શતાવરી

શતાવરી : એકદળી વર્ગમાં આવેલા બિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus racemosus Willd. (બં. શતમૂલી; ગુ. એકલકંટો, સતાવરી, સસલાચારો; હિં. ચાતવાલ, સતાવર, સતમૂલી; મ. આસવેલ, શતાવરી, શતમૂલી; ક. અહેરુબલ્લી, આશાધી; મલ. ચાતવાલી, સતાવરી; ત. અમૈકોડી, ઇન્લી-ચેડી, કડુમૂલા, શિમૈશડાવરી; તે. પિલ્લી-ગડ્ડાલુ, તોઆલા-ગડ્ડાલુ) છે. આ પ્રજાતિની જાતિઓ ઉપ-ક્ષુપ (under-shrub) કે…

વધુ વાંચો >

શતાવરી ઘૃત (રસાયન-ઔષધિ)

શતાવરી ઘૃત (રસાયન–ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણવિધિ : શતાવરીનો રસ 2560 મિલિ., દૂધ 2560 મિલિ, ગાયનું ઘી 1300 ગ્રામ તથા જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીરકાકોલી, દ્રાક્ષ (લીલવા-સૂકી), જેઠીમધ, જંગલી મગ, જંગલી અડદ, વિદારી કંદ અને રતાંજળી  આ 12 ઔષધિઓ 30-30 ગ્રામ લઈ, તેનો કલ્ક કરવામાં આવે છે.…

વધુ વાંચો >

શત્રુઘ્ન

શત્રુઘ્ન : દશરથ અને સુમિત્રાનો પુત્ર અને લક્ષ્મણનો સહોદર ભાઈ. વાલ્મીકિ રામાયણમાં તેને ભરતનો અભિન્ન સાથી કહ્યો છે. આથી પ્રાચીન સાહિત્યમાં રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નનો જોડી તરીકે ઉલ્લેખ થતો જોવામાં આવે છે. મોસાળમાંથી આવીને રામના વનવાસ અંગેના નિશ્ચયનો ભરતની જેમ શત્રુઘ્ને પણ ભારે વિરોધ કર્યો હતો. મંથરાને એ મારવા દોડ્યો હતો.…

વધુ વાંચો >

શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ)

શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 71° 42´ પૂ. રે. તે જિલ્લામથક ભાવનગરથી નૈર્ઋત્યમાં આશરે 54 કિમી.ને અંતરે આવેલો છે. તેની તળેટીમાં પશ્ચિમ તરફ પાલિતાણા નગર વસેલું છે તથા તેની ઉત્તર તરફથી શેત્રુંજી નદી પસાર થાય છે. તેની…

વધુ વાંચો >

શત્રુંજય પરનાં મંદિરો

શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા…

વધુ વાંચો >

શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua)

શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua) (જ. ઈ. સ. 1031, હંગ્ઝોઉ, ઝેજિયાન્ગ પ્રોવિન્સ, ચીન; અ. ઈ. સ. 1095, ચિન્ગ–કો’ઉ, ચીન) : ખગોળવિદ્યા, ગણિતવિદ્યા, ભૌતિકવિદ્યા, પ્રકાશવિજ્ઞાન, ભૂગોળવિદ્યા, નકશાવિજ્ઞાન (માનચિત્રકલા), ઇજનેરીવિદ્યા, વૈદકશાસ્ત્ર, સંગીત વગેરે જેવી અનેક વિદ્યાઓના જ્ઞાતા  બહુવિદ્યાવિદ અને મુત્સદ્દી. શન ખ્વોના પિતાનું નામ શન ચો (Shen Chou) અને માતાનું…

વધુ વાંચો >

શનિ (ગ્રહ)

શનિ (ગ્રહ) : સૂર્ય આસપાસ ફરતા નવ ગ્રહોમાં સૂર્યથી દૂર જતાં છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ. કદની દૃષ્ટિએ સૌથી મોટા ગ્રહ ગુરુ કરતાં તે થોડોક જ નાનો છે. સૂર્યથી સરેરાશ 142.7 કરોડ કિમી. અંતરે રહેલો આ ગ્રહ સૂર્ય ફરતું તેનું એક પરિક્રમણ 29.46 વર્ષે પૂરું કરે છે. પૃથ્વી કરતાં લગભગ દસ…

