અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ)

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) : શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમોના છઠ્ઠા અંગ નાયાધમ્મકહાઓ-(જ્ઞાતાધર્મકથાઓ)નું છઠ્ઠું ઉપાંગ. તેનો વિષય તેના નામ મુજબ જંબુદ્વીપનો પરિચય આપવાનો છે. આચાર્ય મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી; પરંતુ કાળબળે નાશ પામી. ત્યારબાદ બાદશાહ અકબરને પ્રતિબોધ આપનાર આ. હીરવિજયસૂરિજીના શિષ્ય શાંતિચન્દ્ર ઉપાધ્યાયે ગુરુઆજ્ઞાથી વિ. સં. 1650માં પ્રમેયરત્નમંજૂષા નામે ટીકા રચી…

વધુ વાંચો >

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ)

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ) : શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ પદ્યગ્રંથ. આ 2889 ગાથાના રચયિતા દિગમ્બર મુનિ પદ્મનંદિ છે. તે બલનંદિ પંચાચાર પરિપાલક આચાર્ય વીરનંદિના શિષ્ય તરીકે પોતાને ઓળખાવે છે. પારિયત્ત (પારિયાત્ર) દેશ અંતર્ગત આવેલ વારા નામે નગરમાં તેમણે આ ગ્રંથની રચના કરી હતી તેવો ઉલ્લેખ ગ્રંથની પ્રશસ્તિમાં છે. જૈન વિદ્વાન સ્વ. પં. નાથુરામ…

વધુ વાંચો >

જંબુસામિચરિઉ (ઈ. 1020)

જંબુસામિચરિઉ (ઈ. 1020) : શ્રમણ ભગવાન મહાવીરના પંચમ ગણધર સુધર્મસ્વામીના શિષ્ય જંબુસ્વામીના જીવનચરિત્રને વિષય બનાવતું અપભ્રંશ ભાષામાં 11 સંધિમાં રચાયેલું કાવ્ય. વીરકવિએ તેની રચના વિ. સં. 1076ના મહા સુદિ પાંચમના દિવસે પૂર્ણ કરી હતી. કાવ્યની પ્રશસ્તિમાં કવિએ સ્વપરિચય આપ્યો છે તેનાથી જાણી શકાય છે કે તેના પિતાનું નામ દેવદત્ત હતું.…

વધુ વાંચો >

જાતકકથા

જાતકકથા : બોધિસત્વની જન્મજન્માન્તરની કથાઓનો સંગ્રહ. બુદ્ધના ઉપદેશના સંગ્રહરૂપ પાલિ ‘સુત્તપિટક’ના પાંચમા ‘ખુદ્દકનિકાય’નો દસમો ભાગ. બુદ્ધ બનતાં પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. અનેક પૂર્વજન્મોમાં કેળવેલી દાન, શીલ, મૈત્રી વગેરે 10 પારમિતાઓ એટલે કે લાયકાતોથી તેમને બોધિ સાંપડેલી. તેમણે કેટલીક વાર જીવદયા માટે પ્રાણ પણ આપેલા. પહેલાંની પ્રચલિત લોકકથાઓને બુદ્ધના પૂર્વજન્મો સાથે…

વધુ વાંચો >

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण)

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण) : 1953માં સિંઘી જૈન ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી વિશિષ્ટ પ્રાકૃત રચના. તેના કર્તા સુમતિસૂરિ પાડિચ્છયગચ્છીય આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય હતા. ગ્રંથનો સમય નિશ્ચિત નથી. એક પ્રાચીન પ્રતમાં તે અણહિલવાડ પાટણમાં સં. 1246માં લખાઈ હોવાનો ઉલ્લેખ મળે છે. એટલે આની રચના તે પહેલાં થઈ હોવી જોઈએ. તેમાં જિનદત્તનાં બે આખ્યાનો છે.…

વધુ વાંચો >

જિનવિજયજી

જિનવિજયજી (જ. 27 જાન્યુઆરી 1888, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. 3 જૂન 1976) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ. માતા રાજકુમારી તથા પિતા વૃદ્ધિસિંહ. મૂળ નામ કિશનસિંહ. પરમાર જાતિના રજપૂત. નાનપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ…

વધુ વાંચો >

જીવવિચાર (સોળમી સદી આશરે)

જીવવિચાર (સોળમી સદી આશરે) : જીવવિચાર અથવા જીવવિચાર પ્રકરણ. જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં 51 ગાથાઓમાં રચાયેલ લઘુ પ્રકરણ. કૃતિની 50મી ગાથામાં કર્તાનું નામ શાન્તિસૂરિ હોવાનું શ્લેષથી સૂચિત થાય છે. તે સિવાય કર્તા વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. વિન્ટર્નિત્ઝે કર્તાનો સ્વર્ગવાસ-સમય 1039 હોવાનું લખ્યું છે પરંતુ તે વિચારણીય છે. આ…

વધુ વાંચો >

જીવાજીવાભિગમસુત્ત

જીવાજીવાભિગમસુત્ત : જૈન શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં ગણાતું ત્રીજું ઉપાંગ. તેના ટીકાકાર મલયગિરિએ તેને સ્થાનાંગસૂત્રનું ઉપાંગ ગણાવ્યું છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના પ્રશ્નોત્તર રૂપે જીવ અને અજીવના ભેદપ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. આ ઉપાંગ પર પૂર્વાચાર્યોએ ટીકાઓ લખી હતી પરંતુ તે ગંભીર અને સંક્ષિપ્ત હોવાથી દુર્બોધ હતી. આથી મલયગિરિ…

વધુ વાંચો >

જૈન આગમટીકાસાહિત્ય

જૈન આગમટીકાસાહિત્ય : જૈનોના ખાસ કરી શ્વેતાંબરોના આગમગ્રંથોને કેન્દ્રમાં રાખી તેમની ભાષા અને સિદ્ધાંતો સમજાવવા સારુ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં ગદ્ય કે પદ્ય રૂપે વિસ્તાર પામેલું ટીકારૂપ ગૌણ સાહિત્ય. ‘ટીકા’ને માટે ‘વ્યાખ્યા’ શબ્દ પણ પ્રયોજાય છે. દિગંબરોને માન્ય કેટલાક ગ્રંથો ઉપર પણ પ્રાકૃત/સંસ્કૃતમાં વ્યાખ્યાઓ (નિર્યુક્તિ/ટીકા વગેરે) રચાઈ છે; પરંતુ તેઓનો…

વધુ વાંચો >

જૈન લાક્ષણિક સાહિત્ય

જૈન લાક્ષણિક સાહિત્ય : વિવિધ શાસ્ત્રોને લગતા જૈન લેખકોએ રચેલા ગ્રંથો. પ્રાચીન ભારતની જ્ઞાન-વિજ્ઞાનની બધી શાખાઓમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. લાક્ષણિક કે શાસ્ત્રીય સાહિત્યમાં પણ જૈનોનું પ્રદાન ગણનાપાત્ર છે. વ્યાકરણ, અલંકાર, કોશ, છંદ જેવા ભાષા-સાહિત્યશાસ્ત્રના વિષયો હોય કે નાટ્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, વાસ્તુ જેવી કળાઓ હોય; ગણિત, જ્યોતિષ કે…

વધુ વાંચો >