૧.૨૩

અશોકમિત્રનથી અસંયોગી જનન

અષ્ટ નાયિકા

અષ્ટ નાયિકા : જુઓ, નાયિકાપ્રભેદો.

વધુ વાંચો >

અષ્ટભદ્ર

અષ્ટભદ્ર : મંદિરના પાયામાં રચાતી અષ્ટકોણાકાર કૃતિ. ચાલુક્ય સ્થાપત્યમાં મંદિરોના પાયાનો આકાર આ રીતે કરવામાં આવતો. આવો આકાર સમચતુષ્કોણ લઈને તેને તેના કેન્દ્ર પર એવી રીતે ફેરવવામાં આવતો કે અષ્ટકોણાકાર તારા જેવી રચના થાય. આવી જાતનો આકાર ભારતમાં બીજી શૈલીનાં મંદિરોમાં પણ કરવામાં આવતો. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

અષ્ટમુદી

અષ્ટમુદી : ભારતના કેરળ રાજ્યમાં આવેલું સરોવર, જે અરબી સમુદ્રને બે સ્થળે મળે છે. આ સરોવર ક્વિલોન જિલ્લામાં ક્વિલોન શહેર પાસે આવેલું છે. આ સરોવરના એક છેડે ક્વિલોન અને બીજે છેડે પેઇમતુરુતુ ટાપુ છે. સરોવર પર 204 મીટર લાંબો પુલ છે, જે 1975ના અરસામાં બનાવવામાં આવ્યો છે. સરોવરનું પાણી આશરે…

વધુ વાંચો >

અષ્ટમૂર્તિ : જુઓ, શંકર.

અષ્ટમૂર્તિ : જુઓ, શંકર

વધુ વાંચો >

અષ્ટસખા

અષ્ટસખા : ગોપાલકૃષ્ણના સમાનવય, સમાનશીલ અને સમાન-પ્રવૃત્તિ ધરાવતા સખાઓ. પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ, તોક, અર્જુન, ઋષભ, સુબલ, શ્રીદામા, વિશાલ અને ભોજને અષ્ટસખા માનવામાં આવે છે. સાધારણ રીતે ગોપીભાવની ભક્તિ પોતાને સખીરૂપે કલ્પીને કરવામાં આવે છે, જ્યારે સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપસખારૂપે કલ્પે છે. શ્રીકૃષ્ણના બાલ્ય અને કિશોરલીલાના સંગી ગોપ સખાઓમાંના બળરામ…

વધુ વાંચો >

અષ્ટસખી

અષ્ટસખી : રાધાની આઠ પરમશ્રેષ્ઠ સખીઓ. વૈષ્ણવ સંપ્રદાયોની આ વિશિષ્ટ વિભાવના છે. ચૈતન્ય સંપ્રદાયમાં રાધા મહાભાવસ્વરૂપા છે અને તે સુષ્ઠુકાન્તાસ્વરૂપા, ધૃતષોડશશૃંગારા અને દ્વાદશાભરણાશ્રિતા છે. લલિતા, વિશાખા, ચંપકલતા, ચિત્રા, સુદેવી, તુંગવિદ્યા, ઇંદુલેખા અને રંગદેવી – આ આઠેય સખીઓ રાધાથી અભિન્ન છે અને તેઓ રાધાના કાયવ્યૂહરૂપા છે. રાધા-કૃષ્ણ-લીલાનો તેમના દ્વારા વિસ્તાર થાય…

વધુ વાંચો >

અષ્ટસિદ્ધિ

અષ્ટસિદ્ધિ : પ્રાચીન ભારતનાં દર્શનો વગેરેમાં ગણાવવામાં આવેલી અને તપ દ્વારા મળેલી વિશિષ્ટ શક્તિઓ. સિદ્ધિ શબ્દ પૌરાણિક પાત્રોનાં નામને પણ સૂચવે છે. સિદ્ધિ એ શિવપુરાણ મુજબ ગણેશની પત્નીનું નામ છે. રામાયણ મુજબ રાજા જનકના પુત્ર લક્ષ્મીનિધિની પત્નીનું નામ સિદ્ધિ હતું. મહાભારત મુજબ કુંતીના સ્વરૂપે પ્રગટ થયેલી દેવીનું નામ સિદ્ધિ છે…

વધુ વાંચો >

અષ્ટસૂત્રાંગી

અષ્ટસૂત્રાંગી (octopus) : સમુદાય મૃદુકાય (Mollusca). વર્ગ શીર્ષપાદ (Cephalopoda). શ્રેણી દ્વિઝાલરીય, ઉપશ્રેણી ઑક્ટોપોડાની એક પ્રજાતિ. આ પ્રાણીઓ આઠ લાંબા, પાતળા અને સૂત્ર જેવા મુખહસ્તો (oral arms) ધરાવે છે તેથી તેમને અષ્ટસૂત્રાંગી કહે છે. અષ્ટસૂત્રાંગી પ્રાણીઓ પ્રથમ ક્રિટેશિયસ યુગમાં ઉદભવ્યાં હતાં. આજ સુધીમાં શીર્ષપાદ વર્ગના 1૦,૦૦૦ જેટલા પ્રકારો મળી આવ્યા છે.…

