૧.૧૫

અભિસરણતંત્રથી અમાત્ય

અમરચંદ્રસૂરિ (1224)

અમરચંદ્રસૂરિ (1224) : વાયડગચ્છના વિદ્વાન જૈનાચાર્ય અને અલંકારશાસ્ત્રી. તેઓ અલંકાર ઉપરાંત છંદ, વ્યાકરણ અને કાવ્યકલામાં પારંગત હતા. તેમણે ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલ અને તેમના સુપ્રસિદ્ધ જૈન મંત્રી વસ્તુપાલના શાસનકાળ દરમિયાન અરિસિંહ નામના વિદ્વાને લખેલ કવિશિક્ષા વિષેનો ‘કાવ્યકલ્પલતા’ ગ્રંથ પૂર્ણ કરેલો. તેઓ શીઘ્રકવિ હતા. કાવ્યકલ્પલતા પર તેમણે વૃત્તિ લખી છે. એમાં ચાર…

વધુ વાંચો >

અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ)

અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ) : સોલંકીકાલના વિદ્વાન વૈયાકરણ, તેઓ જયાનંદસૂરિના શિષ્ય હતા. તેમણે હેમચંદ્રાચાર્ય-કૃત ‘સિદ્ધ. હેમશબ્દાનુશાસન’નાં 757 સૂત્રોની બૃહદવૃત્તિ પર ‘અવચૂર્ણિ’ રચી છે. દેવેન્દ્ર ભટ્ટ

વધુ વાંચો >

અમરદાસ ગુરુ

અમરદાસ ગુરુ (જ. 23 મે 1479, બાસરકા, અમૃતસર, પંજાબ; અ. 16 સપ્ટેમ્બર 1574, ગોઈંદવાલ સાહિબ, પંજાબ) : શીખધર્મના ત્રીજા ગુરુ. વતન બાસરકા ગામ. તેમણે નાનકના ધર્મસંદેશને વ્યવસ્થિત પંથનું રૂપ આપ્યું હતું. તેમણે ધર્મપ્રચાર માટે 22 મંજી (આસન) અને 52 સ્ત્રીઓ સહિત 146 મસંદ (ધર્મપ્રચારક) નીમ્યા હતા; પડદા અને સતીની પ્રથાનો…

વધુ વાંચો >

અમરનાથ

અમરનાથ : કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ તથા શક્તિપીઠ. શ્રીનગરના ઈશાને 138 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં 3,825 મીટરની ઊંચાઈ પર નિસર્ગનિર્મિત ગુફામાં તેનું સ્થાનક છે. ભૌગોલિક સ્થાન 340 13´ ઉ. અ. અને 750 31´ પૂ. રે. 45 મીટર ઊંચી ગુફામાં શ્રાવણ શુક્લ પૂનમના દિવસે આ શિવલિંગ પૂર્ણત્વ પામે છે…

વધુ વાંચો >

અમરવેલ

અમરવેલ : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cuscuta reflexa Roxb. (સં. आकाशलरी, अमरवल्लरी; હિં. आकाशवेल, अमरवेल; મ. અમરવેલ, આકાશવેલ, અંતરવેલ, સોનવેલ; અં. ડૉડર) છે. સંપૂર્ણ પરોપજીવી વેલ. મૂલરહિત, પર્ણરહિત આછાં પીળાં પાતળાં પ્રકાંડ. પુષ્પો પરિમિત અને સફેદ. એક હોય તો એક સેમી. લાંબું અથવા વધુમાં વધુ…

વધુ વાંચો >

અમરસિંગ

અમરસિંગ (જ. 4 ડિસે. 1910, રાજકોટ; અ. 21 મે 1940, જામનગર) : ભારતીય ક્રિકેટનો ઑલરાઉન્ડર. આખું નામ : અમરસિંગ લધાભાઈ નકુમ. અભ્યાસ : આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ. તે રણજી ટ્રોફી વેસ્ટર્ન ઇંડિયા સ્ટેટ્સ તરફથી (1934-35) અને નવાનગર (1937-38થી 1939-40) તરફથી રમેલો. 1932માં ભારતીય ટીમ તરફથી ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરેલો. 1936માં લૅન્કેશાયર લીગમાં…

વધુ વાંચો >

અમરાવતી (1)

અમરાવતી (1) : આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કાંઠે આવેલી પ્રાચીન આંધ્રવંશની રાજધાની. તેનું પ્રાચીન નામ ધાન્યકટક હતું. શાતવાહન વંશના રાજા શાતકર્ણિએ ઈ. પૂ. 180માં આ નગરી વસાવી હતી. શાતવાહન રાજાઓએ અમરાવતીમાં પ્રથમ ઈ. પૂ. 200માં સ્તૂપ બંધાવેલો, પછી કુષાણ કાલમાં અહીં અનેક સ્તૂપો બન્યા. ધાન્યકટકની નજીકની પહાડીઓમાં શ્રીપર્વત (શ્રીશૈલ) કે નાગાર્જુનીકોંડ…

