૧.૨૩

અશોકમિત્રનથી અસંયોગી જનન

અષ્ટાંગમાર્ગ : જુઓ, બૌદ્ધધર્મ

અષ્ટાંગમાર્ગ : જુઓ, બૌદ્ધધર્મ.

વધુ વાંચો >

અષ્ટાંગયોગ : જુઓ, યોગદર્શન

અષ્ટાંગયોગ : જુઓ, યોગદર્શન

વધુ વાંચો >

અષ્ઠીલા

અષ્ઠીલા : પ્રૉસ્ટેટાઇટિસ. પ્રૉસ્ટેટ ગ્રંથિનો સોજો. પ્રાય: 6૦થી 7૦ વર્ષની ઉંમરના માત્ર પુરુષોને જ થતો મૂત્રગતિસંબંધી રોગ. પુરુષોની મૂત્રેન્દ્રિયના મૂળમાં, પેડુ(બસ્તિ)ના પોલાણમાં મૂત્રાશયની કોથળીની અંદર, મૂત્રનળીની શરૂઆત આગળ, મૂત્રનળીને વીંટળાઈને ‘અષ્ઠીલા’ (પૌરુષ)ગ્રંથિ એક ગાંઠ સમાન રહે છે. આ ગ્રંથિ માત્ર પુરુષોને જ હોય છે. તે ગ્રંથિની મધ્યમાં થઈ મૂત્રનળી પસાર…

વધુ વાંચો >

અસત્કાર્યવાદ (આરંભવાદ)

અસત્કાર્યવાદ (આરંભવાદ) : ન્યાયવૈશેષિક દર્શનનો એક સિદ્ધાંત. કારણમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય પૂર્વે અસત્ હતું ને પછી નવેસર ઉત્પન્ન થયું તે મત. ન્યાયવૈશેષિક એ બાહ્યાર્થવાદી દર્શન છે. એના મતે સૃષ્ટિ  ઉત્પન્ન થઈ છે, અનાદિ નથી, જગતની સંરચનામાં મુખ્યત્વે સ્થૂળ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યો ભાગ ભજવે છે. આ…

વધુ વાંચો >

અસત્ય-નિર્દેશક યંત્ર

અસત્ય–નિર્દેશક યંત્ર (lie detector) : અસત્યનો નિર્દેશ કરતું યંત્ર – પૉલિગ્રાફ. સામાન્ય માન્યતા એવી છે કે વ્યક્તિ અસત્ય બોલે તો આ યંત્ર ઘંટડીનો અવાજ કે લાલબત્તી જેવા સૂચક નિર્દેશો કરતું હશે, પણ હકીકતમાં તેમ નથી. એમાં હવાના દબાણથી સ્વયંસંચાલિત યંત્રો દ્વારા રુધિરદબાણ, નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસની નોંધણી થાય છે. સાથે…

વધુ વાંચો >

અસદ અલીખાં

અસદ અલીખાં (જ. 1 ડિસેમ્બર 1937, અલવર, રાજસ્થાન; અ. 14 જૂન 2011, નવી દિલ્હી) : ભારતના પ્રાચીનતમ વાદ્ય રુદ્રવીણાના કુશળ વાદક. પિતા સાદિકઅલીખાં પાસેથી વીણા, સિતાર અને ગાયનનું શિક્ષણ મેળવ્યું. તેઓ ધ્રુવપદની ચાર વાણીઓમાંથી એક ખંડહાર વાણીની રીતે રુદ્રવીણા વગાડતા. વારાણસી વિશ્વવિદ્યાલયે તેમને ‘વીણા-વિશારદ’ની ઉપાધિ આપી છે. તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી…

વધુ વાંચો >

અસફઅલી

અસફઅલી (જ. 11 મે 1888, દિલ્હી; અ. 2 એપ્રિલ 1953, સ્વિટ્ઝરલૅન્ડ) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી મુસ્લિમ તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવતા રાજકીય નેતા. દિલ્હીની ઍંગ્લો-અરૅબિક હાઈસ્કૂલ તથા સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ તથા ઇંગ્લૅન્ડમાં જઈ બૅરિસ્ટર થયા. સ્વદેશ પાછા આવ્યા બાદ શરૂઆતમાં ઍની બેસન્ટના ‘હોમરૂલ લીગ’ તરફ…

વધુ વાંચો >

અસફખાન

અસફખાન : નૂરજહાંનો ભાઈ અને મુમતાઝ બેગમનો પિતા. નૂરજહાંએ મુમતાઝ અને શાહજહાંનો લગ્નસંબંધ ગોઠવી આપ્યો હતો. અસફખાન સામાન્ય રીતે નૂરજહાંનો પક્ષ લેતો, પરંતુ જહાંગીરના પાછલા વખતમાં તે મહોબતખાન સાથે મળી ગયો હતો. જહાંગીરને બંદીખાને રાખવા બદલ નૂરજહાંએ તેને ઠપકો આપ્યો હતો. જહાંગીરના અવસાન બાદ અસફખાને પોતાના જમાઈ ખુર્રમ(શાહજહાં)ને ગાદીએ બેસાડવા…

વધુ વાંચો >

અસફજાહ, નિઝામુલ્મુલ્ક

અસફજાહ, નિઝામુલ્મુલ્ક (જ. 20 ઑગસ્ટ 1671, આગ્રા, ઉત્તરપ્રદેશ;  અ. 1 જૂન 1748, બુરહાનપુર, મધ્યપ્રદેશ) : હૈદરાબાદમાં નિઝામશાહીનો સ્થાપક. નિઝામુલ્મુલ્ક તરીકે જાણીતા મીર કમરુદ્દીન ચિન કિલિચખાન હેઠળ દખ્ખણનો સૂબો (પ્રાંત) સ્વતંત્ર થયો હતો. 17મી સદીના મધ્યમાં તેના પિતામહ ખ્વાજા આબિદ શેખ ઉલ્ ઇસ્લામ બુખારાથી ભારત આવીને ઔરંગઝેબની નોકરીમાં જોડાયા હતા. નિઝામુલ્મુલ્કની…

વધુ વાંચો >

અસમ

અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર…

વધુ વાંચો >

અશોકમિત્રન્

Jan 23, 1989

અશોકમિત્રન્ (જ. 22 સપ્ટેમ્બર 1931, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 23 માર્ચ 2017, ચેન્નઈ, તમિલનાડુ) : આંધ્રના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. તેમને તેમના તમિળમાં લખેલા ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અપ્પાવિન સ્નેહીદાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હૈદરાબાદની નિઝામ કૉલેજમાંથી બી.એસસી.ની પદવી મેળવી. તેઓ ભારતની આઝાદીની ચળવળમાં કાર્યકર…

વધુ વાંચો >

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ

Jan 23, 1989

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા.…

વધુ વાંચો >

અશોકારિષ્ટ

Jan 23, 1989

અશોકારિષ્ટ : આયુર્વેદિક ઔષધિ. અશોકની છાલનો ક્વાથ બનાવી, ગાળી તેમાં ગોળ, ધાવડીનાં ફૂલ, શાહજીરું, નાગરમોથ, સૂંઠ, દારૂહળદર, ઉત્પલ (કમળ), હરડે, બહેડાં, આંબળાં, કેરીની ગોટલી, સફેદ જીરું. અરડૂસીનાં પાન તથા ચંદનનું ચૂર્ણ મેળવી 1 મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે છે. 2થી 4 તોલા માત્રામાં પાણી સાથે…

વધુ વાંચો >

અશ્ક, ઉપેન્દ્રનાથ

Jan 23, 1989

અશ્ક, ઉપેન્દ્રનાથ (જ. 14 ડિસેમ્બર 1910, જલંદર, પંજાબ; અ. 19 જાન્યુઆરી 1996, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) : આધુનિક હિન્દી નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકાર. જલંદરની ડી. એ. વી. કૉલેજમાં બી. એ. સુધીનું શિક્ષણ લીધું. પછી બે વર્ષ અધ્યાપન કર્યું. ત્યારબાદ ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી 1936માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

અશ્મ ઓજારો

Jan 23, 1989

અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…

વધુ વાંચો >

અશ્મક દેશ

Jan 23, 1989

અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે…

વધુ વાંચો >

અશ્મિલ

Jan 23, 1989

અશ્મિલ (fossils) : ભૂગર્ભમાં પ્રસ્તરરૂપે પરિવર્તન પામેલી સજીવોની સંપત્તિ. ઉત્ક્રાંતિ દરમિયાન અનેક જાતનાં સજીવો કાંપ અથવા ખડકોમાં સપડાયેલાં તે દટાઈને પ્રાચીન કાળથી ખડકોમાં રક્ષિત સ્થિતિમાં રહેલાં. તે અવશેષો કે છીપને અશ્મિ કહે છે. યુરેનિયમ (U238) અને કાર્બન (C14)જેવાં રેડિયો સમસ્થાનિકો(isotopes)ની મદદથી અશ્મિલોનાં પૂર્વવર્તી સજીવોના અસ્તિત્વનો સમય નક્કી થાય છે. અશ્મિલો…

વધુ વાંચો >

અશ્મિલ દ્વિઅંગી

Jan 23, 1989

અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે. શેવાળમાં કાર્બોનિફેરસ…

વધુ વાંચો >

અશ્મીલભવન

Jan 23, 1989

અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે…

વધુ વાંચો >

અશ્મીલભૂત ઇંધન

Jan 23, 1989

અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >