પુરાતત્વ

કેતકર શ્રીધર વ્યંકટેશ

કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા…

વધુ વાંચો >

કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ

કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ : ભારતીય અભિલેખોના સંગ્રહની ગ્રંથશ્રેણી. આર્કિયૉલૉજિકલ સરવે ઑવ્ ઇન્ડિયામાં અભિલેખવિદ્યાનો વિભાગ રખાયો અને ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’ તથા ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’ જેવાં સામયિકોમાં ભારતના અનેકાનેક અભિલેખ પ્રકાશિત થતા રહ્યા. પછી ‘કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ’ ગ્રંથશ્રેણી શરૂ થઈ. એના ગ્રંથ 1માં અશોકના અભિલેખોનો સંગ્રહ કનિંગહમે 1877માં પ્રકાશિત કર્યો, જેની સુધારેલી આવૃત્તિ હુલ્શે…

વધુ વાંચો >

કોલ્લમ સંવત : જુઓ સંવત.

કોલ્લમ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

કોસંબી દામોદર ધર્માનંદ

કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ગણિતમાં 1934માં ‘રામાનુજ મેમૉરિયલ…

વધુ વાંચો >

ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ

ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ (જ. 10 એપ્રિલ 1916, લંડન; અ. 14 ફેબ્રુઆરી 2002) : ઇંગ્લૅન્ડના સુપ્રસિદ્ધ પુરાતત્વવિદ. અધ્યયન કેમ્બ્રિજમાં માકટન કૉમ્બ સ્કૂલ અને ક્રાઇસ્ટ કૉલેજમાં પૂરું કરીને ઉત્તર રહોડેશિયામાં રોડ્સ લિવિંગ્સ્ટન મ્યુઝિયમમાં ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાર બાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માં ઍન્થ્રૉપૉલૉજીના પ્રોફેસર તરીકે સેવા આપી. તેમણે ઉત્તર રહોડેશિયાના નૅશનલ મૉન્યુમેન્ટ કમિશનમાં કામ…

વધુ વાંચો >

ખરોષ્ટી

ખરોષ્ટી : જુઓ લિપિ

વધુ વાંચો >

ખાવડાના અભિલેખો

ખાવડાના અભિલેખો : આ અભિલેખો ક્ષત્રપવંશી રાજાઓનાં શાસનની કાલગણના માટે ઉપયોગી છે. ખાવડા બેટ કચ્છના રણમાં પચ્છમ તાલુકામાં આવેલો છે. ખાવડાથી અગ્નિખૂણે 24 કિમી. દૂર અંધૌ ગામે વર્ષ 11 અને 52ની સાલવાળા ચાર પાળિયા ઉપરના લેખો મળ્યા છે. ત્યાર બાદ એક અંધૌ ગામેથી અને બીજો ખાવડાથી ક્ષત્રપકાલીન ચષ્ટન્ રુદ્રદામાના સંયુક્ત…

વધુ વાંચો >

ખીમેશ્વરનાં મંદિરો

ખીમેશ્વરનાં મંદિરો : પોરબંદર પાસે આવેલ કુછડી ગામથી પશ્ચિમે આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. મૈત્રકકાલીન મંદિરોના સ્થાપત્યમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ મંદિરો તેની વિશિષ્ટ રચનાને કારણે પ્રસિદ્ધ છે. આ મંદિરસમૂહમાં શિવ, સૂર્ય, રાંદલ અને ભૈરવનાં મળી કુલ સાત મંદિરો આવેલાં છે. આ મંદિરસમૂહ પૈકી મંદિર નં. 7 ગર્ભગૃહ અને…

વધુ વાંચો >

ગદ્રે, અનંત શંકર

ગદ્રે, અનંત શંકર (જ. ?; અ. 18 સપ્ટેમ્બર 1965, મુંબઈ) : જાણીતા પુરાતત્વવિદ. વિલ્સન કૉલેજમાંથી અભિલેખવિદ્યા સાથે એમ.એ. થઈને 1930માં રાજકોટના મ્યુઝિયમમાં જોડાયા. અહીં તેમણે તામ્રપત્રો અને સિક્કાનું અધ્યયન કર્યું. ત્યારબાદ 1935માં હીરાનંદ શાસ્ત્રી સાથે વડોદરા રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કિયૉલૉજીમાં મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા અને વડોદરા રાજ્યના વિલીનીકરણ સુધી તેના…

વધુ વાંચો >

ગંગ સંવત

ગંગ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >