૧.૩૪

આકાસાકી ઇસામુ (Akasaki Isamu)થી આઝમખાન

આચાર્ય નરેન્દ્રદેવ

આચાર્ય નરેન્દ્રદેવ (જ. 31 ઑક્ટોબર 1889, સીતાપુર, ઉત્તર પ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 1956, ઇરોડ ચેન્નાઇ) : પ્રખર સમાજવાદી સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યાવિદ, બૌદ્ધદર્શનવિશારદ અને રાજ્યશાસ્ત્ર તથા હિંદીના અગ્રગણ્ય લેખક. સંસ્કારી પિતા પાસે અનેક સંન્યાસીઓ, પંડિતો અને ધર્માચાર્યો આવતા. એથી નાનપણથી દૃઢ ધાર્મિક સંસ્કારોની ઊંડી અસર પડેલી. બાળપણમાં જ સ્વામી રામતીર્થ તથા…

વધુ વાંચો >

આચાર્ય, પ્રસન્નકુમાર

આચાર્ય, પ્રસન્નકુમાર (189૦-196૦) : ભારતીય વાસ્તુવિદ્યાના નિષ્ણાત. તેમણે ચિતાગોંગ કૉલેજ અને કલકત્તા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. 1914માં શિષ્યવૃત્તિ મેળવીને તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. ત્યાં તેમણે ભારતીય સ્થાપત્ય અંગેનો કોષ તૈયાર કર્યો હતો. તેને માટે તેમને ડી. લિટ. ની પદવી આપવામાં આવેલી. 1923થી 195૦ સુધી તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ,…

વધુ વાંચો >

આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ

આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ (જ. 13 માર્ચ, 1892 આંધ્રપ્રદેશ, અ. 30 જૂન,  1984 સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેલુગુમાં રાષ્ટ્રપ્રેમની કવિતા રચનાર પ્રથમ રાયપ્રોલુ હતા. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન સમયે અભ્યાસ છોડી સ્વાતંત્ર્યયુદ્ધમાં ઝંપલાવેલું. તેમની કવિતામાં પ્રચંડ ઊર્મિવેગ જોવા મળે છે. એમનાં કાવ્યોમાં પ્રાચીન અને અર્વાચીન ચિંતનનો સમન્વય તેમજ છંદ અને…

વધુ વાંચો >

આચાર્ય, વલ્લભજી હરિદત્ત

આચાર્ય, વલ્લભજી હરિદત્ત (જ. 26 જૂન 184૦, જૂનાગઢ; અ. 17 જાન્યુઆરી 1911) : રાજકોટના વૉટ્સન મ્યુઝિયમના વિદ્વાન ક્યૂરેટર. જન્મ જૂનાગઢના વડનગરા નાગર બ્રાહ્મણ હરિદત્ત મોહનજી આચાર્યને ત્યાં થયો હતો. 1854થી તેમણે શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર અભ્યાસ કર્યો અને 186૦માં સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ કર્યો. 1864માં જૂનાગઢની કન્યાશાળામાં શિક્ષક થયા અને 1867માં જૂનાગઢના…

વધુ વાંચો >

આચાર્ય, વાસુ

આચાર્ય, વાસુ (જ.  11 જાન્યુઆરી 1944, બિકાનેર, રાજસ્થાન; અ. 14 ફેબ્રુઆરી 2015) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ. તેમને તેમના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘સીર રો ઘર’ માટે 1999ના વર્ષ માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓએ એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ બિકાનેરના રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં મુખ્ય અધ્યાપક તરીકે કામગીરી બજાવી…

વધુ વાંચો >

આચાર્ય, શાન્તનુકુમાર

આચાર્ય, શાન્તનુકુમાર (જ. 15 મે 1933, મોમિનપુર કોલકાત્તા) : ઓરિસાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘ચલન્તિ ઠાકુર’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કટકની રાવેનશૉ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે એમ. એસસી.ની પદવી મેળવી (1956). ત્યારબાદ કૉલેજ અધ્યાપક, સીનિયર વહીવટી અધિકારી અને આચાર્ય તરીકે કામગીરી કરી.…

