શચી

શચી : દાનવરાજ પુલોમાની પુત્રી, જેનાં લગ્ન ઇંદ્ર સાથે થયાં હતાં. જયંત શચીનો જ પુત્ર હતો. પુલોમાએ દેવાસુર સંગ્રામમાં પહેલાં અગ્નિ સાથે મળીને અને પછી વૃત્રાસુર સાથે મળીને ઇંદ્ર સાથે યુદ્ધ કર્યું હતું અને ઇંદ્રને હાથે પુલોમાનો વધ થતાં શચી ઇંદ્રને પ્રાપ્ત થઈ હતી. એક વાર દેવતાઓએ નહુષને ઇંદ્રપદ આપી…

વધુ વાંચો >

શટર (કૅમેરા)

શટર (કૅમેરા) : કૅમેરામાં પ્રકાશના પ્રવેશને નિયંત્રિત કરવા માટેનું સાધન. મુખ્યત્વે બે પ્રકારનાં શટરનો ઉપયોગ થઈ રહ્યો છે : (1) ‘ટ્વિન લેન્સ’ કૅમેરામાં બે લેન્સ વચ્ચેનું શટર : આમાં બે લેન્સ વચ્ચેના હવાયુક્ત ભાગમાં શટર જડેલું હોય છે. (2) પડદાવાળું શટર : આમાં .35 એમ.એમ.નાં ‘સિંગલ લેન્સ’ અસંખ્ય કૅમેરામાં બે…

વધુ વાંચો >

શણ

શણ : જુઓ રેસા અને રેસાવાળા પાકો.

વધુ વાંચો >

શતકકાવ્યો

શતકકાવ્યો : સો શ્ર્લોકો ધરાવતો સંસ્કૃત કાવ્ય-પ્રકાર. ઉપલબ્ધ સામગ્રી અનુસાર સંસ્કૃત સાહિત્યમાં ‘શતક’ કાવ્યની પરંપરા ઈ. સ.ની 7મી સદીથી આરંભાય છે. ‘શતક’ એટલે સો કે તેથી થોડાં વધારે પદ્યોવાળું કાવ્ય. શતકમાં ઓછામાં ઓછાં 100 પદ્યો તો હોય જ. શતક કોઈ નિશ્ચિત વિષયને અનુલક્ષીને પણ રચાયું હોય અથવા જેને ‘મુક્તક’ કહેવાય…

વધુ વાંચો >

શતકત્રય

શતકત્રય : ભર્તૃહરિ નામના કવિએ રચેલાં ત્રણ શતકકાવ્યો. ભર્તૃહરિએ રાજા અને એ પછી સંન્યાસી-જીવનમાં જે અનુભવો મેળવેલા તેનો સાર ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ ત્રણ કાવ્યોમાં રજૂ કર્યો છે. માનવજીવનના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને અર્થ વિશેનું ચિંતન ‘નીતિશતક’માં, કામ વિશેનું ચિંતન ‘શૃંગારશતક’માં અને મોક્ષ વિશેનું ચિંતન ‘વૈરાગ્યશતક’માં રજૂ થયું છે. દરેકમાં…

વધુ વાંચો >

શતદ્રૂ

શતદ્રૂ : પૂર્વ પંજાબના પહાડી પ્રદેશમાં આવેલ પ્રાચીન સમયનું રાજ્ય. હ્યુ એન ત્સાંગે પૂર્વ પંજાબમાં જોયેલાં રાજ્યોમાં જાલંધર, કુલુતા, ચિ-ના-પુહ્-તી સાથે શતદ્રૂ રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. સાતમી સદીના પૂર્વાર્ધમાં તે રાજ્ય હોવું જોઈએ. તે રાજ્યોનો હર્ષના સામ્રાજ્યમાં સમાવેશ થતો હોય એવી સંભાવના છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શતપથ બ્રાહ્મણ

શતપથ બ્રાહ્મણ : શુક્લ યજુર્વેદનો બ્રાહ્મણગ્રંથ. આ બ્રાહ્મણગ્રંથ બૃહત્કાય છે. शतं पन्थानः यत्र शतपथः। ततुल्यः शतपथः। ‘સો માર્ગો મળે એવો ‘ભૂમિભાગ’). એના જેવો (વિશાળ ગ્રંથ તે) શતપથ. અધ્યાય- સંખ્યા પણ લગભગ 100 છે. શુક્લ યજુર્વેદની બે શાખા છે : માધ્યંદિની અને કાણ્વ. બંનેમાં આ બ્રાહ્મણનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે…

વધુ વાંચો >

શતપથી, પ્રતિભા (શ્રીમતી)

શતપથી, પ્રતિભા (શ્રીમતી) (જ. 18 જાન્યુઆરી 1945, કટક, ઓરિસા) : ઊડિયા કવયિત્રી અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તન્મય ધૂલિ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઊડિયા ભાષા અને સાહિત્યમાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાની જાણકારી…

વધુ વાંચો >

શતરંજ કે ખિલાડી

શતરંજ કે ખિલાડી : રંગીન ચલચિત્ર. ભાષા : ઉર્દૂ. નિર્માણવર્ષ : 1977. નિર્માણસંસ્થા : દેવકી ચિત્ર. નિર્માતા : સુરેશ જિંદાલ. દિગ્દર્શન-પટકથા-સંવાદ-સંગીત : સત્યજિત રાય. કથા : મુનશી પ્રેમચંદની ટૂંકી વાર્તા પર આધારિત. સંવાદ : જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય કલાકારો : સંજીવકુમાર, સઇદ જાફરી, રિચાર્ડ એટનબરો,…

વધુ વાંચો >

શતવર્ષીય યુદ્ધ

શતવર્ષીય યુદ્ધ (1337-1453) : ફ્રાન્સ ઉપર અંકુશ મેળવવા વાસ્તે પાંચ અંગ્રેજ અને પાંચ ફ્રેન્ચ રાજાઓના શાસન સુધી વિસ્તરેલ યુદ્ધ. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચેના આ સંઘર્ષમાં યુદ્ધવિરામો તથા સંધિઓનો ભંગ કરીને યુદ્ધો કરવામાં આવ્યાં હતાં. ઈ. સ. 1204માં અંગ્રેજોએ ફ્રાન્સમાં આવેલું નૉર્મન્ડી ગુમાવ્યું, તે યુદ્ધનું પાયાનું કારણ બન્યું. યુદ્ધ માટે બીજાં…

વધુ વાંચો >

શકુંતલા

Jan 6, 2006

શકુંતલા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. શ્ર્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણસંસ્થા : રાજકમલ કલામંદિર. નિર્માતા-દિગ્દર્શક : વી. શાંતારામ. કથા-પટકથા : મહાકવિ કાલિદાસના ખ્યાતનામ નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ પરથી – દેવેન શારર. ગીતકાર : દેવેન શારર, રતનપ્રિયા. છબિકલા : વી. અવધૂત. સંગીત : વસંત દેસાઈ. મુખ્ય કલાકારો : જયશ્રી, ચંદ્રમોહન,…

વધુ વાંચો >

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ

Jan 6, 2006

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરટેટીને થતા રોગો. તેને ફૂગ અને બૅક્ટેરિયા દ્વારા રોગો થાય છે. કેટલાક જાણીતા રોગો આ પ્રમાણે છે : (1) તળછારો (downy mildew) (સ્યૂડોપેરોનોસ્પોરા ક્યુબે-નસિસ) : આ એક ફૂગજન્ય રોગ છે. આ રોગની શરૂઆતમાં પરિપક્વ પાનની ઉપરની બાજુએ અનિયમિત આકારનાં પીળાશ પડતાં ધાબાં પડે છે.…

વધુ વાંચો >

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ

Jan 6, 2006

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરિયાને થતા રોગો. તેને ફૂગ દ્વારા રોગો થાય છે. કેટલાક રોગો આ પ્રમાણે છે : (1) સફેદ ગેરુ : આ રોગ આલ્બ્યુગો આઇપૉમી (Albugo ipomoea) નામની ફૂગથી થાય છે. આ રોગનું આક્રમણ છોડની પાછલી અવસ્થામાં થાય છે. પાન પર તેની અસર થાય તે પહેલાં…

વધુ વાંચો >

શક્કરિયું

Jan 6, 2006

શક્કરિયું : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea batatas (Linn.) Lam. (હિં. મીઠા આલુ, શકરકંદ; બં. લાલ આલુ; મ. રતાલુ; ગુ. શક્કરિયું; તે. ચેલાગાડા; ત. સક્કરીવેલ્લેઇકિલંગુ; મલ. ચાકરકિલંગુ; અં. સ્વીટ પોટેટો) છે. તે નાજુક ભૂપ્રસારી કે આરોહી બહુવર્ષાયુ, શાકીય વનસ્પતિ છે. તે માંસલ સાકંદ મૂળ…

