૪.૧૬

કસ્ટમ યુનિયનથી કંથાર

કસ્ટમ યુનિયન

કસ્ટમ યુનિયન : બે અથવા વધુ સાર્વભૌમ દેશો વચ્ચે પારસ્પરિક તથા અન્ય દેશો સાથે થતા વ્યાપારને સ્પર્શતા જકાત દરો અંગે કરવામાં આવતો કરાર. જુદા જુદા દેશો આર્થિક એકીકરણ(integration)ના હેતુથી ભિન્ન ભિન્ન પ્રકારના કરારો કરે છે. કસ્ટમ યુનિયન તેનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. આવા આર્થિક સંગઠનના બે મુખ્ય ગુણધર્મો હોય છે…

વધુ વાંચો >

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં…

વધુ વાંચો >

કસ્તૂરી

કસ્તૂરી (musk) : હિમાચ્છાદિત પર્વતોમાં થતા કસ્તૂરીમૃગ નામના નર જાતિની લિંગગ્રંથિની નજીક નાભિમાં જામી જતો, સુગંધિત (દ્રવ) પદાર્થ. તે ઘનસ્વરૂપે કે કસ્તૂરીમૃગના ડૂંટામાં જ પ્રાય: વેચાય છે. તે મૃગ(હરણ)નો કામ-મદ છે. વિવિધભાષી નામો : સં. मृगनाभि, मृगमद, कस्तूरिका, कस्तूरी, वेधमूखा; હિ. मृगनाभि, कस्तूरी; બં. मृगनाभि, कस्तूरी; મ. ગુ. ક. તે.…

વધુ વાંચો >

કસ્તૂરીભૈરવરસ

કસ્તૂરીભૈરવરસ : રસૌષધિ. શુદ્ધ હિંગળોક, શુદ્ધ વછનાગ, ફુલાવેલ ટંકણખાર, જાવંત્રી, જાયફળ, મરી, લીંડીપીપર અને કસ્તૂરી સરખે ભાગે લેવામાં આવે છે. પ્રથમ કસ્તૂરી સિવાયની બાકીની વસ્તુઓનાં ચૂર્ણ ખરલમાં નાખી, તેમાં બ્રાહ્મીનો ક્વાથ નાખી, ત્રણ દિવસ સતત ઘૂંટવામાં આવે છે. પછી તેમાં કસ્તૂરી ભેળવી, તેમાં નાગરવેલના પાનનો રસ નાખી 3 કલાક દવાની…

વધુ વાંચો >

કહકોસુ

કહકોસુ (કથાકોશ) (ઈ. અગિયારમી સદી ઉત્તરાર્ધ આશરે) : અપભ્રંશ ભાષાની 190 કથાઓનો કોશ. પ્રસિદ્ધ દિગંબરાચાર્ય કુન્દકુન્દાચાર્યની પરંપરાના વીરચન્દ્રના શિષ્ય શ્રીચંદ્રમુનિએ ‘કહકોસુ’ નામક કૃતિની રચના કરી હતી. કવિએ ‘દંસણકહરયણકરંડ’ (દર્શનકથારત્નકરંડ) નામે અન્ય કૃતિ પણ શ્રીમાલપુર(ભીન્નમાલ)માં રાજા કર્ણના રાજ્યકાળમાં 1066માં રચેલી મળી આવે છે. આથી કથાકોશની રચના પણ તે સમયની આસપાસ થઈ…

વધુ વાંચો >

કહાણી

કહાણી : ધાર્મિક ભાવના અને માન્યતાઓ પર આધારિત મરાઠી લોકસાહિત્યનો એક પ્રાચીન પ્રકાર. તે મુખ્યત્વે બહેનો દ્વારા વ્રતની ઉજવણીના સમય દરમિયાન ઉપયોગમાં લેવાય છે. વ્રત કરનારી બહેનો જે તે વ્રતનું માહાત્મ્ય તથા તેની ફલશ્રુતિની સમજણ આ કહાણી દ્વારા બીજાને દર્શાવે છે. દરેક વ્રત માટે અલગ અલગ કહાણી હોય છે. શ્રાવણ…

વધુ વાંચો >

કહાન લુઇ

કહાન, લુઇ (જ. 1901, ઑસેલ ટાપુ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 1974) : જગવિખ્યાત વાસ્તુશાસ્ત્રી. તે 1920થી 1924 દરમિયાન અમેરિકાની પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં વાસ્તુવિદ્યા ભણ્યા. ત્યારબાદ યુરોપના ઘણા દેશોમાં પ્રવાસ કરી તેમણે સ્થાપત્યનો પ્રત્યક્ષ અનુભવ અને અભ્યાસ કર્યો. 1937માં તેમણે ફિલાડેલ્ફિયામાં પોતાની ઑફિસ શરૂ કરી ત્યારે જ્યૉર્જ હો તથા ઑસ્કર સ્ટૉનોરૉવ તેમના ભાગીદાર…

વધુ વાંચો >

કહારયણકોસો (કથારત્નકોશ)

