૧.૨૩

અશોકમિત્રનથી અસંયોગી જનન

અશોકમિત્રન્

અશોકમિત્રન્ (જ. 22 સપ્ટેમ્બર 1931, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 23 માર્ચ 2017, ચેન્નઈ, તમિલનાડુ) : આંધ્રના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. તેમને તેમના તમિળમાં લખેલા ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અપ્પાવિન સ્નેહીદાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હૈદરાબાદની નિઝામ કૉલેજમાંથી બી.એસસી.ની પદવી મેળવી. તેઓ ભારતની આઝાદીની ચળવળમાં કાર્યકર…

વધુ વાંચો >

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા.…

વધુ વાંચો >

અશોકારિષ્ટ

અશોકારિષ્ટ : આયુર્વેદિક ઔષધિ. અશોકની છાલનો ક્વાથ બનાવી, ગાળી તેમાં ગોળ, ધાવડીનાં ફૂલ, શાહજીરું, નાગરમોથ, સૂંઠ, દારૂહળદર, ઉત્પલ (કમળ), હરડે, બહેડાં, આંબળાં, કેરીની ગોટલી, સફેદ જીરું. અરડૂસીનાં પાન તથા ચંદનનું ચૂર્ણ મેળવી 1 મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે છે. 2થી 4 તોલા માત્રામાં પાણી સાથે…

વધુ વાંચો >

અશ્ક, ઉપેન્દ્રનાથ

અશ્ક, ઉપેન્દ્રનાથ (જ. 14 ડિસેમ્બર 1910, જલંદર, પંજાબ; અ. 19 જાન્યુઆરી 1996, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) : આધુનિક હિન્દી નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકાર. જલંદરની ડી. એ. વી. કૉલેજમાં બી. એ. સુધીનું શિક્ષણ લીધું. પછી બે વર્ષ અધ્યાપન કર્યું. ત્યારબાદ ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી 1936માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

અશ્મ ઓજારો

અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…

વધુ વાંચો >

અશ્મક દેશ

અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે…

વધુ વાંચો >

અશ્મિલ

અશ્મિલ (fossils) : ભૂગર્ભમાં પ્રસ્તરરૂપે પરિવર્તન પામેલી સજીવોની સંપત્તિ. ઉત્ક્રાંતિ દરમિયાન અનેક જાતનાં સજીવો કાંપ અથવા ખડકોમાં સપડાયેલાં તે દટાઈને પ્રાચીન કાળથી ખડકોમાં રક્ષિત સ્થિતિમાં રહેલાં. તે અવશેષો કે છીપને અશ્મિ કહે છે. યુરેનિયમ (U238) અને કાર્બન (C14)જેવાં રેડિયો સમસ્થાનિકો(isotopes)ની મદદથી અશ્મિલોનાં પૂર્વવર્તી સજીવોના અસ્તિત્વનો સમય નક્કી થાય છે. અશ્મિલો…

વધુ વાંચો >

અશ્મિલ દ્વિઅંગી

અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે. શેવાળમાં કાર્બોનિફેરસ…

વધુ વાંચો >

અશ્મીલભવન

અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે…

વધુ વાંચો >

અશ્મીલભૂત ઇંધન

અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >

અશ્રુ

Jan 23, 1989

અશ્રુ (1942) : મરાઠી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા વિ. સ. ખાંડેકરની આ કથામાં આસપાસના બાહ્ય વિશ્વમાં પ્રવર્તતાં ‘સત્ય અને દંભ, ત્યાગ અને સ્વાર્થ, માણસાઈ અને રાક્ષસીપણું એ દ્વંદ્વો’ની રમત જોઈને તેનું નિરૂપણ કર્યું છે. આ કથાનું કેન્દ્ર શંકર નામનું પાત્ર છે. શંકરમાં લેખકે મધ્યમ વર્ગના, અને તે પણ નીચલા મધ્યમ…

વધુ વાંચો >

અશ્રુમતી

Jan 23, 1989

અશ્રુમતી (1895) : ઐતિહાસિક વસ્તુવાળું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. શ્રી દેશી નાટક સમાજે ઈ. સ. 1895-96માં ભજવ્યું હતું. લેખકનાં આગલાં નાટકો કરતાં આ નાટકની ભાષા વધારે અસરકારક અને ઔચિત્યપૂર્ણ છે. સંવાદમાં લય અને આરોહઅવરોહ ઉપરાંત ભાવસભરતા છે. જયંતિ દલાલે એ જ નામે તેને ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો…

વધુ વાંચો >

અશ્રુવાયુ

Jan 23, 1989

અશ્રુવાયુ (tear gas) : આંખમાં બળતરા ઉત્પન્ન કરી વિપુલ પ્રમાણમાં આંસુ લાવનાર (lachrymators) અને આંખ ઉઘાડવાનું પણ મુશ્કેલ બનાવનાર વાયુરૂપ પદાર્થો. બેકાબૂ ટોળાને વિખેરવા સામાન્ય રીતે આ પદાર્થો વપરાય છે. આ પદાર્થોમાં હેલોજન અવશ્ય હોય છે અને તે ઘન કે પ્રવાહી રૂપે કે હાથબૉમ્બ (ગ્રેનેડ) રૂપે પણ હોઈ શકે. આ…

વધુ વાંચો >

અશ્વ અક્ષાંશ

Jan 23, 1989

અશ્વ અક્ષાંશ (horse latitude) : ઉ. અને દ. ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં 30° થી 35° ઉ. અને દક્ષિણ અક્ષાંશ વચ્ચેના પટાઓનું ક્ષેત્ર. તે પશ્ચિમી પવનો અને વ્યાપારી પવનો વચ્ચે આવેલું છે. સૂર્યની સાથે આ પટાઓ ઉત્તરદક્ષિણ થોડા સરકે છે. વિષુવવૃત્ત તથા ધ્રુવવૃત્તમાં ગરમ થયેલી હવા અહીં ઊતરે છે. બંને  ગોળાર્ધમાં આવેલાં…

વધુ વાંચો >

અશ્વગંધા

Jan 23, 1989

અશ્વગંધા : દ્વિદળી આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Withania somifera Dunal. છે. ભોંયરીંગણી, ધતૂરો, તમાકુ અને રાતરાણી તેનાં સહસભ્યો છે. સં. अश्वगंधा;  હિં.  असगंध. તારાકાર નાની રુંવાટીવાળો બારમાસી અનુક્ષુપ (undershrub). પીલુડી કે કોમળ આકડા જેવાં પાન. પીળાં-લીલાં પંચાવયવી પુષ્પો. દલપુંજ સાથે જોડાયેલાં પુંકેસર. બીજાશય બે. પ્રારંભમાં લીલું…

વધુ વાંચો >

અશ્વગંધારિષ્ટ

Jan 23, 1989

અશ્વગંધારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. મુખ્યત્વે અશ્વગંધા અને તેની સાથે મૂસળી, મજીઠ, હરડે, હળદર, દારૂહળદર, જેઠીમધ, રાસ્ના, વિદારીકંદ, અર્જુન, નાગરમોથ, નસોતર, અનંતમૂળ, શ્યામા, શ્વેતચંદન, રતાંજળી, વજ અને ચિત્રકમૂળના કવાથમાં મધ તથા ધાવડીનાં ફૂલ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, ઇલાયચી, પ્રિયંગુ તથા નાગકેશરનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી…

વધુ વાંચો >

અશ્વઘોષ

Jan 23, 1989

અશ્વઘોષ (ઈસુની પહેલી સદી) : મગધ દેશનો રાજ્યાશ્રિત કવિ. અશ્વઘોષના નામ વિશે દંતકથાઓમાંથી એક દંતકથાનુસાર કહેવાય છે કે કનિષ્ક રાજાએ મગધ પર આક્રમણ કર્યું અને મગધના રાજા પાસે બુદ્ધનું ભિક્ષાપાત્ર અને કવિ અશ્વઘોષ માગ્યાં. રાજા પોતાના માનીતા કવિને મોકલવા રાજી ન હતા અને તેથી પોતાના દરબારીઓને બતાવવા સારુ અશ્વશાળાના અશ્વો…

વધુ વાંચો >

અશ્વત્થ

Jan 23, 1989

અશ્વત્થ (1975) : સાહિત્ય અકાદમી દ્વારા 1976ની શ્રેષ્ઠ ગુજરાતી કૃતિ તરીકે પુરસ્કૃત કવિ ઉશનસનો કાવ્યસંગ્રહ. તે એમની કવિતાનો એક નોંધપાત્ર વળાંક બતાવે છે. તત્સમ અને સમાસઘન પદાવલિ આ પૂર્વેની એમની કવિતાની ખાસિયત હતી. એમાંથી તરલપ્રવાહી ને અરૂઢ ઇબારતમાં સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ રહેવાના અનુભવને આલેખવાની દિશા આ સંગ્રહની કવિતામાં…

વધુ વાંચો >

અશ્વત્થામા (1)

Jan 23, 1989

અશ્વત્થામા (1) : પૌરાણિક પાત્ર. ઋષિ દ્રોણાચાર્ય અને ગૌતમીનો એકનો એક પુત્ર. વિશ્વના સાત ચિરંજીવી પૈકી એક. જન્મતાવેંત એ ઉચ્ચૈ:શ્રવા અશ્વની જેમ જોરથી હણહણ્યો તેથી આકાશવાણીએ એનું નામ પાડ્યું અશ્વત્થામા. મહાદેવ, અંતક, કામ અને ક્રોધના એકઠા અંશથી એનો જન્મ થયેલો મનાય છે. દ્રોણાચાર્યે એને કૌરવ-પાંડવોની સાથે શસ્ત્રવિદ્યા શિખવાડી. એ દ્રૌપદીસ્વયંવરમાં…

વધુ વાંચો >

અશ્વત્થામા (2)

Jan 23, 1989

અશ્વત્થામા (2) (જ. 17 જૂન 1912; અ. 16 જાન્યુઆરી 1994) : કન્નડ ભાષાના પ્રસિદ્ધ કથાલેખક તથા નાટ્યકાર. મૂળ નામ અશ્વત્થ, નારાયણરાવ. નિવાસ મૈસૂર. ‘સણ્ણકથેગળુ’ નામથી એમના વાર્તાસંગ્રહના ચાર ખંડ પ્રકાશિત થયા છે. એમની વાર્તાઓમાં આધુનિકતાબોધ દૃષ્ટિએ પડે છે. એમની વાર્તાઓની પાર્શ્વભૂમિ કર્ણાટક ઉપરાંત ભારતના અન્ય પ્રદેશોની પટભૂમિ પણ છે. ભિન્ન…

વધુ વાંચો >