૨.૦૪

આબોહવાથી આમેલિયનબર્ગ પેવિલિયન

આમાપન (રસાયણશાસ્ત્ર)

આમાપન (assay) (રસાયણશાસ્ત્ર) : ધાતુઓ (ખાસ કરીને કીમતી ધાતુઓ) અથવા ખનિજોના નમૂનાનું તેમાં રહેલ સંઘટકોનું પ્રમાણ તથા (નમૂનાની) ગુણવત્તા નક્કી કરવા માટેની કસોટી. સોનું, ચાંદી, જેવી ધાતુઓ ધરાવતા નમૂનાઓ(દા.ત., ઘરેણાં, લગડી, સિક્કાઓ)નું અગ્નિ-આમાપન (fire assay) પદ્ધતિ દ્વારા પૃથક્કરણ કરવામાં આવે છે. તેના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે છે : (i) પ્રતિચયન…

વધુ વાંચો >

આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા

આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા (જ. 1924 , વુર્ઝબર્ગ, જર્મની; અ. 22 સપ્ટેમ્બર 2000 ) : અગ્રગણ્ય ઇઝરાયલી કવિ. ‘ઍમિચાઈ’નો હિબ્રૂમાં અર્થ છે : ‘મારા જનસમુદાયનાં જીવનો’. ઍમિચાઈ સતત પોતાના સમુદાયના અવાજમાં માનવજાતનો અવાજ વ્યક્ત કરતા. ‘ઓપન ક્લોઝ્ડ ઓપન’ તેમનું દીર્ઘ કાવ્ય છે. ઍના બ્લૉક અને ઍના કોનફેલ્ડે એનો હિબ્રૂમાંથી અંગ્રેજીમાં અનુવાદ…

વધુ વાંચો >

આમિયેલ, હેન્રી ફ્રેડરિક

આમિયેલ, હેન્રી ફ્રેડરિક (જ. 1821  જિનીવા, અ. 1881 ) : ફ્રેન્ચભાષી તત્વચિંતક અને ડાયરીલેખક. તેમના મૃત્યુ બાદ જિનીવામાં 1883માં ઈ. શેરેરની પ્રસ્તાવના સાથે તેમની ડાયરી ‘જર્નલ ઇન ટાઇમ’ બે ગ્રંથમાં પ્રગટ થતાં તેમને ખ્યાતિ મળી. એ ડાયરીની આઠમી આવૃત્તિ 1901માં પ્રગટ થઈ હતી. સંવેદનશીલ આત્માની આ રસપ્રદ રીતે લખાયેલી ડાયરીની…

વધુ વાંચો >

આમુક્ત માલ્યદા

આમુક્ત માલ્યદા (16 મી સદી) : તેલુગુનાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાંનું એક મધ્યકાલીન કાવ્ય. રચયિતા વિજયનગરનરેશ કૃષ્ણદેવરાય (રાજ્યકાલ 1500-1530 ). કૃષ્ણદેવરાય સંસ્કૃત તથા તેલુગુના પંડિત હતા. એેમણે સંસ્કૃત તથા તેલુગુ બન્ને ભાષામાં કાવ્યરચનાઓ કરી હતી; પરન્તુ અત્યારે તો તેમનો ‘આમુક્ત માલ્યદા’ ગ્રંથ જ ઉપલબ્ધ છે. એનું બીજું નામ ‘વિષ્ણુચિત્તિયમુ’ છે. એ…

વધુ વાંચો >

આમુર

આમુર : એશિયા ખંડના ઈશાન ખૂણે પૂર્વ સાઇબીરિયામાં રશિયા અને ચીનની સરહદે આવેલી નદી. આ નદી સિંચાઈ, મત્સ્ય-ઉદ્યોગ તેમજ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે. ચીનમાં આ નદીને હી-લંગ-જિયાંગ અર્થાત્ ‘કાળી નદી’ (Hei-Ho) તરીકે સંબોધવામાં આવે છે. તેના ભયાનક પૂરપ્રકોપના સ્વરૂપને કારણે તે ‘Black Dragon’નું બિરુદ પણ પામી છે. શાખાનદીઓ સહિતનો…

વધુ વાંચો >

આમૂરા

આમૂરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની સદાહરિત વૃક્ષો ધરાવતી એક પ્રજાતિ. તેનું ઇંડો-મલયેશિયન પ્રદેશોમાં મુખ્યત્વે વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે, તે પૈકી Amoora wallichii King. (બં. લાલી, પિત્રજ; હિં. લાલચોની, આ. અમારી, ગુ. અમારી, રોહીડો) ઇમારતી લાકડા માટે અગત્યની વૃક્ષ-જાતિ છે. તેની એક જાતિ…

