ચન્દ્રકાન્ત મહેતા

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકોટા

અકોટા : મૂળ નામ અંકોટ્ટક. ‘અંકોટ્ટક ચતુરશીતી’નું મુખ્ય કેન્દ્ર, જે હાલના વડોદરાના અકોટા ગામનો ધનટેકરીને નામે જાણીતો સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીથી આચ્છાદિત વિસ્તાર છે. તેના પરા તરીકે વટપદ્રક અર્થાત્ વડોદરા વિકસીને અગિયારમી સદીમાં મુખ્ય સ્થળ થયું અને અકોટાનાં વળતાં પાણી થયાં. અકોટાના ધનટેકરી વિસ્તારમાંથી અન્ત્યાશ્મયુગનાં ઓજારો મળ્યાં છે. ત્યાંથી આશરે ઈ.…

વધુ વાંચો >

અખ્તર-મોહિઉદ્દીન

અખ્તર-મોહિઉદ્દીન (જ. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં…

વધુ વાંચો >

અગ્નિવીણા

અગ્નિવીણા (1922) : બંગાળના રવીન્દ્રોત્તર યુગના સુપ્રસિદ્ધ કવિ નઝરૂલ ઇસ્લામ(1899–1976)નો પ્રથમ તથા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ. સંગ્રહનાં કાવ્યોનો મુખ્ય સૂર વિદ્રોહનો છે. એ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે સમયે ગાંધીજીનું અસહકારનું તેમજ ખિલાફતનું એમ બંને આંદોલનો પુરવેગમાં ચાલતાં હતાં. એ વાતાવરણમાં આ સંગ્રહનાં ભાવવિભોર સૂરાવલિમાં ગવાતાં ગીતો બંગાળમાં ખૂબ જ લોકપ્રિય બનેલાં અને…

વધુ વાંચો >

અચલા

અચલા : બંગાળી નવલકથાકાર શરદ્ચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘ગૃહદાહ’ની નાયિકા. એણે પિતાનો વિરોધ વહોરી, પોતે બ્રહ્મો સમાજી હોવા છતાં બ્રાહ્મણ મહિમ જોડે લગ્ન કર્યાં. લગ્ન પછી એને મહિમની તરફ પ્રેમ હોવા છતાં એ તેના મિત્ર સુરેશ પ્રત્યે પણ આકર્ષાઈ. સુરેશની ઉદ્દંડતાને કારણે સુરેશ એનો પ્રેમ પૂરો મેળવી ન શક્યો, પરંતુ અચલાએ…

વધુ વાંચો >

અચલાયતન

અચલાયતન (1911) : રવીન્દ્રનાથ ટાગોરનું નાટક. પરંપરાવાદી, રૂઢિચુસ્ત સમાજની જડતા પર પ્રહાર કરતું તે વ્યંગનાટક છે. એની કથા મૌલિક છે; પણ એનું તત્ત્વ, સમય અને વાતાવરણ આશ્ચર્યકારક રીતે વાસ્તવિક તેમજ ઐતિહાસિક છે. ઈ. સ.ની પ્રથમ શતાબ્દીના અંતિમ સૈકાઓમાં અને દ્વિતીય શતાબ્દીના આરંભમાં મહાયાન બૌદ્ધપંથનો વજ્રયાન અને મંત્રયાન સાધનાઓ રૂપે ખાસ…

વધુ વાંચો >

અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ

અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ : 1984નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ ફિલ્મ. કથા તથા દિગ્દર્શન : બાલચન્દ્રન. નિર્માતા : કવિથાલય પ્રોડક્શન્સ. મુખ્ય કલાકારો : સરિથા, રાજેશ, દેહલી ગણેશ, પવિત્રા, અહલ્યા, પ્રભાકર. થેનગોજન ફટાકડાની દુકાનમાં મજૂરી કરે છે. એનો બાપ બ્રહ્મનારાયણમ્ આંધળો હોવાથી, એ સ્વાતંત્ર્યસેનાની હોવા છતાં દીકરીની કમાણી પર જ…

વધુ વાંચો >

અજમતહુસેનખાં

અજમતહુસેનખાં (જ. 5 માર્ચ 1911 અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1975 મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ ગાયક અને શાયર. અજમતહુસેનખાંએ સંગીતની તાલીમ સંગીતક્ષેત્રના સુપ્રસિદ્ધ ઉસ્તાદો અલ્તાફહુસેનખાં, વિલાયતહુસેનખાં તથા અલ્લાદિયાખાં પાસેથી લીધેલી. મહાન સંગીતકારોની વિશેષતાઓ પોતાનામાં આત્મસાત્ કરીને એમણે પોતાની ગાયકીની વિશેષતા સ્થાપિત કરી હતી. આગ્રા તથા જયપુર ગાયકીના સમન્વયની ક્ષમતા એમણે…

વધુ વાંચો >

અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન)

અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન) (જ. 7 માર્ચ 1911, કસિયા, જિ. ગોરખપુર, ઉત્તરપ્રદેશ; અ. 4 એપ્રિલ 1987, નવી દિલ્હી) : જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા, આધુનિક હિન્દી સાહિત્યકાર તથા પત્રકાર. પિતા હીરાનંદ પુરાતત્ત્વ વિભાગના ઉચ્ચ અમલદાર હોવાથી લખનૌ, ચેન્નાઈ, લાહોર, એમ જુદે જુદે સ્થળે શિક્ષણ લેવાનું થયું. તે નિમિત્તે ભિન્નભિન્ન ભાષાભાષીઓના સંપર્કમાં આવતાં તે…

વધુ વાંચો >

અઝીઝ (દરવેશ)

અઝીઝ (દરવેશ) (જ. 1928) : આધુનિક કાશ્મીરી કવિ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂંચમાં. સ્નાતકકક્ષા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. નાનપણથી જ કાવ્યરચના કરતા. કૉલેજમાં પણ શ્રેષ્ઠ કાવ્યપાઠ માટે પારિતોષિક મેળવેલું. આકાશવાણી કવિસંમેલનમાં અનેક વાર કાવ્યપઠન કરેલું. એમનો કાવ્યસંગ્રહ ‘જંગી ઝકુમ’ 1960માં પ્રગટ થયેલો. એમણે પાકિસ્તાની આક્રમણ સમયે દેશભક્તિનાં અને યુદ્ધોત્સાહનાં અનેક કાવ્યો…

વધુ વાંચો >