૨.૨૪

ઇન્ડોબ્રહ્મ નદીથી ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર નાટ્યકલા એસોસિયેશન – ભારતીય લોકનાટ્યસંઘ)

ઇન્ડોબ્રહ્મ નદી

ઇન્ડોબ્રહ્મ નદી (શિવાલિક નદી) : સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રની પ્રાચીન માતૃનદી. તૃતીય ભૂસ્તરયુગ(Tertiary Period)ના અંતિમ ચરણથી માંડીને આજ સુધીમાં ઉત્તર ભારતની મુખ્ય જળપરિવાહરચનામાં ઘણા અને મોટા પાયા પરના ફેરફારો થયેલા છે. આ ફેરફારોએ ઉત્તર ભારતની નદીઓનાં વહેણોને વિપરીત કરી મૂક્યાં છે. આસામથી કુમાઉં અને પંજાબ થઈને સિંધ સુધીનો હિમાલયનો તળેટી…

વધુ વાંચો >

ઇન્ડોમિથાસિન

ઇન્ડોમિથાસિન : શોથજન્ય (inflammatory) સોજો, દુખાવો તથા તાવ ઘટાડતી દવા. શરીરમાં ચેપ, ઈજા કે પ્રતિરક્ષાલક્ષી વિકારને કારણે પેશીને નુકસાન થાય ત્યારે તેના પ્રતિભાવ રૂપે તે સ્થળે લોહીમાંના તથા પેશીમાંના કોષોનો ત્યાં ભરાવો થાય છે. તેને કારણે તે ભાગ લાલ, ગરમ, પીડાકારક અને સોજાવાળો બને છે. તેને શોથ-(inflammation)નો વિકાર કહે છે.…

વધુ વાંચો >

ઇન્થોવન વિલેમ

ઇન્થોવન વિલેમ (Einthoven Willam) (જ. 21 મે 1860, સીમરંગ, જાવા; અ. 29 સપ્ટેમ્બર 1927, લિડનનેથ) : હૃદવીજૂલેખ માટેના સાધનના શોધક અને ફિઝિયૉલૉજી/મેડિસિનના નોબેલ પારિતોષિકવિજેતા (1924) યુટ્રેચ યુનિવર્સિટીની મેડિસિન શાખાના સ્નાતક. તેમણે હૃદયના સ્નાયુઓને નિયમિત સંકોચન કરાવતા, હૃદયમાં જ ઉદભવતા વિદ્યુતતરંગોનો અભ્યાસ કર્યો હતો અને તે માટે હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG) માટેના…

વધુ વાંચો >

ઇન્દરસભા

ઇન્દરસભા (1846) : પહેલું ઉર્દૂ પદ્યનાટક. લેખક લખનૌના આગા હસન અમાનત. તેમાં રોમાંચક વાર્તા, નાટક, કવિતા, નૃત્ય અને સંગીતનું મિશ્રણ થયેલું. 1853માં આ નાટક લખનૌમાં ભજવાયું ત્યારે ખુદ નવાબ વાજીદઅલીશાહે તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમાં મીર હસનકૃત ‘સેહરુલ બયાન’માંથી કેટલાક પ્રસંગો લીધેલા છે. તેમાં 31 ગઝલો, 9 ઠૂમરી, 4 હોરી,…

વધુ વાંચો >

ઇન્દિરા-એમ. કે.

ઇન્દિરા, એમ. કે. (જ. 5 જાન્યુઆરી 1917, તીર્થહળ્ળિ, જિ. શિમોગા, કર્ણાટક; અ. 15 માર્ચ 1994) : કન્નડ ભાષાનાં મહિલા નવલકથાકાર. 7 ધોરણ સુધીનો અભ્યાસ. પછી હિંદી શીખ્યાં. પાછળથી નામાંકિત નવલકથાકાર નીવડેલા ત્રિવેણીના પરિચયથી લેખનકાર્ય માટે પ્રેરાયાં. જોકે લેખન શરૂ થયું ઉત્તરાવસ્થામાં. પ્રથમ નવલ ‘તુંગભદ્રા’ને સારો આવકાર અને બહોળી ખ્યાતિ સાંપડ્યાં.…

વધુ વાંચો >

ઇન્દિરાબેટીજી (જીજી)

ઇન્દિરાબેટીજી (જીજી) (જ. 3 સપ્ટેમ્બર 1939, સૂરત; અ. 1 ઑક્ટોબર 2016, વડોદરા) : પુષ્ટિમાર્ગીય પ્રસિદ્ધ કથાકાર અને સંનિષ્ઠ સમાજસેવિકા. પુષ્ટિસંપ્રદાયના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યની સોળમી પેઢીનું તેઓ સંતાન છે. તેમના વડવાઓ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે. સૂરતના સુપ્રસિદ્ધ લાલજી મહારાજ (વ્રજરત્નલાલજી) તેમના દાદાજી થાય. તેમના પિતા મધુસૂદનલાલજી પુષ્ટિસંપ્રદાયના વિદ્વાન હતા. માતા…

વધુ વાંચો >

ઇન્દુ (13મી સદી)

ઇન્દુ (13મી સદી) : ‘અષ્ટાંગહૃદય’ના ટીકાકાર. તેમનો પ્રથમ ઉલ્લેખ ‘અષ્ટાંગહૃદય’ની હેમાદ્રિની ટીકામાં મળે છે. ‘તંત્રયુક્તિવિચાર’ના લેખક વૈદ્ય નીલમેઘે તેમને ‘અષ્ટાંગહૃદય’ના કર્તા વાગ્ભટ્ટના શિષ્ય બતાવ્યા છે, પણ આ કેવળ કેરળના વૈદ્યોમાં પ્રચલિત દંતકથાને આધારે જ છે. તેના અન્ય પુરાવા નથી. ઇન્દુએ ‘અષ્ટાંગહૃદય’ ઉપરાંત ‘અષ્ટાંગસંગ્રહ’ની શશિલેખા નામની લખેલી ટીકા સંપૂર્ણ છે અને…

વધુ વાંચો >

ઇન્દુ કાળે-સરલા ભોળે

ઇન્દુ કાળે, સરલા ભોળે (1935) : વિખ્યાત મરાઠી નવલકથાકાર વામન મલ્હાર જોશીની છેલ્લી નવલકથા. સંસ્કારી મરાઠી વાચકવર્ગની સુરુચિને લક્ષમાં લઈને લેખકે આ નવલકથાને કાવ્યશાસ્ત્ર-વિનોદયુક્ત ઓપ આપ્યો છે. વામન મલ્હારની નવલકથાઓનાં મુખ્ય પાત્રો બુદ્ધિજીવી વર્ગનાં હોય છે. તેમની આ ચર્ચા ઘણુંખરું નવલકથાના અંતરંગનો અભેદ્ય ભાગ બની જાય છે. ‘ઇન્દુ કાળે, સરલા…

વધુ વાંચો >

ઇન્દુકુમાર

ઇન્દુકુમાર : ગુજરાતી કવિ ન્હાનાલાલનું પ્રથમ નાટક. 1898માં લખાવું શરૂ થયેલું આ નાટક લાંબે ગાળે ત્રણ અંકોમાં પુસ્તકો રૂપે પ્રકાશિત (અનુક્રમે 1909, 1925, 1932) થયેલું. કવિએ તેને ભાવપ્રધાન (lyrical) શ્રાવ્યનાટક તરીકે ઓળખાવેલું. તેમાં ડોલનશૈલીનો વિનિયોગ થયેલો છે. ત્રણ અંકના ‘લગ્ન’, ‘રાસ’ અને ‘સમર્પણ’ એવાં ઉપશીર્ષકો ધરાવતા આ નાટકનો મુખ્ય વિષય…

