૪.૦૭

કતીલ મુહંમદ હસનથી કન્ડેન્સર

કતીલ મુહંમદ હસન

કતીલ મુહંમદ હસન (જ. 1758, દિલ્હી; અ. 1817, લખનૌ) : ફારસી ભાષાના કવિ. મૂળ વતન ગુરદાસપુર (પંજાબ). તે ખતરી ભંડારી કુટુંબના હતા. તેમનું મૂળ નામ દીવાનીસિંગ હતું. તેમના પિતા દરગાહીમલ દિલ્હીમાં આવીને વસ્યા હતા. તેમણે અરબી, ફારસી ભાષાનો અભ્યાસ કરી વ્યાકરણ, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન, અલંકાર અને ગણિત વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું.…

વધુ વાંચો >

કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા)

કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા) (નવમી શતાબ્દી) : શૌરસેની પ્રાકૃતમાં કાર્તિકેય મુનિએ રચેલી 489 ગાથાઓની કૃતિ. એમાં અણુવેકખા (અનુપ્રેક્ષા) અર્થાત્ ભાવનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. વૈરાગ્યને પુષ્ટ કરતી બાર પ્રકારની ભાવનાઓ જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે : અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મભાવના. મુખ્યત્વે બાર ભાવનાઓનું…

વધુ વાંચો >

કથક (કથ્થક)

કથક (કથ્થક) : પ્રાચીન ભારતીય નૃત્યશૈલી. ભારતીય પરંપરા અનુસાર ‘સંગીત’ શબ્દમાં ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણે કલાઓનો સમાવેશ કરવામાં આવે છે. નૃત્યકલા સંગીતનું એક અવિભાજ્ય અંગ ગણાય છે. ભારતીય નૃત્યશૈલીઓમાં કથક ઉપરાંત ભરતનાટ્યમ્, કથકલી, મણિપુરી, કુચીપુડી તથા ઊડીસીનો સમાવેશ થાય છે. નૃત્યશૈલી અને સ્વરૂપની ર્દષ્ટિએ કથક બીજી નૃત્યશૈલીઓથી જુદી તરી…

વધુ વાંચો >

કથકલિ

કથકલિ : કેરળની નૃત્યનાટ્યકળા. તેનો શબ્દાર્થ નાટ્યવાર્તા થાય છે. પ્રાચીન કાળથી કેરળ નૃત્યો તથા નાટકોની ભૂમિ રહેલ છે. માતા ભગવતીની આરાધના સર્વત્ર થતી તેને અનુષંગે તૈય્યમ, તિરા, તય્યાટ્ટુ અથવા મુટિએટ્ટ નૃત્ય તથા નાટ્યના પ્રકારો પ્રચલિત હતા. નવમી તથા દસમી સદીમાં કૂટ્ટિયાટ્ટમ્ નામક સંસ્કૃત નાટ્યપરંપરાથી ઊતરી આવેલો પ્રાદેશિક ઢાળમાં નાટ્યપ્રકાર પ્રચારમાં…

વધુ વાંચો >

કથા

કથા : કથાની પરંપરા અત્યંત પ્રાચીન છે અને દરેક પ્રજાની પોતપોતાની આગવી કથા-વાર્તાની પરંપરા હોય છે. કથાના ઘટનાતત્વમાં એવું આકર્ષણ છે કે મનુષ્યમાત્રને કથા સાંભળવી-વાંચવી-જોવી ગમે છે. કથા શબ્દનું મૂળ છે સંસ્કૃત ધાતુ कथ् એટલે કે કહેવું કે બોલવું. બહુધા કથા કહેવાની જ પરંપરા હતી. ‘કથક’ અને ‘કથાકાર’ જેવા શબ્દો…

