ધર્મ-પુરાણ

સખી-સંપ્રદાય

સખી-સંપ્રદાય : મધ્યકાલીન ભારતનો એક સંપ્રદાય. રાધાકૃષ્ણની યુગલ ઉપાસનાને કેન્દ્રમાં રાખીને 16મી સદીમાં સ્વામી હરિદાસ દ્વારા આ સંપ્રદાય શરૂ થયો હતો. તે ‘હરિદાસી સંપ્રદાય’ તરીકે પણ જાણીતો છે. સ્વામીજી શરૂમાં નિમ્બાર્ક મતના અનુયાયી હતા, પરંતુ ભગવત્પ્રાપ્તિ માટે ગોપીભાવને જ એકમાત્ર સાધન ગણીને તેમણે પોતાના અલગ મતની સ્થાપના કરી હતી. વૃંદાવનમાંથી…

વધુ વાંચો >

સગુણ

સગુણ : રૂપ, સત્વ વગેરે ગુણો ધરાવનારું તત્વ. ‘ગુણ’ શબ્દનો ગીતામાં 2122 વાર ઉલ્લેખ થયેલો છે, જ્યારે ચૌદમા અધ્યાયમાં તો ‘ગુણત્રયવિભાગ’નો સ્પષ્ટ ખ્યાલ અપાયો છે. મૂળ ‘ગુણ’ શબ્દના તો અનેક અર્થ છે, 24થી ઓછા નહિ એટલા. ‘સગુણ’ – ‘નિર્ગુણ’ શબ્દો આવે ત્યારે ગીતોક્ત ત્રણ ગુણો ચોક્કસ યાદ આવે અને ‘સત્વ’,…

વધુ વાંચો >

સતનામી પંથ

સતનામી પંથ : મધ્યકાલીન ભારતનો એક નિર્ગુણવાદી સંપ્રદાય. સંત કબીરના પ્રભાવથી જે અનેક નિર્ગુણવાદી સંપ્રદાયોનો ઉદય થયો તેમાં સતનામી પંથ પણ છે. દાદૂ દયાળના સમકાલીન સંત વીરભાને ‘સાધ’ કે સતનામી પંથની સ્થાપના કરી. તેઓ રૈદાસની પરંપરામાં થયેલા ઊધોદાસના શિષ્ય હતા. આથી પોતાને ‘ઊધોના દાસ’ તરીકે ઓળખાવતા. ઈ. સ. 1600ની આસપાસ…

વધુ વાંચો >

સતપંથ

સતપંથ : નૂરસતગર દ્વારા ગુજરાતમાં શરૂ થયેલ ઇસ્માઇલી નિજારી સંપ્રદાય. નિજારી ઇસ્માઇલી ઇમામોએ 12મી સદીથી પોતાના સંપ્રદાયનો પ્રચાર ભારતમાં કરવા માંડ્યો અને સિંધમાં ઊછ મુકામે પોતાનું ધર્મપ્રચાર-મથક સ્થાપ્યું. અહીંયાં આ સંપ્રદાયના પીર હસકબીરઉદ્દીનને ત્યાં ઊછ ગામમાં ઈ. સ. 1452માં ઇમામ શાહનો જન્મ થયો. પિતાના મરણ પછી તેઓ (ઇસજ જઈને) પોતાના…

વધુ વાંચો >

સત્તારી સિલસિલા

સત્તારી સિલસિલા : શાહ અબ્દુલ્લા સત્તારી (મૃ. ઈ. સ. 1485) એ હિંદમાં પ્રવર્તાવેલો એક સૂફી પંથ. 15મી–16મી સદીઓ દરમિયાન હિંદમાં ત્રણ અગત્યનાં ધાર્મિક આંદોલનો ઉદભવ્યાં : (1) સત્તારી સિલસિલા, (2) મહાદેવી આંદોલન અને (3) રોશનિયા સંપ્રદાય. હિંદુઓમાં વ્યાપકપણે પ્રચલિત થયેલા ભક્તિ-આંદોલનની ભાવનાનું તેમનામાં પ્રતિબિંબ પડ્યું હતું. સત્તારીપંથને શાહ અબ્દુલ્લા સત્તારીએ…

વધુ વાંચો >

સત્ર

સત્ર : જુઓ યજ્ઞ

વધુ વાંચો >

સદાચાર

સદાચાર : ધર્મનું સૌથી મહત્વનું અંગ. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવને લગતી કઈ માન્યતાઓ ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. ધાર્મિક જીવનમાં…

વધુ વાંચો >

સમન બાઈ

સમન બાઈ (જ. 1825, સિયાલી, તત્કાલીન અલવર રાજ્ય [રાજસ્થાન]; અ. 1885) : રાજસ્થાનનાં જાણીતાં સંત અને કવયિત્રી. તેઓ પ્રખ્યાત ચારણકવિ રામનાથ કવિયાનાં સંતાનોમાં સૌથી નાનાં હતાં. તેમના પિતા તરફથી તેમને શિક્ષણ મળ્યું હતું તેથી તેઓ સહેલાઈથી કાવ્યરચનાની કળા અને ભક્તિગીતો લખતાં શીખ્યાં. પ્રખ્યાત કવિ બારહટ ઉમેદરામ પલ્હાવટના પ્રપૌત્ર રામદયાલ સાથે…

વધુ વાંચો >

સમુદ્રમંથન

સમુદ્રમંથન : પૌરાણિક સંદર્ભ અનુસાર દેવો અને અસુરોએ કરેલું ક્ષીરસાગરનું મંથન. મંદરાચલ નામે પ્રસિદ્ધ પર્વત પોતાનાં સુવર્ણમય શિખરો વડે સૂર્યદેવતાથી પણ અધિક તેજસ્વી હતો. તેના પર દેવો અને ગાંધર્વો રહેતા હતા. તે અનેક રત્નો અને દિવ્ય ઔષધિઓથી આચ્છાદિત હતો. તેની ઊંચાઈ સ્વર્ગથી પણ અધિક હતી. એક વખત દેવો તેનાં તેજસ્વી…

વધુ વાંચો >

સરસ્વતી (દેવી)

સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે…

વધુ વાંચો >