૬(૨).૨૪

ઘાસચારાના પાકોથી ઘોળ

ઘાસચારાના પાકો

ઘાસચારાના પાકો : પશુ-આહાર માટેના પાકો. ગુજરાત રાજ્યમાં થતા ઘાસચારાના વિવિધ પાકો નીચે મુજબ છે. તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે : (ક) ધાન્ય વર્ગ : (1) જુવાર (Sorghum bicolor) : જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અને હવામાન અનુકૂળ આવે છે. ગુજરાતમાં આ પાકનો વિસ્તાર 8.94 લાખ હેક્ટર…

વધુ વાંચો >

ઘાસચારા સંશોધનકેન્દ્ર

ઘાસચારા સંશોધનકેન્દ્ર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે આણંદ ખાતે ચાલતી સંસ્થા. હાલમાં ગુજરાત રાજ્યમાં 8.61 લાખ હેક્ટરમાં ઘાસચારાના પાકોનું વાવેતર થાય છે, જે અંદાજે કુલ ભૌગોલિક વિસ્તારના 4 % જેટલું છે. ઘાસચારા અંગેનું સંશોધનકાર્ય 1963માં ઘાસ સંશોધનયોજના હેઠળ વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલ. આ યોજના 1970માં આણંદ ખાતે ખસેડવામાં આવી…

વધુ વાંચો >

ઘાસિયા જડાનો રોગ

ઘાસિયા જડાનો રોગ : સૂક્ષ્મ રસ(microplasm)થી શેરડીમાં થતો રોગ. તેનાથી રોગિષ્ઠ છોડની વૃદ્ધિ અટકી જાય છે અને તે નાના – વામણા રહી જાય છે. આવા છોડમાંથી પુષ્કળ પ્રમાણમાં વામણા પીલા નીકળે છે, જે કેટલીક વાર 50થી 60 જેટલા હોય છે. આને પરિણામે સમગ્ર શેરડીનું જડિયું ઘાસના ભોથા કે થૂમડા જેવું…

વધુ વાંચો >

ઘી

ઘી : માખણને તાવવાથી પ્રાપ્ત થતો ચરબીજ ખાદ્ય પદાર્થ. ખોરાક તરીકે વપરાશમાં લેવાતું ઘી ગાય કે ભેંશના દૂધમાંથી મેળવવામાં આવે છે. માખણને તાવવાથી તેમાંનું પાણી બાષ્પીભવનથી દૂર થતાં જે બગરી સિવાયનું ચોખ્ખું પ્રવાહી રહે છે તેને ઘી કહેવામાં આવે છે. ઘીને આ રીતે ભેજ અને જીવાણુમુક્ત કરવામાં આવે છે. ભારત…

વધુ વાંચો >

ઘુડખર

ઘુડખર : જુઓ ગધેડું.

વધુ વાંચો >

ઘુમરિયો પ્રવાહ (eddy current)

ઘુમરિયો પ્રવાહ (eddy current) : ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ધાતુ પરિભ્રમણ કરે અથવા તેને વર્તુળાકાર (circular) ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે તેમાં ઉદભવતો પ્રેરિત વિદ્યુતપ્રવાહ (induced current). ધાતુને ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવવામાં આવે અથવા ચુંબકીય ક્ષેત્ર ઘૂમતું હોય ત્યારે આવા વિદ્યુતપ્રવાહનું પ્રેરણ થતું હોવાથી તેને ઘુમરિયો પ્રવાહ કહે છે. તેનો ખ્યાલ નીચેના…

વધુ વાંચો >

ઘુર્યે, જી. એસ.

ઘુર્યે, જી. એસ. (જ. 12 ડિસેમ્બર 1893, માલવણ, રત્નાગિરિ જિલ્લો; અ. 28 ડિસેમ્બર 1983, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય સમાજશાસ્ત્રી. તેમનું આખું નામ ગોવિંદ સદાશિવ ઘુર્યે હતું. શરૂઆતનું શિક્ષણ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના માલવણ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ અને જૂનાગઢમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

ઘુવડ (owl)

ઘુવડ (owl) : Strigiformes શ્રેણીનું નિશાચર શિકારી પક્ષી. દુનિયાભરમાં તે અપશકુનિયાળ ગણાય છે; પરંતુ વાસ્તવિક રીતે તે એક માનવોપયોગી પક્ષી છે; કારણ કે તે માનવસ્વાસ્થ્યને જોખમી ઉંદર, ઘૂસ અને કીટકનું ભક્ષણ કરી માનવને હાનિ થતી અટકાવે છે. નાનાં ઘુવડ, કીટક અને ઉંદર જેવાં અને મોટાં ઘુવડ સસલાં, ઘૂસ અને સાપ…

વધુ વાંચો >

ઘુંમટ (ભૂસ્તરશાસ્ત્ર)

ઘુંમટ (ભૂસ્તરશાસ્ત્ર) : ગેડનો એક પ્રકાર. સ્તર કે સ્તરોનો સમૂહ નીચેથી ઉપર તરફ કાર્ય કરતાં દાબનાં વિરૂપક બળોની અસરને કારણે જ્યારે ગોળાઈમાં ઊંચકાય ત્યારે સ્તરો બધી બાજુએ કેન્દ્રત્યાગી નમનદિશાવાળા બને છે. આવા આકારમાં રચાતા ગેડપ્રકારને ઘુંમટ કે ઘુંમટ-ગેડ (domical fold) કહે છે. કચ્છમાં જુરા અને હબઈ ગામો નજીક જોવા મળતા…

વધુ વાંચો >

ઘૂમલી

ઘૂમલી : જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં બરડા ડુંગરની તળેટીમાં આવેલી પ્રાચીન નગરી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલ સૈંધવ રાજ્યની રાજધાની ભૂતાંબિલિકા કે ભૂતાંબિલી હતી. આગળ જતાં એને ભૂભૃત્યલ્લી કે ભૂમિલિકા કે ભૂમલિકા કહી છે, જે હાલની ઘૂમલી છે. ઘૂમલીનો સૈંધવ વંશ લગભગ 735થી 920 સુધી સત્તા ધરાવતો હતો. એ પછી ત્યાં જેઠવા…

વધુ વાંચો >

ઘોડો

Feb 24, 1994

ઘોડો : માનવને અત્યંત વફાદાર એવું એક પાલતુ સસ્તન પ્રાણી. હજારો વર્ષોથી ઘોડો વાહન તરીકે, ખેતીમાં, શિકારમાં અને યુદ્ધમાં માનવીની સેવા બજાવે છે. ઉદયપુરના નાગરિકોએ તો એક વિશાળ ચોકને ‘ચેતક’ નામ આપીને રાણા પ્રતાપના ચેતકને ચિરસ્મરણીય બનાવ્યો છે. ‘રેકલેસે’ નામથી ઓળખાતા એક કોરિયાના ઘોડાએ 1950–53ના યુદ્ધમાં બતાવેલ શૌર્ય બદલ તેને…

વધુ વાંચો >

ઘોરપડે, જયસિંહ

Feb 24, 1994

ઘોરપડે, જયસિંહ (જ. 2 ઑક્ટોબર 1930, પંચગીની; અ. 29 માર્ચ 1978, વડોદરા) : વડોદરાના ક્રિકેટ ખેલાડી. આખું નામ જયસિંહરાવ માનસિંહરાવ ઘોરપડે. તે ચશ્માંધારી, આક્રમક જમોડી બૅટ્સમૅન તથા લેગ-બ્રેક અને ગૂગલી બૉલર હતા. ‘મામાસાહેબ’ ઘોરપડેના હુલામણા નામે જાણીતા જયસિંહ ઘોરપડે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં વડોદરા અને મહારાષ્ટ્ર તરફથી રમ્યા હતા. તેમણે 1952–53માં…

વધુ વાંચો >

ઘોરાલ (the great Indian bustard)

Feb 24, 1994

ઘોરાલ (the great Indian bustard) : વંશ Gruiformesના Otididae કુળનું લગભગ લુપ્ત થવા આવેલી જાતનું એક ભારતીય પક્ષી. શાસ્ત્રીય નામ Choriotis nigriceps. ઘોરાલ કે ઘોરાડ સૂકાં વેરાન, છૂટાંછવાયાં ઊગેલાં ઝાડવાંવાળાં ઘાસનાં વિશાળ સપાટ મેદાન, ખાડાટેકરાવાળા વિસ્તારો અને તેની આસપાસ આવેલાં ખેતરોમાં મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં તે ભારતના વિશિષ્ટ…

