મ્યુઝિયમ

વીરભદ્ર શિવની પ્રતિમા

વીરભદ્ર શિવની પ્રતિમા : શામળાજી — ગુજરાતમાંથી મળેલી અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત પાંચમી સદીની અનુપમ પ્રતિમા. ક્ષત્રપકાલ અને ગુપ્તકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ આ પ્રતિમા હોવાથી વિશેષ નોંધપાત્ર છે. પૂર્ણમૂર્ત સ્વરૂપે કંડારાયેલી આ પ્રતિમામાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે. તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પોની સરખામણીએ પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો…

વધુ વાંચો >

વૅટિકન મ્યુઝિયમ અને ગૅલરીઓ, રોમ, ઇટાલી

વૅટિકન મ્યુઝિયમ અને ગૅલરીઓ, રોમ, ઇટાલી (ચૌદમીથી વીસમી સદી) : વૅટિકન શહેરના સંખ્યાબંધ મહેલોમાં સંગ્રહાયેલ વિશ્વનું એક મોટામાં મોટું મ્યુઝિયમ. આ મહેલોના 1,400 ખંડોમાં તે જુદા જુદા વિભાગોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ રાજમહેલો સેંટ પીટર્સ ચર્ચની પડખે આવેલા હોવાથી તેમાંના સંગ્રહો પોપની અભિરુચિ અને પોપે કલાને આપેલા આશ્રયના દ્યોતક…

વધુ વાંચો >

વૉટ્સન મ્યુઝિયમ

વૉટ્સન મ્યુઝિયમ : રાજકોટમાં આવેલું સૌરાષ્ટ્રનું સૌથી જૂનું તથા પુરાતત્વ, કલા, હુન્નર, વિજ્ઞાન સંસ્કૃતિવિષયક બહુહેતુક મ્યુઝિયમ. 1888માં તેની સ્થાપના થયેલી. બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયાના શાસનનાં 50 વરસ પૂરાં થતાં 1887માં ‘કૈસરે હિંદ’ ખિતાબની વરણી પ્રસંગે સૌરાષ્ટ્રના રાજવીઓ, પૉલિટિકલ એજન્ટ અને શ્રીમંતોએ ફંડફાળો એકઠો કરી આ મ્યુઝિયમનો પ્રારંભ કરેલો. 1886થી 1889…

વધુ વાંચો >

વૉર મેમૉરિયલ મ્યુઝિયમ

વૉર મેમૉરિયલ મ્યુઝિયમ : ઑસ્ટ્રેલિયાનું યુદ્ધવિષયક અનોખું સંગ્રહસ્થાન. ઑસ્ટ્રેલિયન સૈનિકોએ અન્ય દેશોમાં જે યુદ્ધોમાં ભાગ લીધેલો તેને લગતી પુષ્કળ માહિતી અને સામગ્રીનો સંગ્રહ. ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅન્બરામાં આ મ્યુઝિયમ આવેલું છે. યુદ્ધમાં માર્યા ગયેલા બધા જ ઑસ્ટ્રેલિયન સૈનિકોની સંપૂર્ણ નામાવલિ પણ તેમાં રાખવામાં આવી છે. સંગ્રહાલય વિસ્તારમાં પ્રવેશતાં બહાર એક મોટી…

વધુ વાંચો >

શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા

શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા (સ્થાપના વર્ષ 1965) : ગુજરાતનું પુરાતત્વવિદ્યા-વિષયક મ્યુઝિયમ. હાલ શ્રી અંબાલાલ રણછોડદાસ સૂરા મ્યુઝિયમ તરીકે ઓળખાતા આ મ્યુઝિયમનું સંચાલન મોડાસાનું મ. લ. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, આર્ટ્સ કૉલેજ કરે છે. તેની રચના માટેના પ્રેરક તત્કાલીન આર્ટ્સ કૉલેજના આચાર્ય ડૉ.…

વધુ વાંચો >

સમુદ્ર-સંગ્રહાલય (oceanarium)

સમુદ્ર–સંગ્રહાલય (oceanarium) : સમુદ્રી જીવોનું સંગ્રહસ્થાન. સમુદ્ર-સંગ્રહાલયની વિવિધતા અને વિપુલતા તેના જીવ-પરિમંડલ (biosphere) પર આધારિત છે. સામુદ્રિક પર્યાવરણ તેના જીવ-પરિમંડલની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે. પાણીની ઊંડાઈને અનુલક્ષીને પ્રાણીઓ પોતાના સ્તરો રચે છે. આ સ્તરોનાં પર્યાવરણીય લક્ષણો એકબીજાંથી તદ્દન ભિન્ન હોય છે. આ સ્તરો મુજબ ચાર પ્રકારના આવાસો (habitat) રચે…

વધુ વાંચો >

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ : અમદાવાદ નજીક કોબા ખાતે આવેલું પ્રાચીન હસ્તપ્રતોનું મ્યુઝિયમ. 1980ના ડિસેમ્બરની છવ્વીસમીએ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થયેલી. આ મ્યુઝિયમમાં 3,000થી વધુ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતો છે. તેમાંની સેંકડો હસ્તપ્રતો સચિત્ર છે. આ ઉપરાંત પથ્થર, ધાતુ અને લાકડામાંથી બનેલી મૂર્તિઓ અને હાથીદાંતમાંથી કંડારેલી કોતરણીઓ…

વધુ વાંચો >

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ : વલ્લભવિદ્યાનગરમાં આવેલું સરદાર પટેલ યુનિવર્સિટીનું બહુહેતુલક્ષી મ્યુઝિયમ. ચારુતર વિદ્યામંડળના ઉપક્રમે ભાઈકાકાએ (ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલે) આ મ્યુઝિયમની સ્થાપના 1949માં કરી હતી. તેના પ્રથમ ક્યુરેટર અમૃત વસંત પંડ્યાએ 1949થી 1969 સુધી આ મ્યુઝિયમનો કાર્યભાર સંભાળી તેમાં પ્રદર્શિત જણસોનું જતન કરવાની સાથે તેમના વિશે સંશોધન કર્યું હતું. 1960ના…

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરત ખાતે મૂળમાં ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’ નામે સ્થપાયેલું મ્યુઝિયમ. હાલમાં તે સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. 1890માં સૂરતના તત્કાલીન કલેક્ટર વિન્ચેસ્ટરે આ મ્યુઝિયમની સ્થાપના કરેલી. મૂળમાં રાણી બાગ (હવે ગાંધી બાગ) પાસે મક્કાઈ બ્રિજ નજીક આ મ્યુઝિયમ હતું; જેને 1952માં તાપી નદીના પૂરના પાણીથી બચાવવા…

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય : સ્વાતંત્ર્ય ચળવળના એક અગ્રણી રાષ્ટ્રીય નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક સ્વરૂપનું અમદાવાદમાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનદર્શન માટેનું કીમતી સાહિત્ય સંઘરાયેલું છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના…

વધુ વાંચો >