કહારયણકોસો (કથારત્નકોશ) (સન 1101) : દેવભદ્રસૂરિ-રચિત કથાકોશ. તે નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. આ ગ્રંથનો રચનાકાળ વિ.સં. 1158 છે અને રચનાસ્થળ છે ભૃગુકચ્છ નગરનું મુનિસુવ્રત ચૈત્યાલય. આ કથાકોશમાં કુલ 50 કથાઓ છે. આ ગ્રંથ બે અધિકારોમાં વિભક્ત છે : ધર્માધિકારી – સામાન્ય ગુણવર્ણનાધિકાર અને બીજો વિશેષ ગુણવર્ણનાધિકાર. પહેલા અધિકારમાં 33…

વધુ વાંચો >

કહાવલી (કથાવલી)

કહાવલી (કથાવલી) (ઈ. સ.ની બારમી સદી આશરે) : પ્રાકૃત ગદ્યમાં રચાયેલ વિશાળ પૌરાણિક કોશ. શ્વેતામ્બર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિવિરચિત. કૃતિમાંથી રચયિતાના નામ સિવાય કોઈ વિગત પ્રાપ્ત થતી નથી. કથાવલીની વિક્રમ સંવત 1497(ઈ.સ. 1440)માં લખાયેલી એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં સચવાઈ રહી છે. વળી કથાવલીમાં અંતિમ કથાનક રૂપે પ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રનું જીવનચરિત્ર મળે…

વધુ વાંચો >

કહેવતકથા (લોકોક્તિ)

કહેવતકથા (લોકોક્તિ) : ‘કહેવત’ અને ‘કથા’ એ બે શબ્દો મળીને ‘કહેવતકથા’ થઈ, પણ ‘કહેવતકથા’ શબ્દપ્રયોગ આધુનિક કાળે પ્રયોજાવો શરૂ થયો છે. લૌકિક પરંપરામાં ‘કહેવતકથા’ ‘લોકોક્તિ’ તરીકે પણ પ્રચલિત હતી. ‘કહેવત’ એટલે કહેતી, ર્દષ્ટાંત, દાખલો કે ઉદાહરણ; ‘કહેવત’ ‘કહે’ ઉપરથી વ્યુત્પન્ન થાય છે, તેથી કહેવતના મૂળમાં ‘કહેવું’ ‘કહેણી’ કે ‘કથવું’ અર્થ…

વધુ વાંચો >

કંકુ

Jan 16, 1992

કંકુ : પન્નાલાલ પટેલની ગુજરાતી નવલકથા ‘કંકુ’ પર આધારિત ગુજરાતી સિનેકૃતિ (1969). પટકથા, નિર્માતા અને દિગ્દર્શક : કાન્તિલાલ રાઠોડ; સંગીત : દિલીપ ધોળકિયા; ગીતો : વેણીભાઈ પુરોહિત; પ્રમુખ અભિનયવૃન્દ : પલ્લવી મહેતા (કંકુ), કિશોર જરીવાલા (ખૂમો), કિશોર ભટ્ટ (મલકચંદ), અરવિંદ જોષી, કૃષ્ણકાન્ત ભૂખણવાલા. ઉત્તર ગુજરાતના ગ્રામવિસ્તારના વાતાવરણમાં આલેખાયેલ આ નવલકથાનાં…

વધુ વાંચો >

કંકોડાં (કંટોલાં)

Jan 16, 1992

કંકોડાં (કંટોલાં) : શાકફળ. સં. कर्कोटकी, कंटफला, स्वादुफला; હિં. खेखसा, ककोडा. ककरौल; મ. कर्टोली, कांटली, फाकली; બં. कांकरोल; લૅ : Mormodica dioica Roxb. એ પ્રસિદ્ધ ચોમાસું શાકફળ છે. ભારતમાં તેના વેલા સર્વત્ર ડુંગરાળ જમીનમાં, ચોમાસાના વરસાદ પછી આપોઆપ ઊગી નીકળે છે. વાડ કે ઝાડ-ઝાંખરાં ઉપર તેના વેલા ફેલાય છે. તેમાં…

વધુ વાંચો >

કંચુકી

Jan 16, 1992

કંચુકી : કંચુકનો અર્થ છે આવરણ કે વેષ્ટન. કંચુકો શિવને લપેટાઈને તેને જીવ બનાવી દે છે. પરમ શિવને જ્યારે સૃષ્ટિ કરવાની ઇચ્છા થાય છે ત્યારે તેમનામાંથી બે તત્વો ઉત્પન્ન થાય છે – શિવ અને શક્તિ. પરમ શિવ નિર્ગુણ અને નિરંજન છે. શિવ સગુણ અને સિસૃક્ષા(સર્જન કરવાની ઇચ્છા)રૂપી ઉપાધિથી યુક્ત હોય…

વધુ વાંચો >

કંટક, પ્રેમાબહેન

Jan 16, 1992

કંટક, પ્રેમાબહેન (જ. 1905, કંવર; અ. 1985) : સ્વાતંત્ર્યસેનાની અને મહિલા સશક્તીકરણનાં સમર્થક. તેઓ 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં. અભ્યાસકાળનાં વર્ષો દરમિયાન વિદ્યાર્થી-લડતમાં સક્રિય રહ્યાં અને સાઇમન કમિશન સમક્ષ દેખાવો યોજવાના કાર્યમાં જોડાયાં. બૉમ્બે પ્રેસિડેન્સી યૂથ લીગમાં કારોબારીના સભ્ય તરીકે ચૂંટાયાં. આ અરસામાં સામ્યવાદી વિચારધારાનો અભ્યાસ કર્યો, પણ આકર્ષાયાં ગાંધીવિચારથી.…

વધુ વાંચો >

કંટકશોધન

Jan 16, 1992

કંટકશોધન : સમાજને હાનિકારક તત્વને શોધીને દૂર કરવાની પ્રવૃત્તિ. સમાજને પીડનારા દુરાચારી લોકો એટલે કંટક કે કાંટા. તેમને શોધી, વીણીને દૂર કરવા એટલે કંટકશોધન. કૌટિલ્યે તેમના સુવિખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્રમાં આ વિષય ઉપર એક આખું પ્રકરણ આપેલું છે. તેના મહત્વના મુદ્દા નીચે મુજબ છે : સમાજના ગુપ્ત કંટકરૂપ એવા શત્રુઓને શોધી…

વધુ વાંચો >

કંટાળો

Jan 16, 1992

કંટાળો (boredom) : એક પ્રકારની માનસિક સ્થિતિ. વ્યક્તિને જે કામ ચાલુ રાખવા અથવા પૂરું કરવા માટે ફરજ પાડવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતી વૃત્તિ તે કંટાળો. કોઈ પણ કામ કરવાનું આજે ગમે, તે કરવામાં કાલે કંટાળો પણ ઊપજે. કામ બધા જ માણસોને એકસરખું કંટાળાજનક ન પણ લાગે. કંટાળાની લાગણી કામ વાસ્તવિક…

વધુ વાંચો >

કંઠપાંસળી

Jan 16, 1992

કંઠપાંસળી (cervical rib) : ગરદનમાં વધારાની પાંસળી હોય ત્યારે તેનાથી થતો વિકાર. સામાન્ય રીતે છાતીમાં પાંસળીઓની બાર જોડ આવેલી હોય છે અને તે વક્ષવિસ્તારના કરોડના મણકા સાથે જોડાયેલી હોય છે. જો કંઠપાંસળી હોય તો તે ગરદનના વિસ્તારમાં આવેલા સૌથી નીચલા (સાતમા) મણકા કે ક્યારેક પાંચમા કે છઠ્ઠા મણકા સાથે જોડાયેલી…

વધુ વાંચો >

કંઠમાળનો રોગ (વનસ્પતિ)

Jan 16, 1992

કંઠમાળનો રોગ (વનસ્પતિ) : પાકોની વનસ્પતિના ગરદન વિસ્તારમાં સૂક્ષ્મ જીવાણુ, ફૂગ તથા કૃમિના આક્રમણથી તેનાં કોષ અને પેશીઓનો ઝડપથી વિકાસ થતાં તેમાં થોડા થોડા અંતરે તૈયાર થતી ગાંઠને લીધે કંઠ વિસ્તારમાં માળાનો દેખાવ પેદા કરતો રોગ. હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ

વધુ વાંચો >

કંઠમાળનો રોગ (ગૉઇટર)

Jan 16, 1992

કંઠમાળનો રોગ (ગૉઇટર) : ગળાના વિસ્તારમાં થાઇરૉઇડ ગ્રંથિના અનિચ્છનીય સોજાથી થતો રોગ. કંઠમાળ થવાનું મુખ્ય કારણ ખોરાકમાં આયોડિનની ઊણપ છે. માનવશરીરમાં આયોડિન એ ફક્ત થાઇરૉઇડ ગ્રંથિના અંત:સ્રાવનું સંશ્લેષણ કરવામાં નિર્ણાયક ફાળો આપે છે. આથી આયોડિનની ઊણપને લીધે અંત:સ્રાવના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. પુખ્ત માનવના દૈનિક ખોરાકમાં આયોડિનની માત્રા 100-150 ug…

વધુ વાંચો >

કંડલા

Jan 16, 1992

કંડલા : ગુજરાતમાં આવેલું મહાબંદર. જે દિનદયાલ બંદર તરીકે ઓળખાય છે. ભારતનાં અગિયાર પ્રમુખ બંદરો પૈકીનું એક. તે કચ્છના અખાતના શીર્ષ ભાગ પર, 22o 58′ ઉ. અ. અને 70o 13′ પૂ. રે. ઉપર આવેલું છે. 1947માં ભારતના ભાગલા પડતાં કરાંચી બંદર પાકિસ્તાનમાં જતાં, તેની ખોટ પૂરવા, ભારતના પશ્ચિમ કિનારે બંદર…

વધુ વાંચો >