વધુ વાંચો >

કથાકાવ્ય

કથાકાવ્ય (ballad) : ટૂંકો વાર્તારૂપ લોકગીતનો પ્રકાર. તેનું મૂળ છે લૅટિન તથા ઇટાલિયન શબ્દ ‘ballare’ એટલે કે ‘નૃત્ય કરવું’. તાત્વિક રીતે કથાકાવ્ય એટલે કે બૅલડ વાર્તાની માંડણીવાળો ગીતપ્રકાર છે અને મૂળે તે નૃત્યની સંગતરૂપે રજૂ થતી સંગીતરચના હતું. ઘણાખરા દેશ-પ્રદેશની સંસ્કાર-પરંપરામાં કથાકાવ્યનો પ્રકાર પ્રચલિત થયેલો જોવા મળે છે. દરેક પ્રજાની…

વધુ વાંચો >

કથાઘટક

કથાઘટક : સાહિત્ય કે કલાની કૃતિમાં વણાયેલો કેન્દ્રવર્તી વિચાર. દા. ત., ઈર્ષ્યાભાવ એ ‘ઑથેલો’નું કથાબીજ કે ઘટક છે. આને માટે ફ્રેન્ચ ભાષામાં motif અને અંગ્રેજીમાં motive શબ્દો છે. અલબત્ત કેટલાક આંગ્લ લેખકો અંગ્રેજીમાં પણ motif લખાય-વપરાય એવો આગ્રહ સેવે છે. કૃતિનો પ્રધાન વિચાર ક્યારેક પાત્ર નિમિત્તે વ્યક્ત થતો હોય છે.…

વધુ વાંચો >

કથાવસ્તુ

કથાવસ્તુ (plot) : મુખ્યત્વે કલ્પનાશ્રિત સાહિત્યપ્રકારોમાં પરસ્પર સંકળાયેલાં કાર્યો કે ઘટનાઓનો રચનાબંધ. અંગ્રેજીમાં ‘પ્લૉટ’ તરીકે ઓળખાતી આ પ્રયુક્તિ વડે રચનાકાર નાટક, કાવ્ય તથા નવલકથામાં ઘટનાઓની યોજના કે ગોઠવણી અથવા પાત્રો-પ્રસંગોની ગૂંથણી એ રીતે કરતો રહે છે કે વાચક કે પ્રેક્ષકના ચિત્તમાં જિજ્ઞાસા ઉત્તેજાઈને કુતૂહલભાવ સતત સંકોરાતો રહે. કથાવસ્તુમાં અભિપ્રેત સ્થળ-સમયના…

વધુ વાંચો >

કથાસરિત્સાગર

કથાસરિત્સાગર (અગિયારમી સદી ઉત્તરાર્ધ) : કાશ્મીરી બ્રાહ્મણ કવિ સોમદેવનો સંસ્કૃત કથાગ્રંથ. ગુણાઢ્યે પૈશાચી ભાષામાં રચેલી બૃહત્કથાનું સોમદેવે કરેલું સંસ્કૃત રૂપાન્તર છે. કવિએ પોતે જ કહ્યું છે કે તે સંકલનકર્તા છે (सोमेन…विहित: खलु संग्रहोडयम् ।) શ્રીરામનો પુત્ર સોમદેવ કાશ્મીરનરેશ અનંતનો દરબારી કવિ હતો. અનંતનો શાસનકાળ 1042થી 1081નો મનાય છે. રાજાના મૃત્યુ…

વધુ વાંચો >

કથિક રાજવંશ

કથિક રાજવંશ : એક અલ્પખ્યાત રાજવંશ. ‘રુદ્રસેનના રાજકાળ દરમિયાનનું કથિક રાજાઓનું 127 વર્ષ’ એવું વિધાન દેવની મોરીના મહાસ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગકમાં કોતરેલું છે. આ કથિક રાજાઓ ભારતીય ઇતિહાસમાં જાણીતા નથી. રુદ્રસેન સાથે એમનો સંબંધ પણ સ્પષ્ટ થતો નથી. કથિકોના સિક્કા અહીંથી મળ્યા નથી. આ કથિકો પંજાબના કઠકો હોવાનો એક મત…

