અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

કોસંબી ધર્માનંદ

કોસંબી, ધર્માનંદ (જ. 9 ઑક્ટોબર 1876, સાખવાળ; અ. 4 જૂન 1947, સેવાગ્રામ) : બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસી અને પ્રકાંડ પંડિત. તેમણે સાખવાળમાં મરાઠીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1897માં એક મરાઠી માસિકમાં ગૌતમ બુદ્ધ ઉપરનો લેખ વાંચીને બૌદ્ધ ધર્મ વિશે વધારે જાણવાની તેમને ઇચ્છા થઈ. તે માટે સંસ્કૃતનો અભ્યાસ કરવા તેમણે…

વધુ વાંચો >

ગઉડવહો (ગૌડવધ)

ગઉડવહો (ગૌડવધ) (આઠમી સદી) : જાણીતું પ્રાકૃત મહાકાવ્ય. તે વાકપતિરાજે પોતાના આશ્રયદાતા કનોજના રાજા યશોવર્માની પ્રશંસા અર્થે આર્યા છંદમાં રચેલું. આ કાવ્ય તેમણે આઠમી સદીની શરૂઆતમાં રચ્યું છે એમ વિદ્વાનો માને છે. તે સર્ગોને બદલે કુલકોમાં વહેંચાયેલું છે. (એક વિગતનું વર્ણન કરતાં પાંચથી પંદર પદ્યોનો સમૂહ તે કુલક.) તેમાં કુલ…

વધુ વાંચો >

ગોમ્મટસાર

ગોમ્મટસાર (ઈ. દસમી સદી) : કર્મસિદ્ધાંતનું ગાથાબદ્ધ નિરૂપણ કરતો પ્રાકૃત ગ્રંથ. રચયિતા સિદ્ધાંતચક્રવર્તી નેમિચન્દ્રાચાર્ય. ભાષા શૌરસેની પ્રાકૃત. ગંગવંશીય રાજા રાજમલ્લના મંત્રી ચામુંડરાય, જેમનું બીજું નામ ગોમ્મટ હતું તેમની પ્રેરણાથી આ ગ્રંથ રચાયો તેથી તેનું નામ ‘ગોમ્મટસાર’ રખાયું. ગ્રંથનું અન્ય નામ ‘પંચસંગ્રહ’ પણ છે, કેમ કે તેમાં બંધ, બધ્યમાન, બંધસ્વામી, બંધનો…

વધુ વાંચો >

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

ચરિય (ચરિત્ર, ચરિત)

ચરિય (ચરિત્ર, ચરિત) : અપભ્રંશની કાવ્યપ્રકારની એક સમૃદ્ધ પરંપરા. એ પ્રકાર મુખ્યત્વે જૈન કવિઓ દ્વારા ખેડાયેલો હતો. એમાં અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના ર્દષ્ટાંત લેખે કોઈ તીર્થંકરનું- કે જૈન પુરાણકથા, ઇતિહાસ અથવા અનુશ્રુતિના યશસ્વી પાત્રનું ચરિત્ર આલેખાતું અને અગત્યની વાત એ છે કે આ ચરિતકાવ્યો સંસ્કૃત મહાકાવ્યની પ્રતિકૃતિસમાં હતાં.…

વધુ વાંચો >

ચંદ્રલેહા (ચંદ્રલેખા)

ચંદ્રલેહા (ચંદ્રલેખા) : સટ્ટક પ્રકારનું એક પ્રાકૃત ઉપરૂપક. તેના કર્તા કાલિકટનિવાસી પારસવંશીય મહાકવિ રુદ્રદાસ (સત્તરમી સદી ઉત્તરાર્ધ) આચાર્ય રુદ્ર અને આચાર્ય શ્રીકંઠના શિષ્ય હતા. તેમણે 1655–58 આસપાસ આ સટ્ટકની રચના કરી હતી. આ ઉપરૂપકમાં 4 યવનિકાન્તર (ર્દશ્ય) છે, જેમાં માનવેદ અને ચંદ્રલેખાના વિવાહનું વર્ણન છે. આમાં શૃંગાર અને અદભુત રસોની…

વધુ વાંચો >

છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ)

છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ) : અપભ્રંશ ભાષામાં સંધિબદ્ધ જૈન ઉપદેશાત્મક કાવ્યકૃતિ. કર્તા અમરકીર્તિ નામક માથુરસંઘીય દિગમ્બર આચાર્ય. ગૂર્જર-વિષયના મહિયડ દેશમાં ગોદહય (હાલનું ગોધરા) નગરમાં, ચાલુક્ય વંશના રાજા કૃષ્ણના શાસનમાં, વિ. સં. 1247 (ઈ. સ. 1190)માં રચના કર્યાનું કવિએ કૃતિની અંતિમ પ્રશસ્તિમાં નોંધ્યું છે. સમગ્ર રચના તેમણે એક માસમાં પૂર્ણ કરી હતી તેમ…

વધુ વાંચો >

જયધવલા

જયધવલા : કષાયપ્રાભૃત પરની આચાર્ય વીરસેનકૃત પ્રાકૃત-સંસ્કૃતમિશ્ર વ્યાખ્યા. દિગમ્બર જૈન સંપ્રદાયમાં આગમ રૂપે માન્ય 2 ગ્રંથો છે : (1) કર્મપ્રાભૃત અને (2) કષાયપ્રાભૃત. આ બન્ને પર વીરસેન આચાર્યની અતિ મહત્વપૂર્ણ બૃહત્કાય વ્યાખ્યાઓ મળે છે; કર્મપ્રાભૃતની વ્યાખ્યા ધવલા નામે, કષાયપ્રાભૃતની જયધવલા નામે. આર્યનન્દિના શિષ્ય ચન્દ્રસેનના પ્રશિષ્ય વીરસેન આચાર્યનો સમય ધવલા–જયધવલાની પ્રશસ્તિઓ…

વધુ વાંચો >

જયંતિચરિય

જયંતિચરિય : ભગવતી સૂત્રના બારમા શતકના બીજા ઉદ્દેશકના આધારે ભયહર સ્તોત્રના કર્તા માનતુંગસૂરિએ રચેલો પ્રકરણગ્રંથ. આ ગ્રંથ પર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ 1203માં સુંદર વૃત્તિ લખી છે. તેમાં સંસ્કૃત ગદ્ય-પદ્યનો ઉપયોગ કરેલ છે. ‘જયંતિચરિય’માં માત્ર 28 ગાથા છે પરંતુ તેના પરની વૃત્તિમાં અનેક આખ્યાન આપ્યાં છે. મહાસતી જયંતી કૌશાંબીના રાજા સહસ્રાનીકની…

વધુ વાંચો >

જસહરચરિઉ (યશોધરચરિત)

જસહરચરિઉ (યશોધરચરિત) : મહાકવિ પુષ્પદન્ત (દશમી સદી) વિરચિત 4 સંધિમાં બદ્ધ અપભ્રંશ કાવ્ય. યશોધરની કથા જૈન સાહિત્યમાં ઘણી પ્રસિદ્ધ છે. જસહરચરિઉ પૂર્વે અને પછી અનેક કથાઓ અને કાવ્યો આ વિષય ઉપર રચાયેલાં મળે છે. સોમદેવરચિત પ્રસિદ્ધ યશસ્તિલકચમ્પૂ(સંસ્કૃત)નો વિષય પણ આ જ છે. પુષ્પદન્તે જસહરચરિઉની રચના રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણરાજ તૃતીયના મંત્રી…

વધુ વાંચો >