ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
મૂડીબજાર
મૂડીબજાર : ઔદ્યોગિક અને વાણિજ્ય એકમો, સ્થાનિક સત્તામંડળો અને સરકારને લાંબા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે પદ્ધતિસરના મૂડીબજારનું અસ્તિત્વ એક પૂર્વશરત છે. નવી કંપનીઓ શરૂ કરવા, હયાત કંપનીઓનાં વિકાસ અને વિસ્તરણ કરવા તથા સ્થાનિક સત્તામંડળો અને સરકારની યોજનાઓ અમલમાં મૂકવા માટે લાંબા ગાળાની મૂડીની…
વધુ વાંચો >મૂડીમાળખું
મૂડીમાળખું : કંપનીની મૂડીનાં શૅર, ડિબેન્ચર અને દેવાં જેવા વિવિધ ઘટકોનું સંમિશ્રણ. કંપની દ્વારા મૂડીગત સાધનો એકત્ર કરવા માટે જે વિકલ્પોની પસંદગી થાય છે તેમાં શૅરો – જેવા કે ઑર્ડિનરી શૅર, પ્રેફરન્સ શૅર, લાંબા ગાળાનું દેવું જેવાં કે ડિબેન્ચર, બૉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે વિવિધ પ્રકારની જામીનગીરીઓ દ્વારા…
વધુ વાંચો >મૂડીરોકાણ ટ્રસ્ટ
મૂડીરોકાણ ટ્રસ્ટ (Investment Trust) : પોતાના સભ્યોની બચતનું કંપનીઓના શૅર, ડિબેન્ચર અને બૉન્ડમાં રોકાણ કરીને તેમાંથી થતી આવકનું સભ્યોમાં વિતરણ કરતું ટ્રસ્ટ. બચતોને મૂડીરોકાણમાં રૂપાંતરિત કરવા માટે વિવિધ યુક્તિઓ અજમાવવામાં આવે છે. ધંધાકીય પ્રવૃત્તિઓ કેન્દ્રમાં રાખીને ઘડાયેલા કાયદાઓ હેઠળ વિવિધ સંસ્થાઓનું સર્જન કરી તે દ્વારા મૂડીરોકાણના પ્રયત્નો લાંબા સમયથી થતા…
વધુ વાંચો >મૂડીરોકાણ-નિયમન
મૂડીરોકાણ-નિયમન : મૂડી-ઉઘરામણીની પ્રક્રિયાનું કાયદા દ્વારા નિયમન અને નિયંત્રણ. 1875માં ભારત અને એશિયામાં સૌથી પહેલું સ્થપાયેલું મુંબઈ શૅરબજાર શરૂઆતમાં તો બહુ નાના પાયા પર ચાલતું હતું. મૂડીરોકાણ-નિયમન માટે સરકારી રાહે પગલાં લેવાની જરૂર વરતાઈ નહોતી. ક્રમશ: મુંબઈ શૅરબજારનું કાર્યક્ષેત્ર વિસ્તરતું ગયું. તેના પરના નિયમનના અભાવે મૂડીરોકાણનો કાર્યક્રમ નિરંકુશ અને દિશાવિહીન…
વધુ વાંચો >મૂડીરોકાણ પર વળતર
મૂડીરોકાણ પર વળતર : ધંધામાંથી વર્ષ દરમિયાન થયેલા નફા અને ધંધામાં રોકાણ કરેલી મૂડી વચ્ચેનો ગુણોત્તર. દરેક ધંધાદારી એકમનો મુખ્ય હેતુ મૂડીરોકાણ પર વળતર મેળવી પેઢીના ચોખ્ખા મૂલ્યમાં વધારો કરવાનો હોય છે. અમુક અપેક્ષિત એવું લઘુતમ વળતર પણ મળવાની શક્યતાઓ ન હોય તો સ્વાભાવિક રીતે જ મૂડીરોકાણ કરીને સાહસ ખેડવા…
વધુ વાંચો >મૂડીરોકાણ-બજેટ
મૂડીરોકાણ-બજેટ : ઉત્પાદક પેઢીએ ભાવિ અને લાંબા ગાળાની સંભવિત આવકો અને ખર્ચ અંગે તૈયાર કરેલું પત્રક. અંદાજપત્રની મુખ્ય ભાષા આંકડા છે. આંકડાની મુખ્ય લાક્ષણિકતા એ છે કે એનું અર્થઘટન એક જ થાય છે. ભવિષ્યમાં કરવા ધારેલી પ્રવૃત્તિઓને ભાષામાં મૂકતાં એનાં એકથી વધારે અર્થઘટન થવાની સંભાવના હોવાને કારણે સંસ્થાઓ અને ધંધાદારી…
વધુ વાંચો >મૂડીલાભ
મૂડીલાભ : અસ્કામતની ખરીદી અને તેના વેચાણ વચ્ચેના સમયગાળામાં તેની બજારકિંમતમાં જે વધારો થયો હોય તે; દા.ત., કોઈ વ્યક્તિએ રૂ. 100ની કિંમતે શૅર ખરીદ્યો હોય અને તે રૂ. 140માં વેચ્યો હોય તો તેને જે વધારાના રૂ. 40 મળ્યા તે મૂડીલાભ (capital gain) કહેવાય. વેપારી હેતુ માટે મૂડીલાભની ગણતરી એક જટિલ…
વધુ વાંચો >મૂલ્ય-વિશ્લેષણ
મૂલ્ય-વિશ્લેષણ (value analysis) : વસ્તુ કે સેવાનાં કાર્યોને વધારવા અને સુધારવા તેમજ તેની પડતરને ઘટાડવાના પ્રયત્નો. માલ અથવા સેવાના ઉત્પાદનમાં અનાવશ્યક ખર્ચાઓ ઓળખવાનો અને તૈયાર માલની ગુણવત્તામાં ફેરફાર કર્યા વિના અવેજીમાં અન્ય પ્રકારના કાચા માલ તથા પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પડતર કિંમત ઘટાડવાનો વ્યવસ્થિત અને વિધાયક અભિગમ. પ્રવર્તમાન તૈયાર માલની પડતર…
વધુ વાંચો >મૂળચંદ આશારામ
મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો…
વધુ વાંચો >મૃત્યુવેરો (Estate Duty)
મૃત્યુવેરો (Estate Duty) : વ્યક્તિના મૃત્યુના કારણે સંક્રમિત થતી (passing on death) મિલકતની વાસ્તવિક કિંમત(principal value)નું નિર્ધારણ (assessment) કરીને તે કિંમત ઉપર લાગુ પડતા દરે વસૂલ કરવામાં આવતો વેરો. ભારતમાં એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ, 1953 તા. 15–10–1953થી અમલમાં આવ્યો હતો અને તા. 15-3-1985ના દિને તે રદ કરવામાં આવ્યો. આમ છતાં અધિનિયમ…
વધુ વાંચો >