૧.૨૩

અશોકમિત્રનથી અસંયોગી જનન

અશ્વત્થામા (3)

અશ્વત્થામા (3) (1973) : ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય. મહાભારતના વિષયવસ્તુવાળું આ એકાંકી ધૃષ્ટદ્યુમ્ન દ્વારા અશ્વત્થામાના પિતા દ્રોણની છળથી હત્યા, ક્રોધી અશ્વત્થામાએ પાંડવપુત્રોની કરેલી વળતી હત્યા અને કૃષ્ણનો અશ્વત્થામા ઉપરનો શાપ નિરૂપે છે. એકાંકીની શરૂઆત નેપથ્યમાંથી સંભળાતા હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલૂકના અવાજોથી થાય છે. રંગમંચનો અંધકાર એ અવાજોથી જીવંત…

વધુ વાંચો >

અશ્વદળ

અશ્વદળ : યુદ્ધમાં શત્રુ પર આક્રમણ કરવા અથવા યુદ્ધની આનુષંગિક કામગીરી બજાવવા માટે સશક્ત અને ચપળ ઘોડાઓ પર આરૂઢ થયેલ સૈનિકોની પલટન. અન્ય પ્રાણીઓ કરતાં ઘોડાઓની ગતિશીલતા, ચપળતા તથા વ્યૂહાત્મક ઉપયોગની વિવિધ સંભાવનાઓને લીધે ભૂતકાળમાં અશ્વદળે યુદ્ધભૂમિ પર ઉચ્ચ કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે. સંગઠિત યુદ્ધકલાના વિકાસની સાથોસાથ અશ્વદળની શરૂઆત અને…

વધુ વાંચો >

અશ્વપતિ

અશ્વપતિ : પ્રાચીન કાળમાં ઉલ્લેખાયેલા આ નામના ભારતના ત્રણ રાજવી : (1) એક દાનવ, (2) મદ્ર દેશનો એક રાજા અને (3) દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીનો પિતા કેકયરાજ. આમાંનો બીજો તે સાવિત્રીનો પિતા. સત્યવાન-સાવિત્રીનું પૌરાણિક કથાનક જાણીતું છે. કેકયદેશના રાજા અશ્વપતિ, કહેવાય છે કેમકે, તેઓ પક્ષીઓની ભાષાના જાણકાર હતા. એમણે…

વધુ વાંચો >

અશ્વમેધ

અશ્વમેધ : અશ્વનો બલિ અપાય છે તે પ્રાચીન વૈદિક યજ્ઞ. અત્યંત પ્રાચીન વૈદિક યજ્ઞોમાં અશ્વમેધ મુખ્ય ગણાય છે. સમ્રાટ બનવા ઇચ્છતા  રાજાનો ઐન્દ્ર મહાભિષેક થાય તે પછી તેને આ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ યજ્ઞનો આરંભ ફાગણ કે અષાઢની સુદ આઠમ કે નોમથી થાય. આપસ્તંભને મતે ચૈત્રપૂર્ણિમાથી પણ…

વધુ વાંચો >

અશ્વાવબોધતીર્થ

અશ્વાવબોધતીર્થ : અશ્વને જ્યાં પૂર્વભવનો અવબોધ થયેલો તે ભરૂચનું જૈન તીર્થ. ભૃગુપુર(ભરૂચ)ના રાજા જિતશત્રુના અશ્વમેધ ઘોડાને રેવા (નર્મદા) નદીના દર્શનથી જાતિસ્મરણ થયું. પૂર્વભવના મિત્રસમા અશ્વને પ્રતિબોધ આપવા સુવ્રતસ્વામી ખાસ ભરૂચ આવ્યા. મુનિને વંદન કરી જિતશત્રુએ અશ્વનો પૂર્વભવ પૂછ્યો. સુવ્રતસ્વામીના કહેવા પ્રમાણે ચંપાનગરીના રાજા  સુરસિદ્ધનો મિત્ર મતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે…

વધુ વાંચો >

અશ્વિનીકુમારો

અશ્વિનીકુમારો : હિન્દુ ધર્મ અનુસાર દેવોના બે ચિકિત્સકો. ભારતીય પૌરાણિક પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતું દેવતાયુગ્મ. સૂક્તસંખ્યાના આધારે ઇન્દ્ર, અગ્નિ અને સોમ પછી તરત જ સ્થાન પામતું, અવિભાજ્ય હોવાથી યમજ રહેલું આ દેવતાયુગ્મ વૈદિક પુરાકથાશાસ્ત્રમાં અનોખું મહત્વ ધરાવે છે. અશ્વિનોની પ્રતિનિધિભૂત ઘટનાની સંપૂર્ણ અનિશ્ચિતતાને કારણે તેમની મૂળભૂત પ્રકૃતિનો તથા તેમના વ્યક્તિત્વનો…

વધુ વાંચો >

અષ્ટકનો નિયમ

અષ્ટકનો નિયમ (law of octaves) : જે. એ. આર. ન્યૂલૅન્ડ્ઝે 1865માં રાસાયણિક તત્વોને પરમાણુભારના ચડતા ક્રમમાં ગોઠવીને બતાવ્યું કે આ રીતે તત્વોને હારમાં ગોઠવવામાં આવતાં હારમાંના દરેક આઠમા તત્વના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો મળતા આવે છે. આને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. સંગીતમાં દરેક આઠમો સૂર મળતો આવે છે તેની…

વધુ વાંચો >

અષ્ટગ્રહયુતિ

અષ્ટગ્રહયુતિ : આઠ ગ્રહોની યુતિ. ખગોળશાસ્ત્રીય પરિભાષા મુજબ જ્યારે કોઈ પણ બે જ્યોતિઓના ભોગાંશ-  ક્રાંતિવૃત્ત ઉપરનાં તેમનાં સ્થાનો–રાશિ, અંશ અને કળામાં એકસરખાં થાય ત્યારે તેમની સૂક્ષ્મયુતિ થઈ એમ કહેવાય. તે વખતે તેમનાં ક્રાંતિવૃત્તથી ઉત્તર / દક્ષિણ અંતર – શરાન્તર – પણ જો એકસરખાં થાય તો તેમનું પિધાન (occultation) થાય અથવા…

વધુ વાંચો >

અષ્ટછાપ કવિઓ

અષ્ટછાપ કવિઓ : વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુ વલ્લભાચાર્ય (સન 1479થી 1531) અને તેમના પુત્ર ગોસાંઈ વિઠ્ઠલનાથજી(સન 1459થી 1529)ના પુષ્ટિસંપ્રદાયમાં દીક્ષા પામેલા આઠ વિશિષ્ટ કવિઓ. તેમાં સૂરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, નંદદાસ, કુંભનદાસ ગોવિન્દદાસ, છીતસ્વામી, અને ચતુર્ભુજદાસનો સમાવેશ થાય છે. ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ પુષ્ટિમાર્ગની છાપ લગાવીને આઠ કવિઓને ‘અષ્ટછાપ’ કહ્યા છે. આમાંથી પ્રથમ ચાર મહાપ્રભુ…

વધુ વાંચો >

અષ્ટ દિક્પાલ : જુઓ, દિક્પાલ

અષ્ટ દિક્પાલ : જુઓ, દિક્પાલ.

વધુ વાંચો >

અશોકમિત્રન્

Jan 23, 1989

અશોકમિત્રન્ (જ. 22 સપ્ટેમ્બર 1931, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 23 માર્ચ 2017, ચેન્નઈ, તમિલનાડુ) : આંધ્રના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. તેમને તેમના તમિળમાં લખેલા ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અપ્પાવિન સ્નેહીદાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હૈદરાબાદની નિઝામ કૉલેજમાંથી બી.એસસી.ની પદવી મેળવી. તેઓ ભારતની આઝાદીની ચળવળમાં કાર્યકર…

વધુ વાંચો >

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ

Jan 23, 1989

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા.…

વધુ વાંચો >

અશોકારિષ્ટ

Jan 23, 1989

અશોકારિષ્ટ : આયુર્વેદિક ઔષધિ. અશોકની છાલનો ક્વાથ બનાવી, ગાળી તેમાં ગોળ, ધાવડીનાં ફૂલ, શાહજીરું, નાગરમોથ, સૂંઠ, દારૂહળદર, ઉત્પલ (કમળ), હરડે, બહેડાં, આંબળાં, કેરીની ગોટલી, સફેદ જીરું. અરડૂસીનાં પાન તથા ચંદનનું ચૂર્ણ મેળવી 1 મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે છે. 2થી 4 તોલા માત્રામાં પાણી સાથે…

વધુ વાંચો >

અશ્ક, ઉપેન્દ્રનાથ

Jan 23, 1989

અશ્ક, ઉપેન્દ્રનાથ (જ. 14 ડિસેમ્બર 1910, જલંદર, પંજાબ; અ. 19 જાન્યુઆરી 1996, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) : આધુનિક હિન્દી નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકાર. જલંદરની ડી. એ. વી. કૉલેજમાં બી. એ. સુધીનું શિક્ષણ લીધું. પછી બે વર્ષ અધ્યાપન કર્યું. ત્યારબાદ ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી 1936માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

અશ્મ ઓજારો

Jan 23, 1989

અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…

વધુ વાંચો >

અશ્મક દેશ

Jan 23, 1989

અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે…

વધુ વાંચો >

અશ્મિલ

Jan 23, 1989

અશ્મિલ (fossils) : ભૂગર્ભમાં પ્રસ્તરરૂપે પરિવર્તન પામેલી સજીવોની સંપત્તિ. ઉત્ક્રાંતિ દરમિયાન અનેક જાતનાં સજીવો કાંપ અથવા ખડકોમાં સપડાયેલાં તે દટાઈને પ્રાચીન કાળથી ખડકોમાં રક્ષિત સ્થિતિમાં રહેલાં. તે અવશેષો કે છીપને અશ્મિ કહે છે. યુરેનિયમ (U238) અને કાર્બન (C14)જેવાં રેડિયો સમસ્થાનિકો(isotopes)ની મદદથી અશ્મિલોનાં પૂર્વવર્તી સજીવોના અસ્તિત્વનો સમય નક્કી થાય છે. અશ્મિલો…

વધુ વાંચો >

અશ્મિલ દ્વિઅંગી

Jan 23, 1989

અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે. શેવાળમાં કાર્બોનિફેરસ…

વધુ વાંચો >

અશ્મીલભવન

Jan 23, 1989

અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે…

વધુ વાંચો >

અશ્મીલભૂત ઇંધન

Jan 23, 1989

અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >