૪.૧૬

કસ્ટમ યુનિયનથી કંથાર

કંથકોટ

કંથકોટ : કચ્છમાં ભૂજની 96.65 કિમી. પૂર્વમાં ભચાઉ તાલુકામાં મનફરા ગામ પાસે ટેકરા ઉપરનો ઐતિહાસિક ડુંગરી કિલ્લો. દરવાજા, સૂર્યમંદિર અને જૈનમંદિરના પ્રાચીન અવશેષો, ભગ્ન કિલ્લો આઠમી સદીની કાઠીની રાજધાનીથી માંડીને ચાવડાઓનો અમલ અને ત્યારપછી મુસ્લિમોનો સમય અને કચ્છના રાવના રાજ્યકાળ સુધીના સમયની સાક્ષી પૂરે છે. 950માં તે મૂળરાજ સોલંકીનું આશ્રયસ્થાન…

વધુ વાંચો >

કંથાર (કાળો કંથારો) – કંથેર

કંથાર (કાળો કંથારો) – કંથેર : વનૌષધિ. સં. कन्थारि, कन्थार, गृध्रनखी, वक्र- कंटका, काकादनी, अहिंस्रा; હિ. कन्थारि, कन्धारी, हैंसा; મ. कांथारी, कंथाबेल; બં. कालियाकडा, कांटागुडकाभाई; અં. Cather Plant; લૅ. Capparis Sepiaria Linn. કુળ-કેપેરિડેસી. કંથાર કે કંથારીની મોટી અને ખૂબ લાંબી કાષ્ઠમય વેલો ગુજરાતમાં ખેતરની વાડો પર બાવળ, થોર જેવી ઝાડીઓ…

વધુ વાંચો >

કસ્ટમ યુનિયન

Jan 16, 1992

કસ્ટમ યુનિયન : બે અથવા વધુ સાર્વભૌમ દેશો વચ્ચે પારસ્પરિક તથા અન્ય દેશો સાથે થતા વ્યાપારને સ્પર્શતા જકાત દરો અંગે કરવામાં આવતો કરાર. જુદા જુદા દેશો આર્થિક એકીકરણ(integration)ના હેતુથી ભિન્ન ભિન્ન પ્રકારના કરારો કરે છે. કસ્ટમ યુનિયન તેનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. આવા આર્થિક સંગઠનના બે મુખ્ય ગુણધર્મો હોય છે…

વધુ વાંચો >

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)

Jan 16, 1992

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં…

વધુ વાંચો >

કસ્તૂરી

Jan 16, 1992

કસ્તૂરી (musk) : હિમાચ્છાદિત પર્વતોમાં થતા કસ્તૂરીમૃગ નામના નર જાતિની લિંગગ્રંથિની નજીક નાભિમાં જામી જતો, સુગંધિત (દ્રવ) પદાર્થ. તે ઘનસ્વરૂપે કે કસ્તૂરીમૃગના ડૂંટામાં જ પ્રાય: વેચાય છે. તે મૃગ(હરણ)નો કામ-મદ છે. વિવિધભાષી નામો : સં. मृगनाभि, मृगमद, कस्तूरिका, कस्तूरी, वेधमूखा; હિ. मृगनाभि, कस्तूरी; બં. मृगनाभि, कस्तूरी; મ. ગુ. ક. તે.…

વધુ વાંચો >

કસ્તૂરીભૈરવરસ

Jan 16, 1992

કસ્તૂરીભૈરવરસ : રસૌષધિ. શુદ્ધ હિંગળોક, શુદ્ધ વછનાગ, ફુલાવેલ ટંકણખાર, જાવંત્રી, જાયફળ, મરી, લીંડીપીપર અને કસ્તૂરી સરખે ભાગે લેવામાં આવે છે. પ્રથમ કસ્તૂરી સિવાયની બાકીની વસ્તુઓનાં ચૂર્ણ ખરલમાં નાખી, તેમાં બ્રાહ્મીનો ક્વાથ નાખી, ત્રણ દિવસ સતત ઘૂંટવામાં આવે છે. પછી તેમાં કસ્તૂરી ભેળવી, તેમાં નાગરવેલના પાનનો રસ નાખી 3 કલાક દવાની…