વધુ વાંચો >

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ (જ. 1923, કુંડઈ, ગોવા) : કોંકણી કવિ, અનુવાદક અને સંપાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ચાંફેલ્લી સાંજ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પોર્ટુગીઝ લિસેયુનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ મરાઠી ભાષાના જાણકાર છે. તેમને અંગ્રેજી તથા હિંદી ભાષાની પણ કાર્યસાધક જાણકારી છે. તેઓ…

વધુ વાંચો >

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ)

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ) : ઘનવાદી અને અમૂર્ત ચિત્રણા માટે જાણીતા આધુનિક અમેરિકન ચિત્રકાર. સમાંતર રેખાઓની આડી, ઊભી, અવળી, ત્રાંસી જાળીઓ રચી તેમાં રંગપૂરણી કરીને સ્વરોના આરોહ-અવરોહની માફક તે રંગોની છટા-છાયાની લાંબી શ્રેણીઓ રચે છે. 1980થી તેઓ ન્યૂયૉર્ક નગરના ઈસ્ટ વિલેજ લત્તામાં રહી ચિત્રસર્જનમાં વ્યસ્ત છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

શફિકા ફરહાત

શફિકા ફરહાત : જુઓ ફરહાત શફિકા.

વધુ વાંચો >

શકુંતલા

Jan 6, 2006

શકુંતલા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. શ્ર્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણસંસ્થા : રાજકમલ કલામંદિર. નિર્માતા-દિગ્દર્શક : વી. શાંતારામ. કથા-પટકથા : મહાકવિ કાલિદાસના ખ્યાતનામ નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ પરથી – દેવેન શારર. ગીતકાર : દેવેન શારર, રતનપ્રિયા. છબિકલા : વી. અવધૂત. સંગીત : વસંત દેસાઈ. મુખ્ય કલાકારો : જયશ્રી, ચંદ્રમોહન,…

વધુ વાંચો >

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ

Jan 6, 2006

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરટેટીને થતા રોગો. તેને ફૂગ અને બૅક્ટેરિયા દ્વારા રોગો થાય છે. કેટલાક જાણીતા રોગો આ પ્રમાણે છે : (1) તળછારો (downy mildew) (સ્યૂડોપેરોનોસ્પોરા ક્યુબે-નસિસ) : આ એક ફૂગજન્ય રોગ છે. આ રોગની શરૂઆતમાં પરિપક્વ પાનની ઉપરની બાજુએ અનિયમિત આકારનાં પીળાશ પડતાં ધાબાં પડે છે.…

વધુ વાંચો >

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ

Jan 6, 2006

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરિયાને થતા રોગો. તેને ફૂગ દ્વારા રોગો થાય છે. કેટલાક રોગો આ પ્રમાણે છે : (1) સફેદ ગેરુ : આ રોગ આલ્બ્યુગો આઇપૉમી (Albugo ipomoea) નામની ફૂગથી થાય છે. આ રોગનું આક્રમણ છોડની પાછલી અવસ્થામાં થાય છે. પાન પર તેની અસર થાય તે પહેલાં…

વધુ વાંચો >

શક્કરિયું

Jan 6, 2006

શક્કરિયું : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea batatas (Linn.) Lam. (હિં. મીઠા આલુ, શકરકંદ; બં. લાલ આલુ; મ. રતાલુ; ગુ. શક્કરિયું; તે. ચેલાગાડા; ત. સક્કરીવેલ્લેઇકિલંગુ; મલ. ચાકરકિલંગુ; અં. સ્વીટ પોટેટો) છે. તે નાજુક ભૂપ્રસારી કે આરોહી બહુવર્ષાયુ, શાકીય વનસ્પતિ છે. તે માંસલ સાકંદ મૂળ…

