૨૩.૦૮

સાવકારી પાશથી સાહિત્યસંસદ

સાહિત્ય

સાહિત્ય : ઈ. સ. 1913માં મટુભાઈ કાંટાવાળા દ્વારા વડોદરાથી પ્રસિદ્ધ થતું માસિક. સાહિત્યને લગતી ચર્ચાઓ કરવી, ગુજરાતી પ્રાચીન સાહિત્યના અપ્રસિદ્ધ ગ્રંથોને પ્રસિદ્ધ કરવા તેમજ પારસી-ગુજરાતી લેખકોની પ્રવર્તતી વાડાબંધીને દૂર કરવાનું તેનું પ્રયોજન હતું. રૂપરંગમાં, વ્યવસ્થામાં તેમ ભાષામાં પણ સાદગીનો આત્યંતિક મહિમા કરનારા આ સામયિકે ‘આમવર્ગનું માસિક’ કહી પોતાની ઓળખને દૃઢાવી…

વધુ વાંચો >

સાહિત્ય

સાહિત્ય : વાઙ્મયનો એક પ્રકાર. વાક્ એટલે ચોક્કસ પ્રકારના અર્થવાળી શબ્દરચના. વાક્ની બનેલી રચના તે વાઙ્મય. વાઙ્મયના સાહિત્ય અને શાસ્ત્ર બે પ્રકાર છે. દંડી અને રાજશેખર તેને (1) વક્રોક્તિનું બનેલું કલ્પનોત્થ લલિત સાહિત્ય અને (2) વાસ્તવિક સૃષ્ટિનું યથાતથ નિરૂપણ કરતું લલિતેતર સાહિત્ય – બે પ્રકાર આપે છે. આમ શાસ્ત્રમાં સ્વભાવોક્તિનું…

વધુ વાંચો >

સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ)

સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ) : આનંદ અને બોધ અર્થે કલ્પના, ઊર્મિ અને ચિંતનના પ્રવર્તન દ્વારા માનવે સાધેલી વાઙ્મય અભિવ્યક્તિ. સાહિત્યકલાનો સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીતની સાથે લલિતકલા તરીકે સમાવેશ કરેલો છે. લુહારની, સુથારની, રાચરચીલું બનાવનારની, ઘર રંગનારની અને એવી બીજા કલાકારીગરીની કલાનો લલિતેતર વર્ગમાં સમાવેશ થાય છે. પહેલા વર્ગની કલાઓ ભાવકને આનંદ…

વધુ વાંચો >

સાહિત્યદર્પણ

સાહિત્યદર્પણ : વિશ્વનાથકૃત ભારતીય અલંકારશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો જાણીતો ગ્રંથ. ‘સાહિત્યદર્પણ’માં દસ પરિચ્છેદો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ, કાવ્યવ્યાખ્યા અને કાવ્યપ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં આચાર્ય મમ્મટની કાવ્યવ્યાખ્યાનું ખંડન કરીને અપાયેલી ‘वाक्यं रसात्मकं काव्यम्’ એવી વ્યાખ્યા ખૂબ જાણીતી બની છે. બીજા પરિચ્છેદમાં શબ્દશક્તિઓ રજૂ થઈ છે. ત્રીજા પરિચ્છેદમાં રસ, ભાવ…

વધુ વાંચો >

સાહિત્યમીમાંસા

સાહિત્યમીમાંસા : ભારતીય અલંકારશાસ્ત્રનો આચાર્ય રુય્યકે રચેલો ગ્રંથ. આ કૃતિનો ઉલ્લેખ સ્વયં રુય્યકે તેમની જ કૃતિ ‘અલંકારસર્વસ્વ’ અને ‘વ્યક્તિવિવેકવ્યાખ્યાનમાં’ કર્યો છે. વિદ્યાનાથે ‘પ્રતાપરુદ્ર-યશોભૂષણ’માં લેખકના નામોલ્લેખ વગર પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ કર્યો છે. ‘સાહિત્યમીમાંસા’નું પ્રકાશન ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં ઈ. સ. 1934માં થયું છે, તેમાં વચ્ચે ઘણુંબધું છૂટી ગયું છે. હસ્તપ્રતમાં પણ ખામી…

વધુ વાંચો >

સાહિત્ય-વિવેચન

સાહિત્ય–વિવેચન સાહિત્યકૃતિ અંગેના વિચારણીય પ્રતિભાવથી લઈને સાહિત્યના સિદ્ધાંતોની વિચારણા સુધીનાં અનેક ઘટકો અને સ્તરોને સમાવતો વિચારવ્યાપાર. આ પ્રત્યેક ઘટક વિશેની સ્વતંત્ર, તેમજ એ ઘટકોને પરસ્પર સાંકળતી વિચારણાઓની એક સુદીર્ઘ અને સતત વિકસતી રહેલી પરંપરા બંધાયેલી છે. એટલે કે વિવેચન એક શાસ્ત્ર છે. જોકે આત્મલક્ષી આસ્વાદન અને વસ્તુલક્ષી તત્ત્વગ્રહણ – એવા…

વધુ વાંચો >

સાહિત્યશાસ્ત્ર

સાહિત્યશાસ્ત્ર : સાહિત્યનું વિવેચન કરતું શાસ્ત્ર. શબ્દ અને અર્થનો સહભાવ એટલે સાહિત્ય. સાહિત્યમાં વ્યાપક સંદર્ભે સર્વ શાસ્ત્રો, કાવ્યો, ટીકાગ્રંથો ઇત્યાદિનો સમાવેશ થાય છે; પરંતુ કાવ્ય-નાટ્યના સંદર્ભમાં અથવા તો સર્જનાત્મક ગ્રંથોના સંદર્ભમાં શબ્દ અને અર્થનો ઉચિત, રમણીયાર્થવાળો વિન્યાસ જે અલંકાર, ગુણ અને રસયુક્ત શબ્દાર્થનો પ્રતિપાદક હોય તે સાહિત્ય. સાહિત્યનું વિવેચન કરતું…

વધુ વાંચો >

સાહિત્યસર્જનની પ્રક્રિયા

સાહિત્યસર્જનની પ્રક્રિયા : સાદ્યંત લોકોત્તર આનંદ આપે એવી વાગરચનાનું નિર્માણ કરવાની પ્રતિભાશાળી કવિ કે સાહિત્યસર્જકની સાધના; તેનું આનંદમૂલક ને આનંદપ્રવર્તક વાગ્યોગકર્મ. સાહિત્યસર્જનની પ્રક્રિયા સંકુલ અને નિગૂઢ છે. આ પ્રક્રિયા વિશે બોલવાનું બધા સાહિત્યસર્જકોને પસંદ ન પણ હોય અને જે સાહિત્યસર્જકો સાહિત્યસર્જનની પ્રક્રિયા વિશે કહે તે સર્જકો બધા જ સાહિત્યસર્જનની પ્રક્રિયા…

વધુ વાંચો >

સાહિત્યસંસદ

સાહિત્યસંસદ : મુંબઈમાં કનૈયાલાલ મુનશીએ માર્ચ 1922માં સ્થાપેલી સાહિત્યસંસ્થા. વિજયરાય વૈદ્ય તેના આરંભનાં બે વર્ષોમાં સ્થાપક સેક્રેટરી હતા. 1922થી 1942 દરમિયાનનાં વીસ વર્ષના ગાળામાં આ સંસ્થા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઘણી સક્રિય હતી. મુનશીદંપતીએ ગુજરાતની સાંસ્કારિક અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી આ સંસ્થા દ્વારા વિવિધ સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવી…

વધુ વાંચો >

સાવકારી પાશ

Jan 8, 2008

સાવકારી પાશ : મૂક મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1925. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મહારાષ્ટ્ર ફિલ્મ કંપની. દિગ્દર્શક : બાબુરાવ પેન્ટર. કથા : હરિ નારાયણ આપટે. છબિકલા : શેખ ફત્તેલાલ. મુખ્ય કલાકારો : વી. શાંતારામ, ઝુંઝારરાવ પવાર, કમલાદેવી, કિશાબાપુ બરડારકર, કેશવરાવ ધાયબર, શંકરરાવ ભુટે. મૂક ચિત્રોના સમયમાં ભારતનું આ સૌપ્રથમ…

વધુ વાંચો >

સાવજી સલમાન

Jan 8, 2008

સાવજી સલમાન (જ. ?; અ. 1376) : ખ્વાજા જમાલુદ્દીન સલમાન ફારસીમાં કસીદા રચનાની પ્રાચીન પરંપરાના છેલ્લા કવિ. તેમના અવસાન બાદ ઈરાનમાં સફવી વંશનું રાજ્ય સ્થપાતાં માત્ર ધાર્મિક પ્રકારનાં પ્રશંસાકાવ્યોની રચનાનો યુગ શરૂ થયો અને બાદશાહો તથા અમીર-ઉમરાવોની પ્રશંસા લખવાની પરંપરા મહદ્અંશે અંત પામી. તેમણે કસીદાકાવ્યો ઉપરાંત ગઝલ, મુક્તક, રુબાઈ તથા…

વધુ વાંચો >

સાવયધમ્મ દોહા (શ્રાવક-ધર્મ દોહા)

Jan 8, 2008

સાવયધમ્મ દોહા (શ્રાવક–ધર્મ દોહા) : વિ. સં. 990 લગભગ માળવાની ધારાનગરીમાં દિગમ્બર મુનિ દેવસેન દ્વારા રચાયેલ અપભ્રંશ દોહાસંગ્રહ. તેમાં જૈન ધર્મના ગૃહસ્થોનાં કર્તવ્યોનું વર્ણન છે. દેવસેન સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. સાવયધમ્મ દોહા ઉપરાંત તેમણે સંસ્કૃતમાં ‘આલાપપદ્ધતિ’ અને પ્રાકૃતમાં ‘દર્શનસાર’, ‘આરાધનાસાર’, ‘તત્ત્વસાર’ અને ‘ભાવસંગ્રહ’ નામના ગ્રંથો પણ લખ્યા છે. ‘સાવયધમ્મ…

