૭.૨૨

જહાંગીરની કબરથી જંગલી બિલાડી

જહાંગીરની કબર

જહાંગીરની કબર : મુઘલકાલીનનું એક ભવ્ય સ્થાપત્ય. જહાંગીરના શાસન(1605થી 1627)ના સમયના સ્થાપત્યનો અગત્યનો ભાગ અકબરની સિકંદરા ખાતેની કબરના બાંધકામ પછીનો ગણી શકાય. જહાંગીરની પોતાની કબરનો મોટો ભાગ તેના અવસાન પછી તેની બેગમ નૂરજહાંની દેખરેખ નીચે બંધાયેલ. મુઘલ શહેનશાહોની પ્રણાલી મુજબ આ કબર પણ એક ભવ્ય બાગની મધ્યમાં ચાર બાગના સિદ્ધાંત…

વધુ વાંચો >

જહાંગીર બાદશાહ

જહાંગીર બાદશાહ (જ. 30 ઑગસ્ટ 1569 ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627, લાહોર) : મુઘલ બાદશાહ અકબરનો પુત્ર અને બાબરના વંશમાં ચોથો બાદશાહ. મૂળ નામ સલીમ પણ ઈ. સ. 1605ના ઑક્ટોબરની 24મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્ત ઉપર એ બેઠો. તે અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી…

વધુ વાંચો >

જહાંગીરી મસ્જિદ, જૌનપુર

જહાંગીરી મસ્જિદ, જૌનપુર : જૌનપુરી કે શર્કી સ્થાપત્યશૈલીનો નમૂનો. જૌનપુર (1360થી 1480) તે વખતમાં દિલ્હીનું એક અગત્યનું તાબેદાર રાજ્ય હતું અને ત્યાંનો રાજ્યપાલ પૂર્વના રાજા તરીકે ઓળખાતો જે ખિતાબ દિલ્હીના તુઘલક રાજવીઓએ તેને આપેલ – મલ્લિકુરા-શર્ક (પૂર્વનો રાજા), જેના ઉપરથી આ સમય દરમિયાનના જૌનપુરની રાજાશાહી શર્કી તરીકે ઓળખાયેલ. આ સમય…

વધુ વાંચો >

જહાંગીરી મહલ (આગ્રા)

જહાંગીરી મહલ (આગ્રા) (આશરે ઈ. સ. 1566) : મુઘલકાલનું સ્થાપત્ય. અકબરે બંધાવેલા પ્રથમ રાજમહેલોમાંનો એક. મુઘલ શાસનકાળ દરમિયાનનાં સ્થાપત્ય-પ્રણાલીઓનાં વિવિધ પાસાંમાં વચગાળાની શૈલી તરીકે હિંદુ રાજમહેલોનાં સ્થાપત્ય અને મુસ્લિમ સ્થાપત્ય વચ્ચેની ગણાતી શૈલી જેમાં દિશાનો અભાવ રહેતો તેના ઉદાહરણરૂપ આ ઇમારત ગણી શકાય. સમગ્ર ઇમારતનું બાંધકામ પથ્થરમાં થયેલ હોવા છતાં…

વધુ વાંચો >

જહુજહારખાન

જહુજહારખાન : ગુજરાતના બે નામાંકિત હબસી સિપાહસાલારોનો ખિતાબ. એક બિલાલ હબસી, જેને એ ખિતાબ ઈ. સ. 1538માં ગુજરાતના સુલતાન તરફથી મળ્યો હતો. બીજો જહુજહારખાન મર્જાન સુલતાન હબસી નામથી ઓળખાતો હતો. એ બિલાલ હબસીનો પુત્ર હતો. જહુજહારખાન બિલાલ સુલતાન મહમૂદશાહ ત્રીજાના સમયમાં ગુજરાતની ફોજે દીવના કિલ્લાને ઘેરો ઘાલ્યો ત્યારે આગેવાનીભર્યો ભાગ…

વધુ વાંચો >

જળકૂકડી (old world coot)

જળકૂકડી (old world coot) : ગ્રુઇફૉર્મિસ શ્રેણીના રૅલિડે કુળનું એક જળચારી પક્ષી. જળકૂકડીનું વૈજ્ઞાનિક નામ Fulica atra Linn. છે. તેની શરીરરચના મરઘીના જેવી હોય છે તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકૂકડી તરીકે ઓળખાય છે. બીજાં જળચારી પક્ષીની જેમ તેને પણ પુચ્છ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો…

વધુ વાંચો >

જળકૃત ખડકો, નિક્ષેપજન્ય

જળકૃત ખડકો, નિક્ષેપજન્ય : જળમાં નિક્ષેપ જમાવટથી તૈયાર થયેલા ખડકો. જળમાં પ્લવનશીલ (suspended) રહેલું ઘનદ્રવ્ય જમાવટ પામે ત્યારે તેને નિક્ષેપ કહેવાય. ઘનદ્રવ્ય ખનિજકણ કે જીવજન્ય કણ સ્વરૂપે હોઈ શકે. આ પ્રકારના કણો તેમના મૂળ માતૃજથ્થામાંથી ઘસારાખવાણની પેદાશ તરીકે છૂટા પડ્યા પછી હવા, જળ કે હિમના માધ્યમ દ્વારા વહન પામી જળમાં…

