પુરાતત્વ

ટૉડ, જેમ્સ

ટૉડ, જેમ્સ (જ. 20 માર્ચ 1782, ઇઝલિંગ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 17 નવેમ્બર 1835, લંડન) : લશ્કરી અધિકારી, કુશળ વહીવટકર્તા અને ઇતિહાસકાર. ટૉડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેક્ધડ યુરોપિયન રૅજિમેન્ટમાં બંગાળમાં 9મી જાન્યુઆરી, 1800ના રોજ જોડાયા હતા. ઑક્ટોબર, 1813માં તેમને કૅપ્ટન તરીકે બઢતી મળી. 1812થી 1817 સુધી તેમની નોકરી સિંધિયાના રાજ્યમાં હતી. તે…

વધુ વાંચો >

ટ્રૉય

ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…

વધુ વાંચો >

ડાલ્સ, જી. એફ.

ડાલ્સ, જી. એફ. (જ. 1927; અ. 18 એપ્રિલ 1992) : વિખ્યાત અમેરિકન પુરાતત્વવેત્તા. તેમનું સમગ્ર જીવન પુરાવસ્તુનાં વિવિધ ક્ષેત્રોનાં અન્વેષણો અને પ્રકાશનોમાં વીત્યું છે. 1953માં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં તે જોડાયા અને મેસોપોટેમિયાની પૂતળીઓ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. 1957થી 1959 સુધી તેઓ બગદાદ સ્કૂલમાં હતા ત્યાં અબ્બાસ બંદરના વિસ્તારમાં અને પાકિસ્તાનના…

વધુ વાંચો >

ઢાંકી, મધુસૂદન

ઢાંકી, મધુસૂદન (જ. 31 જુલાઈ 1927, પોરબંદર, ગુજરાત; અ. 29 જુલાઈ 2016, અમદાવાદ) : કલાનાં વિવિધ ક્ષેત્રોના આજીવન અભ્યાસી, અન્વેષક અને લેખક. મુખ્ય રસનો વિષય મંદિરસ્થાપત્ય, શિલ્પ, લોકકલાઓ – હસ્તકલાઓ, ઉદ્યાનવિદ્યા અને રત્નવિદ્યા. ભૂસ્તરવિદ્યા અને રસાયણવિદ્યાના વિષયો સાથે વિજ્ઞાનના સ્નાતક. કારકિર્દીનો આરંભ તેમણે સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇંડિયામાંથી (1950થી 53) કર્યો.…

વધુ વાંચો >

થાપર, બાલકૃષ્ણ

થાપર, બાલકૃષ્ણ (જ. 24 ઑક્ટોબર 1921, લુધિયાણા) : જાણીતા ઉત્ખનનવિદ અને પુરાતત્વવિદ. અભ્યાસ એમ.એ. ઉપરાંત હાઇડલબર્ગ યુનિવર્સિટીમાંથી ઍડવાન્સ્ડ કૉર્સ ઇન વેસ્ટ એશિયન આર્કિયૉલૉજીનો ડિપ્લોમા પણ મેળવ્યો. ભારતની વિખ્યાત પુરાવસ્તુવિદ્યાની સંસ્થા આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી કરી; દા. ત., 1973થી 77 સુધી જૉઇન્ટ ડિરેક્ટર જનરલ, 1977–78માં ઍડિશનલ ડિરેક્ટર…

વધુ વાંચો >

થૉમ્પસન, એડવર્ડ

થૉમ્પસન, એડવર્ડ (જ. 28 સપ્ટેમ્બર 1856, વુસ્ટર, યુ.એસ.; અ. 11 મે 1935, પ્લેનફિલ્ડ, યુ.એસ.) : અમેરિકાના જાણીતા પુરાતત્વવિદ. એમણે પુરાતત્વવિદ્યાની કોઈ વિધિસરની કે વ્યવસ્થિત તાલીમ લીધી ન હતી. તેમણે યુકાટનના ચિચેન ઇટ્ઝા ખાતે ખોદકામ કરીને મય સંસ્કૃતિના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમણે ઈ. સ. 1885થી 1909 સુધી યુકાટનમાં અમેરિકાના કૉન્સલ…

વધુ વાંચો >

થૉમ્સન પ્રકીર્ણન

થૉમ્સન પ્રકીર્ણન (Thomson Scattering) : મુક્ત ઇલેક્ટ્રૉન કે શિથિલ ઇલેક્ટ્રૉન દ્વારા ઉદભવતી, વિદ્યુતચુંબકીય વિકિરણની પ્રકીર્ણનની ઘટના. થૉમ્સન પ્રકીર્ણનને, વિકિરણનું શોષણ કરતા પરમાણુના ઇલેક્ટ્રૉનનાં પ્રણોદિત દોલનોના સંદર્ભમાં સમજાવી શકાય છે. દોલન કરતા ઇલેક્ટ્રૉન કે વિદ્યુતભારો, ઓછી ઊર્જાના વિદ્યુતચુંબકીય વિકિરણના સ્રોત બને છે અને તે બધી દિશામાં વિકિરણ ઉત્સર્જિત કરે છે, પ્રકીર્ણન…

વધુ વાંચો >

થૉમ્સન, સી. જે.

થૉમ્સન, સી. જે. (જ. 29 ડિસેમ્બર 1788, કોપનહેગન, ડેન્માર્ક; અ. 21 મે 1865 કોપનહેગન, ડેન્માર્ક) : ડેન્માર્કના કોપનહેગન નગરના સંગ્રહાલયના પ્રથમ ક્યુરેટર. તેમણે ઈ. સ. 1816થી 1865 સુધી આ સંગ્રહાલયમાં કામ કર્યું. ડેન્માર્કમાંથી મળતી પ્રાચીન વસ્તુઓ એકત્રિત કરીને તેનું સંગ્રહાલય બનાવી એ સંગ્રહાલય વ્યવસ્થિત કરવાનું કામ તેમણે કર્યું. આ કામ…

વધુ વાંચો >

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ : જૂનાગઢનું જાણીતું મ્યુઝિયમ. જૂનાગઢના નવાબ મહંમદખાન બીજાના સમયમાં એટલે કે ઓગણીસમી સદીમાં જૂનાગઢમાં એક ઘણી ભવ્ય ઇમારત બંધાઈ હતી. તેમાંના વચલા હૉલને 1947માં સૌરાષ્ટ્ર સરકારના સમયમાં ‘દરબાર હૉલ મ્યુઝિયમ’ તરીકે ફેરવી નાખવામાં આવ્યો. નવાબ મહંમદખાન બીજાએ આ હૉલને ચાંદીનું રાજસિંહાસન, કલાત્મક ખુરશી, કીમતી તથા રંગબેરંગી…

વધુ વાંચો >

દવે, કનૈયાલાલ ભાઈશંકર

દવે, કનૈયાલાલ ભાઈશંકર (જ. 25 જાન્યુઆરી 1907, રણુંજ, તા. પાટણ; અ. 15 જુલાઈ 1969) : ગુજરાતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. વતન પાટણ. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સંસ્કૃત પરીક્ષાઓ આપીને વડોદરાની ‘સ્માર્ત યાજ્ઞિક’ પદવી પ્રાપ્ત કરી હતી. જગદગુરુ શ્રી શંકરાચાર્ય (દ્વારકા) તરફથી ‘કર્મકાંડવિશારદ’ની પદવી પણ તેમને મળેલી. પુરાતત્વ અને ઇતિહાસના સમર્થ…

વધુ વાંચો >