૬(૨).૦૯

ગુજરાતી કવિતા થી ગુપ્ત અનામતો

ગુણચંદ્ર (બારમી શતાબ્દી)

ગુણચંદ્ર (બારમી શતાબ્દી) : આચાર્ય હેમચંદ્રના બે શિષ્યો : રામચંદ્ર અને ગુણચંદ્ર પૈકીના બીજા શિષ્ય. ગુણચંદ્રે રામચંદ્રની સાથે સંયુક્ત રીતે સંસ્કૃતમાં ‘નાટ્યદર્પણ’ અને ‘દ્રવ્યાલંકાર’ની રચના કરી છે. ‘નાટ્યદર્પણ’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો ગ્રંથ છે. તેમાં 207 કારિકા અને વૃત્તિ છે. તેમાં રૂપકપ્રકાર, વૃત્તિ, રસ, ભાવ, અભિનય, નાયક-નાયિકાભેદ વગેરેનું શાસ્ત્રીય નિરૂપણ છે. ‘દ્રવ્યાલંકાર’…

વધુ વાંચો >

ગુણદર્શક રાસાયણિક વિશ્લેષણ

ગુણદર્શક રાસાયણિક વિશ્લેષણ : પદાર્થના નમૂનામાં રહેલાં તત્વ અથવા તત્વોના સમૂહની ઓળખ (નિર્ધારણ) સાથે સંકળાયેલી રસાયણશાસ્ત્રની શાખા. તેમાં વપરાતી કાર્યરીતિની જટિલતા નમૂનાના પ્રકાર પ્રમાણે બદલાય છે. કેટલાક કિસ્સામાં અમુક તત્ત્વ અથવા તત્વસમૂહની હાજરી જ ચકાસવાની હોય છે અને તે માટે નમૂના ઉપર સીધી પ્રયોજી શકાય તેવી વિશિષ્ટ કસોટીઓ (દા.ત., જ્યોત…

વધુ વાંચો >

ગુણમતિ

ગુણમતિ : ગુપ્તયુગના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ. સ્થિરમતિ અને ગુણમતિ નામના બે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુઓ ગુપ્તયુગમાં વલભી અને નાલંદામાં થઈ ગયા. સ્થિરમતિ અસંગ નામના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુના અને ગુણમતિ એવા જ વસુબંધુના શિષ્ય હતા. પ્રખ્યાત ચીની યાત્રી યુ અન શાંગ સાતમી સદીમાં છેક વલભી સુધી આવેલા. તેમણે પોતાના પ્રવાસગ્રંથમાં નોંધ લીધી…

વધુ વાંચો >

ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી)

ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી) : ગુજરાત-રાજસ્થાનના ખરતરગચ્છના વિનયસમુદ્રગણિના શિષ્ય, ‘વાચનાચાર્ય’ પદવી ધારણ કરનાર અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ‘સારદીપિકા’ નામે ટીકાના રચયિતા. તે જૈન હોવા છતાં આચાર્ય હેમચન્દ્ર કે અન્ય જૈન આચાર્યોને અનુસરતા નથી. પણ જે તે મુદ્દા ઉપર સ્વતંત્ર અભિપ્રાયો આપે છે. આમ છતાં તેમની કાવ્યપ્રકાશટીકા ઉપર ‘બાલચિત્તાનુરંજની’ અને ‘સારબોધિની’…

વધુ વાંચો >

ગુણવિષ્ણુ

ગુણવિષ્ણુ : છાન્દોગ્યમંત્રભાષ્ય ગ્રંથના કર્તા. આ છાન્દોગ્ય ઉપનિષદ પરનું ભાષ્ય નથી; પરંતુ સામવેદની કૌથુમ શાખાના મંત્રો પરનું ભાષ્ય છે. આમાંના મોટા ભાગના મંત્રો સામવેદના મંત્ર બ્રાહ્મણમાં મળી આવે છે. જે મંત્રો નથી મળતા તે માટે આ ગ્રંથના સંપાદક શ્રી દુર્ગમોહન ભટ્ટાચાર્યનો મત છે કે એ કોઈ લુપ્ત સામમંત્રો હશે. ગુણવિષ્ણુ…