વધુ વાંચો >

ઇન્દોર

Jan 24, 1990

ઇન્દોર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનું મોટામાં મોટું શહેર, જિલ્લાનું વડું મથક અને રાજ્યનું મહત્વનું વ્યાપાર તથા ઉદ્યોગનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 22o 43´ ઉ. અ. અને 75o 50´ પૂ. રે. મુંબઈના ઉત્તરપૂર્વમાં 515 કિમી. અંતરે મુંબઈ-આગ્રા ટ્રંક રોડ પર, ક્ષિપ્રા, સરસ્વતી તથા આન નદી પર તે આવેલું છે. દરિયાની સપાટીથી તે…

વધુ વાંચો >

ઇન્દ્ર (વૈદિક દેવતા)

Jan 24, 1990

ઇન્દ્ર (વૈદિક દેવતા) : ઋગ્વેદનાં સૌથી વધારે સૂક્તોમાં પ્રશસ્ત અંતરીક્ષસ્થાનીય મુખ્ય દેવતા. સમસ્ત સંસારના સાર્વભૌમ સમ્રાટ એવા ઇન્દ્ર એટલે પ્રચંડ શારીરિક શક્તિ અને વિશ્વ-આધિપત્યનું વૈદિક પ્રતીક. મેઘ-જળ, પ્રકાશ-કિરણો કે વસંત-ઉષ્મા જેવાં અભીષ્ટ તત્વોને પોતાની માયાશક્તિથી નિરુદ્ધ કરનાર વૃત્રને ત્વષ્ટા-નિર્મિત વજ્ર વડે હણીને ઇન્દ્રે એ જીવનોપયોગી તત્વો સર્વસુલભ બનાવ્યાં એ એમના…

વધુ વાંચો >

ઇન્દ્રજવ (કડો)

Jan 24, 1990

ઇન્દ્રજવ (કડો) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holarrhena antidysenterica (Linn.) Wall. syn. Wrightia antidysenterica Wall. (સં. કુટજ; હિં. કુર્ચી, કુશ; બં. કુડચી; મ. કુડા, કરૈયા; ક. કોડશિંગે, કોડમુરક; તા. વેપ્પાલે; તે. કોડિશચટ્ટુ, કરજમુ; મલ. વેનપાલા) છે. તેના સહસભ્યોમાં ચાંદની, કરેણ, ખડચંપો, કરમદાં, રૂંછાળો દૂધેલો,…

વધુ વાંચો >

ઇન્દ્રજિતસિંહ

Jan 24, 1990

ઇન્દ્રજિતસિંહ (જ. 15 જૂન 1937, જામનગર) : સૌરાષ્ટ્રના અગ્રણી ક્રિકેટખેલાડી. પિતાનું નામ માધવસિંહ. દિલ્હીની સેંટ સ્ટિફન કૉલેજમાંથી બી. એ. થયા. શાળાજીવન દરમિયાન જ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1952માં ઇંગ્લૅન્ડમાં પસંદગી પામ્યા. વિકેટકીપર અને જમોડી ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ભારત તરફથી પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે 1964-65માં ચેન્નાઈ (મદ્રાસ) ખાતે પ્રથમ ટેસ્ટમાં ટેસ્ટ પદાર્પણ કરીને…

વધુ વાંચો >

ઇન્દ્રપ્રસ્થ

Jan 24, 1990

ઇન્દ્રપ્રસ્થ : મહાભારતકાળમાં પાંડવો માટે નવી સ્થપાયેલી રાજધાની. મહાભારતના આદિપર્વમાં જણાવ્યા પ્રમાણે લાક્ષાગૃહમાંથી વિદુરની યુક્તિથી છટકી ગયેલા પાંડવો છૂપી રીતે ‘દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે’ તેવું સાંભળી એમાં ભાગ લેવા મિથિલા ગયા ને દ્રૌપદીને પામ્યા. એ સમાચાર મળતાં ધૃતરાષ્ટ્રે એમને તેડાવી અને કૌરવો અને પાંડવો વચ્ચે કલહ આગળ ન વધે એ…

વધુ વાંચો >

ઇન્દ્રરાજ-1

Jan 24, 1990

ઇન્દ્રરાજ-1 (722 આશરે) : રાષ્ટ્રકૂટ વંશનો ગુર્જર શાખાનો રાજા. કર્કરાજ પહેલાનો પુત્ર. આનર્ત ઉપરના આક્રમણને કારણે નાગભટને ઇન્દ્રરાજ સાથે લડાઈ થઈ હતી અને તેમાં તેની હાર થઈ હતી. તેણે ચાલુક્ય રાજપુત્રી ભવનાગાનું હરણ કરી ખેટકમંડલમાં તેની સાથે રાક્ષસવિવાહ કર્યો હતો. ઇન્દ્રરાજના સંબંધમાં જણાવેલું ખેટક એ ખેડા નહીં, પણ દક્ષિણનું કોઈ…

વધુ વાંચો >

ઇન્દ્રરાજ-3

Jan 24, 1990

ઇન્દ્રરાજ-3 (914થી 927 : શાસનકાળ) : રાષ્ટ્રકૂટ વંશનો પ્રતાપી રાજા. તેનો પિતા જગત્તુંગ અકાલવર્ષ કૃષ્ણરાજની હયાતીમાં મૃત્યુ પામેલો તેથી ઇન્દ્રરાજ 3જાને દાદાની ગાદીનો ઉત્તરાધિકાર 30 વર્ષની યુવાનવયે પ્રાપ્ત થયેલો. 915નાં બે દાનશાસનમાં એના રાજ્યાભિષેકનો તાજા બનાવ તરીકે ઉલ્લેખ મળે છે. ઇન્દ્રરાજ 3જાએ પટ્ટબંધના ઉત્સવ પ્રમાણે તુલાપુરુષમાં આરોહણ કરીને સેંકડો ગ્રામદાન…

વધુ વાંચો >

ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં)

Jan 24, 1990

ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrullus colocynthis (Linn.) Schrad syn. C. vulgaris Schrad. (સં. ઇન્દ્રવારુણી, ચિત્રફલ, મહેન્દ્રવારુણી, એંદ્રી; હિં. લઘુ ઇન્દ્રાયણ, લઘુ ફરફેંદુ; મ. લઘુ ઇન્દ્રાવણું; ગુ. ઇન્દ્રવારણું, કડવી કોઠીંબી; બં. રાખાલશશા, રાખાલતાડુ; ક. હામેકકે; તે. એતિપુચ્છા; તા. પેયકામટ્ટી ટુમટ્ટી; અં. બીટર-ઍપલ,…

વધુ વાંચો >

ઇન્દ્રવાયૂ

Jan 24, 1990

ઇન્દ્રવાયૂ : ઋગ્વેદનાં 7 સૂક્તોમાં સંબોધિત આ દેવતાયુગ્મ. તેમનું મહદંશે, સોમપાન માટે (सोमस्य पीतये) (1, 23, 2) આવાહન કરવામાં આવે છે. शवस्पती, सहस्राक्ष, धियस्पती જેવાં વિશેષણો ધરાવતા આ દેવો સ્તોતાઓને યુદ્ધમાં સહાય કરે છે અને જીવનોપયોગી સંપત્તિનું પ્રદાન કરે છે. જયાનંદ દવે

વધુ વાંચો >

ઇન્દ્રાગ્ની

Jan 24, 1990

ઇન્દ્રાગ્ની : બે યમજ ભાઈઓ, ઋગ્વેદનાં 11 સૂક્તોમાં દેવતાયુગ્મ તરીકે પ્રશસ્તિ પામેલા છે. સાથે મળીને તેમણે દાસ-નગર-ધ્વંસ, નદી-કારાગાર-મુક્તિ, દસ્યુ-વધ, રાક્ષસ-અપસારણ વગેરે અનેક પરાક્રમો કર્યાં છે. वज्रबाहु, वृत्रघ्नौ, मधोनौः, यज्ञ-ऋत्विजौ, कवी, सदस्यती વગેરે સમાન વિશેષણો ધરાવનાર ઇન્દ્ર-અગ્નિ, તેમના ઘનિષ્ઠ સંબંધને અનુલક્ષીને, એક વાર अश्विनौ તરીકે પણ સંબોધાયા છે. જયાનંદ દવે

વધુ વાંચો >