વધુ વાંચો >

આચાર્ય, શાંતિદેવ

આચાર્ય, શાંતિદેવ (જ. 650 લગભગ, સુરઠ, સૌરાષ્ટ્ર; અ. 763) : ગુજરાતના વિશ્વવિખ્યાત બૌદ્ધ આચાર્ય. તે રાજકુમાર હતા. તેઓ શ્રી હર્ષના પુત્ર શીલના સમકાલીન હોવાના ઉલ્લેખો મળે છે. તેમના પિતાનાં ભિન્ન ભિન્ન નામો મળે છે : શીલ, કલ્યાણવર્મા, મંજુવર્મા આદિ. સમકાલીન રાજા ધરસેન શ્રી હર્ષનો દૌહિત્ર હતો; પણ શ્રી હર્ષ અપુત્ર…

વધુ વાંચો >

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’ ( જ. 25 ઑગસ્ટ 1897; વિરમગામ; અ. 23 મે 1984, અમદાવાદ) : ગુજરાતના પક્ષીવિદ અને પ્રાણીવિદ લેખક. ઊંઝાના વતની. માધ્યમિક શિક્ષણ પાટણ-સિદ્ધપુરમાં. 1914માં મૅટ્રિક. ગુજરાત કૉલેજમાંથી 1919માં સંસ્કૃત સાથે બી. એ. થયા. અસહકારના આંદોલનમાં જોડાયા એ સાથે રાષ્ટ્રીય શાળાઓમાં ને તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું.…

વધુ વાંચો >

આચ્છાદન-સીમા

આચ્છાદન-સીમા (ecotone) : એકમેકમાં ભળતા બે જુદા જુદા વનસ્પતિ-સમાજોની સીમારેખા. દરેક વનસ્પતિ-સમાજમાં કેટલીક જાતિઓ પાણી, પ્રકાશ અને પોષક પદાર્થો જેવા પર્યાવરણના ઘટકો પર નિયંત્રણ ધરાવે છે. આવી જાતિઓ તેના સમાજના બંધારણમાં અસરકારક ભાગ ભજવે છે. ઉપરાંત વનસ્પતિ-સમાજ પોતાના વસવાટને અનુકૂળ થઈને વિકસતો હોય છે. આમ, ભૌગોલિક રીતે પર્યાવરણ પર આધારિત…

વધુ વાંચો >

આજી

આજી : સૌરાષ્ટ્રની મુખ્ય પાંચ નદીઓ (ભાદર, મચ્છુ, શેત્રુંજી, સુકભાદર અને આજી) પૈકી એક. રાજકોટ જિલ્લાનાં સરધાર અને ત્રંબા ગામ વચ્ચે આવેલી સરધારી ધારમાંથી આ નદી નીકળીને ઉત્તરમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં થઈ કચ્છના અખાતને મળે છે. રાજકોટ નજીક આ નદી ઉપર આજી ડૅમ બાંધવામાં આવેલ છે. તેના દ્વારા રાજકોટ…

વધુ વાંચો >

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu)

Feb 3, 1989

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu) (જ. 30 જાન્યુઆરી 1929, કાગોશિમા પ્રીફૅક્ચર, જાપાન; અ. 1 એપ્રિલ 2021 નાગોયા, એઇચી, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને શૂજી નાકામુરા તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. આકાસાકીએ 1952માં ક્યોટો યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

આકાંક્ષા

Feb 3, 1989

આકાંક્ષા : પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ એક પદની અન્ય પદ સાથે જોડાવાની અપેક્ષા. નામ, સર્વનામ, વિશેષણ અને અવ્યય શબ્દો સુબન્ત (વિભક્તિ, પ્રત્યયાન્ત) હોય અને ધાતુઓ તિઙન્ત (કાલવાચી કે અર્થવાચી પ્રત્યયાન્ત) હોય ત્યારે તે પદ બને. અમુક એક પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ પરસ્પર સંબંધમાં આવેલાં પદોનો સમૂહ તે વાક્ય.…

વધુ વાંચો >

આક્રમક વર્તન

Feb 3, 1989

આક્રમક વર્તન (aggressive behaviour) : કોઈ વસ્તુ કે વ્યક્તિને ઇરાદાપૂર્વક ઈજા, હાનિ કે નુકસાન કરનારું વર્તન. સમાજમાં આવા આક્રમક વર્તનનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી આજના સમાજવિજ્ઞાનીઓને માટે એ ચિંતાનો વિષય બની ગયું છે. આક્રમક વર્તન સહજવૃત્તિ તરીકે : કેટલાક અભ્યાસીઓ માને છે કે આક્રમક રીતે વર્તવાની જન્મજાત સહજવૃત્તિ માણસમાં…

વધુ વાંચો >

આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ

Feb 3, 1989

આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ : એક સ્વતંત્ર રાજ્ય દ્વારા બીજા સ્વતંત્ર રાજ્ય પર થતો સશસ્ત્ર હુમલો તે મહદઅંશે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. જોકે મહાસત્તાઓ તેમની વિશાળ તાકાતનો ઉપયોગ દુનિયાના કોઈ પણ ભાગમાં કરતી જણાઈ છે. આ પ્રકારનાં કૃત્ય કે નીતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો જોવામાં આવે છે…

વધુ વાંચો >

આક્રા

Feb 3, 1989

આક્રા : ગિનીના અખાત પર આવેલું ઘાનાનું રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 5° 33´ ઉ. અ. ૦° 13´ પ. રે. ઘાનાના સૌથી મોટા આ શહેરના કિનારા નજીક ટેમા નામનું જોડિયું શહેર તેમજ બંદર પણ છે. ઘાના યુનિવર્સિટી આ શહેરમાં આવેલી છે. ત્યાં ઑઇલ રિફાઇનરી તેમજ ઍલ્યુમિનિયમ પ્લાન્ટ આવેલાં…

વધુ વાંચો >

આક્રોશ

Feb 3, 1989

આક્રોશ : 1981માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સુવર્ણમયૂર પ્રાપ્ત કરનાર હિન્દી ફિલ્મ. કથા : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. મુખ્ય અભિનય : ઓમ્ પુરી, સ્મિતા પાટિલ, નસીરૂદ્દીન શાહ, અમરીષ પુરી. એક આદિવાસી સોન્યાને તેની પત્નીનું ખૂન કરવાના આરોપસર પોલીસ પકડે છે. એ આ ઘટનાથી એટલો હેબતાઈ ગયો છે, કે…

વધુ વાંચો >

આખ્યાન

Feb 3, 1989

આખ્યાન : મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકાર. આખ્યાન શબ્દનો અર્થ થાય છે, કથાનું સવિસ્તર કથન. કાવ્યશાસ્ત્રકાર ભોજ એમના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનને શ્રાવ્યકાવ્યનો એક પ્રકાર કહે છે. આખ્યાન વિશે એમણે કહ્યું છે કે કોઈ પણ એક ગ્રાન્થિક એટલે કથા કહેનાર એકલો જ ગોવિન્દાખ્યાન જેવી પૌરાણિક કથાને ગાયન, વાદન, અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરે,…

વધુ વાંચો >

આખ્યાયિકા

Feb 3, 1989

આખ્યાયિકા : સંસ્કૃત ગદ્યસાહિત્યનો આત્મકથાત્મક પ્રકાર. તેમાં કથાનાયક પોતે જ પોતાનું વૃત્તાંત કહે છે. તે સત્ય ઘટના પર આધારિત હોય છે. શરૂઆતમાં મંગલશ્લોક, પછી રાજાની પ્રશંસા, કવિવંદના, પરગુણસંકીર્તન અને દુર્જનનિંદા આવી શકે. ત્યારબાદ કવિના વંશની વિસ્તૃત માહિતી ગદ્યમાં રજૂ થાય. આખ્યાયિકામાં પ્રકરણો હોય છે અને તેને ઉચ્છવાસ કહેવાય છે. તેમાં…

વધુ વાંચો >

આગગાડી

Feb 3, 1989

આગગાડી (1934) : ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ચન્દ્રવદન મહેતા (19૦1–1991). બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવેલો. નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઇવર જ્હૉન્સના તુમાખીભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે…

વધુ વાંચો >

આગનો વીમો

Feb 3, 1989

આગનો વીમો : આગ લાગવાથી, વીજળી પડવાથી અથવા અગાઉથી માન્ય કરવામાં આવેલ તત્સમ કારણોથી મિલકતોની થતી સંભવિત નુકસાની સામે રક્ષણ તથા નુકસાન ભરપાઈની વ્યવસ્થા. વાસ્તવમાં માનવજાતિ માટે અનેક રીતે ઉપયોગી થઈ પડેલ અગ્નિ જ્યારે કાબૂ બહાર જાય છે અને તેનાથી નુકસાન નોતરે છે ત્યારે તેનાં સંભવિત પરિણામોની ક્ષતિપૂર્તિ થઈ શકે…

વધુ વાંચો >