૨.૦૪

આબોહવાથી આમેલિયનબર્ગ પેવિલિયન

આમરી

આમરી : સિંધુ નદીને કિનારે આવેલા પ્રાચીન સંસ્કૃતિના ટીંબા. નન્દિગોપાલ મજુમદારે 1929માં અને કેસલે 1959-62 સુધીમાં સિંધુ નદીને કિનારે આવેલા આમરીના ટીંબામાં ઉત્ખનનો કર્યાં હતાં. તે હાલ પાકિસ્તાનમાં છે. તેમાંથી મળેલા અવશેષો એ તામ્રાશ્મયુગના હોવાનું અને આશરે ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના હોવાનું દર્શાવે છે. આમરીના પ્રાચીન ટીંબાઓમાંથી મળેલાં માટીનાં વાસણો…

વધુ વાંચો >

આમલક, આમલશિલા

આમલક, આમલશિલા : ભારતીય મંદિરના શિખર કે સ્તંભની ઉપર મૂકવામાં આવતો ગોળાકાર પથ્થર. આમલક (આમળા) ફળના આકાર સાથેના સામ્યને કારણે તેને આમલક કહે છે. શિખરની ઉપર શીર્ષ કે કળશ તરીકે તેની સ્થાપના થાય છે. તે સામાન્ય રીતે ધ્વજસ્તંભના આધારરૂપ હોય છે. આમલકની અગત્ય દર્શન અને બાંધકામની દૃષ્ટિએ ઘણી હતી. જુદી…

વધુ વાંચો >

આમલકી રસાયન

આમલકી રસાયન : આયુર્વેદિક ઔષધ. સૂકાં આંબળાંના ચૂર્ણને ખરલમાં નાખી લીલાં આંબળાંના સ્વરસની 21 ભાવના આપીને સૂકવી ચાળીને બાટલીમાં ભરી લેવામાં આવે છે. આ આમલકી રસાયન 3થી 5 ગ્રામની માત્રામાં પાણી અગર મધ સાથે લેવાથી ક્ષય, રક્તપિત્ત, પ્રમેહ, દાહ વગેરે રોગોમાં ફાયદો થાય છે. તે સાજા માણસને માટે રસાયન છે.…

વધુ વાંચો >

આમલી

આમલી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનીઑઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tamarindusindica Linn. (સં. ચિંચા; હિં. ઈમલી, અંબલી; બં. આમરૂલ, તેંતુલ; મ. ચિંચ; ગુ. આમલી; તે. ચિંતાચેટુ; ત. પુલિયામારં, પુલિ; મલ. આમલં, ચિંચા; અં. ટૅમેરિંડ ટ્રી) છે. કાકચિયા, ચીલાર, શંખેશ્વર, ગુલમહોર, રામબાવળ, ગરમાળો, કાસુંદરો, કુંવાડિયો, અશોક અને…

વધુ વાંચો >

આમલી-પીપળી

આમલી-પીપળી : ભારતની પ્રાચીન લોકરમત. તેનું પગેરું મહાભારતના કાળ સુધી મળી આવે છે. દરેક પક્ષમાં 5થી 9 રમનાર હોય તેવા બે પક્ષો વડે ઘટાદાર વૃક્ષ પર આ રમત રમાય છે. વૃક્ષની ડાળીઓના ઘેરાવાથી 20 ફૂટ દૂર જમીન પર કૂંડાળું દોરેલું હોય છે, જેની બંને બાજુ બંને પક્ષના ખેલાડીઓ સામસામે ઊભા…

વધુ વાંચો >

આમવાત (આયુર્વેદ)

આમવાત (આયુર્વેદ) : એક પ્રકારનો સંધિરોગ (joint disease). આયુર્વેદ અનુસાર સંધિરોગોમાં સૌથી વધુ પ્રમાણ આમવાતનું હોય છે. આધુનિક તબીબી વિજ્ઞાન તેને રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ કહે છે; પણ આયુર્વેદના નિષ્ણાતો રૂમેટૉઇડ જ્વરનો પણ તેમાં સમાવેશ કરે છે. ‘આમ’ સાથે વાતદોષનો પ્રકોપ થતાં ‘આમવાત’ થાય છે. આમ એટલે આહારનો અપક્વ રસ. આમની ઉત્પત્તિ…

વધુ વાંચો >

આમસભા

આમસભા (House of Commons) : બ્રિટિશ સંસદનાં બે ગૃહોમાંનું નીચલું ગૃહ. 13મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે પહેલી જ વાર શહેરો અને કાઉન્ટીઓને નાણાકીય બાબતો અંગે પોતાના પ્રતિનિધિઓ મોકલવાની સત્તા અપાઈ ત્યારે આમસભાની શરૂઆત થઈ હતી. 16મી સદીમાં આમસભા અને ઉપલા ગૃહની ઉમરાવસભા(House of Lords)ને સત્તાવાર રીતે જુદી પાડવામાં આવી. 1801થી 1885…

