૭.૨૧

જલસંવર્ધન (જલઉછેર)થી જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી)

જલૌકા

જલૌકા : જુઓ જળો

વધુ વાંચો >

જવ

જવ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hordeum vulgare Linn. (H. sativum Jessen) સં. યવ; હિં. જવ, સતુવા; મ. જવ, સાતૂ, ક. જવગોધી; તે યવધાન્ય, યવક; તા. બાર્લીઅરિસુ; અ. શઈર; અં. બાર્લી) છે. H. hexastichon, H. intermedium, H. distichon, H. zeocriton, H. deficiens, H. aegiceras, H.…

વધુ વાંચો >

જવનિકા

જવનિકા : અમદાવાદની, પાંચમા-છઠ્ઠા દાયકાની એક લોકપ્રિય નાટ્યસંસ્થા. તેની સ્થાપના હરકાન્ત શાહ તથા શશિકાન્ત નાણાવટીએ 1949માં કરી હતી. તેનું ઉદઘાટન ટાઉન હૉલમાં દાદાસાહેબ માવળંકરના હસ્તે તા. 27 ઑગસ્ટ 1949ના દિવસે થયું હતું. જવનિકાનું સર્વપ્રથમ નાટક હતું જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘ડેવિલ્સ ડિસાઇપલ’ ઉપરથી નિરંજન ભગત અને શશિકાન્ત નાણાવટી- રૂપાંતરિત ‘શયતાનનો સાથી’.…

વધુ વાંચો >

જવાબદારીઓ (નાણાકીય)

જવાબદારીઓ (નાણાકીય) : વ્યાપારી કે ઔદ્યોગિક એકમ માટે વર્ષાન્તે તૈયાર કરેલા સરવૈયામાં એકમે ચૂકવવાપાત્ર હોય તેવા દેવાની વિગતો બતાવતું શીર્ષક. કોઈ પણ વ્યાપારી કે ઔદ્યોગિક એકમ, તેના નાણાકીય વર્ષ દરમિયાન કરેલા વિવિધ નાણાવ્યવહારોનું વર્ષાન્તે એક સરવૈયું તૈયાર કરે છે જેથી તે એકમની નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આ પ્રકારનું સરવૈયું…

વધુ વાંચો >

જવાબદારી વીમો (કર્મચારીનિષ્ઠા) (fidelity insurance)

જવાબદારી વીમો (કર્મચારીનિષ્ઠા) (fidelity insurance) : કર્મચારીઓની અપ્રામાણિકતાથી માલિકને જે આર્થિક નુકસાન થાય તે ભરપાઈ કરી આપે તેવી વીમા યોજના. અપરાધ સામે રક્ષણ આપતા વીમાના બે પ્રકાર છે : કર્મચારીઓ સિવાયની અન્ય વ્યક્તિઓએ કરેલા અપરાધ જેવા કે ઘરફોડ ચોરી અને લૂંટફાટ સામે રક્ષણ આપવાના વીમા ઉતારવામાં આવે છે; પરંતુ તેમાં…

વધુ વાંચો >

જવાબી કાર્ડ

જવાબી કાર્ડ : કાશ્મીરી વાર્તાસંગ્રહ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં કાશ્મીરના વાર્તાસાહિત્યનું આધુનિકતા તરફ જે પ્રસ્થાન થયું તેમાં દીનાનાથ નદીમના ‘જવાબી કાર્ડ’ સંગ્રહનો મહત્વનો ફાળો છે. સ્વાતંત્ર્ય પૂર્વે કાશ્મીરી વાર્તાસાહિત્યનો ગણનાપાત્ર વિકાસ થયો નહોતો. સ્વાતંત્ર્યોત્તર કાળમાં ત્યાં શિક્ષણનો પ્રચાર થયો. વિશ્વવિદ્યાલયમાંથી ડિગ્રીઓ મેળવીને બહાર પડતા યુવાન લેખકોએ અન્ય સાહિત્યપ્રકારોની જેમ કાશ્મીરી વાર્તાસાહિત્યમાં પણ…

વધુ વાંચો >

જવાસો (ધમાસો)

જવાસો (ધમાસો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alhagi pseudahhavgi (Bieb.) Desv. Syn. A. camelorum Fisch. ex DC. (સં. યાસ, યવાસ, દુ:સ્પર્શ; હિં. મ. જવાસા; બં. જવસા; અ. હાજ; ફા. ખારેશુતુર; અં. કૅમલ થોર્ન; પર્સિયન મન્ના પ્લાન્ટ) છે. તે 30-60 સેમી. ઊંચા કાંટાળા, પ્રસરશીલ છોડ…

વધુ વાંચો >

જવાહરલાલ નેહરુ ચેલેન્જ ટ્રૉફી

જવાહરલાલ નેહરુ ચેલેન્જ ટ્રૉફી : ભારતના મહાન સપૂત પંડિત જવાહરલાલ નેહરુની પુણ્યસ્મૃતિમાં 1954માં દિલ્હી મુકામે અખિલ ભારત જવાહરલાલ નેહરુ હૉકી સ્પર્ધાની શરૂઆત થઈ. હૉકીમાં રસ લેતી સંસ્થાઓ અને હૉકીના ખેલાડીઓના અનેરા ઉત્સાહને લઈને 1964માં 24 ટુકડીઓએ ભાગ લીધો, જેમાં તે વખતની દેશની સારામાં સારી ગણાતી ટુકડીઓનો સમાવેશ હતો. 1965માં આ…

વધુ વાંચો >

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી : ભારતની એક કેન્દ્રીય યુનિવર્સિટી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં સંસદના વિશેષ ધારા દ્વારા 1969માં નવી દિલ્હીમાં તેની સ્થાપના કરવામાં આવી. યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અને સ્વરૂપ રાષ્ટ્રવ્યાપી છે. યોગ્યતાના ધોરણે જ પ્રવેશ અપાય છે. આમ છતાં, નબળા વર્ગને અનેક પ્રકારે છૂટછાટો અપાય છે. પ્રવેશકસોટી તથા સમાલાપ દ્વારા પ્રવેશ અપાય…

વધુ વાંચો >

જશવંતસિંહ મહારાજા

જશવંતસિંહ મહારાજા (જ. ?  અ. ડિસેમ્બર 1678) : રાજસ્થાનના મારવાડ રાજ્યના રાઠોડ વંશના રાજવી તથા ગુજરાતના મુઘલ સૂબા. તેમના પિતા ગજસિંહને અમરસિંહ, જશવંતસિંહ અને અચલસિંહ એમ ત્રણ પુત્રો હતા. પિતાના મૃત્યુ પછી ભાયાતો તથા સરદારોએ સૌથી મોટા પુત્ર અમરસિંહને ગાદી માટે અયોગ્ય ઠરાવીને જશવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડ્યા (મે, 1638).…

વધુ વાંચો >

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics)

Jan 21, 1996

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics) : જલમાં છોડ ઉછેરવાની પ્રવૃત્તિ. સામાન્ય રીતે છોડને જમીનમાં ઉછેરવામાં આવે છે. જમીન છોડને ઊગવા–ઊભા રહેવા માટેનું સાધન થઈ પડે છે; અને જમીનમાં તેમજ તેમાં ઉમેરવામાં આવતાં ખાતરોમાં રહેલાં દ્રવ્યો–ક્ષારો છોડને જીવવા–વધવા માટેનું કારણ બની રહે છે. જો આ દ્રવ્યો –ક્ષારો રસાયણો દ્વારા પૂરાં પાડવામાં આવે તો…

વધુ વાંચો >

જલસ્પર્ધા (aquatics)

Jan 21, 1996

જલસ્પર્ધા (aquatics) : પાણીની અંદર યા પાણીની સપાટી પર થતી રમતની સ્પર્ધા. આના મુખ્ય વિભાગ તરણ-ડૂબકી સ્પર્ધા તથા નૌકા(જલયાન) સ્પર્ધા છે. 1. તરણસ્પર્ધા : ‘તરણ’ યા ‘તરવું’ શબ્દ શરીરની પાણીની સપાટી પરની સામાન્ય સ્થિતિ-ગતિ દર્શાવે છે. માનવશરીરની વિશિષ્ટ ઘનતા (સ્પેસિફિક ગ્રેવિટી) એકંદરે 0.95થી 1 સુધીની ગણાય છે, તેથી માણસ માટે…

વધુ વાંચો >

જલંધર

Jan 21, 1996

જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે આશરે 31 18´ ઉ.  અ. અને 75 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની વાયવ્યે અને પશ્ચિમે કપૂરથલા જિલ્લો તેમજ ફિરોઝપુર જિલ્લો, ઈશાને હોશિયારપુર જિલ્લો, પૂર્વે કપૂરથલા અને શહીદ ભગતસિંહ નગર જિલ્લા, દક્ષિણે લુધિયાણા જિલ્લો…

વધુ વાંચો >

જલાલી એહમદાબાદી

Jan 21, 1996

જલાલી એહમદાબાદી (જ. 1581; અ. 1637) : ગુજરાતના મુહરવરદિયા સંપ્રદાયના સંત હઝરત શાહેઆલમ બુખારી (ર. અ.). તેમનો રોજો ચંડોળા તળાવ નજીક રસૂલાબાદમાં આવેલો છે. અને જેમના નામ સાથે સંકળાયેલો વિસ્તાર આજે શાહેઆલમથી વધુ જાણીતો છે તેમના વંશજ, જલાલીનું મૂળ નામ મુહમ્મદ, નિઝામુદ્દીન લકબ, અબુલ ફતેહ કુનિયત અને મકબૂલે આલમ ખિતાબ.…

વધુ વાંચો >

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) :

Jan 21, 1996

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) : પૃથ્વીની સપાટી ઉપર અથવા તેને અડીને આવેલા પાણીનો તૂટક (discontinuous) સ્તર. અન્ય ત્રણ આવરણો તે શિલાવરણ (lithosphere), વાતાવરણ (atmosphere) અને જીવાવરણ (biosphere). જલાવરણમાં દરિયા, સરોવરો, નદીઓ અને હિમનદી સહિત પ્રવાહી અને ઘન પાણીનો તેમજ જમીન અને ખડકોમાંનાં ભૂગર્ભજળ તથા વાતાવરણમાં રહેલ પાણીની બાષ્પનો સમાવેશ થાય છે. કેટલાક…

વધુ વાંચો >

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર)

Jan 21, 1996

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર) : સમગ્ર પૃથ્વીના તલના 73 % ભાગમાં વિવિધ રૂપે આવેલાં પૃથ્વી ઉપરનાં જલ ધારણ કરતાં માધ્યમો. જલાવરણમાં મુખ્યત્વે સમુદ્ર, નદી, સરોવર, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આવા વિસ્તારમાં ખાસ કરીને અકાર્બનિક પદાર્થો સજીવોને મળે છે; જેનો ઉપયોગ કરીને સજીવો પોતાની રોજબરોજની જૈવિક ક્રિયાઓ કરે છે. સજીવોના જીવનમાં એક…

વધુ વાંચો >

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

Jan 21, 1996

જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200નાં મૃત્યુ થયાં તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું…

વધુ વાંચો >

જલોત્સર્ગી (hydathode)

Jan 21, 1996

જલોત્સર્ગી (hydathode) : પાણીનું પ્રવાહી સ્વરૂપે ઉત્સર્જન કરતી પર્ણની કિનારી કે ટોચ પર આવેલી રચના. કેટલીક પ્રિમ્યુલા, ટ્રોપિયોલમ, ટમેટાં, સેક્સિફ્રેગા જેવી આવૃત બીજધારી વનસ્પતિ તેમજ હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિમાં જલોત્સર્ગી કે જલરન્ધ્ર જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે; તેની દ્વારા બિંદૂત્સ્વેદન (પ્રવાહી સ્થિતિમાં પાણીનું ઉત્સર્જન) થાય છે. ખાસ કરીને અત્યંત…

વધુ વાંચો >

જલોદરારિ રસ

Jan 21, 1996

જલોદરારિ રસ : જળોદર રોગમાં વિરેચન (જુલાબ) માટે વપરાતું આયુર્વેદિક ઔષધ. લીંડીપીપર, કાળાં મરી, તામ્રભસ્મ, હળદર 1-1 ભાગ અને શુદ્ધ જમાલગોટા (નેપાળાનાં બીજ) 3 ભાગના સૂક્ષ્મ ચૂર્ણને થોરના દૂધમાં ખરલ કરીને બે રતીના માપની ગોળીઓ બનાવી સૂકવી તૈયાર કરવામાં આવે છે. વિરેચન થઈ જાય પછી દર્દીને સાંજે ખાટું દહીં અને…

વધુ વાંચો >

જલોદભિદ વનસ્પતિઓ (hydrophyte/aquatic plants)

Jan 21, 1996

જલોદભિદ વનસ્પતિઓ (hydrophyte/aquatic plants) : સમુદ્ર, તળાવ, સરોવર, નદી, વહેણ વગેરે કોઈ પણ પ્રકારના જળાશયમાં ઊગતી વનસ્પતિઓ. મીઠા કે ખારા પાણીમાં રહેતી કે ઉપર તરતી વનસ્પતિના અનેક પ્રકારો છે. તે વિવિધ કદની હોય છે. એકકોષી સૂક્ષ્મજીવીથી માંડીને મોટાં પોયણાં તેમજ સમુદ્રમાં ઊગતી 30 મી. લંબાઈ ધરાવતી લીલ સુધીની વનસ્પતિસૃષ્ટિના દરેક…

વધુ વાંચો >