૨.૧૩

આવૃત્તિ-પરિવર્તકથી આહાર (આયુર્વેદ)

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક (Frequency Converter : Mixer and Detector) : વ્યાપક અર્થમાં, કોઈ તરંગની આવૃત્તિનું પરિવર્તન એટલે તેમાં કોઈ પણ જ્ઞાત પદ્ધતિથી કરવામાં આવતો ફેરફાર. દા.ત., કોઈ એક દોલકની આવૃત્તિમાં ફેરફાર કરવો હોય તો તેના પરિપથમાં જોડેલા ઘટકો, જેવા કે સ્વ/પારસ્પરિક પ્રેરકત્વ (self/mutual inductances), ધારિતાઓ (capacitances) અને ઇલક્ટ્રૉનનલિકા…

વધુ વાંચો >

આવૃત્તિ મીટર

આવૃત્તિ મીટર (Frequency Meter) : વીજચુંબકીય તરંગોની એકમ સમય(એક સેકન્ડ)માં પુનરાવર્તનની સંખ્યા દર્શાવતું યંત્ર. આદર્શ આવૃત્તિ ઉત્પાદક ક્રિસ્ટલ ક્વાર્ટ્ઝનું બનેલું હોય છે. તેમાં પૃથ્વીના પરિભ્રમણને મૂળભૂત આવૃત્તિ તરીકે લેવામાં આવે છે. આ ઉત્પાદકની આવૃત્તિ 100 કિ. હર્ટ્ઝ (kHz) છે. આને આધાર તરીકે લઈને સબસ્ટાન્ડર્ડ જનરેટર અને મીટર અંકિત કરવામાં આવે…

વધુ વાંચો >

આવેગ

આવેગ : એક મન:શારીરિક અવસ્થા. આવેગ માટે ‘સંવેગ’, ‘ભાવના’, ‘મનોવેગ’, ‘ભાવાવેગ’ વગેરે શબ્દો પ્રયોજાય છે. આવેગની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે, કારણ આવેગોનો અનુભવ અનન્ય હોવાથી તેનું કોઈ વ્યાવર્તક લક્ષણ આપી શકાતું નથી. આમ છતાં સ્વાનુભવથી તે જાણી શકાય છે. પ્રેમ, ભય, ગુસ્સો, ઈર્ષ્યા, આનંદ, તિરસ્કાર વગેરે આવેગો છે. વ્યક્તિના…

વધુ વાંચો >

આવેગ નિયમન વિકારો

આવેગ નિયમન વિકારો (impulse-control disorders) : પોતાના આવેગો પર કાબૂના અભાવરૂપ વિકારો. આવી વ્યક્તિ સ્પષ્ટ, તાર્કિક હેતુઓ વિના પોતાને તથા બીજાઓના હિતને નુકસાન થાય એવાં કૃત્યો કરે છે. સામાન્ય રીતે, ટેવવશ કરાતાં દારૂ કે માદક દ્રવ્યોના સેવનનો અને જાતીય વર્તનનો આ વિકારોમાં સમાવેશ કરવામાં આવતો નથી. આવેગ નિયમનના વિકારોનું નિદાન…

વધુ વાંચો >

આશાન કુમારન્

આશાન કુમારન્ (જ. 12 એપ્રિલ 1873; અ. 16 જાન્યુઆરી 1924) : અર્વાચીન મલયાળમ કવિ. કુમારન્ પ્રણય અને દર્શનના કવિ છે. કવિતાના માધ્યમ દ્વારા જીવનનું રહસ્ય જાણવા માટે આત્મતત્વમાં અવગાહન કર્યું હોય એવો બીજો કોઈ મલયાળમ કવિ નથી. તેઓ દલિત જાતિમાં જન્મ્યા હતા અને તેથી ઉચ્ચ વર્ગના સમાજ તરફથી એમને અનેક…

વધુ વાંચો >

આશાપલ્લી

આશાપલ્લી : કર્ણાવતીની સ્થાપના પહેલાં તેની પાસે આશારાજે વસાવેલું ગામ. અહમદશાહે 1411માં અમદાવાદ વસાવ્યું તે પહેલાં સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ (1064-1094) તેની નજીકમાં કર્ણાવતી વસાવેલી. અગિયારમી સદીના અરબ લેખકોએ એનો ‘આસાવલ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. 1251ના એક અભિલેખમાં અને 1294ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં આશાપલ્લીનો નિર્દેશ છે. ‘પ્રભાવકચરિત’ (1277), ‘પ્રબંધચિંતામણિ’ (1305),…

વધુ વાંચો >

આશાપૂર્ણા દેવી

આશાપૂર્ણા દેવી (જ. 8 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 13 જુલાઈ 1995, કૉલકાતા) : સ્વાતંત્ર્યોત્તર કાળનાં સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા. પ્રાથમિકથી સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટી તરફથી એમને 1954માં લીલા પારિતોષિક અને 1963માં ભુવનમોહિની સુવર્ણચન્દ્રક એનાયત થયેલાં. 1966માં પશ્ચિમ બંગાળ સરકારે એમને રવીન્દ્ર પુરસ્કાર એનાયત કરેલો. એમની બૃહદ્ નવલકથા ‘પ્રથમ…

વધુ વાંચો >

આશાવરી

આશાવરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક થાટ અને તેમાંથી જન્મેલો રાગ. રાગ-રાગિણી પરંપરાને માનનારા ‘સંગીત- દર્પણ’ વગેરે ગ્રન્થોમાં આશાવરીને રાગિણી કહી છે. આ રાગમાં ગંધાર, ધૈવત અને નિષાદ સ્વરો કોમળ તથા અન્ય સ્વરો શુદ્ધ આવે. આરોહમાં ગંધાર અને નિષાદ સ્વરો વર્જિત, તેથી તેની જાતિ ઓડવ સંપૂર્ણ-તેના વાદી સ્વર ધૈવત…

વધુ વાંચો >

આશિષખાં

આશિષખાં (જ. નવેમ્બર 1940, મૈહર) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. સરોદવાદક અને વિખ્યાત સંગીતકાર અલીઅકબરખાંના સુપુત્ર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. વિખ્યાત સરોદવાદક પિતામહ અલાઉદ્દીનખાંસાહેબ અને પિતા ઉસ્તાદ અલીઅકબરખાંની પાસે મૈહર આશ્રમમાં સંગીતપૂર્ણ વાતાવરણમાં પિતામહ અને પિતાની નિશ્રામાં તેમને સંગીતની પ્રેરણા મળતી રહી. 6 વર્ષની કુમળી વયે સંગીતતાલીમનો પ્રારંભ કરી…

વધુ વાંચો >

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા (સ્થાપના 1937) : પાલ અને સેન-કાળની શિલ્પકૃતિઓ(આઠમીથી બારમી સદી)નો સંગ્રહ ધરાવતું મ્યુઝિયમ. મહાન કેળવણીકાર સર આશુતોષ મુખરજીની યાદગીરીમાં તે સ્થાપવામાં આવેલું છે. પાલ અને સેન કાળની શિલ્પકૃતિઓ પ્રાચીન ગુપ્ત કાળની શિલ્પ-સંસ્કૃતિથી પ્રેરિત હોવાનું જણાય છે. પાલ રાજવીઓએ બૌદ્ધ ધર્મની શિલ્પકલાકૃતિઓ કંડારેલ મંદિરો બંધાવ્યાં. સેન…

વધુ વાંચો >

આસિયાણી, અબ્દુલ સત્તાર

Jan 13, 1990

આસિયાણી, અબ્દુલ સત્તાર (જ. 1885; અ. 1951) : કાશ્મીરી લેખક. શ્રીનગરના ગુર્જર કુટુંબમાં જન્મ. સંજોગવશાત્ પ્રાથમિક શિક્ષણ લીધા પછી તરત જ શાળા છોડવી પડેલી, પરંતુ આંતરસૂઝથી સાહિત્યસર્જન તરફ વળેલા. શરૂઆતમાં ફારસી ગઝલોની રચના કરી. ‘વિધવા’ ગઝલે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. એ પછી કાશ્મીરી સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં સર્જન કરીને 47…

વધુ વાંચો >

આસૃતિ–આસૃતિદાબ

Jan 13, 1990

આસૃતિ–આસૃતિદાબ : જુઓ રસાકર્ષણ.

