૭.૨૩

જંઘાથી જાનકીહરણ

જાટ

જાટ : ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં વસતી કૃષિકાર જાતિ. અનુશ્રુતિ પ્રમાણે દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે શિવે પોતાની જટામાંથી ઉત્પન્ન કરેલા બે ગણો તેમના આદિપુરુષો હતા. શિવની જટામાંથી ઉત્પન્ન થયા તેથી તેમના વંશજો જાટ તરીકે ઓળખાય છે. પણ ઇતિહાસ પ્રમાણે ઈ. પૂ. 150-100 દરમિયાન આ…

વધુ વાંચો >

જાડેજા (કચ્છ અને સૌરાષ્ટ્ર)

જાડેજા (કચ્છ અને સૌરાષ્ટ્ર) : કચ્છ ઉપરાંત ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો(આજના જામનગર અને રાજકોટ જિલ્લા)માં વસેલું રાજ્યકર્તા કુળ. જાડેજા વંશના પૂર્વજો વિશેની અનુશ્રુતિ મુજબ, કૃષ્ણચંદ્ર પછી યાદવ વંશમાં 154મી પેઢીએ સિંધમાં જાડો થયો. એણે પોતાના ભાઈ વેરૈંજીના પુત્ર લાખાને દત્તક લીધો. આ પરથી એ લાખો ‘જાડેજો’ એટલે જાડાનો પુત્ર…

વધુ વાંચો >

જાડેજા, અજય

જાડેજા, અજય (જ. 1 ફેબ્રુઆરી 1971, જામનગર) : જમણેરી મિડિયમ ફાસ્ટ બૉલર અને ફિલ્ડર. નવા નગરના શાહી કુટુંબમાંથી આવનાર અજય જાડેજા ભારત તરફથી ટેસ્ટ અને વનડેમાં રમ્યા છે. શરૂઆતનું શિક્ષણ ભારતીય વિદ્યાભવન, દિલ્હીથી અને કૉલેજનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી લેનાર જાડેજાએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત હરિયાણા તરફથી રણજી ટ્રૉફી રમી…

વધુ વાંચો >

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી (જ. 5 સપ્ટેમ્બર 1933, પીપળિયા, જિ. રાજકોટ, સૌરાષ્ટ્ર; અ. 19 ડિસેમ્બર 2005, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : વિવેચક, અનુવાદક, સંપાદક. સાહિત્ય અને કેળવણીના ઉપાસક તથા શ્રી અરવિંદના સાધક, તેમણે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ધ્રોળમાં, ઉચ્ચ શિક્ષણ રાજકોટ તથા અમદાવાદમાં લઈને 1954માં ગુજરાતી-માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ.,  1956માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની…

વધુ વાંચો >

જાડેજા, રવીન્દ્ર

જાડેજા, રવીન્દ્ર (જ. 6 ડિસેમ્બર 1988, નવાગામ) : ટેસ્ટ ક્રિકેટના વિશ્વના વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓલ- રાઉન્ડર. 4 માર્ચ, 2022ના રોજ મોહાલીના પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનના મેદાન ઉપર શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાઈ. ભારત તરફથી સૌ પ્રથમ વખત સુકાનીપદ સંભાળતા રોહિત શર્માએ ટૉસ જીતી પ્રથમ બૅટિંગ પસંદ કરી. સારી શરૂઆત પછી…

વધુ વાંચો >

જાતકકથા

જાતકકથા : બોધિસત્વની જન્મજન્માન્તરની કથાઓનો સંગ્રહ. બુદ્ધના ઉપદેશના સંગ્રહરૂપ પાલિ ‘સુત્તપિટક’ના પાંચમા ‘ખુદ્દકનિકાય’નો દસમો ભાગ. બુદ્ધ બનતાં પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. અનેક પૂર્વજન્મોમાં કેળવેલી દાન, શીલ, મૈત્રી વગેરે 10 પારમિતાઓ એટલે કે લાયકાતોથી તેમને બોધિ સાંપડેલી. તેમણે કેટલીક વાર જીવદયા માટે પ્રાણ પણ આપેલા. પહેલાંની પ્રચલિત લોકકથાઓને બુદ્ધના પૂર્વજન્મો સાથે…

વધુ વાંચો >

જાતક પારિજાત

જાતક પારિજાત : જ્યોતિષની જાતક શાખાનો મહત્વપૂર્ણ ગ્રંથ. વૈદ્યનાથ દૈવજ્ઞે પંદરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો છે. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ થયેલો છે. ગ્રંથકારે ગ્રંથારંભે પ્રતિજ્ઞા કરેલી છે કે હું ‘સારાવલી’ નામના કલ્યાણવર્માએ લખેલા ગ્રંથના આધારે અથવા તેને મૂળ તત્ત્વ તરીકે સ્વીકારીને આ ગ્રંથ લખી રહ્યો છું. કલ્યાણવર્મા (899) ગુજરાતની…