વધુ વાંચો >

અષ્ટાધ્યાયી

અષ્ટાધ્યાયી (ઈસુની પૂર્વે પાંચમી સદી) : પાણિનિએ પોતાના સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોનો આઠ અધ્યાયમાં રચેલો ગ્રંથ. સૂત્રોની સંક્ષિપ્તતા જાળવવા માટે અને સાથોસાથ સૂત્રો સંદિગ્ધ અને અર્થહીન ન રહે તે માટે તેમાં સંસ્કૃત વર્ણમાળાને ચૌદ પ્રત્યાહાર (ટૂંકાં રૂપ બનાવવા માટેનાં) સૂત્રોમાં ગોઠવીને ‘શિવસૂત્રો’ કે ‘માહેશ્વરસૂત્રો’ તરીકે શરૂઆતમાં મૂકવામાં આવ્યાં છે. તેનાં પ્રથમ…

વધુ વાંચો >

અષ્ટાવક્ર

અષ્ટાવક્ર : પ્રાચીન ભારતીય ઋષિ. તેમના પિતાનું નામ કહોડ અથવા કહોલ ઋષિ હતું. ઉદ્દાલક ઋષિની પુત્રી સુજાતા અષ્ટાવક્રની માતા હતી. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પિતા પોતે લીધેલા પાઠનું આવર્તન કરી રહ્યા હતા એ જોઈ ગર્ભમાં રહેલા અષ્ટાવક્રે પિતાને પ્રશ્ન કર્યો કે તમારે હજી પણ આવર્તન કરવું પડે છે ?…

વધુ વાંચો >

અશોકમિત્રન્

Jan 23, 1989

અશોકમિત્રન્ (જ. 22 સપ્ટેમ્બર 1931, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 23 માર્ચ 2017, ચેન્નઈ, તમિલનાડુ) : આંધ્રના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. તેમને તેમના તમિળમાં લખેલા ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અપ્પાવિન સ્નેહીદાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હૈદરાબાદની નિઝામ કૉલેજમાંથી બી.એસસી.ની પદવી મેળવી. તેઓ ભારતની આઝાદીની ચળવળમાં કાર્યકર…

વધુ વાંચો >

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ

Jan 23, 1989

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા.…

વધુ વાંચો >

અશોકારિષ્ટ

Jan 23, 1989

અશોકારિષ્ટ : આયુર્વેદિક ઔષધિ. અશોકની છાલનો ક્વાથ બનાવી, ગાળી તેમાં ગોળ, ધાવડીનાં ફૂલ, શાહજીરું, નાગરમોથ, સૂંઠ, દારૂહળદર, ઉત્પલ (કમળ), હરડે, બહેડાં, આંબળાં, કેરીની ગોટલી, સફેદ જીરું. અરડૂસીનાં પાન તથા ચંદનનું ચૂર્ણ મેળવી 1 મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે છે. 2થી 4 તોલા માત્રામાં પાણી સાથે…

વધુ વાંચો >

અશ્ક, ઉપેન્દ્રનાથ

Jan 23, 1989

અશ્ક, ઉપેન્દ્રનાથ (જ. 14 ડિસેમ્બર 1910, જલંદર, પંજાબ; અ. 19 જાન્યુઆરી 1996, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) : આધુનિક હિન્દી નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકાર. જલંદરની ડી. એ. વી. કૉલેજમાં બી. એ. સુધીનું શિક્ષણ લીધું. પછી બે વર્ષ અધ્યાપન કર્યું. ત્યારબાદ ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી 1936માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

અશ્મ ઓજારો

Jan 23, 1989

અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…

વધુ વાંચો >

અશ્મક દેશ

Jan 23, 1989

અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે…

વધુ વાંચો >

અશ્મિલ

Jan 23, 1989

અશ્મિલ (fossils) : ભૂગર્ભમાં પ્રસ્તરરૂપે પરિવર્તન પામેલી સજીવોની સંપત્તિ. ઉત્ક્રાંતિ દરમિયાન અનેક જાતનાં સજીવો કાંપ અથવા ખડકોમાં સપડાયેલાં તે દટાઈને પ્રાચીન કાળથી ખડકોમાં રક્ષિત સ્થિતિમાં રહેલાં. તે અવશેષો કે છીપને અશ્મિ કહે છે. યુરેનિયમ (U238) અને કાર્બન (C14)જેવાં રેડિયો સમસ્થાનિકો(isotopes)ની મદદથી અશ્મિલોનાં પૂર્વવર્તી સજીવોના અસ્તિત્વનો સમય નક્કી થાય છે. અશ્મિલો…

વધુ વાંચો >

અશ્મિલ દ્વિઅંગી

Jan 23, 1989

અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે. શેવાળમાં કાર્બોનિફેરસ…

વધુ વાંચો >

અશ્મીલભવન

Jan 23, 1989

અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે…

વધુ વાંચો >

અશ્મીલભૂત ઇંધન

Jan 23, 1989

અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >