૨.૨૪

ઇન્ડોબ્રહ્મ નદીથી ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર નાટ્યકલા એસોસિયેશન – ભારતીય લોકનાટ્યસંઘ)

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા : ભારતના વ્યવસાયી પડતર હિસાબના હિસાબનીશોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કંપની અધિનિયમ હેઠળ 1944માં નોંધણી કરાવીને થઈ હતી. ભારત સ્વતંત્ર થયા પછી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓના અમલ દરમિયાન ઉદ્યોગીકરણની પ્રક્રિયા ઝડપી બનવાથી પડતર હિસાબી પદ્ધતિનું મહત્વ વધ્યું અને આ અંગેના વ્યવસાયને…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ : ભારતની ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ એવા સભ્યોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા. ચાર્ટર્ડ ઍકાઉન્ટ્સના વ્યવસાયનો વિકાસ, તેનું માર્ગદર્શન તેમજ નિયમન કરે છે. ‘‘ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ ઍક્ટ-1949’’ દ્વારા આ સંસ્થા અસ્તિત્વમાં આવી છે. તેની સ્થાપના તા. 1-5-1949ના રોજ કરવામાં આવી છે. આ સંસ્થાનું મુખ્યમથક નવી દિલ્હી ખાતે છે. તેની પાંચ વિભાગીય કચેરીઓ…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રોબિયન ટેક્નોલોજી

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રોબિયલ ટેક્નોલોજી (IMTECH) : સૂક્ષ્મ જૈવિક (microbial) અને આનુવંશિક (genetic) ઇજનેરીનાં અગ્રિમ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય માટે ચંડીગઢમાં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ તરફથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના : 1984. આ સંસ્થાના ઉદ્દેશો નીચે દર્શાવ્યા છે : (i) સૂક્ષ્મજૈવિક ટૅક્નૉલૉજી માટેનાં સંકલિત સંશોધન, વિકાસ અને આયોજનયુક્ત પાયાની રચના, (ii) આનુવંશિક…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ

ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ : રાષ્ટ્રીય સલામતીનાં વિવિધ પાસાં, સંરક્ષણની નીતિ અંગેના પ્રશ્નો તથા વ્યૂહરચનાના બદલાતા સંદર્ભનો અભ્યાસ, તેની ચર્ચાવિચારણા તથા તેનાં તારણો વગેરેને વખતોવખત પ્રસિદ્ધિ આપતી ભારતની બિનસરકારી સંસ્થા. આ સંસ્થા 11 નવેમ્બર, 1965ના રોજ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી. ઝડપી પરિવર્તનના આજના સમયમાં સંરક્ષણ અને…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા)

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા) : સ્થાપના : 1919. ઇજનેરી વિદ્યાની જુદી જુદી શાખાઓ અને ઉદ્યોગોમાં માર્ગદર્શન આપતી તેમજ શૈક્ષણિક કાર્ય કરતી ભારતીય સંસ્થા. સર ટૉમસ હોલૅન્ડના અહેવાલના આધારે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સર ટૉમસ હોલૅન્ડે કૉલકાતા અને મુંબઈના નામાંકિત ઇજનેરોની 3-1-1919ના રોજ એક સભા બોલાવી. ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા) : 1927માં સ્થપાયેલ અને 1929માં નોંધાયેલી ભારતના રસાયણવિજ્ઞાનીઓના હિતાર્થે કાર્ય કરતી સંસ્થા. રસાયણવિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોને લગતા વિષયો ઉપર વ્યાખ્યાનો, પરિસંવાદો, સમૂહચર્ચાસભાઓ, સંમેલનો, વિચારગોષ્ઠિઓ વગેરેનું તે આયોજન કરે છે તથા 1929થી ‘ધ જર્નલ ઑવ્ ધ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’ નામનું દ્વૈમાસિક અને ‘ધ પ્રોસીડિંગ્સ ઑવ્ ધ…

વધુ વાંચો >

ઇન્સ્પેક્ટર જનરલ

‘ઇન્સ્પેક્ટર જનરલ’ (1836) : રૂસી નાટ્યકાર નિકોલાઇ વસિલ્યેવિચ ગોગૉલ(1804-1852)નું જગવિખ્યાત પ્રહસન. મૂળ રૂસી નામ ‘રિવિઝોર’. નાટકની સાથે જ એક ઉક્તિ છપાયેલી હતી : ‘પ્રતિબિંબ વિકૃત હોય તો દર્પણનો દોષ ના કાઢશો.’ આ પ્રહસનમાં દરેક પ્રેક્ષક પોતાનું પ્રતિબિંબ જોઈ ગોગૉલનો દોષ કાઢતો; પરંતુ ‘ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકમાં અધિકારીવર્ગ પરના કટાક્ષને બદલે સર્જકને…

વધુ વાંચો >

ઇન્સ્યુલિન

ઇન્સ્યુલિન : સર્વે મેરુદંડી (Vertebrates) પ્રાણીઓના સ્વાદુપિંડ-(pancreas)ના આઇલિટ્સ [islets (insulae)] ઑવ્ લેન્ગરહાન્સના β-કોષો દ્વારા ઉત્પાદિત થતો અને સ્રવતો પૉલિપૅપ્ટાઇડ અંતસ્રાવ(hormone). તે ગ્લુકોઝના ચયાપચયનું શરીરમાં નિયમન કરે છે. આર. એન. એ. પ્રોટીન સંશ્લેષણ અને ચરબીના ચયાપચય તથા સંગ્રહમાં ઇન્સ્યુલિન અગત્યનો ભાગ ભજવે છે અને તેની ઊણપ અથવા ગેરહાજરી મધુપ્રમેહ (Diabetes mellitis)…

વધુ વાંચો >

ઇપેકાક (ઇપેકાકુઆન્હા)

ઇપેકાક (ઇપેકાકુઆન્હા) : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cephaelis ipecacuanha (Brot.) A. Rich syn. Psychotria ipecacuanha Stokes. (હિં. વલયીક, અં. બ્રાઝિલિયન ઇપેકાક, બ્રાઝિલ રૂટ, ઇપેકાક, ઇપેકાકુઆન્હા રૂટ) છે. તેના ઔષધીય ગુણો ધરાવતા સહસભ્યોમાં ચિનાઈ કાથો, સિંકોના, મજીઠ, મધુરી જડી, કૉફી, આલ, દિકામાળી અને મીંઢળનો સમાવેશ…

વધુ વાંચો >

ઇપેટિમોવ વ્લાદિમિર નિકોલાઇડ

ઇપેટિમોવ વ્લાદિમિર નિકોલાઇડ (જ. 21 નવેમ્બર 1867, યેસ્કો; અ. 29 નવેમ્બર 1952, શિકાગો) : જન્મે રશિયન પણ જાણીતા બન્યા અમેરિકન વૈજ્ઞાનિક તરીકે. ઉચ્ચ દબાણે ઉદ્દીપકીય પ્રક્રિયાઓના ઉપયોગથી ઊંચા ઑક્ટેન આંકવાળા, ગૅસોલીન બનાવવાની પ્રક્રિયાઓના પ્રમુખ અભ્યાસી. 1887માં રશિયન લશ્કરમાં ઑફિસર, 1889-92 દરમિયાન મિખાઇલ આર્ટિલરી એકૅડેમીમાં રસાયણના પ્રાધ્યાપક. 1897માં મ્યુનિચમાં કુદરતી રબરના પાયાના…

વધુ વાંચો >

ઇન્ડોબ્રહ્મ નદી

Jan 24, 1990

ઇન્ડોબ્રહ્મ નદી (શિવાલિક નદી) : સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રની પ્રાચીન માતૃનદી. તૃતીય ભૂસ્તરયુગ(Tertiary Period)ના અંતિમ ચરણથી માંડીને આજ સુધીમાં ઉત્તર ભારતની મુખ્ય જળપરિવાહરચનામાં ઘણા અને મોટા પાયા પરના ફેરફારો થયેલા છે. આ ફેરફારોએ ઉત્તર ભારતની નદીઓનાં વહેણોને વિપરીત કરી મૂક્યાં છે. આસામથી કુમાઉં અને પંજાબ થઈને સિંધ સુધીનો હિમાલયનો તળેટી…

વધુ વાંચો >

ઇન્ડોમિથાસિન

Jan 24, 1990

ઇન્ડોમિથાસિન : શોથજન્ય (inflammatory) સોજો, દુખાવો તથા તાવ ઘટાડતી દવા. શરીરમાં ચેપ, ઈજા કે પ્રતિરક્ષાલક્ષી વિકારને કારણે પેશીને નુકસાન થાય ત્યારે તેના પ્રતિભાવ રૂપે તે સ્થળે લોહીમાંના તથા પેશીમાંના કોષોનો ત્યાં ભરાવો થાય છે. તેને કારણે તે ભાગ લાલ, ગરમ, પીડાકારક અને સોજાવાળો બને છે. તેને શોથ-(inflammation)નો વિકાર કહે છે.…

વધુ વાંચો >

ઇન્થોવન વિલેમ

Jan 24, 1990

ઇન્થોવન વિલેમ (Einthoven Willam) (જ. 21 મે 1860, સીમરંગ, જાવા; અ. 29 સપ્ટેમ્બર 1927, લિડનનેથ) : હૃદવીજૂલેખ માટેના સાધનના શોધક અને ફિઝિયૉલૉજી/મેડિસિનના નોબેલ પારિતોષિકવિજેતા (1924) યુટ્રેચ યુનિવર્સિટીની મેડિસિન શાખાના સ્નાતક. તેમણે હૃદયના સ્નાયુઓને નિયમિત સંકોચન કરાવતા, હૃદયમાં જ ઉદભવતા વિદ્યુતતરંગોનો અભ્યાસ કર્યો હતો અને તે માટે હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG) માટેના…

વધુ વાંચો >

ઇન્દરસભા

Jan 24, 1990

ઇન્દરસભા (1846) : પહેલું ઉર્દૂ પદ્યનાટક. લેખક લખનૌના આગા હસન અમાનત. તેમાં રોમાંચક વાર્તા, નાટક, કવિતા, નૃત્ય અને સંગીતનું મિશ્રણ થયેલું. 1853માં આ નાટક લખનૌમાં ભજવાયું ત્યારે ખુદ નવાબ વાજીદઅલીશાહે તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમાં મીર હસનકૃત ‘સેહરુલ બયાન’માંથી કેટલાક પ્રસંગો લીધેલા છે. તેમાં 31 ગઝલો, 9 ઠૂમરી, 4 હોરી,…

વધુ વાંચો >

ઇન્દિરા-એમ. કે.

