પુરાતત્વ

કામરેજ

કામરેજ : પ્રાચીન કર્મણિજ્જ અથવા કાર્મણેયનગર. આ નગર તાપી નદીના દક્ષિણ કિનારા પર, સૂરતથી પૂર્વમાં આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. કામરેજ એ પાઘડીપને આશરે એકાદ કિલોમીટર લંબાઈ ધરાવતું જૂનું નગર છે. તેની એક બાજુ કોટને નામે જાણીતો જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાંથી કામરેજના જૂના અવશેષો પ્રાપ્ત થાય છે તે…

વધુ વાંચો >

કાલગણના (પુરાતત્ત્વ)

કાલગણના (પુરાતત્ત્વ) : ભૂતકાળના વૃત્તાન્ત તરીકે ઇતિહાસના બનાવોને સમયના માપદંડમાં મૂકવાની પદ્ધતિ. મનુષ્યના વ્યક્તિગત અને સામૂહિક વ્યવહારોના નિશ્ચય માટે કાલગણના આવશ્યક છે. અન્ય જાતિઓની જેમ, આર્યજાતિઓમાં પણ અતિપ્રાચીન કાળથી કાલગણના પ્રવર્તમાન હતી. વૈદિક આર્યોની પ્રાચીનતમ કાલગણના કલ્પ, મન્વન્તર અને યુગપરક હતી. પૂર્વસૃષ્ટિના વિલય પછી નવસૃષ્ટિનો આરંભ તે કલ્પ. કલ્પમાં મન્વન્તરો…

વધુ વાંચો >

કાલપી

કાલપી : મધ્યપ્રદેશમાં બુંદેલખંડ વિસ્તારમાં યમુના નદીના દક્ષિણકાંઠે આવેલી પ્રાચીન નગરી. ત્યાંના વ્યાસક્ષેત્રને કારણે તે પ્રસિદ્ધ છે. અહીં વેદવ્યાસે પોતાના અમર ગ્રંથોની રચના કર્યાનું મનાય છે. દશમી સદીમાં ચંદેલ્લ રાજાઓનું આધિપત્ય પ્રવર્તતાં કાલપીનો અભ્યુદય થયો. તે યમુના નદી પરનું વેપારી કેન્દ્ર બન્યું. ચંદેલ્લાઓએ અહીં દુર્ગ તેમજ બીજી ઇમારતો બાંધ્યાં. મુઘલ…

વધુ વાંચો >

કાલીબંગા

કાલીબંગા : રાજસ્થાનમાં 29.25 ઉત્તર અક્ષાંશથી 74-05′ પૂર્વ રેખાંશે શુષ્ક ઘગ્ઘર (વૈદિક સરસ્વતી ?) નદીના દક્ષિણકાંઠે આવેલો 150 x 120 x 10 મીટરનો (1) પ્રાક્ અને અર્ધહડપ્પીય તથા (2) આરૂઢ હડપ્પીય સંસ્કૃતિદર્શક ટીંબો. ભારતીય પુરાવસ્તુવિદ્યા સર્વેક્ષણ દ્વારા 1961-1969માં ઉત્ખનિત. પ્રાક્, અર્ધહડપ્પીય કાળ : ઈ.પૂ. 2900થી ઈ.પૂ. 2700. 240 x 250…

વધુ વાંચો >

કાંપિલ્યવિહાર

કાંપિલ્યવિહાર : દક્ષિણ ગુજરાત(લાટ)માં આવેલું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર. કાંપિલ્યવિહાર કે કાંપિલ્યતીર્થનો રાષ્ટ્રકૂટ રાજાઓ અપરિમિતવર્ષ દંતીદુર્ગના ઈ.સ. 867 તથા ધ્રુવ રાજાના ઈ.સ. 884ના ભૂમિદાનનાં તામ્રપત્રોમાં ઉલ્લેખ મળે છે. સામાન્ય રીતે રાષ્ટ્રકૂટ રાજાઓનાં તામ્રપત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોની સ્તુતિ હોય છે તેને બદલે અહીં બુદ્ધની સ્તુતિ છે. આ મહાવિહાર કાંપિલ્ય મુનિએ બંધાવ્યો…

વધુ વાંચો >

કિલહોર્ન ફ્રીન્ઝ

કિલહોર્ન ફ્રીન્ઝ (જ. 1840; અ. 1908) : પ્રાચ્યવિદ્યાના જર્મન પંડિત. તેમણે ગુરુ સ્ટેન્ઝલર પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સૌપ્રથમ શાન્તવનનાં ફિટ્સૂત્રોનું સંપાદન કર્યું. પંદર વર્ષ સુધી પુણેમાં રહીને પાણિનીય પરંપરાના ‘મહાભાષ્ય’ તથા ‘પરિભાષેન્દુશેખર’નું સઘન અધ્યયન કર્યું અને તેના પરિણામસ્વરૂપ પાતંજલ મહાભાષ્યનું અપ્રતિમ સંપાદનકાર્ય અને પરિભાષેન્દુશેખરનો અંગ્રેજી અનુવાદ તેમણે આપ્યાં. પ્રાચીન ઉત્કીર્ણ…

વધુ વાંચો >

કુમારસ્વામી આનંદકેંટિશ

કુમારસ્વામી, આનંદકેંટિશ (જ. 22 ઑગસ્ટ 1877, કોલંબો, શ્રીલંકા; અ. 8 સપ્ટેમ્બર 1947, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : પૂર્વની કલાના વિશ્વવિખ્યાત સંશોધક અને વિદ્વાન ભાષ્યકાર. એમનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં થયેલું. શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી. તે ભૂસ્તરવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી 1903થી 1906 સુધી શ્રીલંકાની ખનિજવિજ્ઞાન સર્વેક્ષણ સંસ્થાના સંચાલક હતા. આ ત્રણ વર્ષો દરમિયાન તે…

વધુ વાંચો >

કુંતાસી

કુંતાસી : કચ્છના અખાતના પૂર્વ કાંઠા નજીક રાજકોટ જિલ્લાના માળિયા તાલુકામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ અને બંદર. કુંતાસીનો બીબીનો ટિંબો કચ્છના અખાતથી લગભગ સાત કિમી.ના અંતરે છે. લોથલની માફક તે પણ એક સમયે બંદરીય વસાહત હશે એમ જણાય છે. કુંતાસીમાંથી વહાણને લાંગરવાનો ધક્કો, માલ સંગ્રહ કરવાનાં ગોદામો, અનેક પ્રકારના…

વધુ વાંચો >

કૃષ્ણદેવ

કૃષ્ણદેવ (જ. 24 ઑગસ્ટ 1914) : પુરાતત્વનિષ્ણાત. તે 1938માં પુરાતત્વ-સર્વેક્ષણમાં જોડાયા અને જાન્યુઆરી 1973માં તેના નિયામક તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડી, વારાણસીમાં તેમણે કામ કર્યું. કૃષ્ણદેવ પુરાવસ્તુનાં ઉત્ખનનો અગ્રોદા, કુમરાહાર, વૈશાલી આદિ સ્થળોએ કર્યાં છે. પરંતુ ભારતનાં દેવસ્થાનોના સ્થાપત્યના તે નિષ્ણાત…

વધુ વાંચો >

કૃષ્ણસ્વામી વી. ડી.

કૃષ્ણસ્વામી, વી. ડી. (જ. 18 જાન્યુઆરી 1905; અ. 15 જુલાઈ 1970) : ભારતના પ્રાગૈતિહાસિક અધ્યયનના એક અગ્રયાયી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રથમ પ્રાગિતિહાસજ્ઞ. તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં વિવિધ સ્થળોએ અધીક્ષક તરીકે કાર્ય કર્યું છે અને પ્રાગિતિહાસની શાખા વ્યવસ્થિત કરી છે. તે પુરાતત્વ-સર્વેક્ષણના મદદનીશ નિયામક હતા. નિવૃત્ત થયા બાદ તેમણે ઇન્ડિયન મ્યુઝિયમ,…

વધુ વાંચો >