વધુ વાંચો >

જાતિ (species)

જાતિ (species) : વૈજ્ઞાનિક વર્ગીકરણ માટેનો મૂળભૂત એકમ. સૌપ્રથમ જાતિને વર્ગીકરણના એકમ તરીકે ગણવાનો પ્રસ્તાવ અંગ્રેજ જીવવૈજ્ઞાનિક જ્હૉન રેએ સત્તરમી સદીમાં આપ્યો; પરંતુ તેને આધુનિક વર્ગીકરણમાં ગોઠવવાનો પ્રયાસ અઢારમી સદીમાં કેરોલસ લીનિયસ નામના સ્વીડિશ વૈજ્ઞાનિકે કર્યો. લીનિયસ દ્વિનામી વર્ગીકરણપદ્ધતિનો મુખ્ય પ્રણેતા ગણાય છે. આ પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સજીવને બે…

વધુ વાંચો >

જાતિ-ઉચ્છેદ

જાતિ-ઉચ્છેદ : કોઈ જાતિ, નૃવંશીય, ધાર્મિક કે રાજકીય જૂથનું ઇરાદાપૂર્વક તથા યોજનાબદ્ધ નિકંદન. 1933–45 દરમિયાન યુરોપમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં રાફેલ લૅમકિન નામના પોલિશ-અમેરિકન વિદ્વાને ગ્રીક શબ્દ ‘genos’ એટલે કે જાતિવિષયક જૂથ તથા લૅટિન શબ્દ ‘cide’ એટલે કે હત્યા આ બે જુદા જુદા શબ્દોના મિશ્રણથી ‘genocide’ શબ્દ 1944માં પ્રચલિત કર્યો. માનવજાતિના…

વધુ વાંચો >

જાતિફલાદિ ચૂર્ણ – વટી :

જાતિફલાદિ ચૂર્ણ – વટી : આયુર્વેદિક ઔષધિ. જાયફળ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, તજ, નાગકેસર, કપૂર, સફેદ ચંદન, કાળા તલ, વાંસકપૂર, તગર, આંબળાં, તાલીસપત્ર, પીપર, હરડે, શાહજીરું, ચિત્રક, સૂંઠ, વાવડિંગ, મરી એ તમામ સરખે ભાગે લઈ તેમાં તેટલી જ શુદ્ધ ભાંગ તથા ભાંગ કરતાં બમણી સાકર લઈ, ખાંડી, કપડછાન ચૂર્ણ તૈયાર કરી…

વધુ વાંચો >

જંઘા

Jan 23, 1996

જંઘા : મંદિરોની દીવાલમાંનો એક થર. તે મૂર્તિકલાથી સુશોભિત કરાયેલ હોય છે. મંડોવરના ભાગરૂપ અને છજાની નીચેનો થર જાંઘા તરીકે ઓળખાય છે. સામાન્ય મંદિરોમાં એક જ જંઘા હોય છે પણ મોટાં મંદિરોમાં ત્રણ જંઘા પણ હોય છે. જેમ કે ખજૂરાહોના કંદારિયા મહાદેવના મંદિરમાં ત્રણ જંઘા આવેલી છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

જંતર-મંતર

Jan 23, 1996

જંતર-મંતર : ભારતની પ્રાચીન વેધશાળા. ગણિતજ્ઞ અને કુશળ ખગોળવિદ્, જયપુર શહેરના સ્થપતિ (ઇજનેર) અને એના નિર્માતા સવાઈ જયસિંહ બીજાના નામે ઓળખાતા જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા એમ ઉત્તર ભારતમાં આવેલાં પાંચેક સ્થળોએ અઢારમી સદીના પૂર્વાર્ધમાં બાંધેલી થોડાક મીટરથી માંડીને 27.43 મી. સુધીની ઊંચાઈ ધરાવતા અને સામાન્ય…

વધુ વાંચો >

જંતુઉપદ્રવનાશક

Jan 23, 1996

જંતુઉપદ્રવનાશક : જુઓ ચેપવાહકો

વધુ વાંચો >

જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores)

Jan 23, 1996

જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores) : કીટક અને કીટક જેવાં જંતુઓનો આહાર કરનાર પ્રાણીઓ. સૃષ્ટિ પરનાં બધાં પ્રાણીઓ પોતાના ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતાં હોય છે. પ્રાણીઓની કુલ જાતિઓની 60 % જેટલી વસ્તી માત્ર કીટકોની બનેલી છે. તેથી ઘણાં પ્રાણીઓ પોષક તત્ત્વો મેળવવા કીટકોનું ભક્ષણ કરે તેમાં નવાઈ નથી.…