વધુ વાંચો >

આસોપાલવ

Jan 13, 1990

આસોપાલવ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Polyalthea longifolia Thw. (સં. અશોક, મંદાર; મ., હિં., બં., ક. અશોક; તે. અશોકેમાનું; અં. માસ્ટ અથવા સિમેન્ટરી ટ્રી) છે. તેની ભારતમાં થતી અન્ય જાતિઓમાં P. cerasoides Bedd. (ઉમા), P. fragrans Bedd (ગૌરી), P. simiarum Hook f. & Thoms, P.…

વધુ વાંચો >

આસ્તિક-નાસ્તિક દર્શન

Jan 13, 1990

આસ્તિક-નાસ્તિક દર્શન : ઈશ્વર, પરલોક અને વેદનું પ્રામાણ્ય સ્વીકારતાં અને નહિ સ્વીકારતાં ભારતીય દર્શનો. પ્રચલિત માન્યતા અને પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ એ ત્રણ દર્શનો નાસ્તિક છે, જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને વેદાન્ત (ઉત્તર મીમાંસા) આ છ દર્શનો આસ્તિક છે. સામાન્ય રીતે જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરને માનનારને આસ્તિક…

વધુ વાંચો >

આસ્તીક

Jan 13, 1990

આસ્તીક : એક પૌરાણિક પાત્ર. ભૃગુકાળના જરત્કારુ ઋષિ અને નાગરાજ વાસુકિની બહેન જરત્કારુના પુત્ર. એનાં માતા અને પિતાનાં નામ સમાન છે. જરત્કારુ સગર્ભા હતી ત્યારે પતિ વનમાં ચાલ્યા ગયા. વનમાં જતા પતિને પત્નીએ પુત્રપ્રાપ્તિ માટે પૂછતાં તેમણે ‘અસ્તિ’ (તે છે) એમ કહ્યું હતું તેથી તેનું નામ આસ્તીક પાડ્યું. મામા વાસુકિને…

વધુ વાંચો >

આસ્ફાલ્ટ

Jan 13, 1990

આસ્ફાલ્ટ : કુદરતમાં ખનિજ રૂપે મળી આવતું કાળા અથવા ભૂખરા રંગનું ઘટ્ટ, પ્રવાહીરૂપ, લચકારૂપ કે ઘનરૂપ હાઇડ્રોકાર્બન પદાર્થોનું વિશિષ્ટ મિશ્રણ. મૂળ હાઇડ્રોકાર્બનરૂપ પદાર્થોને બિટ્યૂમેન તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થોમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન, ઑક્સિજન અને સલ્ફરયુક્ત સંયોજનો પણ હોય છે. પ્રાચીન કાળમાં પણ આસ્ફાલ્ટ જેવા પદાર્થો વપરાશમાં હોવાની…

વધુ વાંચો >

આસ્વાન

Jan 13, 1990

આસ્વાન : ઇજિપ્તની નૈઋત્યમાં કેરોથી 700 કિમી. દૂર આવેલો પ્રદેશ. મુખ્ય શહેરનું નામ આસ્વાન, જે નાઇલ નદીના પૂર્વકાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : તે 240 05´ ઉ. અ. અને 320 53´ પૂ. રે. આજુબાજુનો 678.5 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ શહેર સમુદ્રની સપાટીથી 194 મી. પર સ્થિત છે. એનું…

વધુ વાંચો >

આહડ

Jan 13, 1990

આહડ : રાજસ્થાનમાં ઉદયપુરની ઈશાન તરફ આશરે ચાર કિમી. દૂર આવેલી મહત્વની પ્રાચીન વસાહત. અહીં ઐતિહાસિક યુગનાં ઘણાં મંદિરો, શિલ્પો આદિ મળી આવે છે. આ નગરની સ્થાપના ઘણા પ્રાચીન સમયમાં થઈ હોવાનું અહીંના પુરાવસ્તુ અવશેષો દર્શાવે છે. આ વિસ્તારમાં તાંબાની ખાણો આવેલી છે. આ ખાણોમાંથી કાચો માલ કાઢીને તે શુદ્ધ…

વધુ વાંચો >

આહાર (આયુર્વેદ)

Jan 13, 1990

આહાર (આયુર્વેદ) : સજીવો દ્વારા લેવાતો ખોરાક. ‘आहार्यते जिह्वया सह दंतैश्च अधः गलान्नीयते यः स आहारः । ’ જીભ અને દાંત દ્વારા ગળા નીચે લઈ જવામાં આવે છે તે આહાર(જલ્પકલ્પતરુ ટીકા-ગંગાધર). ચરકસૂત્ર અનુસાર વર્ણની પ્રસન્નતા, ઉત્તમ સ્વર, જીવન, પ્રતિભા, આરોગ્ય, સંતોષ, પુષ્ટિ, બળ, મેધા એ બધું જ આહારને અધીન છે.…

વધુ વાંચો >