કે. કા. શાસ્ત્રી

ગુર્જર ભૂમિ

ગુર્જર ભૂમિ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ભૂમિ. આ સંજ્ઞા આ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. સં. ‘ગુર્જરત્રા ભૂમિ’ના સ્વરૂપનો પહેલો ઉલ્લેખ મહોદયના ભોજદેવ પહેલા (ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવે છે. પછી ડેંડવાણક (હાલના જોધપુરના પ્રદેશના) મિહિરભોજ(ઈ. સ. 844)ના અભિલેખમાં પણ જોવા મળ્યો છે. આ અભિલેખોમાં સ્પષ્ટ રીતે તે પશ્ચિમ…

વધુ વાંચો >

ગુર્જરમંડળ

ગુર્જરમંડળ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ. જૂના સમયમાં ‘ગુર્જરમંડળ’ સંજ્ઞા જોવા મળતી નથી. એનું સ્વરૂપ ‘ગુર્જરત્રામંડલ’ તરીકે સુલભ છે. ઈ. સ. 850ના એક અભિલેખમાં જયપુરના પ્રદેશમાં આવેલા ‘મંગલાનક’ને ‘ગુર્જરત્રામંડલ’માં ગણવામાં આવ્યું છે. એ પહેલાં મહોદયના ભોજદેવ પહેલા(ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવ્યો છે. એ બંને પશ્ચિમ મારવાડ માટેના…

વધુ વાંચો >

ગ્રહવર્મા

ગ્રહવર્મા : કાન્યકુબ્જ(કનોજ)ના મૌખરિ વંશનો રાજવી. થાનેશ્વરના રાજવંશ સાથે મૌખરિ વંશની મૈત્રી હતી. થાનેશ્વરના પ્રતાપી રાજા પ્રભાકરવર્ધનને રાજ્યશ્રી નામની કુંવરી હતી. અનેક રાજકુલો તરફથી એનાં માગાં આવતાં હતાં. આમાંથી મૌખરિ રાજા અવંતિ વર્મા (ઈ. સ. 576–600)ના પુત્ર ગ્રહવર્માની પસંદગી કરવામાં આવી હતી. આ સંબંધને કારણે બંને રાજકુટુંબો વચ્ચે ગાઢ સંબંધ…

વધુ વાંચો >

ચાતુરી

ચાતુરી : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બહુ જ ઓછો પ્રચલિત, છતાં ઉત્તમ કોટિનો કાવ્યપ્રકાર. મધ્યકાલીન બંસીબોલના કવિ દયારામના સમય સુધીમાં નરસિંહ મહેતા, રણછોડ, મોતીરામ, અનુભવાનંદ, જીવણરામ, નભૂ, હરિદાસ અને દયારામની રચેલી ‘ચાતુરી’ રચનાઓ જાણવામાં આવી છે. એક ચાતુરી અપ્રસિદ્ધ પણ મળી આવી છે, જેનું કર્તૃત્વ સંદિગ્ધ છે. આ પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ‘ચાતુરી’ઓમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

ચાવડો, અનંત સેન (દસમી સદી)

ચાવડો, અનંત સેન (દસમી સદી) : સૌરાષ્ટ્રની દક્ષિણે જાફરાબાદ પાસે આવેલા (આશરે 5 કિમી. ઘેરાવાવાળા, એકસોથી વધુ મીઠા પાણીના કૂવાવાળા) શિયાલબેટનો રાજવી. એણે છત્રીસ કુળના રાજવીઓને પકડી પોતાના બેટમાં કેદ કરેલા કહેવાય છે. તેમનામાં યાદવકુળનો કોઈ રાજવી નહોતો. વંથળી(જૂનાગઢ)નો સમા યાદવકુળનો રાજવી રા’કવાત એની નજરમાં હતો. આ બલિષ્ઠ રાજવીને પકડવાના…

વધુ વાંચો >

ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ)

ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ) : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનના મેવાડમાં આવેલું સિસોદિયા ગોહિલ રાજપૂતોની આઠમીથી સોળમી સદી સુધીનું રાજધાનીના નગર તરીકે જાણીતું નાનું નગર. ભૌગોલિક સ્થાન : 24° 53’ ઉ. અ.થી 74° 38’ પૂ. રે.ની આજુબાજુનો 10,856 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એના ઐતિહાસિક કિલ્લાથી અને એ કિલ્લા ઉપર આવેલાં…

વધુ વાંચો >

ચિત્રબંધ

ચિત્રબંધ : ચિત્રની આકૃતિમાં ચાતુરીથી ગોઠવેલા અક્ષરોવાળી પદ્યરચના. યુક્તિપૂર્વક વાંચવાથી જ તે સમજી શકાય. ત્રિશૂળ, કદલી, સ્વસ્તિક, પદ્મ, રથ, ગજ, ધનુષ્ય, અશ્વ વગેરે પરિચિત વસ્તુઓની રૂપરેખા દોરીને તેમાં કાવ્યરચનાના અક્ષરો વિશિષ્ટ રીતે લખેલા હોય તેવી રચનાને વસ્તુના નામ સાથે બંધ કે પદબંધ શબ્દ જોડીને નામ અપાતું. દા.ત., ત્રિશૂળબંધ, સ્વસ્તિક પદબંધ,…

વધુ વાંચો >

ચ્યવન ઋષિ

ચ્યવન ઋષિ : ભૃગુ ઋષિ અને પુલોમાના પુત્ર, એક પ્રાગૈતિહાસિક મંત્રદ્રષ્ટા. ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોના રચયિતા ‘ચ્યવાન’ તે જ પૌરાણિક સાહિત્યના ‘ચ્યવન’. એક વાર ભૃગુ ઋષિ નદીએ સ્નાન કરવા ગયા હતા ત્યારે એક રાક્ષસે પુલોમાનું અપહરણ કરતાં સગર્ભા પુલોમાનો ગર્ભ સ્રવી પડ્યો. તેના તેજથી પુલોમા બળી ગયો. આ ગર્ભસ્રાવથી જન્મેલું બાળક…

વધુ વાંચો >

જમદગ્નિ

જમદગ્નિ : ઉત્તર વૈદિક કાળના ઋષિ. ભૃગુ ઋષિના કુળમાં જન્મેલા ઋચીક અને ગાધિરાજાની પુત્રી સત્યવતીના પુત્ર. આ ઋષિના નામનો સીધો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં નથી મળતો; પરંતુ તૈત્તિરીય સંહિતા –કૃષ્ણ યજુર્વેદ(7-1-9-1)માં એના બે વંશજોનો નામોલ્લેખ કર્યા વિના પરોક્ષ નિર્દેશ થયેલો જોવા મળે છે. પંચવિંશ બ્રાહ્મણ(21-10-6)માં બતાવ્યા પ્રમાણે આ ‘ઔર્વ’ ભાઈઓ હતા.…

વધુ વાંચો >

જયસિંહ, સિદ્ધરાજ

જયસિંહ, સિદ્ધરાજ (જ. 1091; અ. 1142) : અણહિલ્લપુર પાટણનો સુપ્રસિદ્ધ 6ઠ્ઠો ચૌલુક્ય (સોલંકી) રાજવી. તે કર્ણદેવની મહારાણી મયણલ્લા(મીનળ)ને પેટે અવતરેલો હતો. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા પ્રમાણે જયસિંહ 3 વર્ષનો હતો ત્યારે રાજસભાના સિંહાસન ઉપર ચડી બેઠો એને સુમુહૂર્ત ગણી કર્ણે જયસિંહનો રાજ્યાભિષેક (1094) કરેલો અને પોતે સાબરમતીને તીરે આવેલા આશાવલમાં આવ્યો ને…

વધુ વાંચો >