૨.૧૩

આવૃત્તિ-પરિવર્તકથી આહાર (આયુર્વેદ)

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક (Frequency Converter : Mixer and Detector) : વ્યાપક અર્થમાં, કોઈ તરંગની આવૃત્તિનું પરિવર્તન એટલે તેમાં કોઈ પણ જ્ઞાત પદ્ધતિથી કરવામાં આવતો ફેરફાર. દા.ત., કોઈ એક દોલકની આવૃત્તિમાં ફેરફાર કરવો હોય તો તેના પરિપથમાં જોડેલા ઘટકો, જેવા કે સ્વ/પારસ્પરિક પ્રેરકત્વ (self/mutual inductances), ધારિતાઓ (capacitances) અને ઇલક્ટ્રૉનનલિકા…

વધુ વાંચો >

આવૃત્તિ મીટર

આવૃત્તિ મીટર (Frequency Meter) : વીજચુંબકીય તરંગોની એકમ સમય(એક સેકન્ડ)માં પુનરાવર્તનની સંખ્યા દર્શાવતું યંત્ર. આદર્શ આવૃત્તિ ઉત્પાદક ક્રિસ્ટલ ક્વાર્ટ્ઝનું બનેલું હોય છે. તેમાં પૃથ્વીના પરિભ્રમણને મૂળભૂત આવૃત્તિ તરીકે લેવામાં આવે છે. આ ઉત્પાદકની આવૃત્તિ 100 કિ. હર્ટ્ઝ (kHz) છે. આને આધાર તરીકે લઈને સબસ્ટાન્ડર્ડ જનરેટર અને મીટર અંકિત કરવામાં આવે…

વધુ વાંચો >

આવેગ

આવેગ : એક મન:શારીરિક અવસ્થા. આવેગ માટે ‘સંવેગ’, ‘ભાવના’, ‘મનોવેગ’, ‘ભાવાવેગ’ વગેરે શબ્દો પ્રયોજાય છે. આવેગની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે, કારણ આવેગોનો અનુભવ અનન્ય હોવાથી તેનું કોઈ વ્યાવર્તક લક્ષણ આપી શકાતું નથી. આમ છતાં સ્વાનુભવથી તે જાણી શકાય છે. પ્રેમ, ભય, ગુસ્સો, ઈર્ષ્યા, આનંદ, તિરસ્કાર વગેરે આવેગો છે. વ્યક્તિના…

વધુ વાંચો >

આવેગ નિયમન વિકારો

આવેગ નિયમન વિકારો (impulse-control disorders) : પોતાના આવેગો પર કાબૂના અભાવરૂપ વિકારો. આવી વ્યક્તિ સ્પષ્ટ, તાર્કિક હેતુઓ વિના પોતાને તથા બીજાઓના હિતને નુકસાન થાય એવાં કૃત્યો કરે છે. સામાન્ય રીતે, ટેવવશ કરાતાં દારૂ કે માદક દ્રવ્યોના સેવનનો અને જાતીય વર્તનનો આ વિકારોમાં સમાવેશ કરવામાં આવતો નથી. આવેગ નિયમનના વિકારોનું નિદાન…

વધુ વાંચો >

આશાન કુમારન્

આશાન કુમારન્ (જ. 12 એપ્રિલ 1873; અ. 16 જાન્યુઆરી 1924) : અર્વાચીન મલયાળમ કવિ. કુમારન્ પ્રણય અને દર્શનના કવિ છે. કવિતાના માધ્યમ દ્વારા જીવનનું રહસ્ય જાણવા માટે આત્મતત્વમાં અવગાહન કર્યું હોય એવો બીજો કોઈ મલયાળમ કવિ નથી. તેઓ દલિત જાતિમાં જન્મ્યા હતા અને તેથી ઉચ્ચ વર્ગના સમાજ તરફથી એમને અનેક…

વધુ વાંચો >

આશાપલ્લી

આશાપલ્લી : કર્ણાવતીની સ્થાપના પહેલાં તેની પાસે આશારાજે વસાવેલું ગામ. અહમદશાહે 1411માં અમદાવાદ વસાવ્યું તે પહેલાં સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ (1064-1094) તેની નજીકમાં કર્ણાવતી વસાવેલી. અગિયારમી સદીના અરબ લેખકોએ એનો ‘આસાવલ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. 1251ના એક અભિલેખમાં અને 1294ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં આશાપલ્લીનો નિર્દેશ છે. ‘પ્રભાવકચરિત’ (1277), ‘પ્રબંધચિંતામણિ’ (1305),…

વધુ વાંચો >

આશાપૂર્ણા દેવી

આશાપૂર્ણા દેવી (જ. 8 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 13 જુલાઈ 1995, કૉલકાતા) : સ્વાતંત્ર્યોત્તર કાળનાં સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા. પ્રાથમિકથી સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટી તરફથી એમને 1954માં લીલા પારિતોષિક અને 1963માં ભુવનમોહિની સુવર્ણચન્દ્રક એનાયત થયેલાં. 1966માં પશ્ચિમ બંગાળ સરકારે એમને રવીન્દ્ર પુરસ્કાર એનાયત કરેલો. એમની બૃહદ્ નવલકથા ‘પ્રથમ…

વધુ વાંચો >

આશાવરી

આશાવરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક થાટ અને તેમાંથી જન્મેલો રાગ. રાગ-રાગિણી પરંપરાને માનનારા ‘સંગીત- દર્પણ’ વગેરે ગ્રન્થોમાં આશાવરીને રાગિણી કહી છે. આ રાગમાં ગંધાર, ધૈવત અને નિષાદ સ્વરો કોમળ તથા અન્ય સ્વરો શુદ્ધ આવે. આરોહમાં ગંધાર અને નિષાદ સ્વરો વર્જિત, તેથી તેની જાતિ ઓડવ સંપૂર્ણ-તેના વાદી સ્વર ધૈવત…

વધુ વાંચો >

આશિષખાં

આશિષખાં (જ. નવેમ્બર 1940, મૈહર) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. સરોદવાદક અને વિખ્યાત સંગીતકાર અલીઅકબરખાંના સુપુત્ર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. વિખ્યાત સરોદવાદક પિતામહ અલાઉદ્દીનખાંસાહેબ અને પિતા ઉસ્તાદ અલીઅકબરખાંની પાસે મૈહર આશ્રમમાં સંગીતપૂર્ણ વાતાવરણમાં પિતામહ અને પિતાની નિશ્રામાં તેમને સંગીતની પ્રેરણા મળતી રહી. 6 વર્ષની કુમળી વયે સંગીતતાલીમનો પ્રારંભ કરી…

વધુ વાંચો >

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા (સ્થાપના 1937) : પાલ અને સેન-કાળની શિલ્પકૃતિઓ(આઠમીથી બારમી સદી)નો સંગ્રહ ધરાવતું મ્યુઝિયમ. મહાન કેળવણીકાર સર આશુતોષ મુખરજીની યાદગીરીમાં તે સ્થાપવામાં આવેલું છે. પાલ અને સેન કાળની શિલ્પકૃતિઓ પ્રાચીન ગુપ્ત કાળની શિલ્પ-સંસ્કૃતિથી પ્રેરિત હોવાનું જણાય છે. પાલ રાજવીઓએ બૌદ્ધ ધર્મની શિલ્પકલાકૃતિઓ કંડારેલ મંદિરો બંધાવ્યાં. સેન…

વધુ વાંચો >

આશૂનતા

Jan 13, 1990

આશૂનતા (Turgidity) : કોષની સંપૂર્ણ વિસ્તરેલી (ફૂલેલી) અવસ્થા. સામાન્ય રીતે વનસ્પતિકોષનાં દ્રવ્યો ઉપર થતું દબાણ મુખ્યત્વે કોષદીવાલના તનન-સામર્થ્ય (tensile strength) અને સ્થિતિસ્થાપક (elastic) તાણ(stretch)ને લીધે હોય છે. દીવાલના અંદરની દિશામાં થતા દબાણને પરિણામે રસધાનીમાં, દ્રવસ્થૈતિક (hydrostatic) દાબ ઉત્પન્ન થાય છે. આ દાબને આશૂનતા-દાબ (turgor-pressure) કહે છે. તે કોષનાં દ્રવ્યો દ્વારા…

વધુ વાંચો >

આશોતરો (આસુંદરો)

Jan 13, 1990

આશોતરો (આસુંદરો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિયૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia racemosa Lam. (સં. અશ્મન્તક, શ્વેતકંચન; બં. બનરાજ; હિં. ઝિંજેરી, કચનાલ; મલ. કોટાપુલી; મ. આપ્ટા) છે. દેવકંચન અને કંચનાર તેની સહજાતિઓ છે. કાંચકા, ચીલાર, ગલતોરો, લીબીદીબી, ગુલમહોર, ગરમાળો, કાસુંદરો, અશોક અને આમલી તેની જાણીતી સહપ્રજાતિઓ…