વધુ વાંચો >

કહકોસુ

Jan 16, 1992

કહકોસુ (કથાકોશ) (ઈ. અગિયારમી સદી ઉત્તરાર્ધ આશરે) : અપભ્રંશ ભાષાની 190 કથાઓનો કોશ. પ્રસિદ્ધ દિગંબરાચાર્ય કુન્દકુન્દાચાર્યની પરંપરાના વીરચન્દ્રના શિષ્ય શ્રીચંદ્રમુનિએ ‘કહકોસુ’ નામક કૃતિની રચના કરી હતી. કવિએ ‘દંસણકહરયણકરંડ’ (દર્શનકથારત્નકરંડ) નામે અન્ય કૃતિ પણ શ્રીમાલપુર(ભીન્નમાલ)માં રાજા કર્ણના રાજ્યકાળમાં 1066માં રચેલી મળી આવે છે. આથી કથાકોશની રચના પણ તે સમયની આસપાસ થઈ…

વધુ વાંચો >

કહાણી

Jan 16, 1992

કહાણી : ધાર્મિક ભાવના અને માન્યતાઓ પર આધારિત મરાઠી લોકસાહિત્યનો એક પ્રાચીન પ્રકાર. તે મુખ્યત્વે બહેનો દ્વારા વ્રતની ઉજવણીના સમય દરમિયાન ઉપયોગમાં લેવાય છે. વ્રત કરનારી બહેનો જે તે વ્રતનું માહાત્મ્ય તથા તેની ફલશ્રુતિની સમજણ આ કહાણી દ્વારા બીજાને દર્શાવે છે. દરેક વ્રત માટે અલગ અલગ કહાણી હોય છે. શ્રાવણ…

વધુ વાંચો >

કહાન લુઇ

Jan 16, 1992

કહાન, લુઇ (જ. 1901, ઑસેલ ટાપુ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 1974) : જગવિખ્યાત વાસ્તુશાસ્ત્રી. તે 1920થી 1924 દરમિયાન અમેરિકાની પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં વાસ્તુવિદ્યા ભણ્યા. ત્યારબાદ યુરોપના ઘણા દેશોમાં પ્રવાસ કરી તેમણે સ્થાપત્યનો પ્રત્યક્ષ અનુભવ અને અભ્યાસ કર્યો. 1937માં તેમણે ફિલાડેલ્ફિયામાં પોતાની ઑફિસ શરૂ કરી ત્યારે જ્યૉર્જ હો તથા ઑસ્કર સ્ટૉનોરૉવ તેમના ભાગીદાર…

વધુ વાંચો >

કહારયણકોસો (કથારત્નકોશ)

Jan 16, 1992

કહારયણકોસો (કથારત્નકોશ) (સન 1101) : દેવભદ્રસૂરિ-રચિત કથાકોશ. તે નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. આ ગ્રંથનો રચનાકાળ વિ.સં. 1158 છે અને રચનાસ્થળ છે ભૃગુકચ્છ નગરનું મુનિસુવ્રત ચૈત્યાલય. આ કથાકોશમાં કુલ 50 કથાઓ છે. આ ગ્રંથ બે અધિકારોમાં વિભક્ત છે : ધર્માધિકારી – સામાન્ય ગુણવર્ણનાધિકાર અને બીજો વિશેષ ગુણવર્ણનાધિકાર. પહેલા અધિકારમાં 33…

વધુ વાંચો >

કહાવલી (કથાવલી)

Jan 16, 1992

કહાવલી (કથાવલી) (ઈ. સ.ની બારમી સદી આશરે) : પ્રાકૃત ગદ્યમાં રચાયેલ વિશાળ પૌરાણિક કોશ. શ્વેતામ્બર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિવિરચિત. કૃતિમાંથી રચયિતાના નામ સિવાય કોઈ વિગત પ્રાપ્ત થતી નથી. કથાવલીની વિક્રમ સંવત 1497(ઈ.સ. 1440)માં લખાયેલી એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં સચવાઈ રહી છે. વળી કથાવલીમાં અંતિમ કથાનક રૂપે પ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રનું જીવનચરિત્ર મળે…

વધુ વાંચો >

કહેવતકથા (લોકોક્તિ)

Jan 16, 1992

કહેવતકથા (લોકોક્તિ) : ‘કહેવત’ અને ‘કથા’ એ બે શબ્દો મળીને ‘કહેવતકથા’ થઈ, પણ ‘કહેવતકથા’ શબ્દપ્રયોગ આધુનિક કાળે પ્રયોજાવો શરૂ થયો છે. લૌકિક પરંપરામાં ‘કહેવતકથા’ ‘લોકોક્તિ’ તરીકે પણ પ્રચલિત હતી. ‘કહેવત’ એટલે કહેતી, ર્દષ્ટાંત, દાખલો કે ઉદાહરણ; ‘કહેવત’ ‘કહે’ ઉપરથી વ્યુત્પન્ન થાય છે, તેથી કહેવતના મૂળમાં ‘કહેવું’ ‘કહેણી’ કે ‘કથવું’ અર્થ…

વધુ વાંચો >