Jan 24, 1990

ઇન્દિરા, એમ. કે. (જ. 5 જાન્યુઆરી 1917, તીર્થહળ્ળિ, જિ. શિમોગા, કર્ણાટક; અ. 15 માર્ચ 1994) : કન્નડ ભાષાનાં મહિલા નવલકથાકાર. 7 ધોરણ સુધીનો અભ્યાસ. પછી હિંદી શીખ્યાં. પાછળથી નામાંકિત નવલકથાકાર નીવડેલા ત્રિવેણીના પરિચયથી લેખનકાર્ય માટે પ્રેરાયાં. જોકે લેખન શરૂ થયું ઉત્તરાવસ્થામાં. પ્રથમ નવલ ‘તુંગભદ્રા’ને સારો આવકાર અને બહોળી ખ્યાતિ સાંપડ્યાં.…

વધુ વાંચો >

ઇન્દિરાબેટીજી (જીજી)

Jan 24, 1990

ઇન્દિરાબેટીજી (જીજી) (જ. 3 સપ્ટેમ્બર 1939, સૂરત; અ. 1 ઑક્ટોબર 2016, વડોદરા) : પુષ્ટિમાર્ગીય પ્રસિદ્ધ કથાકાર અને સંનિષ્ઠ સમાજસેવિકા. પુષ્ટિસંપ્રદાયના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યની સોળમી પેઢીનું તેઓ સંતાન છે. તેમના વડવાઓ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે. સૂરતના સુપ્રસિદ્ધ લાલજી મહારાજ (વ્રજરત્નલાલજી) તેમના દાદાજી થાય. તેમના પિતા મધુસૂદનલાલજી પુષ્ટિસંપ્રદાયના વિદ્વાન હતા. માતા…

વધુ વાંચો >

ઇન્દુ (13મી સદી)

Jan 24, 1990

ઇન્દુ (13મી સદી) : ‘અષ્ટાંગહૃદય’ના ટીકાકાર. તેમનો પ્રથમ ઉલ્લેખ ‘અષ્ટાંગહૃદય’ની હેમાદ્રિની ટીકામાં મળે છે. ‘તંત્રયુક્તિવિચાર’ના લેખક વૈદ્ય નીલમેઘે તેમને ‘અષ્ટાંગહૃદય’ના કર્તા વાગ્ભટ્ટના શિષ્ય બતાવ્યા છે, પણ આ કેવળ કેરળના વૈદ્યોમાં પ્રચલિત દંતકથાને આધારે જ છે. તેના અન્ય પુરાવા નથી. ઇન્દુએ ‘અષ્ટાંગહૃદય’ ઉપરાંત ‘અષ્ટાંગસંગ્રહ’ની શશિલેખા નામની લખેલી ટીકા સંપૂર્ણ છે અને…

વધુ વાંચો >

ઇન્દુ કાળે-સરલા ભોળે

Jan 24, 1990

ઇન્દુ કાળે, સરલા ભોળે (1935) : વિખ્યાત મરાઠી નવલકથાકાર વામન મલ્હાર જોશીની છેલ્લી નવલકથા. સંસ્કારી મરાઠી વાચકવર્ગની સુરુચિને લક્ષમાં લઈને લેખકે આ નવલકથાને કાવ્યશાસ્ત્ર-વિનોદયુક્ત ઓપ આપ્યો છે. વામન મલ્હારની નવલકથાઓનાં મુખ્ય પાત્રો બુદ્ધિજીવી વર્ગનાં હોય છે. તેમની આ ચર્ચા ઘણુંખરું નવલકથાના અંતરંગનો અભેદ્ય ભાગ બની જાય છે. ‘ઇન્દુ કાળે, સરલા…

વધુ વાંચો >

ઇન્દુકુમાર

Jan 24, 1990

ઇન્દુકુમાર : ગુજરાતી કવિ ન્હાનાલાલનું પ્રથમ નાટક. 1898માં લખાવું શરૂ થયેલું આ નાટક લાંબે ગાળે ત્રણ અંકોમાં પુસ્તકો રૂપે પ્રકાશિત (અનુક્રમે 1909, 1925, 1932) થયેલું. કવિએ તેને ભાવપ્રધાન (lyrical) શ્રાવ્યનાટક તરીકે ઓળખાવેલું. તેમાં ડોલનશૈલીનો વિનિયોગ થયેલો છે. ત્રણ અંકના ‘લગ્ન’, ‘રાસ’ અને ‘સમર્પણ’ એવાં ઉપશીર્ષકો ધરાવતા આ નાટકનો મુખ્ય વિષય…

વધુ વાંચો >