વધુ વાંચો >

જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ)

Jan 23, 1996

જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ) : સં. जम्बीर निम्बू; હિં. जमीरी नीबू, बडा निम्बू; મ. इडलींबु; લૅ. Citrus. limon Linn; Citrus medica varlimonium. આ લીંબુ જરા ભારે, ખાટાં, તીક્ષ્ણ, વિપાકી, ઉષ્ણવીર્ય (ગરમ), કફ અને વાતદોષશામક, રુચિકર્તા, ક્ષુધાવર્ધક, પાચનકર્તા, અનુલોમક, પિત્તસારક, હૃદય માટે હિતકર હોય છે. કફ-નિ:સારક તથા અરુચિ, તૃષા, વમન, અગ્નિમાંદ્ય,…

વધુ વાંચો >

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ)

Jan 23, 1996

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) : શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમોના છઠ્ઠા અંગ નાયાધમ્મકહાઓ-(જ્ઞાતાધર્મકથાઓ)નું છઠ્ઠું ઉપાંગ. તેનો વિષય તેના નામ મુજબ જંબુદ્વીપનો પરિચય આપવાનો છે. આચાર્ય મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી; પરંતુ કાળબળે નાશ પામી. ત્યારબાદ બાદશાહ અકબરને પ્રતિબોધ આપનાર આ. હીરવિજયસૂરિજીના શિષ્ય શાંતિચન્દ્ર ઉપાધ્યાયે ગુરુઆજ્ઞાથી વિ. સં. 1650માં પ્રમેયરત્નમંજૂષા નામે ટીકા રચી…

વધુ વાંચો >

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ)

Jan 23, 1996

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ) : શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ પદ્યગ્રંથ. આ 2889 ગાથાના રચયિતા દિગમ્બર મુનિ પદ્મનંદિ છે. તે બલનંદિ પંચાચાર પરિપાલક આચાર્ય વીરનંદિના શિષ્ય તરીકે પોતાને ઓળખાવે છે. પારિયત્ત (પારિયાત્ર) દેશ અંતર્ગત આવેલ વારા નામે નગરમાં તેમણે આ ગ્રંથની રચના કરી હતી તેવો ઉલ્લેખ ગ્રંથની પ્રશસ્તિમાં છે. જૈન વિદ્વાન સ્વ. પં. નાથુરામ…

વધુ વાંચો >

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર)

Jan 23, 1996

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર) : જૈન, બૌદ્ધ અને હિંદુ-પરંપરા પ્રમાણે જંબુદ્વીપ પૌરાણિક દ્વીપ છે. તે મેરુ પર્વતની દક્ષિણે આવેલો માનવામાં આવે છે. બૌદ્ધ-પરંપરા પ્રમાણે ચાર મહાદ્વીપોમાંનો તે એક છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવા જંબુ અથવા નાગવૃક્ષ પરથી આવું નામ પડ્યું છે. બૌદ્ધ-પરંપરા તો એમ પણ માને છે કે બુદ્ધ…

વધુ વાંચો >

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર)

Jan 23, 1996

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર) : પ્રાચીન ભારતીય ભુવનકોશમાં અને પુરાણોમાં વર્ણવાયેલો પ્રદેશ. શ્રીમદ્ ભાગવત પુરાણના પાંચમા સ્કંધમાં ભૂગોળ-ખગોળનું વર્ણન આવે છે. તેમાં 5–1–20માં સાત દ્વીપોમાં; જંબુ, પ્લક્ષ, શાલ્મલિ, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કરનો ઉલ્લેખ છે. આ જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નીધ્ર હતા. તેમાંના જંબુદ્વીપને નવ વર્ષ(ખંડ)માં વહેંચવામાં આવ્યો હતો. તેનાં…

વધુ વાંચો >

જંબુવિજયજી મ. સા. :

Jan 23, 1996

જંબુવિજયજી મ. સા. : જૈન હસ્તપ્રતોના મહાન સંશોધક અને પ્રકાંડ વિદ્વાન. પ્રાચીન ભાષા અને હસ્તપ્રતોના સંશોધનની વાત થતી હોય ત્યારે પરમ પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મ. સા.નું સ્મરણ અચૂક આવે જ. શ્રી જંબુવિજયજી મહારાજ ચારિત્રવાન અને વિદ્વાન તો હતા જ, સાથે તપસ્વી પણ એટલા જ હતા. એ સાધુપુરુષ પ્રભુના જાપમાં તન્મય…

વધુ વાંચો >