જયન્ત પ્રે. ઠાકર

મૂલશુદ્ધિ પ્રકરણ

મૂલશુદ્ધિ પ્રકરણ (ઈ. સ. દસમી સદી) : જૈન ધર્મનો પ્રતિમાની પૂજા વગેરે વિશેનો ગ્રંથ. આનાં ‘સ્થાનકપ્રકરણ’ અને ‘સ્થાનકાનિ’ એવાં નામ પણ મળે છે. આખો ગ્રંથ પ્રાકૃત પદ્યમાં છે. તેના રચયિતા પૂર્ણતલ્લગચ્છના પ્રદ્યુમ્નસૂરિ (ઈ. સ.ની દસમી સદી) છે. આનો વિષય પ્રતિમાઓ, મંદિરો, ગ્રંથો તથા ચતુર્વિધ સંઘ પ્રત્યેની શ્રાવકની ફરજોનો હોઈ તેનું…

વધુ વાંચો >

મૂલાચાર

મૂલાચાર : જૈન ધર્મનો મુખ્ય આગમ ગ્રંથ. દિગમ્બરોના આગમોના ચાર અનુયોગમાંના ચોથા ‘ચરણાનુયોગ’નો અતિ મહત્વપૂર્ણ ગ્રંથ. તે ‘આચારાંગ’ પણ કહેવાય છે. દિગમ્બર સાધુઓના 28 મૂલ ગુણોનું અર્થાત્ આચારના આદર્શનું સાંગોપાંગ વર્ણન કરનાર પ્રથમ ગ્રંથ. પછીના આચારગ્રંથોના આધારરૂપ. ચારિત્ર્ય ઉપરાંત જ્ઞાન-ધ્યાન-તપમાં મગ્ન સાધુઓની જ્ઞાનવૃદ્ધિ માટે સહાયક વિષયો પણ તે પ્રતિપાદિત કરે…

વધુ વાંચો >

રંભામંજરી (1384)

રંભામંજરી (1384) : સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટ્યકૃતિ. એક સુંદર સટ્ટક. ત્રણ યવનિકાવાળી નાટિકા છે. કર્તા કૃષ્ણર્ષિગચ્છના નયચન્દ્રસૂરિ. તેઓ જયસિંહસૂરિશિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય અને ગ્વાલિયરના તોમરવંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા 1889માં, પ્રાચીન સંસ્કૃત ટિપ્પણી સાથે, પ્રકાશિત. સંપાદક પંડિત રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી. આમાં કુલ 106…

વધુ વાંચો >

રામ

રામ : સંસ્કૃત મહાકાવ્ય ‘રામાયણ’નું મુખ્ય પાત્ર. સરયૂતટસ્થ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશીય રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાના જ્યેષ્ઠ પુત્ર. મહામાનવ, મર્યાદાપુરુષોત્તમ, રઘુનાથ, રઘુપતિ, રાઘવ. એ જ આત્મારામ, અન્તર્યામી, પરમાત્મા. મહાતેજસ્વી અને સત્યપરાક્રમી. ગાંધીજીને પ્રિય ધૂન ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને સ્વામી રામદાસની પ્રસિદ્ધ ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ’…

વધુ વાંચો >

રામ પાણિવાદ

રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી. પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના…

વધુ વાંચો >

રામાયણ

રામાયણ : સંસ્કૃત ભાષાના આદિકવિ વાલ્મીકિએ રચેલું મહાકાવ્ય. રામ + અયન = રામનું ચરિત. વેદવિદ્યાના ઉપબૃંહણાર્થે રચાયેલ બે ઇતિહાસકાવ્યોમાંનું પ્રથમ. તેની વિશ્વમાં શ્રેષ્ઠ ગણાયેલી કથા તથા ભાવવાહિતાએ જનહૃદયને હજારો વર્ષોથી જકડી રાખ્યું હોઈ તે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં વિવિધ સ્વરૂપે પ્રકટ થતું રહ્યું છે. માનવહૃદયને વ્યક્ત કરવામાં, માનવના ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >

રિષ્ટસમુચ્ચય

રિષ્ટસમુચ્ચય : જૈન જ્યોતિષ વિશેનો ગ્રંથ. ‘રિટ્ઠસમુચ્ચય’ (સંસ્કૃતમાં ‘રિષ્ટસમુચ્ચય’) પ્રાકૃતમાં રચાયેલો નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે. તેના રચનાર આચાર્ય દુર્ગદેવ દિગમ્બર જૈન વિદ્વાન હતા. તેમના ગુરુનું નામ સંજયદેવ. આચાર્ય દુર્ગદેવે બીજો એક ગ્રંથ સંસ્કૃતમાં પણ રચ્યો છે :  ‘ષષ્ટિસંવત્સરફલ’. તેમાં વિવિધ સંવત્સરોના ફળની વિગતો આપેલી છે. આ સંસ્કૃત ગ્રંથની એક નાનકડી હસ્તપ્રત…

વધુ વાંચો >

લઘુપ્રબન્ધસંગ્રહ

લઘુપ્રબન્ધસંગ્રહ : પ્રાચીનતમ ઉપલબ્ધ પ્રબન્ધગ્રન્થ. ચાર હસ્તપ્રતોને આધારે જયન્ત ઠાકરે તૈયાર કરેલી સર્વતોમુખી અધ્યયન સાથેની સમીક્ષિત આવૃત્તિ વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરે મ. સ. વિશ્વવિદ્યાલય સંશોધન ગ્રંથમાળામાં 197૦માં પ્રકાશિત કરી છે. ‘પ્રબન્ધ’ એટલે ઐતિહાસિક આખ્યાયિકા. ઉત્તર ગુજરાતના અજ્ઞાત જૈન કર્તા રચિત દસ લઘુ પ્રબન્ધોમાં સૌથી મોટો ‘વિક્રમાદિત્યપંચદંડચ્છત્રપ્રબન્ધ’ (8 પૃષ્ઠ) અને નાનો ‘કૂંઆરીરાણા-પ્રબન્ધ’ (1…

વધુ વાંચો >

વર્ણક-સમુચ્ચય

વર્ણક-સમુચ્ચય : સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસ માટે મહત્વનાં પદ્યાનુકારી ગદ્ય-વર્ણકોનો સંગ્રહ. રચના 15માથી 18મા શતકમાં. હસ્તપ્રતો અમદાવાદ-વડોદરાના વિવિધ સંગ્રહોમાં છે. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા સંપાદિત મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા દ્વારા પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલાના ગ્રન્થ 4 રૂપે પ્રકાશિત, 1956. ડૉ. સાંડેસરા તથા ડૉ. રમણલાલ ના. મહેતાએ કરેલ સાંસ્કૃતિક અધ્યયન ભાગ 2…

વધુ વાંચો >

વાસ્તુસાર

વાસ્તુસાર : વાસ્તુશાસ્ત્રને લગતો પ્રાકૃત ગ્રંથ. પ્રાકૃતમાં જેને શાસ્ત્રીય ગ્રંથ કહીએ એવા અનેક ગ્રંથો રચાયા છે. તેમાં આ વાસ્તુસારનો પણ સમાવેશ થાય છે. પૂર્વશાસ્ત્રોનો અભ્યાસ કરીને સંવત 1372(ઈ. સ. 1316)માં ઠક્કુર ફેરૂએ ‘વાસ્તુસાર’ની રચના કરી. તેમાં ગૃહવાસ્તુપ્રકરણમાં 158 ગાથાઓ છે, જેમાં ભૂમિપરીક્ષા, ભૂમિસાધના, ભૂમિલક્ષણ, માસફળ, પાયો નાખવાનું લગ્ન, ગૃહપ્રવેશલગ્ન અને…

વધુ વાંચો >