૪.૦૮

કન્નડ ભાષા અને સાહિત્યથી કપ્પસુત્ત (કલ્પસૂત્ર)

કન્નડ ભાષા અને સાહિત્ય

કન્નડ ભાષા અને સાહિત્ય દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની અને કન્નડ નામે ઓળખાતા પ્રદેશની ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. કર્ણાટકનો ઉલ્લેખ વ્યાસોક્ત મહાભારતમાં તથા તમિળ ભાષાના પ્રાચીન ગ્રંથ ‘શિલપ્પદિકારમ્’(ઈ.સ.ની બીજી સદી)માં થયેલો છે તેમજ આ જ ગાળામાં રચાયેલા એક ગ્રીક નાટકમાં કન્નડ ભાષાના કેટલાક શબ્દો મળ્યા હોવાનું કહેવાય છે. આ જોતાં…

વધુ વાંચો >

કન્નડ હસન

કન્નડ હસન (જ. 24 જૂન 1927, સિરુકુડલપટ્ટી, જિ. રામનાથપુર, તમિલનાડુ; અ. 17 ઑક્ટોબર 1981, શિકાગો, ઇલિનોઇસ, યુ.એસ.) : તમિળ ભાષાના અગ્રણી કવિ-નવલકથાકાર. તેમની નવલકથા ‘ચેરામન કદલી’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને કોઈ પ્રકારનું વિધિસર શિક્ષણ મળ્યું ન હતું. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કાવ્યની રચના કરી હતી.…

વધુ વાંચો >

કન્નુર

કન્નુર (Kannur) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેનું જૂનું નામ કાનાનોર (cannanore) હતું. ભૌગોલિક સ્થાન : તે 11o 40’થી 12o 48′ ઉ. અ. અને 74o 52’થી 75o 56′ પૂ. રે. વચ્ચેનો 2,966 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યની…

વધુ વાંચો >

કન્ફેશન

કન્ફેશન : પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અંગેનો ખ્રિસ્તી ધર્મનો એક સંસ્કાર. એમાં મનુષ્ય પોતે કરેલાં પાપને કબૂલી, પ્રાયશ્ચિત્ત કરીને ઈશ્વરની ક્ષમા યાચે છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રાયશ્ચિતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઈસુએ કહ્યું છે કે જે માનવી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે…

વધુ વાંચો >

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન : અધર્મમાંથી ધર્મના માર્ગે વળવાની મહાયાત્રાની અંગ્રેજીમાં લખાયેલી સંત ઑગસ્ટિનની આત્મકથા (397-401). ખ્રિસ્તી ધર્મમાં સેક્રામેન્ટ અંતર્ગત માફી બક્ષવાની ધર્મક્રિયાને કન્ફેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં પોતાનાં સ્ખલનોનો એકરાર ધર્મગુરુ સમક્ષ કરવાનો હોય છે અને ધર્મગુરુ ઈશ્વરને નામે તેને પાપમુક્ત કરે છે. થઈ ગયેલાં પાપો વિશેનો…

વધુ વાંચો >

કન્યા

કન્યા : ન્યાયની દેવી વર્જિનનું આકાશી સ્થાન દર્શાવતું – કન્યા-રાશિનું – એક મોટું તારકમંડળ. એનો કેશમંડળ તરફનો ઉત્તર વિભાગ તારાવિશ્વોથી ભરપૂર છે. કલ્પનામાં પણ ન આવે તેવો એ તારાવિશ્વોનો જમાવ છે. ત્યાં તારાવિશ્વોનાં જૂથનાં પણ જૂથ છે. તારાવિશ્વોની સાંદ્રતા 2,500ની સંખ્યા દર્શાવે છે. કન્યાનો મુખ્ય તારો ચિત્રા સૂર્યની સરખામણીમાં 1,000…

વધુ વાંચો >

કન્યાકુમારી

કન્યાકુમારી : તમિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 8o 03’થી 8o 35′ ઉ. અ. અને 77o 05’થી 77o 36′ પૂ. રે. વચ્ચેનો 1,685 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતીય દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરના સંગમસ્થળે આવેલો છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

કન્યાશુલ્કમુ

કન્યાશુલ્કમુ (1897) : સામાજિક તેલુગુ નાટક. તેના લેખક ગુરજાડા અપ્પારાવ આધુનિક તેલુગુ સાહિત્યના પ્રવર્તક વીરેશલિંગમ્ જેવા સુધારક હતા. આ નાટકની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં, સમાજસુધારાના આંદોલનને શક્તિશાળી બનાવવા અને તેલુગુ ભાષાના નાટકની રચનાને સાર્થક ઠરાવવા, આ નાટકની રચના કરવામાં આવી છે એવું જણાવ્યું હતું. આ નાટકમાં વૃદ્ધ વર સાથે નાની વયની…

