મ્યુઝિયમ

અગ્રવાલ, વાસુદેવશરણ

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઑગસ્ટ 1904, ખેડા ગ્રામ, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1966, વારાણસી) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર…

વધુ વાંચો >

આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી

આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી (191૦ની આસપાસ) : રાજકોટના પ્રખ્યાત વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર. મૂળ વતન જૂનાગઢ; વલ્લભજી હરિદત્ત આચાર્ય(ક્યુરેટર)ના પુત્ર. 4-2-191૦થી વલ્લભજી માંદા પડ્યા ત્યારે એમની ગેરહાજરીમાં એમના વિદ્વાન પુત્ર ગિરિજાશંકરે વૉટસન મ્યુઝિયમનો હવાલો સંભાળી લીધો હતો. તેઓ પાછળથી મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે 2૦ વર્ષ રહ્યા હતા અને ત્યારબાદ…

વધુ વાંચો >

આચાર્ય, વલ્લભજી હરિદત્ત

આચાર્ય, વલ્લભજી હરિદત્ત (જ. 26 જૂન 184૦, જૂનાગઢ; અ. 17 જાન્યુઆરી 1911) : રાજકોટના વૉટ્સન મ્યુઝિયમના વિદ્વાન ક્યૂરેટર. જન્મ જૂનાગઢના વડનગરા નાગર બ્રાહ્મણ હરિદત્ત મોહનજી આચાર્યને ત્યાં થયો હતો. 1854થી તેમણે શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર અભ્યાસ કર્યો અને 186૦માં સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ કર્યો. 1864માં જૂનાગઢની કન્યાશાળામાં શિક્ષક થયા અને 1867માં જૂનાગઢના…

વધુ વાંચો >

આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય

આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય : આદિવાસી જીવનશૈલીનું સંગ્રહાલય. આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ, આભૂષણો અને તેમના જીવન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ચીજવસ્તુઓની સમજ આપતાં સંગ્રહાલયો. ભારતમાં અનેક જગ્યાએ આ સંગ્રહાલયો વિકસ્યાં છે. આધુનિક પ્રવાહમાં અનેક જાતિઓની સંસ્કૃતિમાંથી મૌલિકતા લુપ્ત થતી જાય છે. તેમનાં રહેઠાણો, પહેરવેશ, આભૂષણો, બોલી…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો (મધ્યપ્રદેશ) : આઠમીથી બારમી સદી દરમિયાનનાં પાષાણ-શિલ્પોનો વિપુલ સંગ્રહ. ચંદ્રેલા વંશના રાજાઓના શાસન દરમિયાન બંધાયેલાં જૈન તથા હિંદુ મંદિરોમાંની શિલ્પકૃતિઓ અહીં પ્રદર્શિત કરાઈ છે. તે કૃતિઓ મંદિર-સ્થાપત્ય-શિલ્પના ઉત્તમ નમૂનારૂપ છે. ‘પશ્ચિમ જૂથ’ તરીકે ઓળખાતાં હિંદુ મંદિરો તરીકે લક્ષ્મણ મંદિર (954), વિશ્વનાથ મંદિર (999), ચિત્રગુપ્ત મંદિર અને સૌથી…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર (સ્થાપના 1922) : પુરાવસ્તુઓનો સંગ્રહ. 1913થી મહારાજા સિંધિયાની સૂચના પ્રમાણે ગ્વાલિયર આસપાસની પુરાવસ્તુઓ એકત્રિત કરવામાં આવી અને તે સર્વ પ્રદર્શિત કરવા માટે આ મ્યુઝિયમની સ્થાપના થઈ. આ મ્યુઝિયમમાં પ્રાચીન શિલ્પકૃતિઓ, શિલાલેખો, વિવિધ તામ્રપત્રો, અભિલિખિત મુદ્રાઓ, પાળિયા અને શિલાસ્તંભો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વળી તેમાં ગોઠવેલી વિવિધ ધાતુ-પ્રતિમાઓ…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા (બિહાર; સ્થાપના 1917) : પુરાતત્વીય ઉત્ખનનમાંથી મળેલા અવશેષોનો સંગ્રહ. મગધના પ્રાચીન પાટનગર રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદા, બોધિગયા, દિનાજપુર અને આસપાસનાં અન્ય સ્થળોએ કરેલ ઉત્ખનનમાંથી મળી આવેલાં સંખ્યાબંધ પાષાણશિલ્પો અને ધાતુશિલ્પો અહીં પ્રદર્શિત કરાયાં છે. માટીની પકવેલી શિલ્પકૃતિઓ (terracotta), મૃત્પાત્રો, વિવિધ સિક્કાઓ અને મુદ્રાઓ મુખ્ય વિભાગમાં સચવાયાં…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ (ઉત્તર પ્રદેશ; સ્થાપના 1910) : મૌર્ય કાળ(ઈ. પૂ. બીજી સદીથી તેરમી સદી)ની શિલ્પકૃતિઓ અને હાથકારીગરીનો વિપુલ સંગ્રહ. આ મ્યુઝિયમમાં વારાણસી પાસે આવેલા સારનાથના બૌદ્ધ વિહારોના ઉત્ખનનમાંથી મળી આવેલ બારમી સદી સુધીનાં પાષાણશિલ્પો, માટીની પક્વ શિલ્પકૃતિઓ, મૃત્પાત્રો, તકતીલેખો અને મુદ્રાઓ પ્રદર્શિત કરાયાં છે. આ મ્યુઝિયમમાં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રતીક…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી (મધ્યપ્રદેશ) (સ્થાપના 1919) : ઈ. પૂ. ત્રીજી સદીથી તેરમી સદીની શિલ્પકલાકૃતિઓની વિપુલ સંખ્યા ધરાવતું સંગ્રહાલયય. સાંચીની ટેકરીઓ પરનાં સ્તૂપો, મંદિરો અને વિહારોના સર જૉન માર્શલે કરેલ ઉત્ખનન અને શોધતપાસમાંથી મળી આવેલ પુરાવશેષોનો સંગ્રહ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયો છે. સાંચીના સ્તૂપ-એક અને બેની શિલ્પકળાનાં તોરણો વિશ્વમાં અજોડ છે.…

વધુ વાંચો >

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા (સ્થાપના 1937) : પાલ અને સેન-કાળની શિલ્પકૃતિઓ(આઠમીથી બારમી સદી)નો સંગ્રહ ધરાવતું મ્યુઝિયમ. મહાન કેળવણીકાર સર આશુતોષ મુખરજીની યાદગીરીમાં તે સ્થાપવામાં આવેલું છે. પાલ અને સેન કાળની શિલ્પકૃતિઓ પ્રાચીન ગુપ્ત કાળની શિલ્પ-સંસ્કૃતિથી પ્રેરિત હોવાનું જણાય છે. પાલ રાજવીઓએ બૌદ્ધ ધર્મની શિલ્પકલાકૃતિઓ કંડારેલ મંદિરો બંધાવ્યાં. સેન…

વધુ વાંચો >