ચન્દ્રકાન્ત મહેતા

બરગોહાઈ, હેમેન

બરગોહાઈ, હેમેન (જ. 1936, સલીમપુર, આસામ) : સ્વાતંત્ર્યોત્તર કાલના અગ્રગણ્ય અસમિયા નવલકથાકાર, વાર્તાકાર અને નાટકકાર. એમણે ઉચ્ચ શિક્ષણ ગૌહત્તીની હૉટન કૉલેજમાં લીધું હતું. બી.એ. થઈને આસામ સિવિલ સર્વિસમાં જોડાયા, પણ સાહિત્યનો જીવ સરકારી નોકરીમાં રૂંધાવા લાગ્યો. એટલે 1968માં નોકરી છોડી અને નવા શરૂ થયેલા સાપ્તાહિક ‘નીલાંચલ’નું તંત્રીપદ સંભાળ્યું. એમણે નવલકથા,…

વધુ વાંચો >

બરુવા, ગુણાભિરામ

બરુવા, ગુણાભિરામ (જ. 1837, ગૌહત્તી; અ. 1894) : અસમિયા સાહિત્યના પ્રથમ નાટકકાર, જીવનચરિત્રકાર, ઇતિહાસકાર તથા હાસ્યલેખક. એમનું શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમણે એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. આસામના વધારાના નાયબ કમિશનર તરીકે એમની નિમણૂક થઈ. તેઓ બ્રાહ્મણ હતા, પણ પછી બ્રહ્મો સંપ્રદાયમાં જોડાયા અને 1870માં 33 વર્ષની વયે પ્રથમ…

વધુ વાંચો >

બરુવા, બિરંચિકુમાર

બરુવા, બિરંચિકુમાર (જ. 1910, ગૌહત્તી; અ. 1964) : અસમિયા લેખક. તેઓ ‘બીના બરુવા’ના તખલ્લુસથી પણ લખતા હતા. માધ્યમિક શિક્ષણ ગૌહત્તીમાં તથા ઉચ્ચ શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ આવતાં જ ગૌહત્તી વિશ્વવિદ્યાલયમાં અસમિયાના અધ્યાપક તરીકે નિયુક્ત થયા અને મૃત્યુ સુધી અધ્યાપન કર્યું. એમની 2 નવલકથાઓ, 2 નવલિકાસંગ્રહો અને 5…

વધુ વાંચો >

બરુવા, હેમ

બરુવા, હેમ (જ. 1915; અ. 1977) : સાહિત્ય, શિક્ષણ અને રાજકારણ ત્રણે ક્ષેત્રના ખ્યાતનામ અસમિયા સાહિત્યકાર. તેઓ અંગ્રેજી વિષય લઈને કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા અને પ્રથમ આવ્યા. તેથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. એમ.એ. થતાવેંત જ ગૌહત્તીની બી. બરુવા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને પછી આગળ વધતાં વધતાં એ કૉલેજના આચાર્ય…

વધુ વાંચો >

બલીપીઠમ્

બલીપીઠમ્ (1959) : તેલુગુ કૃતિ. સ્વાતંત્ર્યોત્તર કાળનાં તેલુગુ લેખિકા રંગનાથમ્માની સ્ત્રીઓની સમસ્યા અને પુરુષો સામેના વિદ્રોહનું એલાન કરતી આ નવલકથાને આંધ્રપ્રદેશની સરકાર તરફથી 1966માં પારિતોષિક માટે પસંદ કરવામાં આવી હતી. રંગનાથમ્મા પુરુષો સામે બંડ કરવા પ્રેરતી લેખિકા તરીકે જાણીતાં છે. એમની આ નવલકથામાં એક કન્યા આંતરજાતીય લગ્ન કરવા ઇચ્છે છે.…