વધુ વાંચો >

ગુણ સિંહ, હિજામ

ગુણ સિંહ, હિજામ (જ. માર્ચ 1927, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘વીર ટિકેન્દ્રજિત રોડ’ (1983) માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી 1944માં તેઓ રાજ્ય ન્યાયતંત્રમાં જોડાયા અને 1985માં સેવાનિવૃત્ત થયા. તેમણે 5 નવલકથાઓ, 3 વાર્તાસંગ્રહો અને 1 નિબંધસંગ્રહ આપ્યાં…

વધુ વાંચો >

ગુણસુંદરી

ગુણસુંદરી : જાણીતું સામાજિક ગુજરાતી ચલચિત્ર. મૂક ગુજરાતી ચલચિત્રોના ગાળા દરમિયાન (1924) નિર્માણ પામેલ આ ચલચિત્ર સવાક્ ફિલ્મકાળમાં બે વાર (1934 અને 1948) નિર્માણ પામ્યું હતું. મૂક ફિલ્મોના સમયગાળા દરમિયાન માત્ર પૌરાણિક ફિલ્મો જ સફળ નીવડી શકે તેવી માન્યતા ર્દઢ થવા લાગી હતી. તત્કાલીન મુંબઈના ચલચિત્ર ઉદ્યોગમાં પંકાઈ ચૂકેલા યુવા…

વધુ વાંચો >

ગુણસ્થાન

ગુણસ્થાન : આત્માના ગુણની અવસ્થા અથવા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આધ્યાત્મિક વિકાસ એક પ્રવાહની જેમ સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી આવી ભૂમિકાઓ અસંખ્યાત છે; પરંતુ વર્ણન કરવાની સગવડ ખાતર જૈનદર્શને 14 ગુણસ્થાનો માનેલાં છે. એ નીચે પ્રમાણે છે : (1) મિથ્યાર્દષ્ટિ : આધ્યાત્મિકતાની વિરોધી ર્દષ્ટિ. આ ભૂમિકાએ આધ્યાત્મિક-કલ્યાણગામી ર્દષ્ટિનો અભાવ હોય…

વધુ વાંચો >

ગુણાકર

ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, બુજરૂક, જિ. અમરાવતી; અ. 16 ઑક્ટોબર 2009) : આયુર્વેદીય ગ્રંથના કર્તા. આયુર્વેદના રોગનિદાનના મહત્વના ગ્રંથ ‘માધવનિદાન’ ઉપર વાચસ્પતિએ ‘આતંકદર્પણ’ નામની ટીકા લખી છે. આ વાચસ્પતિનો સમય ઈ. સ. 1260ની આસપાસ છે. માધવનિદાનના બીજા ટીકાકાર વિજયરક્ષિતે (ઈ. સ. 1240 આશરે) સૌપ્રથમ પોતાની ‘મધુકોશ’ નામની ટીકામાં ‘ગુણાકર’નો…

વધુ વાંચો >

ગુથરી, ટાઇરોન સર

ગુથરી, ટાઇરોન સર (જ. 2 જુલાઈ 1900, ટનબ્રિજ વેલ્સ, કૅન્ટ; અ. 15 મે 1971, ન્યૂ બ્લિસ, મૉનહન, આયર) : બ્રિટનના ક્રાન્તિકારી અને પ્રયોગશીલ નાટ્યદિગ્દર્શક. ઓલ્ડવિક અને સેડલર્સ વેલ્સ જેવાં થિયેટરોમાં તેમણે બાર વરસ સુધી દિગ્દર્શક અને સંચાલક તરીકે કામ કરતાં, શેક્સપિયરનાં ‘હૅમ્લેટ’, ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રેસિડા’ જેવાં નાટકોનું એલિઝાબેથાઈ નહિ પણ…