વધુ વાંચો >

સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ

Jan 8, 2008

સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ : પ્રત્યાર્પણના પ્રશ્ર્ને ચાલેલો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર(1883-1966)નો કેસ. તેની હકીકત આ પ્રમાણે છે : સાવરકર ભારતના નાગરિક હતા અને તે રૂએ બ્રિટિશ પ્રજાજન પણ હતા. રાજદ્રોહ અને ખૂનમાં મદદગારી કરવાના ગુના માટે કામ ચલાવવા તેમને પી. ઍન્ડ ઓ. કંપનીની ‘મોરિયા’ સ્ટીમરમાં ભારત લાવવામાં આવતા હતા. 25મી…

વધુ વાંચો >

સાવરકર વિનાયક દામોદર

Jan 8, 2008

સાવરકર, વિનાયક દામોદર (જ. 23 મે 1883, ભગૂર, તાલુકો દેવળાલી, જિલ્લો નાશિક, મહારાષ્ટ્ર; અ. 27 ફેબ્રુઆરી 1966, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની, પ્રખર ક્રાંતિકારક, કટ્ટર હિંદુત્વવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજસુધારક. નિકટના વર્તુળમાં ‘તાત્યારાવ’ ઉપનામથી જાણીતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચ શિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં…

વધુ વાંચો >

સાવરકુંડલા

Jan 8, 2008

સાવરકુંડલા : અમરેલી જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 210 20′ ઉ. અ. અને 710 15′ પૂ. રે.ની આજુબાજુનો 1214.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક સાવરકુંડલા ભાવનગરથી નૈર્ઋત્યમાં 113 કિમી.ને અંતરે તથા મહુવા બંદરથી વાયવ્યમાં 51 કિમી.ને અંતરે આવેલું છે. સાવરકુંડલા નાવલી…

વધુ વાંચો >

સાવરણીનો રોગ

Jan 8, 2008

સાવરણીનો રોગ : બાજરીને ફૂગ દ્વારા થતો એક પ્રકારનો રોગ. કેટલાક વિસ્તારોમાં આ રોગને પીંછછારો કે કુતુલ પણ કહે છે અને તે Sclerospora graminicola (Sacc.) Schroet. નામના રોગજન (pathogen) દ્વારા થાય છે. આ રોગ ભારત તેમજ દુનિયાના બાજરી ઉગાડતા દેશોમાં જોવા મળે છે. બાજરીની સુધારેલ વધુ ઉત્પાદન આપતી જાતોને નુકસાન…

વધુ વાંચો >

સાવળારામ પી.

Jan 8, 2008

સાવળારામ, પી. (જ. 4 જુલાઈ 1914, યેદેનિપાણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 21 ડિસેમ્બર 1997, થાણે, મહારાષ્ટ્ર) : મરાઠીના વિખ્યાત કવિ, ગીતકાર તથા ચલચિત્રોનાં કથા, પટકથા તથા સંવાદોના લેખક. આખું નામ સાવળારામ પાટીલ. પિતાનું નામ રાવજી, જેઓ ખેતી કરતા હતા અને માતાનું નામ હૌસા, જે ગૃહિણી હતાં. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે.…

વધુ વાંચો >

સાવંત વસંત લાડોબા

Jan 8, 2008

સાવંત, વસંત લાડોબા (જ. 11 એપ્રિલ 1935, સંગુલવાડી, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેમણે એમ.એ., પીએચ.ડી. અને સાહિત્યવિશારદની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એસ. પી. કે. મહાવિદ્યાલય, સાવંતવાડીમાં મરાઠી વિભાગના રીડર તથા વડા રહ્યા. તેઓ મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ, પુણેના કારોબારી મંડળના સભ્ય; 1983-85 સુધી આકાશવાણી, રત્નાગિરિની સલાહકાર સમિતિના સભ્ય…

વધુ વાંચો >

સાવંત શિવાજીરાવ

Jan 8, 2008

સાવંત, શિવાજીરાવ (જ. 31 ઑગસ્ટ 1940, આગરા, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠીના પ્રતિભાવાન સાહિત્યકાર, રંગમંચ-અભિનેતા, ઉત્કૃષ્ટ વક્તા અને રમતવીર. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ રાધાબાઈ. મધ્યમવર્ગીય ખેડૂત-પરિવારમાં જન્મ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહ્યા. પર્યાય તરીકે મૅટ્રિક પછી કૉમર્સનો ડિપ્લોમા કોર્સ કર્યો. કોલ્હાપુરની સરકારી રાજારામ…

વધુ વાંચો >