વધુ વાંચો >

બસવપુરાણ

બસવપુરાણ : તેલુગુ કૃતિ. સમય તેરમી-ચૌદમી સદી. પાલ્કુરિકી સોમનાથડુએ રચેલા આ કાવ્યને વીરશૈવ સંપ્રદાયનો વેદ મનાય છે. વીરશૈવ સંપ્રદાયના પ્રવર્તક બસવેશ્વેરના પૂર્વજન્મના સંસ્કારોને કારણે એ બાલ્યવયમાં જ ભક્તિ તરફ વળ્યા. યજ્ઞોપવીત વગેરે વૈદિક કર્મકાંડ તથા વર્ણવ્યવસ્થાનો પરિત્યાગ, એકમાત્ર ભક્તિપ્રધાન, વર્ણવ્યવસ્થાહીન તથા સર્વજનસુલભ વીરશૈવ સંપ્રદાયની સ્થાપના, તપશ્ચર્યા, શિવનો સાક્ષાત્કાર, એમનો સંદેશ…

વધુ વાંચો >

બસવરાજદેવરા રગાલે

બસવરાજદેવરા રગાલે : મધ્યકાલીન કન્નડ કૃતિ. મધ્યકાલીન કન્નડ સંત કવિ બસવેશ્વરનું કવિ હરિહરને પદ્યમાં લખેલું જીવનચરિત્ર. હરિહરનના સમય વિશે ક્ન્નડ સાહિત્યના ઇતિહાસલેખકોમાં મતભેદ છે; આમ છતાં એટલું નિશ્ચિત છે કે મધ્યકાળમાં બસવેશ્વર વિશે લખનાર હરિહરન પ્રથમ કવિ છે. હરિહરન બસવેશ્વરના સંપર્કમાં આવ્યા નહોતા અને તેથી એમણે બસવેશ્વર વિશેની કિંવદન્તીઓ અને…

વધુ વાંચો >

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર (1961) : કન્નડ સાહિત્યના અગ્રણી વિવેચક અને બંગાળી સાહિત્યના અઠંગ અભ્યાસી એ. આર. કૃષ્ણશાસ્ત્રીએ કન્નડમાં લખેલો બંકિમચંદ્રની નવલકથાઓ વિશેનો વિવેચનગ્રંથ. તેમાં બંગાળી વિવેચકોનું ધ્યાન ન ગયું હોય એવા કેટલાક મુદ્દાઓ છે; જેમ કે, બંકિમચંદ્રની કઈ કઈ નવલકથાઓ પર પશ્ચિમની કઈ કઈ નવલકથાઓની કેવી અને કેટલી અસર છે,…

વધુ વાંચો >

બંદીર આત્મકથા

બંદીર આત્મકથા : ઊડિયા કૃતિ. તેના કર્તા ઓરિસાના સંતકવિ ગોપબંધુ દાસ (1877–1928) ભક્તકવિ અને સ્વાતંત્ર્યસેનાની હતા. એક તરફ એ જેમ ઈશ્વરભક્તિ તરફ વળેલા હતા તેમ બીજી તરફ ગાંધીજીના પ્રભાવથી એ અસહકારના આંદોલનમાં પણ સક્રિય હતા. 1922થી 1925 સુધી એમણે જેલવાસ ભોગવેલો. એમને કટકની જેલમાંથી બિહારની હજારીબાગની જેલમાં લઈ જતા હતા…

વધુ વાંચો >

બાપટ, વસંત

બાપટ, વસંત (જ. 25 જુલાઈ 1922, કરાડ, જિ. સાતારા) : મરાઠી કવિ. પુણેની સર પરશુરામભાઉ (એસ.પી.) કૉલેજમાંથી 1948માં એમ.એ. થયા. ત્યારબાદ પુણેની નૅશનલ કૉલેજ તથા રામનારાયણ રૂઇયા કૉલેજ(મુંબઈ)માં મરાઠી તથા સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે 1948–74 અને 1974થી મુંબઈ યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યની રવીન્દ્રનાથ ઠાકુરની ચૅર પર પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. નાનપણથી રાષ્ટ્રીય…

વધુ વાંચો >