વધુ વાંચો >

કદંબ વંશ

Jan 7, 1992

કદંબ વંશ : માનવ્ય ગોત્રના અહિચ્છત્રના બ્રાહ્મણ મયૂર શર્માએ સ્થાપેલો વંશ. વેદના વિશેષ અધ્યયન માટે મયૂર શર્મા કાંચીપુરમ્ ગયા હતા. ત્યાં પલ્લવરાજના અધિકારીએ તેમનું અપમાન કરતાં તેમણે શાસ્ત્રો છોડીને શસ્ત્રો ધારણ કર્યાં અને શ્રીપર્વત (શ્રીશૈલ) આસપાસનો જંગલવાળો પ્રદેશ કબજે કરી કદંબ વંશની સ્થાપના કરી. સામનીતિ અપનાવી તથા આક્રમણ કરી તેમણે…

વધુ વાંચો >

કદવારનું શિલ્પસ્થાપત્ય

Jan 7, 1992

કદવારનું શિલ્પસ્થાપત્ય : ગુજરાતમાં ગુપ્તકાલીન સ્થાપત્યની પરંપરાનાં અવશેષરૂપ શિલ્પો. જૂનાગઢ જિલ્લામાં આવેલું કદવાર, સૂત્રાપાડાથી 3 કિમી. પશ્ચિમે અને સોમનાથથી 13 કિમી. દૂર આવેલું છે. અહીં નૃવરાહનું વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. વરાહની મૂર્તિ ઉપરાંત વામન અને નરસિંહ અવતારની મૂર્તિઓ છે. તે સૂચવે છે કે દશાવતારની બધી મૂર્તિઓ હશે. લંબચોરસ ગર્ભગૃહ અને…

વધુ વાંચો >

કનકદાસ

Jan 7, 1992

કનકદાસ (1509થી 1607) : કર્ણાટકના હરિદાસો પૈકીના એક અગ્રણી સંત અને ભક્તકવિ. તે પુરન્દરદાસ જેટલા જ લોકપ્રિય હતા. ઉત્તર કર્ણાટકના ધારવાડ જિલ્લાના બાડા ગામમાં ભગવાન વેંકટેશ્વરની કૃપાથી માતા વિરપય્યાની કૂખે તેમનો જન્મ થયાનું કહેવાય છે. પછી તેમનું તિમ્મપ્પા નાયક નામ રાખવામાં આવ્યું. તેમના પિતા વપય્યમ્મા બાડા ગામના સેનાપતિ હતા. કેટલાક…

વધુ વાંચો >

કનક મુનિ

Jan 7, 1992

કનક મુનિ : બૌદ્ધ ધર્મના સાત માનુષી બુદ્ધોમાંના પાંચમા બુદ્ધ. અશોકે રાજ્યાભિષેકના ચૌદમા વર્ષે કનક મુનિના સ્તૂપને બમણો કરાવ્યો હોવાનો નિર્દેશ અશોકના નિગલી સાગર (નિગ્લીવ) સ્તંભલેખમાં જોવા મળે છે. અભિષેકને 20 વર્ષ થયે અશોકે જાતે આવીને કનક મુનિની પૂજા કરી અને શિલાસ્તંભ ઊભો કરાવ્યો. પાંચ ધ્યાની બુદ્ધોમાંના બીજા ધ્યાની બુદ્ધ…

વધુ વાંચો >

કનકસુંદર રસ

Jan 7, 1992

કનકસુંદર રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ હિંગળો, શુદ્ધ ગંધક, શુદ્ધ ટંકણખાર, શુદ્ધ વછનાગ, શુદ્ધ ધતૂરાનાં બીજ, કાળાં મરી અને લીંડીપીપરનું બારીક ચૂર્ણ ખરલમાં નાખી ભાંગના ક્વાથમાં એક પ્રહર સુધી ખૂબ ઘૂંટીને એક એક રતીના પ્રમાણની ગોળીઓ બનાવાય છે. 1થી 2 ગોળી સવાર-સાંજ પાણી સાથે ગ્રહણી રોગ, અતિસાર, તાવ, અગ્નિમાંદ્ય વગેરેમાં…