વધુ વાંચો >

ગુજરાતી કવિતા

Feb 9, 1994

ગુજરાતી કવિતા : ગુજરાતી કવિતાની વિકાસયાત્રા ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓ – બંગાળી, મરાઠી, મળયાળમ અને તમિળ વગેરે–ની અને રાષ્ટ્રભાષા હિન્દીની કવિતાની લગભગ સમાંતરે – જોડાજોડ ચાલે છે. ગુજરાતી કવિતાનો ઇતિહાસ, તેનો પ્રારંભ વજ્રસેનકૃત ‘ભરતેશ્વરબાહુબલિઘોર’(ઈ. સ. 1169 લગભગ)થી થયેલો સ્વીકારતાં, લગભગ નવસો વર્ષનો લેખાય. એ રીતે ભારતીય-આર્ય ભાષાના ત્રીજા તબક્કામાં ગુજરાતી…

વધુ વાંચો >

ગુજરાતી ગદ્ય

Feb 9, 1994

ગુજરાતી ગદ્ય : ગુજરાતી ગદ્ય મધ્યકાલીન તેમજ અર્વાચીન સ્વરૂપે ઉદભવ્યું અને લલિત-લલિતેતર એવી બે તરાહ(pattern)માં વિકસ્યું. ગુજરાતી ગદ્યનો આરંભ તેરમી સદીમાં જૈન સારસ્વતોએ ધર્મનીતિ પ્રબોધવા નિમિત્તે કર્યો. ત્યારથી લગભગ 1850 સુધીમાં ખેડાયેલું ઉપલબ્ધ મધ્યકાલીન ગદ્ય મુખ્યત્વે ‘બાલાવબોધ’ કે ‘સ્તબક’, ‘ઔક્તિક’ અને ‘વર્ણક’ પ્રકારોમાં ખેડાયું, જે બહુધા શુષ્ક, રૂઢ અને અણઘડ…

વધુ વાંચો >

ગુજરાતી દલિત સાહિત્ય

Feb 9, 1994

ગુજરાતી દલિત સાહિત્ય : 1975ની આસપાસ ગુજરાતમાં જન્મેલું દલિત સાહિત્ય. આમ તો એનું ઉદભવસ્થાન મહારાષ્ટ્ર. 1981માં ગુજરાતમાં અનામત આંદોલન થયું. ત્યારપછી દલિત સાહિત્યના સાચા અર્થમાં પગરણ મંડાયાં. મહારાષ્ટ્રમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઝુંબેશના પરિણામે દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. મહારાષ્ટ્રમાં જે દલિત સાહિત્ય રચાયું તેની સભાનતાના પરિપાક રૂપે ગુજરાતમાં દલિત સાહિત્યમાં સભાનતા…

વધુ વાંચો >

ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર

Feb 9, 1994

ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર : ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપ વિશે આધુનિક ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ અધ્યયન રજૂ કરતો મહત્વનો ગ્રંથ. તેના કર્તા ડૉ. પ્રબોધ પંડિત (1923–1975) ગુજરાતી ભાષાવિજ્ઞાનના સમર્થ વિદ્વાન હતા. આ પુસ્તકનું લખાણ 1957થી 1961 દરમિયાન થયેલું છે; જે કેટલાક લેખો રૂપે ‘સંસ્કૃતિ’ માસિકમાં તથા ‘ઇન્ડિયન લિંગ્વિસ્ટિક્સ’નાં કેટલાંક વૉલ્યૂમોમાં છપાયેલું. આ…

વધુ વાંચો >

ગુજરાતી સાહિત્ય પરિષદ

Feb 9, 1994

ગુજરાતી સાહિત્ય પરિષદ : ગુજરાતની સાહિત્ય-સંસ્કારના ઉત્કર્ષને વરેલી સંસ્થા. 1905માં રણજિતરામ વાવાભાઈની ભાવનાને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવા, ગુજરાતી પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર બનાવવા માટે રાહ દાખવી પ્રજાનો ઉત્કર્ષ સાધવાનો પરિષદની સ્થાપના પાછળનો…