વધુ વાંચો >

આમેર

આમેર : જુઓ અંબેર

વધુ વાંચો >

આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો : કછવાહોની રાજધાનીનું નગર. એ જયપુરની પાસે પહાડોથી વીંટળાયેલી ખીણમાં આવેલું છે. એના કિલ્લાની દીવાલો આ પહાડો પર બાંધીને આખા નગરને સુરક્ષિત કરેલું છે, જેમાં કછવાહોના રાજમહેલો આવેલા છે. આમેરની વસાહત આશરે દશમી શતાબ્દી જેટલી પ્રાચીન હોવા છતાં ત્યાંના રાજમહેલો પ્રમાણમાં નવા છે. રાજા માનસિંહ (1592-1615) અને રાજા…

વધુ વાંચો >

આમેલિયનબર્ગ પેવિલિયન

આમેલિયનબર્ગ પેવિલિયન (1734-40) : જર્મન શહેર મ્યૂનિકના સીમાડે બેવેરિયન રાજાઓએ ગ્રીષ્મવિહાર માટે બંધાવેલ નિમ્ફેન્બર્ગ મહેલના ઉપવનમાં આવેલાં ત્રણ આનંદભવનોમાંનું સૌથી પ્રખ્યાત આનંદભવન (pavilion). આ ભવન 1734 થી 1740 દરમિયાન રોકોકો શૈલીના મહાન સ્થપતિ ફ્રાંસ્વા કુ વિલ્લીસે (1695-1768) બેવેરિયાના ઇલેક્ટર ચાર્લ્સ આલ્બર્ટનાં પત્ની રાજકુમારી આમેલી માટે બાંધેલું હતું. સફેદ આરસની એક…

વધુ વાંચો >

આબોહવા

Jan 4, 1990

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…

વધુ વાંચો >

આભાગુગ્ગુલુ

Jan 4, 1990

આભાગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધિ. બાવળની છાલ, હરડે, બહેડાં, આંબળાં, સૂંઠ, મરી, પીપર દરેક સમભાગે લઈ તે સર્વના વજનના પ્રમાણમાં શુદ્ધ ગૂગળ મેળવીને ચણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે. 2થી 4 ગોળી પાણી સાથે આપવાથી અસ્થિભંગમાં આરામ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

આભાસવાદ

Jan 4, 1990

આભાસવાદ : કાશ્મીરના અદ્વૈતવાદી શૈવ દર્શનનો મુખ્ય સિદ્ધાન્ત. પૂર્ણપણે અદ્વૈતવાદી શૈવ દર્શન કાશ્મીરમાં નવમા સૈકાના પૂર્વાર્ધમાં ઉદભવ્યું. તે આભાસવાદ, સ્વાતંત્ર્યવાદ, ત્રિક દર્શન, કાશ્મીર શૈવ દર્શન એમ અલગ અલગ નામે ઓળખાય છે. શિવસૂત્રના કર્તા વસુગુપ્ત (ઈ. સ. 825) તેના પ્રથમ પુરસ્કર્તા કહી શકાય. ‘શિવદૃષ્ટિ’ના કર્તા સોમાનંદે (9મી સદી) મુક્તિના અપૂર્વ ઉપાય…

વધુ વાંચો >

આભાસી ઉડ્ડયન

Jan 4, 1990

આભાસી ઉડ્ડયન (Flight Simulation) : ઉડ્ડયન-અનુકરણ. વાસ્તવિક ઉડ્ડયનમાં થતો હરએક ફેરફાર, ક્રિયા-પ્રક્રિયાઓ તથા સંવેદનો પૃથ્વી ઉપર ઉડ્ડયન કર્યા વગર કરાવવા માટેની યાંત્રિક-ઇલેક્ટ્રૉનિક યંત્રરચના. વિમાન તથા અંતરીક્ષયાનના ચાલકોની તાલીમ માટે આવું યંત્ર ઘણું ઉપયોગી છે. વાસ્તવિક ઉડ્ડયનમાં વિમાનનું સમતુલન જાળવીને ચોક્કસ દિશામાં નક્કી કરેલી ઊંચાઈ પર પૂર્વનિર્ધારિત ગતિમાં તેને લઈ જવાની…

વધુ વાંચો >

આભાસી વાસ્તવિકતા

Jan 4, 1990

આભાસી વાસ્તવિકતા (Virtual Reality) : કૃત્રિમ માધ્યમમાં કાલ્પનિક ભૂમિકાનું સર્જન કરતી ટૅકનૉલૉજી. આભાસી વાસ્તવિકતા ભારે વિસ્મયકારક કૃતિ કે કરામત નથી. માણસ માટે સજીવ કલ્પના અને ચાલાકીપૂર્વક પ્રભાવિત કરવા માટેનું તે માધ્યમ છે. આવા માધ્યમ દ્વારા કમ્પ્યૂટર તથા અત્યંત જટિલ માહિતી સાથે આંતરક્રિયા કરવાનો માર્ગ તૈયાર છે; જેમ કે, ભયાનક જંગલ,…

વધુ વાંચો >

આભીર (પ્રજા)

Jan 4, 1990

આભીર (પ્રજા) : પ્રાચીન ભારતની એક ગોપાલક જાતિ. આજના આહીરો તે પૂર્વેના આભીરો જ હતા એવો એક મત છે; પતંજલિ ઋષિ એમના મહાભાષ્યમાં તેમનો જાતિ તરીકે ઉલ્લેખ કરે છે. મહાભારતના અશ્વમેધિક પર્વમાં એવો ઉલ્લેખ આવે છે કે પોતાના ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા માટે તેમનો શૂદ્ર જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો. શલ્યપર્વમાં…

વધુ વાંચો >

આભીર (પ્રદેશ)

Jan 4, 1990

આભીર (પ્રદેશ) : આભીરોની વસ્તીવાળો પ્રદેશ. રામાયણ-કિષ્કિંધાકાંડમાં સૌરાષ્ટ્રની નજીક ‘શૂરાભીર’ પ્રદેશ સૂચવાયો છે. મહાભારતના ભીષ્મપર્વમાં ‘વાહીક’ અને ‘વાટધાન’ પ્રદેશ પછી ‘આભીર’ કહ્યો છે. રામાયણમાં પણ ‘વાલ્હીક’(વાહીક)નું સામીપ્ય છે જ. ‘શૂદ્રાભીર’ કહેલ છે તે ‘શૂરાભીર’ છે. મહાભારતના મૌશલ પર્વમાં જણાવ્યા પ્રમાણે અર્જુન જ્યારે દ્વારકાના વિનાશ પછી યાદવ સ્ત્રીઓને લઈને પંચનદના પ્રદેશમાંથી…

વધુ વાંચો >

આમ

Jan 4, 1990

આમ : જૈન પ્રબંધોમાં નિર્દિષ્ટ એક રાજા. તે કયો એ બાબતમાં મતભેદ છે. કેટલાક તેને કનોજનો પ્રતીહાર રાજા નાગભટ્ટ પહેલો માને છે, જ્યારે અન્ય વિદ્વાનો તેને એ વંશનો વત્સરાજ માને છે. આઠમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ રાજાએ, જૈન અનુશ્રુતિ મુજબ, કનોજમાં 100 હાથ ઊંચું મંદિર બંધાવેલું ને એમાં મહાવીરસ્વામીની સોનાની…

વધુ વાંચો >

આમટે, બાબા

Jan 4, 1990

આમટે, બાબા (જ. 26 ડિસેમ્બર 1914; અ. 9 ફેબ્રુઆરી 2008, આનંદવન, વરોરા, જિલ્લો ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ભારતના પ્રતિભાસંપન્ન સમાજસેવક, ચિંતક, કવિ. રક્તપિત્તના રોગીઓ, અપંગો અને આદિવાસીઓ સ્વમાનથી જીવી શકે એ માટે તેમણે અથાગ પરિશ્રમથી સ્થાપેલી સંસ્થાઓ જગતભરમાં વિખ્યાત છે. બાળપણથી જ તેઓ કંઈક કરી છૂટવા માટે સતત અજંપો અનુભવતા હતા.…

વધુ વાંચો >

આમરાજ અથવા આમશર્મા

Jan 4, 1990

આમરાજ અથવા આમશર્મા (12મી સદી ઉત્તરાર્ધ – 13મી સદી પૂર્વાર્ધ) : ગુજરાતના વિદ્વાન જ્યોતિષી. ઉત્તર ગુજરાતમાં આવેલ આનંદપુર(આધુનિક વડનગર)માં નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતાનું નામ મહાદેવ અને દાદાનું નામ બન્ધુક. તેમના ગુરુ ત્રિવિક્રમે ઈ. સ. 1180માં ‘ખંડખાદ્યોત્તર’ નામના ગ્રંથની રચના કરી હતી. આમરાજ જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. તેમણે બ્રહ્મગુપ્તલિખિત ‘ખંડખાદ્યક’…

વધુ વાંચો >