ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
માલિકીહક્ક
માલિકીહક્ક : મિલકત ઉપર અન્યોની સામે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાનો વૈધિક અને અબાધિત એકાધિકાર. જીવંત સ્ત્રી-પુરુષો, કાયદાથી માન્ય થયેલ સંસ્થાઓ, કેટલાક સંજોગોમાં મંદિરની મૂર્તિઓને પણ કાયદાએ ‘વ્યક્તિ’ તરીકે માન્ય કરી છે. આ બધાં માલિકીહક્ક ધરાવી શકે છે. જેમાંથી વ્યક્તિને માલિકીહક્ક પ્રાપ્ત થાય છે તે મિલકતો કહેવાય છે. કાયદા અને રૂઢિના…
વધુ વાંચો >માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ
માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ (Management Information System) : સંચાલકોને વ્યૂહરચના, યોજના, કામગીરી અને અંકુશ અંગે સક્રિય નિર્ણયો લેવા માટે આવશ્યક, ઔપચારિક અને સમયસર માહિતી પૂરી પાડતું, મુખ્યત્વે કમ્પ્યૂટર-આધારિત તંત્ર. વ્યાપાર કે સંગઠનના સંચાલકો નિર્ણયો લેવા માટે આવશ્યક માહિતી મુખ્યત્વે આંતરિક સ્રોતો (ખરીદ, વેચાણ, પુરવઠો, નફો વગેરે) દ્વારા અને બહારની માહિતી મૌખિક વાતચીત…
વધુ વાંચો >માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ
માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ : સંચાલકીય નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે તેવા હેતુથી પ્રાપ્ત થયેલ અથવા એકત્રિત કરેલ હકીકતો અને આંકડાઓનું પૃથક્કરણ. ઐતિહાસિક દસ્તાવેજો, લેખનસામગ્રી, સર્વેક્ષણો, અવલોકનો, અનુભવો, વાતચીત અને ચર્ચા જેવાં અનેક માધ્યમો દ્વારા જે હકીકતો અને આંકડા પ્રાપ્ત થાય છે તે કાચી માહિતી (data) છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ…
વધુ વાંચો >માંદગીનો વીમો
માંદગીનો વીમો : માંદગીના ખર્ચને પહોંચી વળવા માટે વીમા કંપની દ્વારા ઉતારવામાં આવતો વિશિષ્ટ પ્રકારનો વીમો. દરેક વ્યક્તિને જીવનમાં અનિશ્ચિતતાઓ સતત સતાવતી હોય છે. આમાંની એક અનિશ્ચિતતા માંદગી ક્યારે આવશે અને તે કેટલો ખર્ચ કરાવશે તે અંગેની હોય છે. વીમા વ્યવસાયનું કામ અનિશ્ચિતતામાંથી પેદા થતા જોખમને પૉલિસી-હોલ્ડરો વચ્ચે વહેંચી આપવાનું…
વધુ વાંચો >મિત્તલ, લક્ષ્મીનારાયણ
મિત્તલ, લક્ષ્મીનારાયણ (જ. 2 સપ્ટેમ્બર 1951, સાદલપુર, રાજસ્થાન) : પોલાદના ઉત્પાદનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર અગ્રસ્થાન ધરાવતા ઉદ્યોગપતિ અને વર્ષ 2006માં વિશ્વના પાંચમા ક્રમના તથા એશિયામાં પ્રથમ ક્રમના અબજપતિ. ટૂંકું નામ લક્ષ્મી મિત્તલ. મૂળ વતન રાજસ્થાનનું સાદલપુર. પિતાનું નામ મોહનલાલ. ભારતના ભાગલા પડ્યા તે પૂર્વે પિતાએ વતન છોડીને કરાંચી ખાતે…
વધુ વાંચો >મિત્તલ, સુનિલ ભારતી
મિત્તલ, સુનિલ ભારતી (જ. 23 ઓક્ટોબર, 1957, લુધિયાણા, પંજાબ) : ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ, ભારતી એન્ટરપ્રાઇજિસના સ્થાપક અને ચૅરમૅન. ટેલિકોમ, વીમો, રિયલ એસ્ટેટ, મોલ્સ, હૉસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સક્રિય. તેમની મુખ્ય કંપની ભારતી એરટેલ વિશ્વની અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં ગણના થાય છે, જે એશિયા અને આફ્રિકાના 18…
વધુ વાંચો >મિલકત-વેરો
મિલકત-વેરો : કરદાતાની માલિકીની મિલકતની કિંમત ઉપર આધારિત વેરો. મિલકતમાં મૂર્ત સ્થાવર અને જંગમ મિલકત તથા આવી કોઈ મિલકતમાં રહેલા અમૂર્ત હિત અથવા અધિકારનો સમાવેશ થાય છે. માલિકીના હકની હાજરીને કારણે મિલકતો પેદા થાય છે. જે સ્થાવર સંપત્તિ, માલસામાન અને પશુધન પર કોઈ એક વ્યક્તિ માલિકીહક ભોગવે તે એ વ્યક્તિની…
વધુ વાંચો >મિલકતો-અસ્કામતો
મિલકતો-અસ્કામતો : જે દ્રવ્ય-સંપત્તિ અને સેવાઓ ઉપર વ્યક્તિ ઉપયોગ, ઉપભોગ અથવા લાભદાયી નિકાલનો માલિકીહક (right of use enjoyment or beneficial disposal) ધરાવી શકે તેવી દ્રવ્યસંપત્તિ અને સેવાઓ. જે દ્રવ્ય-સંપત્તિ ઉપર વ્યક્તિની માલિકી હોય છે એ તેની મિલકત ગણાય છે. દ્રવ્ય-સંપત્તિમાં સ્થાવર અને જંગમ બંનેનો સમાવેશ થાય છે. મિલકતમાં દ્રવ્ય-સંપત્તિ ઉપરાંત…
વધુ વાંચો >મિસ્ત્રી, સાયરસ
મિસ્ત્રી, સાયરસ (જ.4 જુલાઈ, 1968 ; અ. 4 સપ્ટેમ્બર, 2022) : ભારતીય મૂળના, આયરિશ નાગરિકત્વ ધરાવતા, પોતાને વૈશ્વિક નાગરિક માનતાં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના વર્ષ 2012થી વર્ષ 2016 સુધી ભૂતપૂર્વ ચૅરમૅન હતા. તેઓ ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે ભારતમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા હતા. સાયરસ ટાટા ગ્રૂપના છઠ્ઠાં ચૅરમૅન અને…
વધુ વાંચો >મુક્ત વેપાર
મુક્ત વેપાર (free trade) : કોઈ પણ સ્વરૂપે સરકારની દરમિયાનગીરીથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર. સરકાર દેશમાં થતી આયાતોને ઘટાડવા માટે અનેક પગલાં ભરી શકે છે. આયાતો ઉપર જકાત નાખવામાં આવે તથા આયાત થતી ચીજોનો જથ્થો (ક્વૉટા) નક્કી કરવામાં આવે છે તે તેના સર્વસામાન્ય માર્ગો છે. તેની સાથે સરકાર વિવિધ વહીવટી પગલાં…
વધુ વાંચો >