૭.૨૨

જહાંગીરની કબરથી જંગલી બિલાડી

જહાંગીરની કબર

જહાંગીરની કબર : મુઘલકાલીનનું એક ભવ્ય સ્થાપત્ય. જહાંગીરના શાસન(1605થી 1627)ના સમયના સ્થાપત્યનો અગત્યનો ભાગ અકબરની સિકંદરા ખાતેની કબરના બાંધકામ પછીનો ગણી શકાય. જહાંગીરની પોતાની કબરનો મોટો ભાગ તેના અવસાન પછી તેની બેગમ નૂરજહાંની દેખરેખ નીચે બંધાયેલ. મુઘલ શહેનશાહોની પ્રણાલી મુજબ આ કબર પણ એક ભવ્ય બાગની મધ્યમાં ચાર બાગના સિદ્ધાંત…

વધુ વાંચો >

જહાંગીર બાદશાહ

જહાંગીર બાદશાહ (જ. 30 ઑગસ્ટ 1569 ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627, લાહોર) : મુઘલ બાદશાહ અકબરનો પુત્ર અને બાબરના વંશમાં ચોથો બાદશાહ. મૂળ નામ સલીમ પણ ઈ. સ. 1605ના ઑક્ટોબરની 24મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્ત ઉપર એ બેઠો. તે અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી…

વધુ વાંચો >

જહાંગીરી મસ્જિદ, જૌનપુર

જહાંગીરી મસ્જિદ, જૌનપુર : જૌનપુરી કે શર્કી સ્થાપત્યશૈલીનો નમૂનો. જૌનપુર (1360થી 1480) તે વખતમાં દિલ્હીનું એક અગત્યનું તાબેદાર રાજ્ય હતું અને ત્યાંનો રાજ્યપાલ પૂર્વના રાજા તરીકે ઓળખાતો જે ખિતાબ દિલ્હીના તુઘલક રાજવીઓએ તેને આપેલ – મલ્લિકુરા-શર્ક (પૂર્વનો રાજા), જેના ઉપરથી આ સમય દરમિયાનના જૌનપુરની રાજાશાહી શર્કી તરીકે ઓળખાયેલ. આ સમય…

વધુ વાંચો >

જહાંગીરી મહલ (આગ્રા)

જહાંગીરી મહલ (આગ્રા) (આશરે ઈ. સ. 1566) : મુઘલકાલનું સ્થાપત્ય. અકબરે બંધાવેલા પ્રથમ રાજમહેલોમાંનો એક. મુઘલ શાસનકાળ દરમિયાનનાં સ્થાપત્ય-પ્રણાલીઓનાં વિવિધ પાસાંમાં વચગાળાની શૈલી તરીકે હિંદુ રાજમહેલોનાં સ્થાપત્ય અને મુસ્લિમ સ્થાપત્ય વચ્ચેની ગણાતી શૈલી જેમાં દિશાનો અભાવ રહેતો તેના ઉદાહરણરૂપ આ ઇમારત ગણી શકાય. સમગ્ર ઇમારતનું બાંધકામ પથ્થરમાં થયેલ હોવા છતાં…

વધુ વાંચો >

જહુજહારખાન

જહુજહારખાન : ગુજરાતના બે નામાંકિત હબસી સિપાહસાલારોનો ખિતાબ. એક બિલાલ હબસી, જેને એ ખિતાબ ઈ. સ. 1538માં ગુજરાતના સુલતાન તરફથી મળ્યો હતો. બીજો જહુજહારખાન મર્જાન સુલતાન હબસી નામથી ઓળખાતો હતો. એ બિલાલ હબસીનો પુત્ર હતો. જહુજહારખાન બિલાલ સુલતાન મહમૂદશાહ ત્રીજાના સમયમાં ગુજરાતની ફોજે દીવના કિલ્લાને ઘેરો ઘાલ્યો ત્યારે આગેવાનીભર્યો ભાગ…

વધુ વાંચો >

જળકૂકડી (old world coot)

જળકૂકડી (old world coot) : ગ્રુઇફૉર્મિસ શ્રેણીના રૅલિડે કુળનું એક જળચારી પક્ષી. જળકૂકડીનું વૈજ્ઞાનિક નામ Fulica atra Linn. છે. તેની શરીરરચના મરઘીના જેવી હોય છે તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકૂકડી તરીકે ઓળખાય છે. બીજાં જળચારી પક્ષીની જેમ તેને પણ પુચ્છ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો…

