસાની ખાણમાં કામ કરી 3 મહિના શાળાએ જતા. હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી 1875માં તેઓ…

વધુ વાંચો >

વ્યવસાયી શિક્ષણ

વ્યવસાયી શિક્ષણ : વ્યક્તિને કોઈક વ્યવસાય માટેની તાલીમ આપતું શિક્ષણ. આ શિક્ષણ કોઈક વ્યવસાય સંબંધિત તાલીમ આપે છે; જેથી વ્યક્તિ એ વ્યવસાય દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરી શકે. વ્યવસાયી શિક્ષણ દ્વારા એવાં જ્ઞાન, કુશળતાનો વિકાસ કરી શકાય છે, જેથી બાળક ભવિષ્યમાં ઉત્પાદક કાર્યમાં વધુ સારી રીતે કામ કરી શકે. વ્યાપક અર્થમાં…

વધુ વાંચો >