વધુ વાંચો >

શક્તિ

Jan 6, 2006

શક્તિ : પદાર્થની કે તંત્રની કાર્ય કરવાની ગુંજાશ. ભિન્ન ભિન્ન સ્વરૂપો ધરાવતી ગતિ માટેના સામાન્ય માપ તરીકે પણ તેને ઓળખાવી શકાય. શક્તિ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે; જેમ કે, ધ્વનિ, પ્રકાશ, વિદ્યુત, ઉષ્મા, રાસાયણિક અને ન્યૂક્લિયર સ્વરૂપે. શક્તિના પ્રત્યેક સ્વરૂપ થકી તેનો જથ્થો દર્શાવવા માટે ગાણિતિક સૂત્ર તૈયાર કરવામાં આવે…

વધુ વાંચો >

શક્તિ

Jan 6, 2006

શક્તિ : હિંદુ ધર્મમાં સ્ત્રી સ્વરૂપે ઉપાસાતી ઈશ્વરી શક્તિ; સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યાશક્તિ – મા ભવાની, જગન્માતા, જગદંબા. આ આદ્યાશક્તિ તે જ મહામાયા કે મા દુર્ગા તરીકે જાણીતી છે. તે મૂળ પ્રકૃતિરૂપ અદિતિ છે અને ભગવતી, દેવી, શક્તિ, અંબિકા, પાર્વતી, દુર્ગા આદિ આ દૈવી વિભૂતિના જ અવતારો હોવાનું મનાય…

વધુ વાંચો >

શક્તિ-પરિવર્તકો (power-convertors)

Jan 6, 2006

શક્તિ–પરિવર્તકો (power-convertors) : વીજપ્રવાહના દબાણના તરંગોમાં ફેરફાર કરવા વપરાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો. 1957માં સિલિકોન-કંટ્રોલ્ડ રેક્ટિફાયર(SCR)ની શોધ અને ત્યારબાદ તેમાં થયેલ વિકાસે – ખાસ કરીને થાઇરિસ્ટરોએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં એક નવી જ શાખા ઊભી કરી, જેને પાવર-ઇલેક્ટ્રૉનિક્સ કહેવાય છે. પાવર-ઇલેક્ટ્રૉનિક્સમાં શક્તિ(પાવર)-પરિવર્તકો (power-convertors) મુખ્ય સાધનો છે. આ પરિવર્તકોનો વ્યાપ વિશાળ છે  મિલી-વૉટની રમકડાની મોટરથી…

વધુ વાંચો >

શક્તિવહન

Jan 6, 2006

શક્તિવહન : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

શક્તિસિંહ

Jan 6, 2006

શક્તિસિંહ : રાણા પ્રતાપના અનુજ ભાઈ. રાણા પ્રતાપથી રિસાઈને તત્કાલીન મુઘલ બાદશાહ અખબરને શરણે જઈ તેનું સેનાપતિપદ સ્વીકાર્યું. શક્તિસિંહે અકબર સમક્ષ રાજપૂતોના બધા ભેદ ખોલી દીધા. કહેવાય છે કે રાણા પ્રતાપ ઉપર આક્રમણ કરવામાં તેનો હાથ હતો. હલ્દીઘાટીનું યુદ્ધ થયું જેમાં રાણા પ્રતાપનો પરાજય થયો અને એ યુદ્ધમાં સેંકડો રાજપૂતો…

વધુ વાંચો >

શઙ્કુણ્ણિનાયર, એમ. પી.

Jan 6, 2006

શઙ્કુણ્ણિનાયર, એમ. પી. (જ. 4 માર્ચ 1917, મેષતુર, જિ. પાલઘાટ, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને તમિળ ભાષાના તેજસ્વી વિદ્વાન છે અને સંસ્કૃતમાં ‘શિરોમણિ’નું બિરુદ તેમજ કલાના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. ચેન્નાઈની કૉલેજમાં ખૂબ લાંબો સમય અધ્યાપનની યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત થઈને હવે (2002માં) સ્વતંત્ર…

વધુ વાંચો >