વધુ વાંચો >

જળકૃત સંરચનાઓ (sedimentary structures)

જળકૃત સંરચનાઓ (sedimentary structures) : જળકૃત ખડકોની ઉત્પત્તિ માટેના નિક્ષેપોની જમાવટ દરમિયાન કે તરત જ પછીથી; પરંતુ સ્તરોના ર્દઢીભૂત થવા અગાઉ તેમાં જે જે સંરચનાત્મક લક્ષણો તૈયાર થાય છે તેમને ‘જળકૃત સંરચનાઓ’ હેઠળ આવરી લેવાય છે. સ્તરરચના સાથે વિશિષ્ટ સંબંધ ધરાવતી સંરચનાઓના વર્ગીકરણની રૂપરેખા નીચે મુજબ આપી શકાય : 1.…

વધુ વાંચો >

જળગાંવ

જળગાંવ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં 20oથી 21o ઉ. અ. તથા 75oથી 76o-28’ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ…

વધુ વાંચો >

જળઘોડો (Horse fish)

જળઘોડો (Horse fish) : ર્દઢાસ્થિ (Teleostei) અધિશ્રેણી અને Syngnathiformes શ્રેણીનું અસ્થિમીન. આ માછલી વિશ્વવ્યાપી છે. દરિયાના હૂંફાળા પાણીમાં લગભગ સર્વત્ર જોવા મળે છે. શીતોષ્ણ, ઉષ્ણ અને ઉપોષ્ણ દરિયામાં વાસ કરે છે. તે સામાન્યત: પાણીમાં, દરિયાઈ કિનારે, દરિયાઈ ઘાસ કે લીલમાં જોવા મળે છે. મુખ્યત: ભારત, જાપાન, મલેશિયા, ચીન અને દ્વીપસમૂહમાં…

વધુ વાંચો >

જળચક્ર (1)

Jan 22, 1996

જળચક્ર (1) : સૂર્યઊર્જા અને ગુરુત્વાકર્ષણના બળ હેઠળ વાતાવરણ, સમુદ્ર અને પૃથ્વીના પોપડા (crust) વચ્ચે બાષ્પ, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં પાણીનો અવિરત વિનિમય. તે એક સંકુલ વિધિ (process) છે અને ખુશ્કી (terrestrial) તેમજ વાતાવરણીય પર્યાવરણો વચ્ચે પાણીનું આવાગમન વિભિન્ન સ્વરૂપે થયા કરે છે. પાણીનાં સંગ્રહ-બિંદુઓમાં ભૂગર્ભ અને પૃષ્ઠજળ, હિમચાદરો(ice-caps), સમુદ્રો…

વધુ વાંચો >

જળચક્ર (2)

Jan 22, 1996

જળચક્ર (2) : સપાટી, જળસ્રોતો, વાતાવરણ અને ભૂપૃષ્ઠની અંદરના ભાગો વચ્ચે નિરંતર થતી રહેતી જળનાં જુદાં જુદાં સ્વરૂપોની આપ-લે દ્વારા સર્જાતી જળની ચક્રાકાર ગતિ. જલાવરણ, વાતાવરણ અને શિલાવરણ અથવા ભૂપૃષ્ઠ એ પૃથ્વી પરનાં ત્રણ એવાં માધ્યમો છે જેમાં સપાટીજળ, હવામાંના ભેજ અને ભૂગર્ભીય જળનું પરિભ્રમણ થતું રહે છે. જળ-પરિભ્રમણની આ…

વધુ વાંચો >

જળચક્ર (3)

Jan 22, 1996

જળચક્ર (3) : ચક્ર ફરતે ગોઠવેલી ક્ષેપણીઓ (paddles) દ્વારા વહેતા અથવા ઉપરથી પડતા પાણીની ઊર્જાને પ્રાપ્ત કરવાની યાંત્રિક પ્રયુક્તિ (device). જળચક્ર એ પ્રાચીન કાળની શોધ છે અને ગ્રીસમાં તેનો ઉપયોગ થયો હોવાના ઉલ્લેખો મળે છે. જૂના જમાનામાં ઘણા દેશોમાં લોટ દળવાની ઘંટીમાં તેનો ઉપયોગ થતો હતો. તેમાં દળવાના પથ્થરની નીચે…

વધુ વાંચો >

જળજન્ય કોટર (potholes)

Jan 22, 1996

જળજન્ય કોટર (potholes) : જળઘર્ષણથી થતાં કોટર કે બાકોરાં. નદીપટમાં રહેલા તળખડકોના સાંધા કે ફાટોમાં નાનામોટા ગોળાશ્મ ફસાઈ જતાં જળપ્રવાહના વેગને કારણે ફસાયેલા ગોળાશ્મ ફાટોમાં જ પકડાયેલા રહીને ગોળ ગોળ ફર્યા કરે, સંપર્કમાં આવતા બાજુના ખડકભાગોને ઘસ્યા કરે, તો છેવટે ઘડાના આકારમાં ફેરવાઈ જાય છે. આવાં પોલાણ કે બાકોરાંને જળજન્ય…

વધુ વાંચો >

જળજન્ય નિક્ષેપો

Jan 22, 1996

જળજન્ય નિક્ષેપો : જળઆધારિત તૈયાર થતા નિક્ષેપો. નદીજન્ય, સરોવરજન્ય, ખાડીસરોવરજન્ય, નદીનાળજન્ય, હિમનદીજન્ય તેમજ સમુદ્ર-મહાસાગરજન્ય નિક્ષેપોનો જળજન્ય નિક્ષેપોમાં સમાવેશ કરી શકાય. નદીપટમાં, નદીની આસપાસના ભાગોમાં, પૂરનાં મેદાનોમાં, પર્વતોના તળેટી વિસ્તારમાં, નદીના સીડીદાર પ્રદેશોમાં, ત્રિકોણપ્રદેશીય ભાગમાં રચાતા સ્વચ્છ જળજન્ય નિક્ષેપો નદીજળજન્ય નિક્ષેપો કહેવાય છે. સ્વચ્છ જળનાં કે ખારા પાણીનાં સરોવરો (આવું દરેક…

વધુ વાંચો >

જળજાંબવો

Jan 22, 1996

જળજાંબવો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alternanthera sessilis (Linn.) DC. syn. A. triandra Lann.; A. denticulata R. Br.; A. repens Gmel. (મ. કાંચરી, પરળ; ગુ. જળજાંબવો, પાણીની ભાજી, વાજુળ) છે. તેની જાતિઓ A. ficoidea વઘઈમાં, A. paronychoides ભરૂચ, રાજપીપળા અને છોટા ઉદેપુર પાસે, A.…

વધુ વાંચો >

જળધોધ-જળપ્રપાત

Jan 22, 1996

જળધોધ-જળપ્રપાત : નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય…

વધુ વાંચો >

જળબિલાડી

Jan 22, 1996

જળબિલાડી : સસ્તન વર્ગના મસ્ટેલિડસ કુળનું જળચારી પ્રાણી. પાણીમાં વધારે સમય રહેવાના સ્વભાવને કારણે તે જળબિલાડી તરીકે ઓળખાય છે. બિલાડીની જેમ તેનું શરીર લાંબું અને નળાકાર સ્વરૂપનું હોય છે. પૂંછડી લાંબી અને શક્તિશાળી હોય છે. તેનો છેડો પાતળો હોય છે. ઉપાંગો નાનાં, જ્યારે આંગળી જાલવાળી હોય છે. મસ્તક ચપટું અને…

વધુ વાંચો >

જળભૂસ્તરશાસ્ત્ર

Jan 22, 1996

જળભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીની સપાટી નીચેના જળની પ્રાપ્તિ, વિતરણ અને અભિસરણને લગતું વિજ્ઞાન. ભૂગર્ભજળ પૃથ્વીના પોપડાના ખડકો સાથે સંકળાયેલું હોવાથી તેના બે વિભાગ પાડવામાં આવેલા છે : 1. ભૂગર્ભજળશાસ્ત્રમાં પાણીની ગુણવત્તા, પ્રાપ્તિની ઊંડાઈ, તેના વિતરણ અને ઉપયોગિતાની પદ્ધતિઓનો અભ્યાસ વણી લેવાય છે. 2. જળભૂસ્તરશાસ્ત્રમાં ભૂસ્તરશાસ્ત્રને વધુ મહત્વ અપાય છે. ભૂપૃષ્ઠ નીચેના…

વધુ વાંચો >

જળમાર્ગી પરિવહન

Jan 22, 1996

જળમાર્ગી પરિવહન : વ્યક્તિ તથા વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનાં ત્રણ પ્રમુખ સ્વરૂપોનું એક. ભૂમાર્ગી, જળમાર્ગી તથા વાયુમાર્ગી પરિવહન સ્વરૂપોમાં જળમાર્ગી પરિવહન સૌથી પ્રાચીન છે તથા માનવજાતિના સાંસ્કૃતિક વિકાસમાં તેનું પ્રદાન સૌથી મહત્વનું છે. અતિ પ્રાચીન કાળમાં માણસ પોતાના પગના સહારે જ સ્થળાંતર કરતો ત્યારે વસ્તુઓની મોટા પાયે હેરફેર…

વધુ વાંચો >