વધુ વાંચો >

આમળાં

આમળાં : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Emblicaofficinalis Gaertn. syn. Phyllanthus emblica Linn. (સં. આદિફલ, ધાત્રી, આમલકા; હિં. આમલા, આમરા; બં. આમલકા; મ. આંવળે; ક. નલ્લામારા; તે. ઉસરકાય; ત. નલ્લામાર; મલ. આમલકં નેલ્લી; અં. એમ્બલિક મિરોબેલન) છે. આમળાં કુળનાં સહસભ્યોમાં વિવિધ પ્રકારના થોર, એકલકંટો, ભોમ,…

વધુ વાંચો >

આમાન

આમાન (અમાન) : જૉર્ડનનું પાટનગર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 320 ૦૦´ ઉ. અ. અને 360 ૦૦´ પૂ. રે.. તે મૃત સમુદ્રથી ઈશાનમાં 40 કિમી.ને અંતરે જૉર્ડનના ઉત્તર ભાગમાં, જબલ અજલૂન પર્વતોની પૂર્વ સરહદે વસેલું છે. આ શહેરની મોટા ભાગની ઇમારતો ટેકરીઓ પર આવેલી છે. શહેરના મુખ્ય માર્ગ…

વધુ વાંચો >

આમાપન

આમાપન (Assay) (આયુર્વિજ્ઞાન) : મિશ્રણમાંના કોઈ એક દ્રવ્યનું પ્રમાણ નક્કી કરવું તે. આ દ્રવ્ય ઔષધ, અંત:સ્રાવ (hormone), ધાતુતત્વ, પ્રોટીન, ઉત્સેચક (enzyme) કે વિષ હોઈ શકે. આમાપન બે પ્રકારનાં હોય છે : (1) મિશ્રણમાંનાં દ્રવ્યોનું વિશ્લેષણ (analysis) કરી કોઈ ચોક્કસ દ્રવ્યનું પ્રમાણ જાણવું. (2) જ્ઞાત દ્રવ્ય સાથે સરખામણી કરીને બીજા દ્રવ્યની…

વધુ વાંચો >

આબોહવા

Jan 4, 1990

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…

વધુ વાંચો >

આભાગુગ્ગુલુ

Jan 4, 1990

આભાગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધિ. બાવળની છાલ, હરડે, બહેડાં, આંબળાં, સૂંઠ, મરી, પીપર દરેક સમભાગે લઈ તે સર્વના વજનના પ્રમાણમાં શુદ્ધ ગૂગળ મેળવીને ચણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે. 2થી 4 ગોળી પાણી સાથે આપવાથી અસ્થિભંગમાં આરામ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

આભાસવાદ

Jan 4, 1990

આભાસવાદ : કાશ્મીરના અદ્વૈતવાદી શૈવ દર્શનનો મુખ્ય સિદ્ધાન્ત. પૂર્ણપણે અદ્વૈતવાદી શૈવ દર્શન કાશ્મીરમાં નવમા સૈકાના પૂર્વાર્ધમાં ઉદભવ્યું. તે આભાસવાદ, સ્વાતંત્ર્યવાદ, ત્રિક દર્શન, કાશ્મીર શૈવ દર્શન એમ અલગ અલગ નામે ઓળખાય છે. શિવસૂત્રના કર્તા વસુગુપ્ત (ઈ. સ. 825) તેના પ્રથમ પુરસ્કર્તા કહી શકાય. ‘શિવદૃષ્ટિ’ના કર્તા સોમાનંદે (9મી સદી) મુક્તિના અપૂર્વ ઉપાય…

વધુ વાંચો >

આભાસી ઉડ્ડયન

Jan 4, 1990

આભાસી ઉડ્ડયન (Flight Simulation) : ઉડ્ડયન-અનુકરણ. વાસ્તવિક ઉડ્ડયનમાં થતો હરએક ફેરફાર, ક્રિયા-પ્રક્રિયાઓ તથા સંવેદનો પૃથ્વી ઉપર ઉડ્ડયન કર્યા વગર કરાવવા માટેની યાંત્રિક-ઇલેક્ટ્રૉનિક યંત્રરચના. વિમાન તથા અંતરીક્ષયાનના ચાલકોની તાલીમ માટે આવું યંત્ર ઘણું ઉપયોગી છે. વાસ્તવિક ઉડ્ડયનમાં વિમાનનું સમતુલન જાળવીને ચોક્કસ દિશામાં નક્કી કરેલી ઊંચાઈ પર પૂર્વનિર્ધારિત ગતિમાં તેને લઈ જવાની…

વધુ વાંચો >

આભાસી વાસ્તવિકતા

Jan 4, 1990

આભાસી વાસ્તવિકતા (Virtual Reality) : કૃત્રિમ માધ્યમમાં કાલ્પનિક ભૂમિકાનું સર્જન કરતી ટૅકનૉલૉજી. આભાસી વાસ્તવિકતા ભારે વિસ્મયકારક કૃતિ કે કરામત નથી. માણસ માટે સજીવ કલ્પના અને ચાલાકીપૂર્વક પ્રભાવિત કરવા માટેનું તે માધ્યમ છે. આવા માધ્યમ દ્વારા કમ્પ્યૂટર તથા અત્યંત જટિલ માહિતી સાથે આંતરક્રિયા કરવાનો માર્ગ તૈયાર છે; જેમ કે, ભયાનક જંગલ,…

વધુ વાંચો >

આભીર (પ્રજા)

Jan 4, 1990

આભીર (પ્રજા) : પ્રાચીન ભારતની એક ગોપાલક જાતિ. આજના આહીરો તે પૂર્વેના આભીરો જ હતા એવો એક મત છે; પતંજલિ ઋષિ એમના મહાભાષ્યમાં તેમનો જાતિ તરીકે ઉલ્લેખ કરે છે. મહાભારતના અશ્વમેધિક પર્વમાં એવો ઉલ્લેખ આવે છે કે પોતાના ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા માટે તેમનો શૂદ્ર જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો. શલ્યપર્વમાં…

વધુ વાંચો >

આભીર (પ્રદેશ)

Jan 4, 1990

આભીર (પ્રદેશ) : આભીરોની વસ્તીવાળો પ્રદેશ. રામાયણ-કિષ્કિંધાકાંડમાં સૌરાષ્ટ્રની નજીક ‘શૂરાભીર’ પ્રદેશ સૂચવાયો છે. મહાભારતના ભીષ્મપર્વમાં ‘વાહીક’ અને ‘વાટધાન’ પ્રદેશ પછી ‘આભીર’ કહ્યો છે. રામાયણમાં પણ ‘વાલ્હીક’(વાહીક)નું સામીપ્ય છે જ. ‘શૂદ્રાભીર’ કહેલ છે તે ‘શૂરાભીર’ છે. મહાભારતના મૌશલ પર્વમાં જણાવ્યા પ્રમાણે અર્જુન જ્યારે દ્વારકાના વિનાશ પછી યાદવ સ્ત્રીઓને લઈને પંચનદના પ્રદેશમાંથી…

વધુ વાંચો >

આમ

Jan 4, 1990

આમ : જૈન પ્રબંધોમાં નિર્દિષ્ટ એક રાજા. તે કયો એ બાબતમાં મતભેદ છે. કેટલાક તેને કનોજનો પ્રતીહાર રાજા નાગભટ્ટ પહેલો માને છે, જ્યારે અન્ય વિદ્વાનો તેને એ વંશનો વત્સરાજ માને છે. આઠમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ રાજાએ, જૈન અનુશ્રુતિ મુજબ, કનોજમાં 100 હાથ ઊંચું મંદિર બંધાવેલું ને એમાં મહાવીરસ્વામીની સોનાની…

વધુ વાંચો >

આમટે, બાબા

Jan 4, 1990

આમટે, બાબા (જ. 26 ડિસેમ્બર 1914; અ. 9 ફેબ્રુઆરી 2008, આનંદવન, વરોરા, જિલ્લો ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ભારતના પ્રતિભાસંપન્ન સમાજસેવક, ચિંતક, કવિ. રક્તપિત્તના રોગીઓ, અપંગો અને આદિવાસીઓ સ્વમાનથી જીવી શકે એ માટે તેમણે અથાગ પરિશ્રમથી સ્થાપેલી સંસ્થાઓ જગતભરમાં વિખ્યાત છે. બાળપણથી જ તેઓ કંઈક કરી છૂટવા માટે સતત અજંપો અનુભવતા હતા.…

વધુ વાંચો >

આમરાજ અથવા આમશર્મા

Jan 4, 1990

આમરાજ અથવા આમશર્મા (12મી સદી ઉત્તરાર્ધ – 13મી સદી પૂર્વાર્ધ) : ગુજરાતના વિદ્વાન જ્યોતિષી. ઉત્તર ગુજરાતમાં આવેલ આનંદપુર(આધુનિક વડનગર)માં નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતાનું નામ મહાદેવ અને દાદાનું નામ બન્ધુક. તેમના ગુરુ ત્રિવિક્રમે ઈ. સ. 1180માં ‘ખંડખાદ્યોત્તર’ નામના ગ્રંથની રચના કરી હતી. આમરાજ જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. તેમણે બ્રહ્મગુપ્તલિખિત ‘ખંડખાદ્યક’…

વધુ વાંચો >