વધુ વાંચો >

ઘોરી, અમીનખાન

Feb 24, 1994

ઘોરી, અમીનખાન : તાતારખાન ઘોરીનો પુત્ર તથા સોરઠ પ્રાંતનો સૂબો. ઈ. સ. 1561માં મુહમદશાહ 3જાને ગુજરાતની ગાદીએ બેસાડી તેને માત્ર નામનો બાદશાહ બનાવી એતેમાદખાન તથા બીજા મુખ્ય અમીરોએ રાજ્યની અંદરોઅંદર વહેંચણી કરી તેમાં જૂનાગઢ સહિત સોરઠ પ્રાંત તાતારખાન ઘોરીના લગભગ સ્વતંત્ર કબજામાં આવ્યો. પિતાના મૃત્યુ પછી અમીનખાન સોરઠ પ્રાંતનો સર્વોપરી…

વધુ વાંચો >

ઘોરી આક્રમણો

Feb 24, 1994

ઘોરી આક્રમણો : ગઝનીનો મહત્વાકાંક્ષી અને સાહસિક સુલતાન. આખું નામ શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરી. ઘોરી અને ગઝનવી વંશો વચ્ચે ઝઘડા થતા રહેતા અને પંજાબમાં એ સમયે ગઝનવી વંશના ખુસરો મલેકની સત્તા હતી. ગઝનીમાં ઘોરીની સત્તા થઈ એટલે પંજાબ ઉપર શિહાબુદ્દીન પોતાનો અધિકાર હોવાનું માનતો. વળી એ સમય વિજયો મેળવવાનો હતો. શિહાબુદ્દીન…

વધુ વાંચો >

ઘોષ, અજય

Feb 24, 1994

ઘોષ, અજય (જ. 20 ફેબ્રુઆરી 1909, ચિત્તરંજન; અ. 11 જાન્યુઆરી 1962, નવી દિલ્હી) : વિખ્યાત સામ્યવાદી નેતા તથા ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી. બંગાળના 24 પરગણાના વતની. પિતા શચીન્દ્રનાથ ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે મેડિકલ પ્રૅક્ટિસ કરતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાનપુર ખાતે. 1926માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. તે પહેલાં 1923માં વિખ્યાત…

વધુ વાંચો >

ઘોષ, અતુલચંદ્ર

Feb 24, 1994

ઘોષ, અતુલચંદ્ર (જ. 2 માર્ચ 1881, ખાંડ ઘોષા, બર્દવાન; અ. 15 ઑક્ટોબર 1961, કૉલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં; પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડ્યું. 1908માં પુરબિયા ખાતે વકીલાત…

વધુ વાંચો >

ઘોષ, (શ્રી) અરવિંદ

Feb 24, 1994

ઘોષ, (શ્રી) અરવિંદ (જ. 15 ઑગસ્ટ 1872, કૉલકાતા; અ. 5 ડિસેમ્બર 1950, પુદુચેરી) : વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી ભારતીય વિભૂતિ. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક હતા, મહાન રાજકીય નેતા હતા, કવિ અને નાટ્યકાર હતા, સાહિત્યમર્મજ્ઞ અને કવિતાના મીમાંસક…

વધુ વાંચો >

ઘોષ, અમિતાભ

Feb 24, 1994

ઘોષ, અમિતાભ (જ. 11 જુલાઈ 1956, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી સાહિત્યના જાણીતા બંગાળી નવલકથાકાર. તેમની અતિપ્રચલિત નવલકથા ‘ધ શૅડો લાઇન્સ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું બાળપણ ઢાકા અને કોલંબો(હવે શ્રીલંકા)માં વીત્યું હતું. દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને સામાજિક નૃવિજ્ઞાન…

વધુ વાંચો >

ઘોષ, ગિરીશચંદ્ર

Feb 24, 1994

ઘોષ, ગિરીશચંદ્ર (જ. 28 ફેબ્રુઆરી 1844, કૉલકાતા; અ. 8 ફેબ્રુઆરી 1912, કૉલકાતા) : બંગાળી રંગભૂમિના ભીષ્મ પિતામહ. નટ, નાટ્યકાર, નાટ્યકંપની-પ્રબંધક, નાટ્યશિક્ષક અને કૉલકાતાના વ્યાવસાયિક રંગમંચના પાયાના ઘડવૈયા. બંગાળી રંગભૂમિને રાજાઓ તથા ધનકુબેરોના આધિપત્યમાંથી મુક્ત કરીને લોકાભિમુખ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. મૂળભૂતપણે નટ; પરંતુ જ્યારે તેમના જમાનાના અગ્રગણ્ય નાટ્યકારો દીનબંધુ…

વધુ વાંચો >