વધુ વાંચો >

ગુજરાલ ઇન્દર કુમાર

Feb 9, 1994

ગુજરાલ, ઇન્દર કુમાર (જ. 4 ડિસેમ્બર 1919, ઝેલમ, પશ્ચિમ પંજાબ [હાલના પાકિસ્તાનનો વિસ્તાર] અ. 30 નવેમ્બર 2012, ગુરગાંવ) : ભારતના પૂર્વવડાપ્રધાન, રાજકારણી અને કલારસિક નેતા. પિતા અવતાર નરેન ગુજરાલ સ્વાતંત્ર્ય સેનાની અને પાકિસ્તાની બંધારણસભાના સભ્ય; પરંતુ હિન્દુસ્તાનના વિભાજનની બેકાબૂ પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડી ભારત આવ્યા અને જલંધરમાં સ્થાયી થયા. તેઓ નિરાશ્રિતોના…

વધુ વાંચો >

ગુજરાલ સતીશ

Feb 9, 1994

ગુજરાલ, સતીશ (જ. 25 ડિસેમ્બર 1926, ઝેલમ; અ. 26 માર્ચ 2020, ન્યૂદિલ્હી) : ચિત્રકાર, શિલ્પકાર, ભીંત-ચિત્રકાર. 1939થી 44 સુધી લાહોરની મેયો સ્કૂલમાં અને 1944થી 47 સુધી મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ. 1952થી 54 સુધી મૅક્સિકોમાં વિશેષ અભ્યાસ, 1956–57માં તેમને લલિત કલા અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક અપાયું. 1947થી 50નાં ચિત્રોમાં…

વધુ વાંચો >

ગુજરી

Feb 9, 1994

ગુજરી : પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં બોલાતી ઉર્દૂ-હિન્દી. ઉર્દૂ-હિન્દીની વિવિધ શૈલીઓ અને સ્વરૂપોને હિન્દી, હિન્દવી, હિન્દુઈ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિદ્વાનોના મત મુજબ આ જ હિન્દી ભાષા જ્યારે દેશના અન્ય ભાગોમાં કેટલાક સ્થાનિક ફેરફાર સાથે બોલાવા લાગી ત્યારે ત્યાંની સ્થાનિક ભાષાના પ્રભાવ અને સમન્વયથી તે ભાષાનું એક આગવું સ્વરૂપ…

વધુ વાંચો >

ગુડઇયર, ચાર્લ્સ

Feb 9, 1994

ગુડઇયર, ચાર્લ્સ (જ. 29 ડિસેમ્બર 1800, ન્યૂ હેવન, કનેક્ટિક્ટ, યુ.એસ.; અ. 1 જુલાઈ 1860, ન્યૂયૉર્ક) : રબરની વલ્કેનાઇઝેશન પ્રક્રિયાના અમેરિકન સંશોધક. તેમની શોધથી રબરના વ્યાપારી ઉપયોગો સંભવિત બન્યા છે. તેમના પિતાના હાર્ડવેરના ધંધામાં ભાગીદાર તરીકે તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી પણ આ ધંધો 1830માં પડી ભાંગ્યો. તેમને ઇન્ડિયા રબરમાંનું ચીટકપણું…

વધુ વાંચો >

ગુડ ફ્રાઇડે

Feb 9, 1994

ગુડ ફ્રાઇડે : ઈસુની પીડા અને મરણની યાદગીરીમાં પવિત્ર રવિવાર (ઈસ્ટર સન્ડે) પહેલાંનો શુક્રવાર. ખ્રિસ્તીઓ તેને સાધના-ઉપાસના દિન તરીકે માને છે. તેને અંગ્રેજીમાં ‘ગુડ ફ્રાઇડે’ અને ગુજરાતીમાં ‘પવિત્ર શુક્રવાર’ કહેવામાં આવે છે. આ ‘ગુડ ફ્રાઇડે’નો દિવસ ઈસ્ટરની તૈયારી માટેના ચાળીસ દિવસના તપની ટોચ ગણાય છે. મોટા ભાગના તહેવારોમાં સામાજિક, સાંસ્કૃતિક…

વધુ વાંચો >