વધુ વાંચો >

આશ્રમશાળા

Jan 13, 1990

આશ્રમશાળા : શ્રમ, સેવા અને સ્વાધ્યાય પર આધારિત કેળવણી આપતી નિવાસી શાળા. ભારતવર્ષમાં આર્યોના સમયથી શિક્ષણમાં ‘આશ્રમશાળા’ વિશેના ઉલ્લેખો મળે છે. કૃષ્ણ અને સુદામા સાંદીપનિની આશ્રમશાળામાં જ ભણેલા. કાળાંતરે, વિશેષે કરીને અંગ્રેજકાળમાં આ પ્રથા ઘસાઈ ગઈ. આમ છતાં આર્યસમાજી ‘ગુરુકુળ’ અને રવીન્દ્રનાથ ટાગોરના ‘શાંતિનિકેતન’ રૂપે આ આશ્રમશાળાઓના નમૂના અંગ્રેજોના સમય…

વધુ વાંચો >

આશ્વલાયન ગૃહ્યસૂત્ર

Jan 13, 1990

આશ્વલાયન ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પ.

વધુ વાંચો >

આશ્વલાયન શ્રૌતસૂત્ર

Jan 13, 1990

આશ્વલાયન શ્રૌતસૂત્ર : જુઓ કલ્પ.

વધુ વાંચો >

આશ્વલાયન સંહિતા

Jan 13, 1990

આશ્વલાયન સંહિતા : જુઓ ઋગ્વેદ.

વધુ વાંચો >

આષાઢ કા એક દિન

Jan 13, 1990

આષાઢ કા એક દિન (1958) : હિન્દી નાટકકાર મોહન રાકેશનું ત્રિઅંકી નાટક. તેને દિલ્હીની સંગીત નાટક અકાદમીનું પારિતોષિક (1959) મળેલું. પ્રથમ વાર મંચન-1962. નાટકને હિન્દીમાં તથાકથિત ‘સાહિત્યિક’ નાટકની પકડમાંથી મુક્ત કરવામાં આ નાટક અને તેના લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. કવિ કાલિદાસના જીવનમાં કાલ્પનિક પ્રણયકથાને ગૂંથતું, આ નાટકનું કથાનક આમ તો…

વધુ વાંચો >

આસક્તિ

Jan 13, 1990

આસક્તિ : મનની ભગવાન પ્રત્યે આત્યંતિક લગની. નારદભક્તિસૂત્રમાં આસક્તિના અગિયાર પ્રકારો બતાવ્યા છે, જે ભાગવત સંપ્રદાયની પૂજા-અર્ચા અને ભાવગીતોમાં અભિવ્યક્ત થતા જોવામાં આવે છે. આ અગિયાર પ્રકારો આ મુજબ છે : (1) ગુણ-માહાત્મ્યાસક્તિ, જેમાં ભગવાન કે તેમના અવતારવિશેષના ગુણોની ભજના હોય. (2) રૂપાસક્તિ, જેમાં ભગવાનના રૂપ પ્રત્યેની મુગ્ધતા વ્યક્ત થતી…

વધુ વાંચો >

આસનસોલ

Jan 13, 1990

આસનસોલ : પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો પેટાવિભાગ અને કૉલકાતાથી વાયવ્યે 210 કિમી.ને અંતરે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 240 18´ ઉ. અ. અને 870 17´ પૂ. રે. તે પૂર્વમાં જતી રેલવેનું વડું મથક છે. બિહાર-બંગાળનાં સમૃદ્ધ કોલસા અને લોખંડનાં ક્ષેત્રો પાસે આવેલું હોઈ આ શહેરનો ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં થયો…

વધુ વાંચો >

આસફખાન

Jan 13, 1990

આસફખાન (જ. 1503, ચાંપાનેર; અ. 1554, મહેમદાવાદ) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-1537)નો નામાંકિત, બાહોશ, વિદ્વાન અમીર અને વજીર. સિંધના રાજા જામ નંદાનો વંશજ. નામ અબ્દુલ-અઝીઝ. પિતાનું નામ હમીદુલ-મુલ્ક જે સુલતાન મુઝફ્ફરશાહ બીજા(ઈ.સ. 1511-1526)ના દરબારનો એક અમીર હતો. પ્રખર શિક્ષકો પાસેથી વિવિધ વિષયોમાં શિક્ષણ લઈ રાજ્યસેવા સ્વીકારી બહાદુરશાહના વિશ્વાસુ મુખ્ય વજીરના પદ…

વધુ વાંચો >