૪.૨૩

કાયનાઇટથી કારોબારી

કાયનાઇટ

કાયનાઇટ : રા. બં. – Al2O3.SiO2; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – ચપટા, લાંબા પાનાકાર સ્ફટિક, વિકેન્દ્રિત તંતુમય કે દળદાર; રં. – સામાન્યત: વાદળી, ક્યારેક સફેદ રાખોડી, લીલો, પીળો કે લગભગ કાળો; સં. – પિનેકોઇડને સમાંતર; ચ. – સંભેદ સપાટી પર મૌક્તિક, કાચમય; ચૂ. – સફેદ; ક. – જુદી જુદી…

વધુ વાંચો >

કાયફળ

કાયફળ : સં. कट्फल; હિં. कायफल; શાસ્ત્રીય નામ Myrica. તે દ્વિદળીના કુળ Myricaceaeનું મધ્યમ કદનું ઝાડવું છે. તે એક જ પ્રજાતિના કુળનું છે અને તે આઠ જાતિઓ ધરાવે છે. તેમાંની એક M. nagi Thunb હિમાલયના રાવી પ્રદેશમાં, ખાસિયા ટેકરીઓ અને સિલહટ પાસે મળે છે. તે જલદ સુગંધી ફેલાવે છે. સાદાં…

વધુ વાંચો >

કાયમી જમાબંધી

કાયમી જમાબંધી : જમીન માપીને તેની જાત વગેરે તપાસી તેનું સરકારી મહેસૂલ કાયમને માટે નક્કી કરવું તે. જમીનમહેસૂલ બાબતમાં કાયમી જમાબંધી 1790માં પહેલાં બંગાળમાં દશ વર્ષ માટે દાખલ કરવાના અને તેને 1793માં બંગાળ, ઓરિસા તેમજ બિહાર પ્રાંતોમાં કાયમી ધોરણે લાગુ કરવાના કાર્યને હિંદના ગવર્નર-જનરલ કૉર્નવૉલિસ(1786-1793)ની મહત્વની વહીવટી સિદ્ધિ ગણવામાં આવે…

વધુ વાંચો >

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ (જ. 1649, બુરહાનપુર) : ફારસી ભાષાના નોંધલેખક અને ઔરંગઝેબના સેનાની. તેમના કાકા ભગવાનદાસને ઔરંગઝેબ તરફથી દિયાનતરાયનો ખિતાબ અને દીવાનનું પદ મળ્યું હતું. બુંદેલા સરદાર રાવ દલપતની સરદારી હેઠળ ભીમસેને દખ્ખણમાં ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો. તે નલદુર્ગ નામના ગઢના સેનાધ્યક્ષ પણ નિમાયા હતા. ભીમસેને ઔરંગઝેબની દખ્ખણની લડાઈઓની…

વધુ વાંચો >

કાયાકલ્પ

કાયાકલ્પ : આયુર્વેદના પ્રાચીન કાળના આચાર્યો તથા ભારતના અનેક ઋષિમુનિઓએ માનવજીવનને દીર્ઘઆયુષી તથા યુવાનસશ સ્વસ્થ રાખવાની શોધેલી એક વિશિષ્ટ ચિકિત્સાપદ્ધતિ. ‘કાયાકલ્પ’ એટલે કાયા(દેહ)નું નવીનીકરણ, આમૂલ પરિવર્તન કે નવજીવન પામ્યાથી થતું દેહનું રૂપાંતરણ. ‘કલ્પ’ શબ્દ કોઈ ખાસ વિશિષ્ટ આહારદ્રવ્ય કે ઔષધિનો શરીરમાં ઉપયોગ કરવાની વિશિષ્ટ પદ્ધતિ માટે વપરાય છે. તેથી ‘કાયાકલ્પ’નો…

વધુ વાંચો >

કાયાકલ્પ (નદીનો)

કાયાકલ્પ (નદીનો) : નદીને નવજીવન પ્રાપ્ત થવાની અને તેનું ઘસારણકાર્ય અને વહનકાર્ય સક્રિય બનવાની પ્રક્રિયા. કાયાકલ્પનાં મુખ્ય કારણો અને પ્રકારો આ પ્રમાણે છે : (1) ઝડપી કે મંદ ભૂસંચલનને કારણે નદી નવજીવન પામે તેને ‘ગત્યાત્મક કાયાકલ્પ’ કહે છે. દા.ત., નદી વૃદ્ધાવસ્થામાં પહોંચી હોય પરંતુ ભૂસંચલનને કારણે તે ભૂમિક્ષેત્રનો ઊંચકાવ થાય…

વધુ વાંચો >

કારક

કારક : પ્રાતિપદિક (નામ આદિ શબ્દો) અને આખ્યાત (ક્રિયાપદ) વચ્ચેનો સંબંધ. વ્યુત્પત્તિ અનુસાર ‘કારક’ એટલે ક્રિયાવ્યાપારનો કર્તા. (कृ + ण्वुल्). વ્યાકરણશાસ્ત્રમાં ‘કારક’ શબ્દ ક્રિયાનું નિમિત્ત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો નિર્વર્તક એવા પારિભાષિક અર્થમાં વપરાયો છે. અર્થાત્ પ્રાતિપદિક શબ્દનો (નામ, સર્વનામ, વિશેષણનો) ક્રિયાનિર્વૃતિ અર્થે એટલે કે ક્રિયા પૂર્ણ કરવા માટેના અનેક અવાન્તર…

વધુ વાંચો >

કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ)

કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ) : સ્થાપત્યની ર્દષ્ટિએ મહત્વનો ફ્રેન્ચ કિલ્લો. ફ્રાન્સના નગર કારકાસોંમાં લશ્કરની ટુકડીઓના રક્ષણાર્થે બાંધવામાં આવેલો ગૉથિક શૈલીનો આ નોંધપાત્ર કિલ્લો છે. એના ખંડો ચતુષ્કોણી હતા અને એના ખૂણા પર મિનારા હતા. દુશ્મનો સામે ટકવા માટે આ કિલ્લાનાં દ્વાર મજબૂત રખાયાં હતાં, પરંતુ એથી અવરજવરમાં બાધા ઉત્પન્ન થતી…

વધુ વાંચો >

કારગિલ (Kargil)

કારગિલ (Kargil) : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 340 34’ ઉ.અ. અને 760 06’ પૂ.રે.ની આજુબાજુનો 14,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાકિસ્તાન હસ્તકનો ગિલગીટ જિલ્લો, પૂર્વ તરફ લદ્દાખ, દક્ષિણ તરફ હિમાચલ પ્રદેશ, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ડોડા,…

વધુ વાંચો >

કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લડવામાં આવેલું અઘોષિત યુદ્ધ. 1947માં ભારતના ઉપખંડમાં થયેલ રાજકીય ઊથલપાથલને કારણે આ મહાદ્વીપમાં પાકિસ્તાન નામના એક નવા મુસ્લિમ મજહબી રાજ્યનો ઉદય થયો અને ત્યારથી 1999 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધો થયાં છે, જેમાંથી બે છદ્મ-યુદ્ધો હતાં (1947 અને 1999)…

વધુ વાંચો >

કાર, ચિન્તામણિ

Jan 23, 1992

કાર, ચિન્તામણિ (જ. 1915, ખડ્ગપુર, બંગાળ) : આધુનિક ભારતીય શિલ્પી. કોલકાતાની ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયન્ટલ આર્ટ ખાતે ચિત્રકલા અને શિલ્પકલાનો અભ્યાસ 1936માં પૂરો કર્યો. ત્યારબાદ તેમણે પૅરિસ જઈ લૅકાદમી દે લા ગ્રોંદે શોમિરે (L’ Academi de Grande Chaumiere) ખાતે 1936થી 1939 સુધી શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. પછી 1939થી 1943 સુધી…

વધુ વાંચો >

કારદાર, અબ્દુલ રશીદ

Jan 23, 1992

કારદાર, અબ્દુલ રશીદ (જ. ઑક્ટોબર 1904, લાહોર; અ. 22 નવેમ્બર 1989, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત નિર્માતા અને દિગ્દર્શક. બોલપટનો જમાનો શરૂ થયો તે પહેલાં તેમણે ઘણાં રોમાંચક મૂક ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. ‘હીર-રાંઝા’ એ તેમનું સર્વપ્રથમ ચલચિત્ર (1923). થોડાક સમય માટે તેમણે કોલકાતાની એક ચલચિત્રનિર્માણ કંપનીમાં કાર્ય કર્યું. તેમનું…

વધુ વાંચો >

કારનાપ રુડૉલ્ફ

Jan 23, 1992

કારનાપ રુડૉલ્ફ (જ. 1891; અ. 1970) : પ્રસિદ્ધ જર્મન તત્વજ્ઞ. જર્મનીના રોન્સ ડૉર્ફમાં જન્મેલા કારનાપે 1910થી 1914 સુધી તત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ જર્મનીની જેના અને ફ્રાઇબર્ગ યુનિવર્સિટીઓમાં કર્યો હતો. 1910, 1913 અને 1914માં જેનામાં ફ્રેગેના તેઓ વિદ્યાર્થી હતા. ફ્રેગેના તર્કશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનાં સંશોધનોએ વીસમી સદીના પ્રારંભમાં તર્કશાસ્ત્રને નવી જ…

વધુ વાંચો >

કારમાન, થિયોડોર

Jan 23, 1992

કારમાન, થિયોડોર (જ. 11 મે 1881, બુડાપેસ્ટ; અ. 6 મે 1963, આચેન, પ. જર્મની) : હંગેરીમાં જન્મી યુ.એસ.ના નાગરિક બનનાર સંશોધક અને ઇજનેર. તેમણે ઉડ્ડયન વિજ્ઞાન અને અંતરીક્ષયાત્રાના ક્ષેત્રે મૂળભૂત વિજ્ઞાનમાં ગણિતશાસ્ત્રના ઉપયોગનું પાયાનું કાર્ય કર્યું છે. તેમનું કાર્યક્ષેત્ર પ્રથમ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેકનૉલોજી અને પછીથી જેટ વિમાનના સુધારાની પ્રયોગશાળા…

વધુ વાંચો >

કારર, પૉલ

Jan 23, 1992

કારર, પૉલ (જ. 21 એપ્રિલ 1889, મૉસ્કો; અ. 18 જૂન 1971, ઝુરિક) : કૅરોટિનોઇડ અને ફ્લેવિન સંયોજનો તથા વિટામિન A અને B2નાં બંધારણ અંગે સંશોધન કરનાર સ્વિસ રસાયણવિદ. આ સંશોધન માટે તેમને 1937ના વર્ષનો નોબેલ પુરસ્કાર ગ્રેટ બ્રિટનના સર વૉલ્ટેર હેવર્થ (Walter Haworth) સાથે સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો હતો. 1908માં…

વધુ વાંચો >

કારવણ (કાયાવરોહણ)

Jan 23, 1992

કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો…

વધુ વાંચો >

કારવાર

Jan 23, 1992

કારવાર : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનું વહીવટી મથક, મધ્યમ કક્ષાનું બંદર અને ભારતીય નૌસેનાનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 140 48’ ઉ. અ. અને 740 08’ પૂ. રે.. કારવારથી મુંબઈ 488 કિમી., બૅંગલોર 547 કિમી., પણજી 64 કિમી. અને મેંગલોર 273 કિમી. છે. કિનારા નજીક નાના ટાપુઓથી બંદર રક્ષાયેલું છે અને…

વધુ વાંચો >

કારંથ, બી. વી.

Jan 23, 1992

કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા. નાટ્યનિર્માણ અને ભજવણીના સઘન સંસ્કાર તેમને અહીં સાંપડ્યા. પણ નાટ્યપ્રવૃત્તિનું આ…

વધુ વાંચો >

કારંથ, શિવરામ

Jan 23, 1992

કારંથ, શિવરામ (જ. 1902, કોટા, કાનડા જિલ્લો, કર્ણાટક) : કન્નડ લેખક. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમના ગામમાં જ લીધું અને પછી ધારવાડ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે દાખલ થયા. એ વખતે દેશભરમાં ગાંધીજીના અસહકાર આંદોલનથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. એ સમયે એ ઇન્ટરમાં ભણતા હતા. એમણે કૉલેજ છોડી અને અસહકાર આંદોલનમાં…

વધુ વાંચો >

કારા, કાર્લો

Jan 23, 1992

કારા, કાર્લો (જ. 11 ફેબ્રુઆરી 1881, કાર્ગાનેન્તો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1966, મિલાન, ઇટાલી) : ફ્યૂચુરિસ્ટિક ચિત્રશૈલીમાં સર્જન કરવા માટે જાણીતા આધુનિક ઇટાલિયન ચિત્રકાર. કલાનો પ્રારંભિક અભ્યાસ બ્રેરા નગરમાં કર્યો. 1915 સુધી તેમણે ઘનવાદી શૈલીમાં ચિત્રો ચીતર્યાં. 1912થી 1915 સુધી તેમનાં ઘનવાદી ચિત્રોનો મુખ્ય વિષય નગ્ન મહિલાઓ હતો. પછીથી તેઓ…

વધુ વાંચો >