વધુ વાંચો >

કન્સ્ટ્રક્ટિવિઝમ

કન્સ્ટ્રક્ટિવિઝમ (શરૂઆત 1913, રશિયા, અંત 1937, જર્મની) : ઘનવાદ અને ફ્યુચરિઝમથી પ્રેરિત ભૌમિતિક આકારો વડે અમૂર્ત ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય રચનાઓ કરવાની કલાશૈલી. 1913માં રશિયામાં તેનો પ્રારંભ રશિયન ચિત્રકાર અને શિલ્પી વ્લાદિમીર ટાટ્લીને કર્યો. રશિયન શિલ્પીઓ નૌમ ગાબો અને ઍન્તૉની પેસ્નર પણ આ કળાશૈલીમાં જોડાયા. એ ત્રણેએ ભેગા મળીને 1920માં…

વધુ વાંચો >

કન્હેરીનાં શિલ્પો

કન્હેરીનાં શિલ્પો : મુંબઈ પાસે બોરીવલીની નજીક આવેલી કન્હેરી ગુફાઓમાંનાં શિલ્પો. તેમાં કંડારેલી સોએક જેટલી બૌદ્ધગુફાઓને લીધે પ્રસિદ્ધ છે. ગુફાની દીવાલો પર વરદ મુદ્રાવાળા ઊભેલા બુદ્ધ કે ધર્મચક્રપ્રવર્તનની મુદ્રાવાળા બેઠેલા બુદ્ધ તેમજ કરુણામૂર્તિ બોધિસત્વ અવલોકિતેશ્વર, ભક્તો વગેરેની મોટા કદની આકૃતિઓ કંડારેલી છે. ભારતીય સંસ્કૃતિ તથા પુરાતત્વની ર્દષ્ટિએ આ મહત્વનાં ગુફા…

વધુ વાંચો >

કપડવણજ

Jan 8, 1992

કપડવણજ : ખેડા જિલ્લાનો એક તાલુકો તથા નગર. કપડવણજ તાલુકાનું ક્ષેત્રફળ 985.7 ચો.કિમી. અને તેની વસ્તી આશરે 3,00,000 (2011).  જ્યારે કપડવણજની વસ્તી 49,308 (2011). શહેર 23o 01′ ઉ. અ. અને 73o 04′ પૂ. રે. ઉપર આવેલું છે. તેનું ક્ષેત્રફળ 19.22 ચોકિમી. છે. કપડવણજ તાલુકાની વાત્રક, મહોર અને વરાંસી નદીઓનાં કોતરોને…

વધુ વાંચો >

કપ-રકાબી વેલ

Jan 8, 1992

કપ-રકાબી વેલ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holmskioldia Sanguinea Rets. (અં. કપ-સોસર ક્લાઇમ્બર, ચાઇનિઝ-હૅટ-પ્લાન્ટ) છે. તે આફ્રિકા, માડાગાસ્કર, ભારત અને મ્યાનમારમાં થાય છે. તે હિમાલયમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી અને આસામ તેમજ બિહારમાં થાય છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રધનુ, રતવેલિયો, શેવન, નગોડ, અરણી વગેરેનો સમાવેશ…

વધુ વાંચો >

કપાસ

Jan 8, 1992

કપાસ સુતરાઉ કાપડ માટેનું રૂ આપતો છોડ. કપાસનો ઉદભવ ક્યારે થતો અને માનવજાતે તેનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો તેની માહિતી કાળના પ્રવાહમાં ડૂબી ગયેલ છે. પ્રાચીન ઋષિમુનિઓ વલ્કલ શરીરઆવરણ માટે વાપરતા. વિનોબાજીએ તેમના ‘જીવનર્દષ્ટિ’ નામના પુસ્તકમાં ઉલ્લેખ કરેલ છે કે આશરે વીસેક હજાર વર્ષ પહેલાં ગૃત્સમદ નામના વૈદિક ઋષિએ નર્મદા-ગોદાવરી…

વધુ વાંચો >

કપાસની જીવાત

Jan 8, 1992

કપાસની જીવાત : વાવણીથી કાપણી સુધી કપાસના પાકને નુકસાન કરતા 134 જાતના કીટકો. રોકડિયા પાક ગણાતા કપાસનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, આસામ, ત્રિપુરા, ઓરિસા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં કરવામાં આવે છે. દેશમાં સૌથી વધુ એટલે કે આશરે 16 % જેટલું તેનું ઉત્પાદન…