વધુ વાંચો >

અમરાવતી (2)

અમરાવતી (2) : મહારાષ્ટ્ર રાજ્યની ઉત્તર સરહદે મધ્યમાં આવેલો જિલ્લો તથા તેજ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 200 32´થી 210 46´ ઉ. અ. અને 760 38´થી 780 27´ પૂ. રે. વચ્ચેનો 12,210 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો ઘણોખરો ભાગ તાપીના થાળામાં અને પૂર્વ સરહદ તરફનો ભાગ…

વધુ વાંચો >

અમરુ-શતક

અમરુ-શતક (ઈ. આઠમી સદી) : કવિ અમરુકૃત માધુર્ય તથા પ્રસાદગુણથી યુક્ત શૃંગારરસપ્રધાન સો શ્લોકવાળું સંસ્કૃત ખંડકાવ્ય. નાયક-નાયિકાનાં શૃંગારચિત્રો તથા કામશાસ્ત્રીય સંયોગ અને વિયોગના કલાત્મક ભાવોનું નિરૂપણ કરતું આ કાવ્ય મુખ્યરૂપે શાર્દૂલવિક્રીડિત, ઉપરાંત સ્રગ્ધરા, હરિણી, વસંતતિલકા જેવા છંદોમાં રચેલાં સો કે તેથી અધિક મુક્તકો ધરાવે છે. આ કાવ્યના અનેક શ્લોકો સંસ્કૃતના…

વધુ વાંચો >

અમરેલી

અમરેલી : ગુજરાત રાજ્યનો એક જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર : 6,760 ચોકિમી. જિલ્લાનો ઉત્તરનો ભાગ ટેકરાળ છે. શેત્રુંજી, રાવલ, ધાતરવાડી, શિંગવડો, સુરમત, રંઘોળી, વડી, ઠેબી, શેલ, કાળુભાર અને ઘેલો વગેરે નદીઓ અમરેલી જિલ્લામાંથી વહે છે. શેત્રુંજી નદી પરના બંધ પાસે ખોડિયાર ધોધ આવેલો છે. આબોહવા સમધાત છે.…

વધુ વાંચો >

અભિસરણતંત્ર

Jan 15, 1989

અભિસરણતંત્ર (Circulatory system) પ્રાણીશરીરમાં જીવનાવશ્યક વસ્તુઓને શરીરના વિવિધ ભાગો તરફ વહન કરતું તેમજ શરીરમાં પ્રવેશેલ કે ઉદભવેલ ત્યાજ્ય પદાર્થોના ઉત્સર્જન માટે જે તે અંગ તરફ લઈ જતું વહનતંત્ર. પ્રત્યેક પ્રાણી જીવનાવશ્યક પોષકતત્ત્વો તથા પ્રાણવાયુ જેવા પદાર્થો પર્યાવરણમાંથી મેળવે છે. તે જ પ્રમાણે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ-દ્રવ્યોને શરીરમાંથી તે…

વધુ વાંચો >

અભિસંધાન

Jan 15, 1989

અભિસંધાન (conditioning) : અમુક ચોક્કસ પર્યાવરણમાં પ્રબલન(reinforcement)ને પરિણામે અમુક ચોક્કસ પ્રતિક્રિયા નિપજાવવાની સંભાવના વધારનારી પ્રક્રિયા સૂચવવા માટે વર્તનલક્ષી વિજ્ઞાનો(behavioural sciences)માં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ વિભાવનાનો આધાર પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ(reflexes)ના અભ્યાસ માટેની પ્રાયોગિક પદ્ધતિઓ પર છે. રશિયા, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના શરીરશાસ્ત્રીઓએ અભિસંધાનની પ્રક્રિયાઓ, અવલોકન અને વ્યાખ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું…

વધુ વાંચો >

અભેદ્ય અને ભેદ્ય ખડકો

Jan 15, 1989

અભેદ્ય અને ભેદ્ય ખડકો (impervious and pervious rocks) : જળપ્રવેશક્ષમતા ન ધરાવતા ખડકો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા કેટલાક ખડકોમાં ખનિજકણોની ઘનિષ્ઠ ગોઠવણીને કારણે આંતરકણ જગાઓ હોતી નથી, જેથી આ પ્રકારના ખડકોમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, એટલે એ ખડકોને અભેદ્ય ખડકો કહે છે. દળદાર (massive) અગ્નિકૃત ખડકો તેનું ઉદાહરણ…

વધુ વાંચો >

અભ્યન્તર

Jan 15, 1989

અભ્યન્તર (1979) : આધુનિક ઊડિયા કવિ અનંત પટનાયકનો કાવ્યસંગ્રહ. તેને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકની આ કાવ્યસંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. એમાં કવિ માનવની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે આન્તરસૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…

વધુ વાંચો >

અભ્યંકર કાશીનાથ વાસુદેવ

Jan 15, 1989

અભ્યંકર, કાશીનાથ વાસુદેવ (જ. 7 ઑગસ્ટ 1890, પુણે; અ. 1 ડિસેમ્બર 1976, પુણે) : ભારતના અર્વાચીન યુગના અગ્રણી સંસ્કૃત વૈયાકરણી. કિશોરાવસ્થામાં પિતાશ્રી મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકર અને ગુરુશ્રી રામશાસ્ત્રી ગોડબોલે પાસે પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ અને ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’, હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ‘મનોરમા ટીકા’, નાગેશ ભટ્ટના ‘પરિભાષેન્દુશેખર’, ‘શબ્દેન્દુશેખર’ તેમજ પતંજલિના ‘મહાભાષ્ય’નો અભ્યાસ…

વધુ વાંચો >

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી

Jan 15, 1989

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી (1862–1943) : મહારાષ્ટ્રના પ્રખ્યાત સંસ્કૃત વૈયાકરણ તેમજ અનેક શાસ્ત્રોના નિષ્ણાત. 1921માં બ્રિટિશ સરકારે એમને મહામહોપાધ્યાયની પદવી આપીને એમની વિદ્વત્તાને બિરદાવેલી. એમણે સતારાના રામશાસ્ત્રી ગોડબોલે પાસે બાલ્યવયથી જ સંસ્કૃતનું અધ્યયન કરેલું. તે પછી તેમની નિમણૂક પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તથા સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી તરીકે થયેલી. તેમણે વ્યાકરણ, વેદાન્ત, મીમાંસા,…

વધુ વાંચો >

અભ્યુપગમતર્ક

Jan 15, 1989

અભ્યુપગમતર્ક : પ્રતિવાદીનો મત વાદીને સ્વીકાર્ય ન હોય તોપણ, તે મતને સ્વીકારવા ખાતર સ્વીકારીને પછી, પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા માટે તર્ક રજૂ કરવામાં આવે તે ચર્ચા-પદ્ધતિ. ધારો કે વાદી પર્વતમાં ધૂમ્રને જોઈને ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરે છે, પરંતુ, પ્રતિવાદી એ વાત ન માને અને કહે છે – પર્વતમાં ધૂમ્ર…

વધુ વાંચો >

અભ્યુપગમવાદ

Jan 15, 1989

અભ્યુપગમવાદ : પ્રતિવાદીનો મત વાદીને ઇષ્ટ ન હોય તોપણ તે મતના બળનું નિરીક્ષણ કરવા માટે, તે મતનો અભ્યુપગમ અર્થાત્ સ્વીકાર કરવામાં આવે અને પછી પોતાના મતને સાચો અને પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા વાદ (નિશ્ર્ચિત પ્રકારની ચર્ચા) કરવામાં આવે તે ચર્ચાપદ્ધતિ. (प्रतिवादिचलनिरीक्षणार्थम् अनिष्टम् स्वीकरणम्). આ અભ્યુપગમવાદ પ્રૌઢિવાદ જેવો છે. પ્રૌઢિવાદ અર્થાત્…

વધુ વાંચો >

અમજદઅલીખાં

Jan 15, 1989

અમજદઅલીખાં (જ. 9 ઑક્ટોબર 1945, ગ્વાલિયર, મધ્યપ્રદેશ) : વિખ્યાત સરોદવાદક. તેઓ ઉસ્તાદ હાફિઝઅલીખાંના નાના પુત્ર થાય. તેમના વંશમાં સંગીતનો પ્રવાહ વહેતો આવેલો છે. હાફિઝઅલીખાં વિખ્યાત સરોદવાદક હતા. અમજદઅલીએ પિતા પાસેથી પાંચ વર્ષની વયથી સંગીતશિક્ષણ શરૂ કરેલું. 13 વર્ષની વયે પિતા તેમને સંગીત-સમારોહમાં લઈ જતા, જેથી તે સંગીત-શ્રોતાવર્ગનો પરિચય પામે. અમજદઅલીખાંનો…

વધુ વાંચો >

અમતેરસુ–સૂર્યદેવી

Jan 15, 1989

અમતેરસુ–સૂર્યદેવી : જાપાનમાં પ્રચલિત શિન્તો ધર્મની દેવસૃષ્ટિમાં અમતેરસુ–સૂર્યદેવીની પૂજાનું મહત્વ વિશેષ છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. આ પૂજા અમુક પ્રકારે કરવી એ…

વધુ વાંચો >