ધર્મ-પુરાણ

શેખ, અલી ઇરજી

શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો,…

વધુ વાંચો >

શેખ, અલી ખતીબ

શેખ, અલી ખતીબ : અમદાવાદના પ્રખ્યાત સંત કુતુબે આલમસાહેબના સુપાત્ર શિષ્ય. ભક્તિ-સાધનામાં તેઓ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા. તેઓ ઘણુંખરું પરમહંસ અવસ્થામાં જ રહેતા હતા. તેઓ જ્યારે અલ્લાહની ઇબાદતમાં મસ્ત બનતા અને ખુદા સાથે એકાત્મભાવ અનુભવતા ત્યારે અંતરના આનંદથી નાચી ઊઠતા, ચીસો પાડતા અને હર્ષાશ્રુઓ સહિત રડવા માંડતા. ‘મિરાતે અહમદી’માં…

વધુ વાંચો >

શેખ, એહમદ સરહિંદી

શેખ, એહમદ સરહિંદી (જ. 26 જૂન 1564, સરહિંદ શરીફ, ઉત્તર ભારત; અ. 10 ડિસેમ્બર, 1624) : ઇસ્લામી વિદ્યાના વિદ્વાન અને સૂફી સંત. તેઓ હજરત ઉંમર ફારુકે-આઝમ અમીરૂલ મોમિનના વંશજ હતા. એ રીતે કાબૂલના શ્રેષ્ઠ ખાનદાનના એ હતા. ખાનદાની રિવાયત પ્રમાણે તેઓ પશ્ચિમ પાકિસ્તાનના મશહૂર સૂફી સંત હજરત બાબા ફરીદગંજ શકરના…

વધુ વાંચો >

શેખ, મુબારક નાગોરી

શેખ, મુબારક નાગોરી (જ. 1504, નાગોર, રાજસ્થાન; અ. 1594) : સૂફી સંત. યમનના શેખ મુસાના ખાનદાનમાં જન્મ. તેમના ખાનદાનમાં ઘણા પ્રકાંડ પંડિતો, વિદ્વાનો થઈ ગયા. શેખ મુસાએ સંસારનો ત્યાગ કર્યો અને સિંધમાં આવી એકાંતવાસ કર્યો. ઘણાં વર્ષો બાદ લગ્ન કર્યું. તેમના એક વંશજ શેખ ખિજર દસમી હિજરી સદીમાં સૂફીઓ, ઓલિયાઓને…

વધુ વાંચો >

શૈવદર્શન

શૈવદર્શન : પ્રાચીન ભારતનું શિવને પ્રમુખ માનતું દર્શન. વેદમાં એક તબક્કે અગ્નિ એ જ રુદ્ર છે એમ કહ્યું છે અને પછી ક્રમશ: રુદ્રનું શિવમાં રૂપાંતર થયું. અહીં રુદ્ર એક દેવ છે. તેમની આકૃતિનું પણ વર્ણન છે. તેઓ એકીસાથે દુષ્ટ તત્વના સંહારક અને સત્-તત્વના રક્ષક તથા કલ્યાણદાતા એવા દેવ છે. અહીં…

વધુ વાંચો >

શૈવ સંપ્રદાય

શૈવ સંપ્રદાય : પ્રાચીન ભારતીય સંપ્રદાય. શૈવધર્મે વૈદિક સમયમાં જ એક વિશિષ્ટ ધર્મ તરીકે સ્થાપિત થવાનો આરંભ કરી દીધો હતો અને પછી તેનો વ્યાપ વધતો જ રહ્યો. દક્ષિણમાં શિવોપાસના અતિપ્રચલિત બની. પરિણામે રુચિ, ભાવના અને રૂઢિ વગેરેના કારણે શિવપૂજા કે ઉપાસના પણ વિવિધ પ્રકારે થવા લાગી. તેમાં તંત્રોએ પણ જબરો…

વધુ વાંચો >

શ્રદ્ધા

શ્રદ્ધા : ધર્મ માટે અગત્યનો ગુણ. શ્રદ્ધાને કામાયની અર્થાત્ કામની પુત્રી કહી છે. સૃદૃષ્ટિને ટકી રહેવામાં આધારભૂત તત્વ તે ऋत છે. તેના ઉપરના વિશ્વાસને ટકાવી રાખનાર પરિબળ શ્રદ્ધા છે. તેને કામ કે ઇચ્છા સાથે સંબંધ છે. ‘હું એક છું, અનેક થાઉં’ ‘एकोडहम् बहु स्याम्’ ઇચ્છામાંથી સંકલ્પ કે આકૂતિ જન્મ્યા. વિવાહમાં…

વધુ વાંચો >

શ્રવણકુમાર

શ્રવણકુમાર : પુરાણોમાં વર્ણિત અંચકમુનિના માતૃ-પિતૃ ભક્તિના આદર્શરૂપ વિખ્યાત પુત્ર. તેઓ પોતાનાં અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવવા નીકળ્યા હતા. એક દિવસ તે વનમાં એક સરોવરમાંથી માતા-પિતા માટે જળ લેવા ગયા. વનમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર અર્થે આવ્યા હતા. શ્રવણકુમારે જ્યારે ઘડો પાણીમાં ડુબાડ્યો ત્યારે એનાથી નીકળતો અવાજ મૃગના અવાજ…

વધુ વાંચો >

શ્રાદ્ધ

શ્રાદ્ધ : હિંદુ ધર્મમાં મૃતક પાછળ થતો વિધિ. श्रद्धया यद्दीयते तच्छाद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.) વિજ્ઞાનેશ્વર દાન અને શ્રાદ્ધનો ભેદ બતાવતાં કહે છે કે, ‘श्राद्धं नामादनीयस्य तत्स्थानीयस्य चा द्रव्यस्य प्रेतोद्देशेन श्रद्धया त्यागः ।’ – પિતૃઓ કે પ્રેતને ઉદ્દેશીને કરાતા દ્રવ્યત્યાગને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના એકોદ્દિષ્ટ અને પાર્વણ…

વધુ વાંચો >

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી)

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી) : વૈષ્ણવોમાં પૂજાતું ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ (ઈ.સ. 1473-1531) 15મી-16મી સદીઓના સંધિકાલમાં જીવન જીવી ભક્તિમાર્ગમાંથી ‘પુષ્ટિમાર્ગ’ એવી સંજ્ઞા આપી જે માર્ગ વિકસાવ્યો તેના પરમ ઇષ્ટદેવ, ગોવર્ધનગિરિ ડાબી ટચલી આંગળી ઉપર હોય એવા સ્વરૂપના અભીષ્ટદેવ સ્થાપ્યા એ શ્રી ગોવર્ધનનાથજી  શ્રી ગિરિરાજધરણ. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’…

વધુ વાંચો >