૧.૧૫

અભિસરણતંત્રથી અમાત્ય

અમરોહા

અમરોહા : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લામાં મુરાદાબાદ શહેરની પશ્ચિમ બાજુએ સોન નદીને કિનારે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 280 55´ ઉ. અ. અને 780 28´ પૂ. રે. વસ્તી : 1,98,471 (2011). તે દિલ્હી અને મુરાદાબાદ સાથે રેલવેથી સંકળાયેલું છે. ખેતપેદાશોનું મોટું બજારકેન્દ્ર છે. હાથસાળ, માટીકામ અને ખાંડની મિલો…

વધુ વાંચો >

અમલબેદ

અમલબેદ : દ્વિદળી વર્ગના રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus medica Linn. (સં. अम्लवेतस्, अकृम्लवेतस्; હિં. बरानिम्बु; અં. કૉમન સોરેલ) છે. મોસંબી, સંતરાં, લીંબુ, પપનસ વગેરે તેનાં સહસભ્યો છે. બીજોરા જેવી આ એક લીંબુની જાત છે. નાનું, કાંટાળું ઝાડ, ભૂરી નાની કૂંપળો. એકપર્ણિકાવાળું, પક્ષવત્ દંડ ધરાવતું પર્ણ. તેનાં…

વધુ વાંચો >

અમલી સન

અમલી સન : જુઓ સંવત.

વધુ વાંચો >

અમલેશ્વર (તા. ભરૂચ)

અમલેશ્વર (તા. ભરૂચ) : ગુજરાત રાજ્યમાં નર્મદા-પરિક્રમાના માર્ગ પાસે આવેલું ધર્મસ્થાન. વિશાળ તળાવને કાંઠે અમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં પરિક્રમા-યાત્રીઓ દર્શને આવે છે. મૂળ સોલંકીકાલીન શિવલિંગ ધરાવતા આ મંદિરમાં અનેક વાર જીર્ણોદ્ધાર થયાનું જણાય છે. મંદિર પૂર્વાભિમુખ છે અને રચના પરત્વે તે ગર્ભગૃહ તથા ગૂઢમંડપ ધરાવે છે. અહીં ચણતર…

વધુ વાંચો >

અમાગેટના પ્રયોગો

અમાગેટના પ્રયોગો : વાયુઓ ઉપર અતિ ઉચ્ચ દબાણની અસરના અભ્યાસ માટે ફ્રેંચ વિજ્ઞાની અમાગેટે કરેલા પ્રયોગો. બૉઇલે ચોક્કસ જથ્થાના વાયુના અચળ તાપમાને કદ અને દબાણ વચ્ચેનો સંબંધ ગણિતની ભાષામાં PV = K (અચળાંક) તરીકે રજૂ કર્યો. બૉઇલ કરતાં વધુ ઊંચાં દબાણ વાપરીને ઍન્ડ્રૂઝે સાબિત કર્યું કે સામાન્ય વાયુઓ આ નિયમને…

વધુ વાંચો >

અમાત્ય

અમાત્ય : પ્રાચીન ભારતીય શાસનપરંપરાનો એક પદાધિકારી. દેશ, કાલ તેમજ કાર્યને અનુલક્ષીને તેની નિમણૂક થતી. અમાત્યોની ધર્મોપધા, અર્થોપધા, કામોપધા અને ભયોપધા – એમ ચાર પ્રકારે ઉપધા (પરખ) થતી, અને જે અમાત્ય પૂર્ણપણે ધાર્મિક હોય, ધનલોભી ન હોય, કામને વશીભૂત ન હોય તેમજ નિર્ભય હોય અર્થાત્ ‘સર્વોપધાશુદ્ધ’ હોય તેને મંત્રીપદ પર…

વધુ વાંચો >

અભિસરણતંત્ર

Jan 15, 1989

અભિસરણતંત્ર (Circulatory system) પ્રાણીશરીરમાં જીવનાવશ્યક વસ્તુઓને શરીરના વિવિધ ભાગો તરફ વહન કરતું તેમજ શરીરમાં પ્રવેશેલ કે ઉદભવેલ ત્યાજ્ય પદાર્થોના ઉત્સર્જન માટે જે તે અંગ તરફ લઈ જતું વહનતંત્ર. પ્રત્યેક પ્રાણી જીવનાવશ્યક પોષકતત્ત્વો તથા પ્રાણવાયુ જેવા પદાર્થો પર્યાવરણમાંથી મેળવે છે. તે જ પ્રમાણે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ-દ્રવ્યોને શરીરમાંથી તે…

વધુ વાંચો >

અભિસંધાન

Jan 15, 1989

અભિસંધાન (conditioning) : અમુક ચોક્કસ પર્યાવરણમાં પ્રબલન(reinforcement)ને પરિણામે અમુક ચોક્કસ પ્રતિક્રિયા નિપજાવવાની સંભાવના વધારનારી પ્રક્રિયા સૂચવવા માટે વર્તનલક્ષી વિજ્ઞાનો(behavioural sciences)માં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ વિભાવનાનો આધાર પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ(reflexes)ના અભ્યાસ માટેની પ્રાયોગિક પદ્ધતિઓ પર છે. રશિયા, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના શરીરશાસ્ત્રીઓએ અભિસંધાનની પ્રક્રિયાઓ, અવલોકન અને વ્યાખ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું…

વધુ વાંચો >

અભેદ્ય અને ભેદ્ય ખડકો

Jan 15, 1989

અભેદ્ય અને ભેદ્ય ખડકો (impervious and pervious rocks) : જળપ્રવેશક્ષમતા ન ધરાવતા ખડકો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા કેટલાક ખડકોમાં ખનિજકણોની ઘનિષ્ઠ ગોઠવણીને કારણે આંતરકણ જગાઓ હોતી નથી, જેથી આ પ્રકારના ખડકોમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, એટલે એ ખડકોને અભેદ્ય ખડકો કહે છે. દળદાર (massive) અગ્નિકૃત ખડકો તેનું ઉદાહરણ…

વધુ વાંચો >

અભ્યન્તર

Jan 15, 1989

અભ્યન્તર (1979) : આધુનિક ઊડિયા કવિ અનંત પટનાયકનો કાવ્યસંગ્રહ. તેને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકની આ કાવ્યસંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. એમાં કવિ માનવની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે આન્તરસૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…

વધુ વાંચો >

અભ્યંકર કાશીનાથ વાસુદેવ

Jan 15, 1989

અભ્યંકર, કાશીનાથ વાસુદેવ (જ. 7 ઑગસ્ટ 1890, પુણે; અ. 1 ડિસેમ્બર 1976, પુણે) : ભારતના અર્વાચીન યુગના અગ્રણી સંસ્કૃત વૈયાકરણી. કિશોરાવસ્થામાં પિતાશ્રી મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકર અને ગુરુશ્રી રામશાસ્ત્રી ગોડબોલે પાસે પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ અને ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’, હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ‘મનોરમા ટીકા’, નાગેશ ભટ્ટના ‘પરિભાષેન્દુશેખર’, ‘શબ્દેન્દુશેખર’ તેમજ પતંજલિના ‘મહાભાષ્ય’નો અભ્યાસ…

વધુ વાંચો >

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી

Jan 15, 1989

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી (1862–1943) : મહારાષ્ટ્રના પ્રખ્યાત સંસ્કૃત વૈયાકરણ તેમજ અનેક શાસ્ત્રોના નિષ્ણાત. 1921માં બ્રિટિશ સરકારે એમને મહામહોપાધ્યાયની પદવી આપીને એમની વિદ્વત્તાને બિરદાવેલી. એમણે સતારાના રામશાસ્ત્રી ગોડબોલે પાસે બાલ્યવયથી જ સંસ્કૃતનું અધ્યયન કરેલું. તે પછી તેમની નિમણૂક પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તથા સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી તરીકે થયેલી. તેમણે વ્યાકરણ, વેદાન્ત, મીમાંસા,…

વધુ વાંચો >

અભ્યુપગમતર્ક

Jan 15, 1989

અભ્યુપગમતર્ક : પ્રતિવાદીનો મત વાદીને સ્વીકાર્ય ન હોય તોપણ, તે મતને સ્વીકારવા ખાતર સ્વીકારીને પછી, પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા માટે તર્ક રજૂ કરવામાં આવે તે ચર્ચા-પદ્ધતિ. ધારો કે વાદી પર્વતમાં ધૂમ્રને જોઈને ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરે છે, પરંતુ, પ્રતિવાદી એ વાત ન માને અને કહે છે – પર્વતમાં ધૂમ્ર…

વધુ વાંચો >

અભ્યુપગમવાદ

Jan 15, 1989

અભ્યુપગમવાદ : પ્રતિવાદીનો મત વાદીને ઇષ્ટ ન હોય તોપણ તે મતના બળનું નિરીક્ષણ કરવા માટે, તે મતનો અભ્યુપગમ અર્થાત્ સ્વીકાર કરવામાં આવે અને પછી પોતાના મતને સાચો અને પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા વાદ (નિશ્ર્ચિત પ્રકારની ચર્ચા) કરવામાં આવે તે ચર્ચાપદ્ધતિ. (प्रतिवादिचलनिरीक्षणार्थम् अनिष्टम् स्वीकरणम्). આ અભ્યુપગમવાદ પ્રૌઢિવાદ જેવો છે. પ્રૌઢિવાદ અર્થાત્…

વધુ વાંચો >

અમજદઅલીખાં

Jan 15, 1989

અમજદઅલીખાં (જ. 9 ઑક્ટોબર 1945, ગ્વાલિયર, મધ્યપ્રદેશ) : વિખ્યાત સરોદવાદક. તેઓ ઉસ્તાદ હાફિઝઅલીખાંના નાના પુત્ર થાય. તેમના વંશમાં સંગીતનો પ્રવાહ વહેતો આવેલો છે. હાફિઝઅલીખાં વિખ્યાત સરોદવાદક હતા. અમજદઅલીએ પિતા પાસેથી પાંચ વર્ષની વયથી સંગીતશિક્ષણ શરૂ કરેલું. 13 વર્ષની વયે પિતા તેમને સંગીત-સમારોહમાં લઈ જતા, જેથી તે સંગીત-શ્રોતાવર્ગનો પરિચય પામે. અમજદઅલીખાંનો…

વધુ વાંચો >

અમતેરસુ–સૂર્યદેવી

Jan 15, 1989

અમતેરસુ–સૂર્યદેવી : જાપાનમાં પ્રચલિત શિન્તો ધર્મની દેવસૃષ્ટિમાં અમતેરસુ–સૂર્યદેવીની પૂજાનું મહત્વ વિશેષ છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. આ પૂજા અમુક પ્રકારે કરવી એ…

વધુ વાંચો >