વધુ વાંચો >

જળકૃત ખડકો, નિક્ષેપજન્ય

જળકૃત ખડકો, નિક્ષેપજન્ય : જળમાં નિક્ષેપ જમાવટથી તૈયાર થયેલા ખડકો. જળમાં પ્લવનશીલ (suspended) રહેલું ઘનદ્રવ્ય જમાવટ પામે ત્યારે તેને નિક્ષેપ કહેવાય. ઘનદ્રવ્ય ખનિજકણ કે જીવજન્ય કણ સ્વરૂપે હોઈ શકે. આ પ્રકારના કણો તેમના મૂળ માતૃજથ્થામાંથી ઘસારાખવાણની પેદાશ તરીકે છૂટા પડ્યા પછી હવા, જળ કે હિમના માધ્યમ દ્વારા વહન પામી જળમાં…

વધુ વાંચો >

જળકૃત સંરચનાઓ (sedimentary structures)

જળકૃત સંરચનાઓ (sedimentary structures) : જળકૃત ખડકોની ઉત્પત્તિ માટેના નિક્ષેપોની જમાવટ દરમિયાન કે તરત જ પછીથી; પરંતુ સ્તરોના ર્દઢીભૂત થવા અગાઉ તેમાં જે જે સંરચનાત્મક લક્ષણો તૈયાર થાય છે તેમને ‘જળકૃત સંરચનાઓ’ હેઠળ આવરી લેવાય છે. સ્તરરચના સાથે વિશિષ્ટ સંબંધ ધરાવતી સંરચનાઓના વર્ગીકરણની રૂપરેખા નીચે મુજબ આપી શકાય : 1.…

વધુ વાંચો >

જળગાંવ

જળગાંવ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં 20oથી 21o ઉ. અ. તથા 75oથી 76o-28’ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ…

વધુ વાંચો >

જળઘોડો (Horse fish)

જળઘોડો (Horse fish) : ર્દઢાસ્થિ (Teleostei) અધિશ્રેણી અને Syngnathiformes શ્રેણીનું અસ્થિમીન. આ માછલી વિશ્વવ્યાપી છે. દરિયાના હૂંફાળા પાણીમાં લગભગ સર્વત્ર જોવા મળે છે. શીતોષ્ણ, ઉષ્ણ અને ઉપોષ્ણ દરિયામાં વાસ કરે છે. તે સામાન્યત: પાણીમાં, દરિયાઈ કિનારે, દરિયાઈ ઘાસ કે લીલમાં જોવા મળે છે. મુખ્યત: ભારત, જાપાન, મલેશિયા, ચીન અને દ્વીપસમૂહમાં…

વધુ વાંચો >

જળ-મુરઘી (Water Hen/Moor Hen)

Jan 22, 1996

જળ-મુરઘી (Water Hen/Moor Hen) : સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે 32 સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે. તેની પીઠ અને…

વધુ વાંચો >

જળરંગ

Jan 22, 1996

જળરંગ : ચિત્રકલાનું મહત્વનું માધ્યમ. તેને માટે અંગ્રેજીમાં transparent water colour શબ્દ વપરાય છે. તેમાં પિગ્મેન્ટને ગુંદરથી બાંધવામાં આવે છે અને પાણી ઉમેરી પીંછી દ્વારા વાપરવામાં આવે છે. તૈલ રંગોની શોધ પૂર્વે ઘણા દેશોમાં આ માધ્યમ વપરાતું. આ માધ્યમ કાગળ અને સિલ્ક ઉપર વપરાયું છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ ઓગણીસમી અને…

વધુ વાંચો >

જળરોધી ખડક (aquifuge)

Jan 22, 1996

જળરોધી ખડક (aquifuge) : છિદ્રો કે આંતરકણજગાઓ અન્યોન્ય જોડાયેલાં ન હોવાને લીધે ઉદભવતો એવો ખડકસ્તર જે જળને શોષે નહિ તેમજ તેને પસાર પણ ન થવા દે. આ એવી અભેદ્ય ભૂસ્તરીય રચના છે જે જળધારક પણ નથી અને જળને પસાર કરવાની ક્ષમતા પણ ધરાવતી નથી. અતિ ઘનિષ્ઠ ગ્રૅનાઇટને આ કક્ષામાં મૂકી…

વધુ વાંચો >

જળવિતરણ

Jan 22, 1996

જળવિતરણ : જળસ્રોતોનું વિતરણ તથા રાસાયણિક ઉપચારને આવરી લેતી સિવિલ ઇજનેરીની એક શાખા. સામાન્ય રીતે મ્યુનિસિપલ વારિગૃહો અંગે આ શબ્દ પ્રયોજાય છે; પરંતુ ઉદ્યોગ માટે, સિંચાઈ માટે તથા અન્ય જરૂરિયાતોને પણ આ શબ્દપ્રયોગ આવરી લે છે. જળસંચારણ તથા વિતરણ (transmission & distribution) : જુદા જુદા સ્રોતો દ્વારા મેળવેલા પાણીનું જનસમુદાય…