વધુ વાંચો >

કપાસિયાનું તેલ

Jan 8, 1992

કપાસિયાનું તેલ : એક અગત્યનું ખાદ્યતેલ. પ્રાચીન કાળમાં ચીનમાં અને ભારતમાં કપાસિયા પીલીને મળતા તેલને ઔષધ તરીકે અને દીવાબત્તીમાં વાપરતા હતા. કપાસિયાના તેલ માટેની પ્રથમ ઑઇલ મિલ 1826માં અમેરિકા ખાતે દક્ષિણ કેરોલિનામાં સ્થપાઈ હતી, પણ આ ઉદ્યોગનો વિકાસ 1865માં શિકાગો ખાતે ઓલિયોમાર્જરિન (oleomargarine) ઉદ્યોગની શરૂઆત થઈ તે પછી થયો હતો.…

વધુ વાંચો >

કપિલદેવ રામલાલ નિખંજ

Jan 8, 1992

કપિલદેવ, રામલાલ નિખંજ (જ. 6 જાન્યુઆરી 1959, ચંદીગઢ) : ક્રિકેટની રમતમાં વિશ્વનો ઉત્કૃષ્ટ ઑલ રાઉન્ડર, ઝડપી ગોલંદાજ અને આક્રમક બૅટ્સમૅન તથા ભારતીય ક્રિકેટ ટીમનો ચોત્રીસ ટેસ્ટમાં સુકાની. ટેસ્ટ 115, રન 4,689 (સરેરાશ 36.45), વિકેટ 401 (સરેરાશ 29.67), ટેસ્ટ સદી 7, શ્રેષ્ઠ જુમલો 163, શ્રીલંકા વિરુદ્ધ કાનપુર ખાતે 1986-87. શ્રેષ્ઠ ગોલંદાજી…

વધુ વાંચો >

કપિલ મુનિ

Jan 8, 1992

કપિલ મુનિ : સાંખ્યદર્શનના આદ્ય પ્રણેતા. શ્વેતાશ્વેતરોપનિષદ-(5.2)માં કપિલને હિરણ્યગર્ભના અવતાર તરીકે નિર્દેશ્યા છે. મહાભારતના શાન્તિપર્વના મોક્ષધર્મ-ઉપપર્વમાં તેમને સાંખ્યના વક્તા ગણ્યા છે. શ્રીમદભગવદગીતા (10.26) તેમને સિદ્ધશ્રેષ્ઠ અને મુનિ તરીકે વર્ણવે છે. રામાયણના બાલકાણ્ડમાં કપિલ યોગીને વાસુદેવના અવતાર અને સગરના સાઠ હજાર પુત્રોને ભસ્મ કરનાર કહ્યા છે. ભાગવતપુરાણના કાપિલેયોપાખ્યાનમાં કપિલને વિષ્ણુના અવતાર…

વધુ વાંચો >

કપિલર

Jan 8, 1992

કપિલર : ઈ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી સદીની વચ્ચેના તમિળ સાહિત્યના સંગમકાળના પ્રસિદ્ધ કવિ. કુશાગ્ર બુદ્ધિને કારણે નાની વયમાં જ તેમણે તમિળ સાહિત્ય તથા વ્યાકરણ વિશે સારું જ્ઞાન મેળવ્યું હતું. ત્રીજા સંઘના સભ્ય તરીકે એમને અવ્વેયાર અને ભરણર જેવા મહાન કવિઓ સાથે ઘનિષ્ઠ પરિચય થયો. એમના સમયના કેટલાક…

વધુ વાંચો >

કપિલવસ્તુ

Jan 8, 1992

કપિલવસ્તુ : શાક્યોના ગણરાજ્યનું પાટનગર અને સિદ્ધાર્થની જન્મભૂમિ. નેપાળમાં આવેલું તિલોરાકોટ તે જ કપિલવસ્તુ. સિદ્ધાર્થે ઓગણત્રીસની વયે કપિલવસ્તુથી મહાભિનિષ્ક્રમણ કરેલું. બુદ્ધત્વની પ્રાપ્તિના બીજા વર્ષે શુદ્ધોદનના નિમંત્રણથી બુદ્ધે કપિલવસ્તુની મુલાકાત લીધી. ગૌતમ બુદ્ધે પંદરમો ચાતુર્માસ કપિલવસ્તુમાં ઊજવેલો. કપિલવસ્તુમાં રહીને બુદ્ધે ઘણા શાક્યોને પ્રવ્રજ્યા આપેલી. આ નગરમાં સંથાગાર હતો. ભગવાન બુદ્ધની જન્મભૂમિ…

વધુ વાંચો >