અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય
સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર)
સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર) : જૈન આગમોમાંનું બીજું અંગ. તેનાં બીજાં નામ છે : ‘સૂતગડસુત્ત’, ‘સુત્તકડસુત્ત’, ‘સૂયગડસુત્ત’. જૈનોના આગમોમાંનાં 11 અંગોમાં પ્રથમ છે ‘આયારંગ’ (‘આચારાંગ’) અને તે પછીનું તે આ ‘સુયગડંગ’. આગમોની ભાષા પ્રાચીન પ્રાકૃત છે, જેને અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત કહે છે. આ મૂળ ભાષામાં મહાવીર પછીનાં 1000 વર્ષ દરમિયાન…
વધુ વાંચો >સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત)
સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત) : પ્રાકૃત ભાષામાં લખાયેલો ચરિત ગ્રંથ. ‘કહાણયકોસ’ના કર્તા જિનેશ્વરસૂરિના શિષ્ય સાધુ ધનેશ્વરે સુબોધ પ્રાકૃત ગાથાઓમાં વિ. સં. 1094(ઈ. સ. 1038)માં ચડ્ડાવલિ નામના સ્થાનમાં દરેકમાં 250 પદ્યો ધરાવતા સોળ પરિચ્છેદોમાં વિભક્ત એવા આ કાવ્યગુણસંપન્ન પ્રેમાખ્યાનની રચના કરી છે. ધનદેવ શેઠ એક દિવ્યમણિની મદદથી ચિત્રવેગ નામના વિદ્યાધરને નાગપાશમાંથી છોડાવે છે.…
વધુ વાંચો >સેઉબન્ધ (सेतुबन्ध)
સેઉબન્ધ (सेतुबन्ध) : પ્રવરસેનરચિત પ્રાકૃત મહાકાવ્ય. તે ‘રાવણવધ’ અને ‘દશમુખવધ’ એ નામે પણ ઓળખાય છે. ઈ. સ.ની પાંચમી શતાબ્દીની બીજી પચ્ચીસીમાં થઈ ગયેલા વાકાટક વંશના રાજા પ્રવરસેન બીજા આ કાવ્યના કર્તા હોવાનો સંભવ છે. પંદર સર્ગના આ કાવ્યનું કથાનક વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. આનું કથાવસ્તુ હનુમાન સીતાના સમાચાર મેળવીને…
વધુ વાંચો >