વધુ વાંચો >

શક્તિ

Jan 6, 2006

શક્તિ : પદાર્થની કે તંત્રની કાર્ય કરવાની ગુંજાશ. ભિન્ન ભિન્ન સ્વરૂપો ધરાવતી ગતિ માટેના સામાન્ય માપ તરીકે પણ તેને ઓળખાવી શકાય. શક્તિ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે; જેમ કે, ધ્વનિ, પ્રકાશ, વિદ્યુત, ઉષ્મા, રાસાયણિક અને ન્યૂક્લિયર સ્વરૂપે. શક્તિના પ્રત્યેક સ્વરૂપ થકી તેનો જથ્થો દર્શાવવા માટે ગાણિતિક સૂત્ર તૈયાર કરવામાં આવે…

વધુ વાંચો >

શક્તિ

Jan 6, 2006

શક્તિ : હિંદુ ધર્મમાં સ્ત્રી સ્વરૂપે ઉપાસાતી ઈશ્વરી શક્તિ; સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યાશક્તિ – મા ભવાની, જગન્માતા, જગદંબા. આ આદ્યાશક્તિ તે જ મહામાયા કે મા દુર્ગા તરીકે જાણીતી છે. તે મૂળ પ્રકૃતિરૂપ અદિતિ છે અને ભગવતી, દેવી, શક્તિ, અંબિકા, પાર્વતી, દુર્ગા આદિ આ દૈવી વિભૂતિના જ અવતારો હોવાનું મનાય…

વધુ વાંચો >

શક્તિ-પરિવર્તકો (power-convertors)

Jan 6, 2006

શક્તિ–પરિવર્તકો (power-convertors) : વીજપ્રવાહના દબાણના તરંગોમાં ફેરફાર કરવા વપરાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો. 1957માં સિલિકોન-કંટ્રોલ્ડ રેક્ટિફાયર(SCR)ની શોધ અને ત્યારબાદ તેમાં થયેલ વિકાસે – ખાસ કરીને થાઇરિસ્ટરોએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં એક નવી જ શાખા ઊભી કરી, જેને પાવર-ઇલેક્ટ્રૉનિક્સ કહેવાય છે. પાવર-ઇલેક્ટ્રૉનિક્સમાં શક્તિ(પાવર)-પરિવર્તકો (power-convertors) મુખ્ય સાધનો છે. આ પરિવર્તકોનો વ્યાપ વિશાળ છે  મિલી-વૉટની રમકડાની મોટરથી…

વધુ વાંચો >

શક્તિવહન

Jan 6, 2006

શક્તિવહન : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

શક્તિસિંહ

Jan 6, 2006

શક્તિસિંહ : રાણા પ્રતાપના અનુજ ભાઈ. રાણા પ્રતાપથી રિસાઈને તત્કાલીન મુઘલ બાદશાહ અખબરને શરણે જઈ તેનું સેનાપતિપદ સ્વીકાર્યું. શક્તિસિંહે અકબર સમક્ષ રાજપૂતોના બધા ભેદ ખોલી દીધા. કહેવાય છે કે રાણા પ્રતાપ ઉપર આક્રમણ કરવામાં તેનો હાથ હતો. હલ્દીઘાટીનું યુદ્ધ થયું જેમાં રાણા પ્રતાપનો પરાજય થયો અને એ યુદ્ધમાં સેંકડો રાજપૂતો…

વધુ વાંચો >

શઙ્કુણ્ણિનાયર, એમ. પી.

Jan 6, 2006

શઙ્કુણ્ણિનાયર, એમ. પી. (જ. 4 માર્ચ 1917, મેષતુર, જિ. પાલઘાટ, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને તમિળ ભાષાના તેજસ્વી વિદ્વાન છે અને સંસ્કૃતમાં ‘શિરોમણિ’નું બિરુદ તેમજ કલાના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. ચેન્નાઈની કૉલેજમાં ખૂબ લાંબો સમય અધ્યાપનની યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત થઈને હવે (2002માં) સ્વતંત્ર…

વધુ વાંચો >