વધુ વાંચો >

કનકામર

Jan 7, 1992

કનકામર (1065) : ‘કરકંડુચરિઉ’ નામે અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યના રચયિતા દિગંબર જૈન મુનિ. તે મૂળ બ્રાહ્મણ કુળના હતા અને વૈરાગ્યના કારણે દિગંબર જૈન મુનિ બન્યા હતા. દેશાટન કરતાં કરતાં ‘આસાઇય’ નામે નગરીમાં પહોંચી તેમણે ‘કરકંડુચરિઉ’ની રચના કરી હતી. તેમની કૃતિમાંથી કવિના સમય વિશે કોઈ જાણકારી મળતી નથી, પરંતુ તેમણે આપેલાં પૂર્વકવિઓનાં…

વધુ વાંચો >

કનકાસવ

Jan 7, 1992

કનકાસવ : આયુર્વેદિક ઔષધ. ગ્રંથપાઠ અને વિધિ : ધતૂરાનું પંચાંગ અને અરડૂસીનાં મૂળ 325-325 ગ્રામ; જેઠીમધ, લીંડીપીપર, ભોંયરીંગણી (બેઠી), નાગકેસર, સૂંઠ, ભારંગમૂળ અને તાલીસપત્ર – આ દરેકનું 160-160 ગ્રામ ચૂર્ણ; ધાવડીનાં ફૂલ 130 ગ્રામ, અધકચરી લીલવા (સૂકી) દ્રાક્ષ 165 ગ્રામ, સાકર 850 ગ્રામ, મધ 425 ગ્રામ અને પાણી 4,100 મિલિ.…

વધુ વાંચો >

કનડી

Jan 7, 1992

કનડી : સંધિપાદ (Arthropoda) સમુદાયના બહુપાદી (Myriapoda) વર્ગના પેટાવર્ગ દ્વિપાદયુગ્મી(Diplopoda)ની જીવાત. ઝમેલ, ભરવાડ કે ચૂડેલના નામે પણ ઓળખાય છે. તેઓ જડબાની એક જોડ ધરાવતી હોવાથી કીટકોની માફક ઉપસમુદાય ચિબુકી(Mandibulata)માં વર્ગીકૃત થાય છે. બહુપાદી વર્ગના અન્ય પ્રાણી-જીવાતોમાં કાનખજૂરાનો સમાવેશ થાય છે. પરંતુ કાનખજૂરામાં કડીદીઠ એક જોડ ચલનપાદ હોય છે; જ્યારે કનડી(ભરવાડ)માં…

વધુ વાંચો >

કનિષ્ક

Jan 7, 1992

કનિષ્ક (ઈ. સ. 78ની આસપાસ) : ઉત્તર ભારત અને મધ્ય એશિયામાં આણ પ્રવર્તાવનાર, બૌદ્ધ ધર્મનો આશ્રયદાતા, શક સંવતની સ્થાપના કરનાર કુશાણ વંશનો મહાન સમ્રાટ. તેના શાસનકાળનો સમય નિશ્ચિત નથી. કેટલાકના મતે તે ઈ. સ. 78માં ગાદીએ બેઠો અને 23 કે 24 વર્ષ રાજ્ય કર્યું અને શક સંવત તેણે પ્રવર્તાવ્યો. ફ્લીટ…

વધુ વાંચો >

કનિષ્કપુર

Jan 7, 1992

કનિષ્કપુર : કુશાન સમ્રાટ કનિષ્ક પહેલાએ બંધાવેલું નગર. તે શ્રીનગરની દક્ષિણે સોળ કિલોમિટરના અંતરે આવેલું કનિખપુર અથવા કામપુર હોવાનું જણાય છે. બૌદ્ધ સંઘની ચોથી સંગીતિ (પરિષદ) કનિષ્કે અહીં યોજી હતી, જેના અધ્યક્ષપદે પ્રખર વિદ્વાન વસુમિત્ર હતા અને ઉપાધ્યક્ષપદે પ્રસિદ્ધ કવિ અશ્વઘોષ હતા. આ સંગીતિમાં 500 પંડિતોએ ભાગ લીધો હતો અને…

વધુ વાંચો >