વધુ વાંચો >

જળવિદ્યા અને જળસ્રોતો

Jan 22, 1996

જળવિદ્યા અને જળસ્રોતો : પૃથ્વી ઉપરના પાણીના જીવનના સમગ્ર ઇતિહાસને આવરી લેતા વૈજ્ઞાનિક અભ્યાસનું ક્ષેત્ર. જળવિદ્યામાં જલાવરણ અને વાતાવરણમાંના પાણીની પ્રાપ્તિ, તેનું પરિવહન અને વિતરણ ઉપરાંત તેના ગુણધર્મો તથા પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ સાથેના તેના પારસ્પરિક સંબંધની ર્દષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. જળસ્રોતોમાં ઘન, પ્રવાહી અને બાષ્પરૂપમાં મળતું પાણી; નદી,…

વધુ વાંચો >

જળવિદ્યુત

Jan 22, 1996

જળવિદ્યુત : દ્રવચાલિત (hydraulic) ઊર્જાના રૂપાંતરણથી પ્રાપ્ત થતી વિદ્યુત. ઊંચા સ્થાનેથી નીચા સ્થાને પડતા પાણીની સ્થિતિઊર્જાનું ગતિઊર્જામાં રૂપાંતર થતું હોય છે, જેનું જનિત્ર (generator) વડે વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. નદી, સરોવર અને સમુદ્રના પાણીનું સૂર્યના તાપથી બાષ્પીભવન થાય છે અને બાષ્પનાં વાદળ રચાય છે, જે વરસાદના પાણી રૂપે…

વધુ વાંચો >

જળવિભાજક (watershedwaterdivide)

Jan 22, 1996

જળવિભાજક (watershedwaterdivide) : નદીનો જળવહન માર્ગ જે સ્થાનેથી વિભાજિત થતો હોય તેની ઉપરવાસનો જળપરિવાહ વિસ્તાર અથવા બે ભેગી થતી નદીઓનાં થાળાં કે ખીણપ્રદેશો વચ્ચે વિભાજિત રેખા (વિભાગ) બનાવતો ઊંચાણવાળો ભૂમિભાગ. જળવિભાજક આ રીતે બે નજીક નજીકની જળપરિવાહરચનાઓ વચ્ચે સરહદ બનાવી ઉપરવાસની બે નદીઓને અલગ પાડે છે. પાણીપુરવઠા ઇજનેરીમાં તે જળવિભાજક…

વધુ વાંચો >

જળવ્યાળ (hydra)

Jan 22, 1996

જળવ્યાળ (hydra) : મીઠાં જળાશયોમાં રહેતું એક કોષ્ઠાંત્રી (Coelenterata) સમુદાયનું પ્રાણી. તે 0.2થી 2.0 સેમી. લાંબું નળાકાર પ્રાણી છે. તેનો આગલો છેડો ખુલ્લો હોય છે જે મુખ કે અધોમુખ (hypostomium) કહેવાય છે. અધોમુખને ફરતે 8થી 10 લાંબાં, પાતળાં અને સંકોચનશીલ એવાં સૂત્રાંગો (tentacles) આવેલાં હોય છે. શરીરનો બીજો છેડો બંધ…

વધુ વાંચો >

જળશુદ્ધિ

Jan 22, 1996

જળશુદ્ધિ : વપરાશના પાણીનું શુદ્ધીકરણ. પાણીના શુદ્ધીકરણથી વિવિધ પ્રકારના ચેપી રોગો ઘટે છે. એક અભ્યાસ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાણીના શુદ્ધીકરણના કાર્યને કારણે કૉલેરાથી થતા મૃત્યુમાં 74.1 %, ટાઇફૉઇડથી થતા મૃત્યુમાં 63.6%, મરડાથી થતા મૃત્યુમાં 23.1 % ઘટાડો થયો છે અને ઝાડાના કિસ્સામાં 42.7 % જેટલો ઘટાડો નોંધાયેલો છે. તેથી શુદ્ધ…

વધુ વાંચો >

જળસંચય-વિસ્તાર (catchment area)

Jan 22, 1996

જળસંચય-વિસ્તાર (catchment area) : જળસ્રાવ વિસ્તાર જળપરિવાહનું થાળું. પોતાની સપાટી પર પડતું વરસાદનું પાણી કોઈ એક નદી કે ઝરણામાં વહાવતો સમગ્ર વિસ્તાર. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >